Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રણજી ટ્રોફી

રણજી ટ્રોફી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સ્થપાયેલી રણજી ટ્રોફીનું નામ ભારતના પ્રથમ ટેસ્ટ ક્રિકેટર રણજિત સિંહના નામ પરથી રાખવામાં આવ્યું હતુ, જેઓ ઈંગ્લેન્ડ અને સસેક્સ માટે રમ્યા હતા. રણજિત સિંહ, જેને ‘ભારતીય ક્રિકેટના પિતા’ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં ક્યારેય ભારત માટે રમ્યE નથી.

રણજી ટ્રોફીને અલગ-અલગ પ્રાદેશિક ટીમો દ્વારા એકબીજા સામે રમાતી સ્થાનિક ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ શ્રેણી તરીકે ગણવામાં આવે છે.

1934માં જાહેરાત થયા બાદ શ્રેણીની પ્રથમ મેચ 1934-1935માં રમાઈ હતી. ટ્રોફી એનાયત પટિયાલાના મહારાજા ભૂપિન્દર સિંહ દ્વારા કરવામાં આવી હતી. રણજી ટ્રોફીએ વર્ષોથી લોકપ્રિયતા મેળવી છે અને આધુનિક સમયમાં ઈંગ્લેન્ડમાં સ્થાનિક ક્રિકેટનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે.

Read More

Yashasvi Jaiswal : જેણે રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો, હવે તેને છોડવા માંગે છે યશસ્વી જયસ્વાલ

ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓપનર અને IPL 2025માં રાજસ્થાન રોયલ્સના સ્ટાર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે ટીમ છોડવાની માંગ કરીને બધાને ચોંકાવી દીધા છે. એવા અહેવાલો છે કે યશસ્વી જયસ્વાલે પોતાની ટીમ છોડવા NOC માટે ઈમેઈલ કર્યો છે. ખાસ વાત એ છે કે આ એ જ ટીમ છે જેણે યશસ્વી જયસ્વાલને ક્રિકેટમાં સફળતા અપાવવામાં મહત્વનું ભૂમિકા ભજવી છે. એમ કહી શકાય કે જે ટીમે યશસ્વીને રસ્તા પરથી ઉઠાવીને સ્ટાર બનાવ્યો તેને જ હવે તે છોડી રહ્યો છે.

Breaking News : ચેમ્પિયન્સ ટ્રોફી સેમીફાઈનલના એક દિવસ પહેલા દિગ્ગજ ભારતીય ખેલાડીનું થયું નિધન

મુંબઈના અનુભવી સ્પિનર અને દિગ્ગજ ખેલાડી​​નું નિધન થયું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીના એક દિવસ પહેલા આ ખરાબ સમાચાર મળ્યા છે અને આવી સ્થિતિમાં, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલ મેચ કાળી પટ્ટી પહેરીને રમી શકે છે.

Ranji Trophy Semi Final : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરતી લાલા અરઝાન નાગવાસવાલા બોલાવી રહ્યો છે ધમાલ

રણજી ટ્રોફીની સેમિફાઇનલમાં મુંબઈની ટીમ વિદર્ભ સામે ટકરાઈ રહી છે જ્યારે બીજી સેમિફાઇનલ કેરળ અને ગુજરાત વચ્ચે રમાઈ રહી છે. આ બે મેચના વિજેતાઓ વચ્ચે રણજી ટ્રોફીની ફાઇનલ રમાશે.

Ranji Trophy Semi Final : રણજી ટ્રોફીમાં અમદાવાદના ખેલાડીએ ધમાલ મચાવી, પ્રિયાંક પંચાલે ફટકારી સદી

ગુજરાત અને કેરળ વચ્ચે રમાઈ રહેલી સેમિફાઈનલ મેચમાં ગુજરાતના બેટસમેને સદી ફટકારી છે. અમદાવાદના આ બેટ્સમેને સદી ફટકારી ટીમ માટે મજબુત સ્થિતિ બનાવી છે. આ સાથે તેમણે ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી માટે પણ પોતાની દાવેદારી રજુ કરી છે.

Yashasvi Jaiswal : યશસ્વી જયસ્વાલને ફરી ટીમમાં સ્થાન મળ્યું, મોટો નિર્ણય લેવામાં આવ્યો

ચેમ્પિયન ટ્રોફીની ટીમમાંથી યશસ્વી જયસ્વાલને બહાર કરી દેવામાં આવ્યો છે પરંતુ આ ખેલાડી હવે મુંબઈની ટીમમાં સામેલ થયો છે. યશસ્વી જ્યસ્વાલ રણજી ટ્રોફીની સેમિફાઈનલ વિદર્ભ વિરુદ્ધ રમતો જોવા મળશે.

Ranji Trophy: ક્વાર્ટર -ફાઇનલમાં અજીક્ય રહાણેની સદી, 41 મી વાર કર્યો આ મોટો કમાલ

રણજી ટ્રોફી દોડમાં મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણે બીજી શક્તિશાળી સદી બનાવી છે. તેમની સદીને કારણે, મુંબઇએ હરિયાણા સામે જોરદાર સ્કોર બનાવ્યો. એવું કહી શકાય કે કેપ્ટન રહાણે તેની ટીમના ક્વોટામાં લાવ્યો છે.

ટીમ ઈન્ડિયાના આ દિગ્ગજ ખેલાડીએ લીધો સંન્યાસ, 18 વર્ષની લાંબી કારકિર્દીનો આવ્યો અંત

રણજી ટ્રોફી 2024-25માં ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચો રમાઈ રહી છે. દરમિયાન, ભારતના એક અનુભવી ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ ખેલાડીની વ્યાવસાયિક કારકિર્દી લગભગ 18 વર્ષ સુધી ચાલી.

પંડ્યાની ટીમ પર ફિક્સિંગનો આરોપ, મેચ અધવચ્ચે જ અટકી, રણજી ટ્રોફીમાં મોટો હંગામો

વડોદરાના રિલાયન્સ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ગ્રુપ Aની મેચના ત્રીજા દિવસે જમ્મુ-કાશ્મીરના કોચે બરોડા પર આરોપ લગાવ્યો હતો અને અમ્પાયર અને મેચ રેફરીને ફરિયાદ કરી હતી ત્યારે આ વિવાદ સામે આવ્યો હતો. બરોડા માટે આ મેચ કોઈપણ ભોગે જીતવી મહત્વપૂર્ણ છે.

6 રન પર આઉટ થવા છતાં દિલ્હીમાં વિરાટ કોહલીનું થયું વિશેષ સન્માન, જાણો કેમ

રણજી ટ્રોફીમાં વિરાટ કોહલીની વાપસી બેટથી યાદગાર ન રહી, પરંતુ દિલ્હી ક્રિકેટે વિરાટ કોહલીના માટે આ પ્રસંગને ખાસ બનાવ્યો અને મેચના બીજા દિવસે વિરાટ કોહલીનું વિશેષ સન્માન થયું હતું. DDCAના પ્રમુખ રોહન જેટલીએ કોહલીને વિશેષ ટ્રોફી અને શાલ આપી સન્માનિત કર્યો હતો.

રણજી ટ્રોફીમાં ન ચાલ્યો કોહલીનો જાદુ, 15 બોલમાં 6 રન બનાવી થયો ક્લીન બોલ્ડ, જુઓ વીડિયો

13 વર્ષ બાદ રણજી ટ્રોફી રમવા મેદાનમાં ઉતરેલા કોહલીએ ફરી એકવાર ફેન્સને નિરાશ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ આ ડોમેસ્ટિક મેચમાં પણ વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું અને તે માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયો. જેના કારણે અરુણ જેટલી સ્ટેડિયમ પહોંચેલા તેના ચાહકોને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. કોહલી ક્લીન બોલ્ડ આઉટ થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

વિરાટ કોહલીને 1063 દિવસ પછી મળશે તેનો હક, DDCAનો ચોંકાવનારો નિર્ણય

વિરાટ કોહલી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રણજી ટ્રોફી મેચ રમી રહ્યો છે. રેલવે સામે રમાઈ રહેલી આ મેચમાં શુક્રવારે વિરાટ કોહલીનું સન્માન કરવામાં આવશે. વિરાટને દેશ માટે 100 ટેસ્ટ રમવા બદલ સન્માનિત કરવામાં આવશે. આશ્ચર્યજનક વાત એ છે કે વિરાટે 3 વર્ષ પહેલા 100 ટેસ્ટ પૂરી કરી હતી.

5 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં કેએલ રાહુલની નિરાશાજનક વાપસી, 24 બોલમાં કોઈ રન બનાવ્યા નહીં

રણજી ટ્રોફીમાં કેએલ રાહુલનું પુનરાગમન જોરદાર રહી શક્યું નથી. તે હરિયાણા સામે પ્રથમ દાવમાં મોટો સ્કોર કરી શક્યો નહોતો. કેએલ રાહુલ 2020 પછી પ્રથમ વખત રણજી ટ્રોફી મેચ રમવા આવ્યો હતો.

વિરાટ કોહલીની મેચ પહેલા સ્ટેડિયમમાં મચી ગયો હોબાળો, અનેક ફેન્સ થયા ઘાયલ

રણજી ટ્રોફીમાં દિલ્હી અને રેલવે વચ્ચે મેચ રમાઈ રહી છે જેમાં વિરાટ કોહલી પણ રમી રહ્યો છે. વિરાટ કોહલી લગભગ 13 વર્ષ પછી રણજી મેચ રમવા આવ્યો છે અને આ જ કારણ છે કે મોટી સંખ્યામાં ચાહકો વિરાટને જોવા માટે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એકઠા થયા હતા. આ દરમિયાન હોબાળો મચી ગયો હતો અને ઘણા ચાહકો ઘાયલ પણ થયા હતા.

દિલ્હીનો આ ખેલાડી વિરાટ કોહલી કરતા પણ વધુ અમીર, રણજી ટ્રોફીની બેટિંગ એવરેજમાં પણ નંબર-1

વિરાટ કોહલી લગભગ 13 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરવા જઈ રહ્યો છે. રણજી ટ્રોફીમાં તે અત્યાર સુધી દિલ્હી માટે 23 મેચ રમી ચૂક્યો છે. પરંતુ આ ટૂર્નામેન્ટમાં દિલ્હી માટે સૌથી વધુ એવરેજથી રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કરતા પણ વધુ અમીર એક ખેલાડીના નામે છે.

વિરાટ કોહલીને ફ્રીમાં રમતો જોવો હોય તો સાથે રાખો આ ડોક્યુમેન્ટ, ભૂલ્યા તો નહીં મળે સ્ટેડિયમમાં એન્ટ્રી

ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી દિલ્હી અને રેલવે વચ્ચે રમાનારી રણજી મેચમાં ભાગ લેશે. આ મેચ માટે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. પરંતુ ચાહકોએ તેમની સાથે એક મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ લાવવું પડશે. તો જ તેમને સ્ટેડિયમમાં એન્ટ્રી મળશે.

g clip-path="url(#clip0_868_265)">