AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. હાલમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ છે. તેઓ ભારતના ગૃહમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નાના ગામ ભાભોરામાં થયો છે. તેમનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાજનાથ સિંહ શરૂઆતમાં મિર્ઝાપુરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કરતા હતા. તેઓ માત્ર 13 વર્ષની વયે RSSમાં જોડાયા હતા, જેણે તેમના માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કર્યો હતો. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઈ.સ. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેઓ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.

Read More

Breaking News : પાકિસ્તાન ફરી ભૂલ કરશે તો કેટલા ટુકડા થશે તે સમય જ કહેશે : રાજનાથ સિંહ

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની ધમકીઓનો સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કડક જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે જો કોઈ બંગાળ પર હુમલો કરવાનો પ્રયાસ કરશે તો ભગવાન જાણે આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે.

Breaking News : ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે જો આંતકી દેશ પાકિસ્તાન ઉંચા-નીચું થયું તો જડબાતોડ જવાબ મળશે, રાજનાથ સિંહ

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ઈરાન યુદ્ધ વચ્ચે પાડોશી દેશને કડક ચેતવણી આપી છે. ભારતની સુરક્ષા અને નૌસેનાની સતર્કતા પર ભાર આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું દેશમાં તેલની કોઈ ઉણપ નથી.

Iran Israel War: મિડલ-ઈસ્ટમાં મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત સતર્ક, PM મોદીએ નેતન્યાહૂ સાથે કરી વાત, CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધસંકટ વચ્ચે PM મોદીએ ઇઝરાઇલના PM સાથે ચર્ચા કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ પર ભાર મૂક્યો. ખામેનેઈના મૃત્યુ બાદ પરિસ્થિતિ ગંભીર બની છે. CCS બેઠકમાં ભારતીયોની સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ.

  • Nishat
  • Updated on: Mar 2, 2026
  • 9:15 am

Breaking News : Delhi Blast; સરકારે દિલ્હી બ્લાસ્ટને આતંકવાદી ઘટના ગણાવી, કેબિનેટ બેઠકમાં 2 મિનિટનું મૌન

દિલ્હી વિસ્ફોટ બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા પરની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠક બોલાવી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે બેઠકમાં હાજરી આપી. તપાસ અહેવાલ અને સુરક્ષા એજન્સીઓના ઇનપુટ્સ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

79,000 કરોડની ડિફેન્સ ડીલને લીલી ઝંડી! ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના હવે વધારે મજબૂત બનશે

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે, Defense Acquisition Council (DAC) એ ભારતીય સંરક્ષણ દળો (Defense Forces) ની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના ખરીદી પ્રસ્તાવોને મંજૂરી આપી છે.

પાકિસ્તાનનો અફઘાનિસ્તાન સાથે તણાવ ચરમસીમાએ: ખ્વાજા આસિફે ભારતને આપી ‘ટુ ફ્રન્ટ વોર’ની ધમકી- વાંચો

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતને ટુ ફ્રન્ટ વોરની ધમકી આપી તો તેનો જવાબ આપતા રક્ષામંત્રી રાજનાથસિંહે નિવેદન આપ્યુ કે પાકિસ્તાનની એક ઈંચ જમીન પણ બ્રહ્મોસની રેન્જની બહાર નથી. આના પરથી બ્રહ્મોસની તાકાતનો પરચો મળી જાય છે. રક્ષામંત્રીએ આ નિવેદન જે સ્થળે બ્રહ્મોસનું ઉત્પાદન થઈ રહ્યુ છે તે લખનઉથી આપ્યુ છે અને ભારતની તાકાતનો પરિચય આપ્યો છે.

પાકિસ્તાનની ઈંચે ઈંચ જમીન બ્રહ્મોસ મિસાઈલની રેન્જમાં, ઓપરેશન સિંદૂર તો માત્ર એક ટ્રેલર હતુ: રાજનાથસિહ

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "ઓપરેશન સિંદૂરમાં જે બન્યું તે તો માત્ર એક ટ્રેલર હતું. જો કે આ ટ્રેલરથી જ પાકિસ્તાનને ખ્યાલ આવી ગયો કે જો ભારત પાકિસ્તાનને જન્મ આપી શકે છે, તો તેનો સફાયો પણ કરી શકે છે. મારે તેના વિશે વધુ કંઈ કહેવાની જરૂર નથી."

નવા પ્રકારના ખતરાને પહોંચી વળવા સૈન્ય તૈયાર રહેઃ રાજનાથસિંહ

સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સ 2025માં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, યુદ્ધનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે અને સશસ્ત્ર દળોએ નવા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આના માટે સૈન્યની ત્રણેય પાંખે એકબીજા સાથે સંકલનમાં રહેવું જરૂરી છે.

પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવુ પડે તો પણ તૈયારી રાખજો, રક્ષા મંત્રી રાજનાથસિંહે કેમ કહી આ મોટી વાત- વાંચો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આજની સ્થિતિમાં જિયોપોલિટિકલ યુદ્ધો અણધાર્યા બની ગયા છે અને તે કેટલો સમય ચાલશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સશસ્ત્ર દળોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું છે.

DRDOની કમાલ ! સ્વદેશી હવાઈ સંરક્ષણ પ્રણાલી IADWSનું સફળ પરીક્ષણ, દુશ્મનના હુમલાઓને આ રીતે બનાવશે નિષ્ફળ

DRDO એ શનિવારે ઈન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ (IADWS) નું પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું હતું. આ પરીક્ષણ શનિવારે બપોરે 12:30 વાગ્યે ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ સફળ પરીક્ષણ માટે સોશિયલ મીડિયા દ્વારા DRDO અને સશસ્ત્ર દળોને અભિનંદન આપ્યા હતા.

આપણે બધાના બોસ… રાજનાથ સિંહે ટ્રમ્પ પર સાધ્યું સીધું નિશાન, કહ્યું- કોઈ પણ શક્તિ ભારતને મોટી તાકાત બનતા રોકી નહીં શકે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્રમ્પ પર નિશાન સાધ્યું અને તેમનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક લોકો માને છે કે આપણે બધાના બોસ છીએ, કેટલાક લોકો ભારતનો વિકાસ ઇચ્છતા નથી. તેમણે કહ્યું કે વિશ્વની કોઈ પણ શક્તિ ભારતને મોટી શક્તિ બનતા રોકી શકતી નથી.

સેના પ્રમુખ જનરલે પહેલીવાર ઓપરેશન સિંદૂરનો સમગ્ર ઘટનાક્રમ વર્ણાવ્યો, સરકારે કહ્યું- બસ હવે બહુ થયુ અને ભારતીય સેના ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન પર તુટી પડી

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, સંરક્ષણ મંત્રીએ સૈન્ય પ્રમુખોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તમારે શું કરવાનું છે તે તમે નક્કી કરો. અગાઉ, વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ એ.પી. સિંહે પણ ઓપરેશન સિંદૂરની સફળતાનો સંપૂર્ણ શ્રેય કેન્દ્રની મક્કમ અને સુદ્રઢ રાજકીય ઇચ્છાશક્તિને આપ્યો હતો.

ભાઈ સાહેબ હવે બંધ કરો…… ભારતના હુમલાઓથી ડરીને પાકિસ્તાને કાકલુદી કરતા ઓપરેશન સિંદૂર અટકાવ્યુ – લોકસભામાં બોલ્યા રાજનાથસિંહ

આજે સોમવારે સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચાની શરૂઆત થઈ હતી. આ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે, ઓપરેશન સિંદૂર પરની ચર્ચાનો પ્રારંભ કરાવતા કહ્યું કે, ભારતીય વાયુસેનાના જબરદસ્ત હુમલાઓ, નિયંત્રણ રેખા પર સેનાનો જોરદાર જવાબી કાર્યવાહી અને નૌકાદળના હુમલાના ડરથી પાકિસ્તાનને નમવા માટે મજબૂર કરવામાં આવ્યું. પાકિસ્તાનનો આ પરાજય તેમની સામાન્ય નિષ્ફળતા નહોતી, પરંતુ તે તેના લશ્કરી બળ અને મનોબળ બંનેનો ભારત સામે પરાજય હતો.

થર થર ધ્રૂજશે પાકિસ્તાન… ભારતીય સેનાએ માર્યો જેકપોટ, DAC એ આપી દીધી મોટી મંજૂરી

ભારતની ત્રણેય સેનાઓ માટે ખરીદવામાં આવનારા શસ્ત્રોની ખાસ વાત એ છે કે આ બધા ઉપકરણો મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશમાં જ ડિઝાઇન અને ઉત્પાદિત કરવામાં આવશે. આ આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ પ્રોત્સાહન આપશે.

રક્ષા પ્રધાન રાજનાથસિંહે આતંકવાદ મામલે પાકિસ્તાન અને ચીનને મોઢે મોઢ સંભળાવી દીધુ, કહ્યુ-આતંકવાદ સામે કાર્યવાહી કરતા રહીશું

રાજનાથ સિંહે કહ્યુ કે નિર્દોષોનું લોહી વહેવડાવનારાઓને અમે બક્ષીશું નહીં. કેટલાક દેશો આતંકવાદના સમર્થક છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ પણ હાજર હતા. પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચેના કડવા સંબંધો વચ્ચે બંને નેતાઓ પહેલીવાર એક મંચ પર સાથે જોવા મળ્યા.

ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ડિજિટલ એરેસ્ટમાંથી છુટકારો: દીકરી અને પાડોશીની સતર્કતાથી 23 લાખ બચ્યા
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
ચાના શોખીનો સાવધાન! હૈદરાબાદમાં 3 હજાર કિલો નકલી ચાનો જથ્થો ઝડપાયો
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
વાપી GIDCમાં ભીષણ આગ: ટેક્સટાઇલ કંપનીમાં અફરાતફરી, ફાયર ફાઈટરો મેદાને
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
ગીરમાં શિકાર પડતો મુકી અચાનક આ બાળકી પાછળ દોડ્યો સિંહ- જુઓ Video
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
સુરતમાં સગીરાની છેડતી બાદ ભડક્યો આક્રોશ, સમાજના લોકોમાં રોષ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
AAPના હવાલાકાંડનો વધુ એક વીડિયો વાયરલ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
અરવલ્લીના હફશાબાદ ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રોષ
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
આ બટન નહીં દબાવે તો વોટ ઉમેદવારને પહોંચશે નહીં
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
g clip-path="url(#clip0_868_265)">