Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ

રાજનાથ સિંહ દેશના સંરક્ષણ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મજબૂત નેતા છે. હાલમાં રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉથી સાંસદ છે. તેઓ ભારતના ગૃહમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. આ સિવાય તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. રાજનાથ સિંહનો જન્મ 10 જુલાઈ 1951ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના નાના ગામ ભાભોરામાં થયો છે. તેમનો જન્મ રાજપૂત પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રામ બદન સિંહ અને માતાનું નામ ગુજરાતી દેવી હતું. તે એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.

તેમણે ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. રાજનાથ સિંહ શરૂઆતમાં મિર્ઝાપુરમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર તરીકે કામ કરતા હતા. તેઓ માત્ર 13 વર્ષની વયે RSSમાં જોડાયા હતા, જેણે તેમના માટે ભાજપમાં જોડાવાનો માર્ગ સાફ કર્યો હતો. 1977માં તેઓ મિર્ઝાપુરથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.

તેઓ જયપ્રકાશ નારાયણના જેપી આંદોલનથી પ્રભાવિત થઈને જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પછી 1975માં ઈમરજન્સી લાદવામાં આવી અને તેઓ જેલમાં ગયા. જ્યારે તેઓ મુક્ત થયા, ત્યારે તેઓ ફરીથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા. ઈ.સ. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં પ્રથમ વખત તેની સરકાર બનાવી, ત્યારે તેમને શિક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 2000માં તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. તેઓ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતી સાથે સત્તામાં આવી ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી.

Read More

‘મેક ઇન ઇન્ડિયા’ સીમાચિહ્નરૂપ ! ખાનગી કંપનીએ તેજસનો મુખ્ય ઘટક બનાવ્યો, જાણો સંરક્ષણ પ્રધાને શું કહ્યું ?

ફ્યુઝલેજ એ તેજસ વિમાનનો મુખ્ય ભાગ છે, જેમાં પાઇલટ, મુસાફરો તેમજ કાર્ગો રહે છે, જ્યારે પાછળનો ફ્યુઝલેજ પૂંછડીના ભાગ અને તેના સંબંધિત ઘટકોને ટેકો આપે છે. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું, "આ ભારતીય ઘટકો સાથે, આપણા સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રમાં ઉત્પાદિત વિમાન આગામી સમયમાં વધુ ઊંચાઈઓને સ્પર્શશે."

ભારતના આધુનિક બ્રહ્માસ્ત્રથી ચીન-પાકિસ્તાનનું વધ્યું ટેન્શન, દુશ્મન દેશોમાં મચાવશે તબાહી

ભારતે 1500 કિમી રેન્જ ધરાવતી સ્વદેશી હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ ઓડિશાના દરિયાકાંઠે કરવામાં આવ્યું હતું. આ સિદ્ધિ ભારતની વધતી સંરક્ષણ ક્ષમતા દર્શાવે છે અને ચીન જેવા દેશો સામે ભારતની શક્તિ વધારે છે. આ મિસાઇલનું ડેવલપમેન્ટ ડો. અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ દ્વારા કરવામાં આવ્યું છે.

DRDOની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરિક્ષણ, જાણો તેની વિશેષતા

ભારતે ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી DRDO દ્વારા વિકસાવેલી લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલ 5 મેકથી વધુ ઝડપે ઉડે છે અને 1500 કિમીથી વધુ રેન્જ ધરાવે છે. આ સિદ્ધિ ભારતની વધતી સૈન્ય શક્તિ અને "મેક ઇન ઇન્ડિયા" નીતિને મજબૂત બનાવે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ સફળતાને ઐતિહાસિક ગણાવી છે.

ભારતે લોન્ચ કરી VSHORADS મિસાઈલ, હવે સુરક્ષા કવચને ભેદવું અસંભવ, જુઓ વીડિયો

ભારતે રાજસ્થાનમાં પોખરણ ફાયરિંગ રેન્જ ખાતે તકનીકી રીતે અદ્યતન સ્મોલ-સાઇઝ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ (VSHORADS)ના ત્રણ સફળ પરીક્ષણો કર્યા હતા. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ પરીક્ષણો 3 અને 4 ઓક્ટોબરના રોજ હાઇ-સ્પીડ લક્ષ્યો પર કરવામાં આવ્યા હતા

PM MODI એ શરૂ કર્યું BJP સદસ્યતા અભિયાન, કહ્યું- પાર્ટી તેના બંધારણ પ્રમાણે ચાલે છે

પીએમ મોદીએ કહ્યું કે આજથી સદસ્યતા અભિયાનનો બીજો તબક્કાનો પ્રારંભ કરાયો. ભારતીય જનસંઘથી લઈને અત્યાર સુધી અમે દેશમાં નવી રાજકીય સંસ્કૃતિ લાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.

ભારત-જાપાનની આ ડીલથી ચીન થર થર ધ્રૂજશે, હિંદ મહાસાગરમાં તેની તમામ ચાલ નિષ્ફળ જશે!

હિંદ મહાસાગરમાં ચીન પોતાનું ઘમંડ દેખાડી રહ્યું છે અને સતત પોતાની હાજરી વધારી રહ્યું છે. તેનો સામનો કરવા માટે ભારત એક મોટું પગલું ભરવાનું વિચારી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત અને જાપાન વચ્ચે મોટી ડિફેન્સ ડીલ થઈ શકે છે. આ ડીલ દ્વારા ભારત પોતાના મિત્ર જાપાન પાસેથી નેવી માટે એન્ટેના ખરીદી શકે છે. આ ડીલથી હિંદ મહાસાગરમાં ચીનની તમામ રણનીતિ નિષ્ફળ જશે.

ભારતીય કોસ્ટ ગાર્ડના DGનું હાર્ટ એટેકથી નિધન, રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો

ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિર્દેશક રાકેશ પાલનું હાર્ટ એટેકથી નિધન થયું છે. રાકેશ પાલે ચેન્નાઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાકેશ પાલનીના અકાળ નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

Budget 2024: સંરક્ષણ ક્ષેત્રે વધુ શક્તિશાળી બનશે ભારત, જાણો આ બજેટમાં ડિફેન્સને શું મળ્યુ

Defence Budget 2024: બજેટમાં સરકારે ડિફેન્સ માટે 6.21 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. તેનાથી દેશની ત્રણેય સેનાઓને તાકાત પ્રદાન કરવાની સાથે સૈન્ય કર્મીઓ અને પૂર્વ સૈનિકોને પણ લાભ મળશે. ગત વર્ષની સરખામણીએ આ લગભગ 3.4 ટકા વધુ છે. ગત નાણાકીય વર્ષમાં સેના માટે 5.93 લાખ કરોડની જોગવાઈ કરાઈ હતી.

Budget 2024 Live Streaming: લોકસભામાં બજેટ પર 20 કલાક થશે ચર્ચા, 24 જુલાઈથી ચર્ચા થશે શરૂ

સંસદમાં બજેટની રજૂઆત પછી, લોકસભાની કારોબારી સલાહકાર સમિતિએ નાણાં મંત્રાલય, રેલવે મંત્રાલય, શિક્ષણ મંત્રાલય, આરોગ્ય મંત્રાલય, MSME અને ફૂડ પ્રોસેસિંગ મંત્રાલયોની માંગણીઓ અને ગ્રાંટ પર ચર્ચા કરવા માટે દરેક 5-5 કલાકનો સમય નક્કી કર્યો છે. 30 જુલાઈના રોજ નાણામંત્રી બજેટ પર લાંબી ચર્ચા બાદ પોતાનો જવાબ આપશે.

મોટી કાર્યવાહીનો સંકેત ! ભારતીય સેના પ્રમુખે રક્ષા મંત્રી સાથે કરી વાત, ડોડામાં વાસ્તવિક સ્થિતિ વિશે આપી જાણકારી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આજે સવારે COAS જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી સાથે ડોડા એન્કાઉન્ટર બાબતે વાત કરી હતી. આર્મી ચીફે સંરક્ષણ મંત્રીને ડોડામાં વાસ્તવિક સ્થિતિ અને ચાલી રહેલા આતંકવાદ વિરોધી ઓપરેશન બાબતે સંપૂર્ણ માહિતી આપી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ AIIMSમાં દાખલ, સામે આવ્યું આ કારણ, જાણો

રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે.

ડિફેન્સ સ્ટોક આપી રહ્યા છે બંપર વળતર, સંરક્ષણ મંત્રાલયના આ રિપોર્ટમાં આવ્યું બહાર

રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, સરકાર ભારતને વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન હબ તરીકે વિકસાવવા માટે વધુ અનુકૂળ સિસ્ટમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. હવે પ્રશ્ન એ છે કે શું ભવિષ્યમાં પણ સંરક્ષણ શેરોમાં આવી જ તેજી જોવા મળશે. આ વાત આપણે આજના ન્યૂઝમાં જાણીશું.

20 મેના રોજ 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન, રાહુલ, સ્મૃતિ, રાજનાથ સહિતની આ હસ્તીઓ ચૂંટણીના રણમેદાને

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ ઉત્તર પ્રદેશની 14, મહારાષ્ટ્રની 13, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઓડિશાની પાંચ, ઝારખંડની ત્રણ અને જમ્મુની તથા લદાખની એક-એક બેઠક પર મતદાન થશે.

માતા ગુજરાતી દેવીને ત્યાં થયો છે જન્મ, દિકરો રાજકારણમાં, દિકરાની વહુએ કોમનવેલ્થ ગેમ્સમાં જીત્યો છે ગોલ્ડ મેડલ

રાજનાથ સિંહનો જન્મ ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લાના ભાભૌરા ગામના રાજપૂત પરિવારમાં થયો હતો.તેમના પિતા રામ બદન સિંહ હતા અને તેમની માતા ગુજરાતી દેવી હતા. ખેડૂત પરિવારમાં જન્મેલા સિંહે ગોરખપુર વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિક વિજ્ઞાનમાં અનુસ્તાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">