રણજી ટ્રોફી
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સ્થપાયેલી રણજી ટ્રોફીનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજિત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતુ, જેઓ ઈંગ્લેન્ડ અને સસેક્સ માટે રમ્યા હતા. રણજિત સિંહ, જેને ‘ભારતીય ક્રિકેટના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ક્યારેય ભારત માટે રમ્યE નથી.
રણજી ટ્રોફીને અલગ-અલગ પ્રાદેશિક ટીમો દ્વારા એકબીજા સામે રમાતી સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ શ્રેણી તરીકે ગણવામાં આવે છે.
1934માં જાહેરાત થયા બાદ શ્રેણીની પ્રથમ મેચ 1934-1935માં રમાઈ હતી. ટ્રોફી એનાયત પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ દ્વારા કરવામાં આવી હતી. રણજી ટ્રોફીએ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે અને આધુનિક સમયમાં ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.
8 બોલમાં 8 છગ્ગા! મેઘાલયના બેટ્સમેને ફક્ત 9 મિનિટમાં અડધી સદી પૂરી કરી, રવિ શાસ્ત્રી અને ગેરી સોબર્સની સાથે નામ જોડાયું
મેઘાલયના 25 વર્ષીય બેટ્સમેન આકાશ કુમાર ચૌધરીએ રવિવારે ઇતિહાસ રચ્યો. તેણે અરુણાચલ પ્રદેશ સામેની રણજી ટ્રોફી મેચમાં એક ઓવરમાં 6 છગ્ગા ફટકાર્યા અને રેકોર્ડ-બૂકમાં પોતાનું નામ નોંધાવ્યું.
- Ravi Prajapati
- Updated on: Nov 9, 2025
- 7:44 pm
રેડ બોલ ક્રિકેટમાં યશસ્વી જયસ્વાલનો કોઈ જવાબ નથી, સતત બીજી સદી ફટકારી, 45 વર્ષમાં આ મામલે છે નંબર 1
યશસ્વી જયસ્વાલે ફરી એકવાર રણજી ટ્રોફીમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું છે. ફરી એકવાર, તેણે લાલ બોલથી રમીને સદી ફટકારી છે. અને આમ કરીને, તેણે એક નહીં પરંતુ ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા છે.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2025
- 10:44 pm
વૈભવ સૂર્યવંશી માત્ર 7 રન માટે સદી ચૂકી ગયો, ટેસ્ટ ક્રિકેટમાં T20 ઈનિંગ, ચોગ્ગા-છગ્ગાનો કર્યો વરસાદ
14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ 2025-26 રણજી ટ્રોફીમાં મેઘાલય સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેણે માત્ર 67 બોલમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો. પરંતુ તે એક મોટો રેકોર્ડ તોડવાથી સહેજ માટે ચૂકી ગયો.
- Smit Chauhan
- Updated on: Nov 4, 2025
- 8:12 pm
Vaibhav Suryavanshi: છઠ પર વૈભવ સૂર્યવંશી ઘરેથી 1700 કિમી દૂર, જાણો ક્યાં છે આ યુવા સ્ટાર બેટ્સમેન?
છઠ પૂજા શરૂ થઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં ભક્તિનો આ પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. યુવા સ્ટાર બેટ્સમેન વૈભવ સૂર્યવંશી આ વખતે આ ખાસ પ્રસંગે ઘરે નથી. જાણો છઠ પૂજાના શુભ પ્રસંગે વૈભવ ઘરેથી 1700 કિમી દૂર શું કરી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 27, 2025
- 5:18 pm
18 રનમાં 5 વિકેટ પડી ગઈ, 4 ખેલાડી 0 પર આઉટ થયા, છતાં આ ટીમ હારથી બચી ગઈ
મહારાષ્ટ્ર અને કેરળ વચ્ચેની મેચ ચાર દિવસ ચાલી અને ડ્રો રહી. પરંતુ આ ડ્રોમાં પણ એક ટીમ જીતી ગઈ, કારણ કે મેચના પહેલા કલાકમાં જ તેમની સાથે જે થયું તેમ છતાં ટીમ જે રીતે મેચ ડ્રો કરવામાં સફળ રહી તે ખરેખર કમાલ છે.
- Smit Chauhan
- Updated on: Oct 18, 2025
- 10:52 pm
ફિટનેસ પર સવાલ ઊભા કરીને બહાર રાખનારને મોહમ્મદ શમીનો પરફોર્મન્સથી જવાબ, 7 વિકેટ ઝડપી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ રણજી ટ્રોફી 2025-26 ના પહેલા રાઉન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શમી ઉત્તરાખંડ સામેની મેચમાં 7 વિકેટ લેવામાં સફળ થયો છે અને સમગ્ર મેચ દરમિયાન લગભગ 40 ઓવર બોલિંગ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Oct 18, 2025
- 1:41 pm
એક જ દિવસમાં 5 બેટ્સમેનોએ ફટકારી બેવડી સદી, આ ખેલાડીએ પહેલી જ મેચમાં કર્યો કમાલ
રણજી ટ્રોફી 2025-26 ના પહેલા રાઉન્ડમાં કેટલીક રોમાંચક મેચો જોવા મળશે. આ રાઉન્ડના બીજા દિવસે, પાંચ બેટ્સમેનોએ અલગ અલગ મેચોમાં બેવડી સદી ફટકારી. આમાંથી એક ખેલાડીએ તો પોતાના ડેબ્યૂમાં જ આ સિદ્ધિ મેળવી લીધી.
- Smit Chauhan
- Updated on: Oct 17, 2025
- 12:19 am
અજીત અગરકરે રન બનાવવા કહ્યું, ઈશાન કિશને રણજી ટ્રોફીની પહેલી જ મેચમાં ફટકારી સદી
રણજી ટ્રોફી 2025-26 શરૂ થઈ ગઈ છે. ઝારખંડના કેપ્ટન ઈશાન કિશને ટુર્નામેન્ટના પહેલા જ રાઉન્ડમાં યાદગાર ઈનિંગ રમી હતી. તેણે તમિલનાડુ સામે સદી ફટકારી હતી. આ ઈનિંગ એક મહત્વપૂર્ણ તબક્કે આવી હતી. થોડા દિવસ પહેલા જ ચીફ સિલેક્ટર અજીત અગરકરે ઈશાનના ટીમમાં સ્થાન ન મળવા અંગે મોટું નિવેદન આપ્યું હતું, જે બાદ ઈશાને હવે સદી ફટકારી જવાબ આપ્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 5:22 pm
વૈભવ સૂર્યવંશી રણજી ટ્રોફીમાં દરરોજ 40,000 રૂપિયા કમાશે, જાણો આખી સિઝનમાં કુલ કેટલી કમાણી કરશે
14 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીની કુલ સંપત્તિ કરોડોમાં છે. વધુમાં, વર્તમાન રણજી ટ્રોફી સિઝન દરમિયાન તે દરરોજ 40,000 રૂપિયાની કમાણી કરી રહ્યો છે. જાણો વૈભવ સૂર્યવંશી આખી સિઝન દરમિયાન કુલ કેટલી કમાણી કરશે?
- Smit Chauhan
- Updated on: Oct 15, 2025
- 3:56 pm
આ સ્ટાર ભારતીય ખેલાડી ટીમમાંથી થયો બહાર, અચાનક મુંબઈ પાછા ફરવું પડ્યું
2025-26 રણજી ટ્રોફી 15 ઓક્ટોબરથી શરૂ થવાની છે. ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા, મુંબઈને મોટો ઝટકો લાગ્યો છે. તેમના એક સ્ટાર ખેલાડીને પહેલી મેચમાંથી બહાર કરવામાં આવ્યો છે અને તે મુંબઈ પાછો ફર્યો છે.
- Smit Chauhan
- Updated on: Oct 14, 2025
- 9:59 pm
Vaibhav Suryavanshi Salary: બિહાર રણજી ટીમના વાઈસ કેપ્ટન બન્યા પછી વૈભવ સૂર્યવંશીને કેટલો પગાર મળશે?
બિહારે 2025-26 રણજી ટ્રોફી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે, જેમાં વૈભવ સૂર્યવંશીને વાઈસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે, પ્રશ્ન એ છે કે, બિહાર ટીમમાં વાઈસ-કેપ્ટન વૈભવનો પગાર કેટલો હશે?
- Smit Chauhan
- Updated on: Oct 13, 2025
- 4:21 pm
Suryakumar Yadav Dropped: સૂર્યકુમાર યાદવ ટીમમાંથી બહાર, આ ખેલાડી બન્યો કેપ્ટન
ઓસ્ટ્રેલિયામાં T20 શ્રેણી પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનું કારણ બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં એશિયા કપ જીત્યો હતો, પરંતુ સૂર્યા ખાસ પ્રભાવ પાડવામાં નિષ્ફળ ગયો. રણજી ટ્રોફી સિઝનની પ્રથમ મેચમાં સૂર્યાને ઓસ્ટ્રેલિયા જતા પહેલા થોડી બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક હતી, પરંતુ તેને ટીમમાં સ્થાન જ નથી મળ્યું.
- Smit Chauhan
- Updated on: Oct 10, 2025
- 9:02 pm
Breaking News : મહેસાણાના ખેલાડીની ધોનીની ટીમમાં એન્ટ્રી, 28 બોલમાં સદી ફટકારનાર ગુજરાતી ક્રિકેટરને CSK એ ટીમમાં કર્યો સામેલ
IPL 2025ની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સનો એક યુવા ખેલાડી ઈજાને કારણે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. CSKએ આ ખેલાડીના રિપ્લેસમેન્ટની પણ જાહેરાત કરી છે. CSKની ટીમમાં ગુજરાતના મહેસાણાના એક ખેલાડીએ પ્રવેશ કર્યો છે જેણે 28 બોલમાં સદી ફટકારી છે.
- Smit Chauhan
- Updated on: May 5, 2025
- 7:53 pm
SRH vs DC : ભૂલથી ક્રિકેટર બની ગયો, હવે કાવ્યા મારને આપી તક, SRHની છેલ્લી આશા છે આ ખેલાડી
સનરાઈઝર્સ હૈદરાબાદે રણજી ટ્રોફી 2024-25 દરમિયાન રેકોર્ડબ્રેક બોલિંગ કરનાર ખેલાડીનો ટીમમાં સમાવેશ કર્યો છે. આ બોલરને IPL 2025ની મેગા હરાજીમાં કોઈપણ ટીમે રસ દાખવ્યો ન હતો. જો કે હવે આ ખેલાડીને SRHએ ટીમમાં સામેલ કર્યો છે અને હવે તે આ ટીમની પ્લેઓફમાં પહોંચવામાં કેટલી મદદ કરી શકશે તે તો સમય જ બતાવશે.
- Smit Chauhan
- Updated on: May 5, 2025
- 5:08 pm
Yashasvi Jaiswal : જેણે રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો, હવે તેને છોડવા માંગે છે યશસ્વી જયસ્વાલ
ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અને IPL 2025માં રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ટીમ છોડવાની માંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. એવા અહેવાલો છે કે યશસ્વી જયસ્વાલે પોતાની ટીમ છોડવા NOC માટે ઈમેઈલ કર્યો છે. ખાસ વાત એ છે કે આ એ જ ટીમ છે જેણે યશસ્વી જયસ્વાલને ક્રિકેટમાં સફળતા અપાવવામાં મહત્વનું ભૂમિકા ભજવી છે. એમ કહી શકાય કે જે ટીમે યશસ્વીને રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો તેને જ હવે તે છોડી રહ્યો છે.
- Smit Chauhan
- Updated on: Apr 16, 2025
- 6:41 pm