AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. હાલમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ છે. તેઓ ભારતના ગૃહમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નાના ગામ ભાભોરામાં થયો છે. તેમનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાજનાથ સિંહ શરૂઆતમાં મિર્ઝાપુરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કરતા હતા. તેઓ માત્ર 13 વર્ષની વયે RSSમાં જોડાયા હતા, જેણે તેમના માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કર્યો હતો. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઈ.સ. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેઓ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.

Read More

Modi Cabinet Reshuffle 2026 : મોદી મંત્રીમંડળમાં થશે ધરખમ ફેરફાર, રાજનાથ સિંહ – નીતિન ગડકરી થશે આઉટ, સ્મૃતિ ઈરાની-અનુરાગ ઠાકુર થશે ઈન ?

Modi Cabinet Reshuffle : છેલ્લા કેટલાક દિવસથી નરેન્દ્ર મોદીની આગેવાનીની એનડીએ સરકારના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર થવાની ધારણાઓ ધારવામાં આવી રહી છે. આ ધારણાઓ સાચી હોવાના કેટલાક રાજકીય સંકેતો પણ મળી રહ્યાં છે. જો કે, કેન્દ્રીય કેબિનેટમાંથી વયોવૃદ્ધ એવા રાજનાથસિંહ અને નીતિન ગડકરીને માનભેર વિદાય અપાય તેવો તખ્તો ઘડાઈ રહ્યો છે. જ્યારે તેમના સ્થાને ભાજપના જાણીતા ચહેરા સ્મૃતિ ઈરાની અને અનુરાગ ઠાકુરનો સમાવેશ કરવામાં આવે તેવા અહેવાલ વહેતા થયા છે.

International Yoga Day 2026 : કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે કર્યા યોગ, જુઓ ફોટો

International Yoga Day 2026 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનના રોજ કોલકાતાના રેડ રોડ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026નું નેતૃત્વ કર્યું હતુ. 21 જૂન 2015થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરુઆત થઈ હતી.કોલકાતામાં PM મોદીએ તો ગુજરાતમાં અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલે યોગ કર્યા હતા.

પાકિસ્તાનને દાણા અને પાણી માટે તરસાવી દઈશું… આતંકવાદ પર રાજનાથ સિંહની આખરી ચેતવણી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આકરો પ્રહાર કરતા કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદ બંધ નહીં કરે તો સિંધુ નદીનું પાણી રોકીને તેને દાણા-દાણા માટે તરસાવી દઈશું.

DRDO એ કર્યું સફળ મિસાઈલ પરિક્ષણ, ભારતનો એલિટ કલબમાં સમાવેશ, હવે આકાશમાં જ દુશ્મનની મિસાઈલનો ખાત્મો

DRDO એ તાજેતરમાં એક સફળ મિસાઇલ પરીક્ષણો કર્યા છે, જેનાથી દેશની સંરક્ષણ ક્ષમતાઓમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આમાં લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ સંરક્ષણ (BMD) સિસ્ટમ અને નેવલ એન્ટી-શીપ મિસાઇલ-મીડિયમ રેન્જ (NASM-MR)નું સફળ પ્રદર્શન પણ સામેલ છે. આ પરીક્ષણો સાથે, ભારત ICBM જોખમોનો સામનો કરવા સક્ષમ દેશોના પસંદગીના જૂથમાં જોડાઈ ગયું છે.

Breaking News : DRDOએ હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

DRDOએ હાઈપરસોનિક મિસાઈલ માટે એક્ટિવલી કૂલ્ડ ફુલ સ્કેલ સ્ક્રૈમઝેટ કંબસ્ટરનું 1200 સેકન્ડનું સફળ પરીક્ષણ કર્યું છે. આ સફળતા ભારતની અદ્યતન એરસ્પેસની ક્ષમતાઓને દર્શાવે છે અને સ્વદેશી હાઈપરસોનિક ક્રૂઝ મિસાઈલ વિકાસ માટે પાયો નાખશે.

Breaking News : પાકિસ્તાન ફરી ભૂલ કરશે તો કેટલા ટુકડા થશે તે સમય જ કહેશે : રાજનાથ સિંહ

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની ધમકીઓનો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ બંગાળ પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ભગવાન જાણે આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈરાન યુદ્ધ વચ્ચે પાડોશી દેશને કડક ચેતવણી આપી છે. ભારતની સુરક્ષા અને નૌસેનાની સતર્કતા પર ભાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું દેશમાં તેલની કોઈ ઉણપ નથી.

Iran Israel War: મિડલ-ઈસ્ટમાં મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત સતર્ક, PM મોદીએ નેતન્યાહૂ સાથે કરી વાત, CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધસંકટ વચ્ચે PM મોદીએ ઇઝરાઇલના PM સાથે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂક્યો. ખામેનેઈના મૃત્યુ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ.

  • Nishat
  • Updated on: Mar 2, 2026
  • 9:15 am

Breaking News : Delhi Blast; સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના ગણાવી, કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન

દિલ્હી વિસ્ફોટ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બોલાવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બેઠકમાં હાજરી આપી. તપાસ અહેવાલ અને સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે, Defense Acquisition Council (DAC) એ ભારતીય સંરક્ષણ દળો (Defense Forces) ની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા સૈન્ય તૈયાર રહેઃ રાજનાથસિંહ

સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સશસ્ત્ર દળોએ નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આના માટે સૈન્યની ત્રણેય પાંખે એકબીજા સાથે સંકલનમાં રહેવું જરૂરી છે.

પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવુ પડે તો પણ તૈયારી રાખજો, રક્ષા મંત્રી રાજનાથસિંહે કેમ કહી આ મોટી વાત- વાંચો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આજની સ્થિતિમાં જિયોપોલિટિકલ યુદ્ધો અણધાર્યા બની ગયા છે અને તે કેટલો સમય ચાલશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સશસ્ત્ર દળોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું છે.

DRDOની કમાલ ! સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી IADWSનું સફળ પરીક્ષણ, દુશ્મનના હુમલાઓને આ રીતે બનાવશે નિષ્ફળ

DRDO એ શનિવારે ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. આ પરીક્ષણ શનિવારે બપોરે 12:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ માટે સોશિયલ મીડિયા દ્વારા DRDO અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">