AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવુ પડે તો પણ તૈયારી રાખજો, રક્ષા મંત્રી રાજનાથસિંહે કેમ કહી આ મોટી વાત- વાંચો

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે આજની સ્થિતિમાં જિયોપોલિટિકલ યુદ્ધો અણધાર્યા બની ગયા છે અને તે કેટલો સમય ચાલશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. આને ધ્યાનમાં રાખીને, તેમણે સશસ્ત્ર દળોને લાંબી લડાઈ માટે તૈયાર રહેવા કહ્યું છે.

પાંચ વર્ષ સુધી યુદ્ધ કરવુ પડે તો પણ તૈયારી રાખજો, રક્ષા મંત્રી રાજનાથસિંહે કેમ કહી આ મોટી વાત- વાંચો
| Updated on: Aug 27, 2025 | 5:48 PM
Share

રક્ષા મંત્રી રાજનાથ સિંહે સશસ્ત્ર દળોને કહ્યું છે કે તેઓએ તમામ પ્રકારના સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ. રાજનાથ સિંહના મતે, સશસ્ત્ર દળોએ ટૂંકા ગાળાના સંઘર્ષથી લઈને પાંચ વર્ષના યુદ્ધ સુધીના યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે, કારણ કે જિયોપોલિટિકલ યુદ્ધ સંપૂર્ણપણે અણધારી બની ગયું છે. બુધવારે, સંરક્ષણ મંત્રીએ મધ્યપ્રદેશના મહુમાં આર્મી વોર કોલેજમાં ‘રણ સંવાદ’ પરિષદને સંબોધિત કરી. તેમણે કહ્યું કે ભારત કોઈની જમીન ઇચ્છતું નથી, પરંતુ તે તેની પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.

‘સેનાએ લાંબી લડાઈ માટે તૈયાર રહેવું પડશે’

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારતીય સેનાએ દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ. તેમણે કહ્યું, ‘આજના યુગમાં, યુદ્ધો એટલા અચાનક અને અણધાર્યા બની ગયા છે કે યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને કેટલો સમય ચાલશે તે આગાહી કરવી ખૂબ મુશ્કેલ છે.’ તેમના મતે, ‘એટલા જ કારણે, ભલે યુદ્ધ બે મહિના, ચાર મહિના, એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ સુધી ચાલે, આપણે તેના માટે સંપૂર્ણપણે તૈયાર રહેવું જોઈએ.’

‘આપણી જાતને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર’

રક્ષા મંત્રીએ આ વાત CDS જનરલ અનિલ ચૌહાણ, એર ચીફ માર્શલ એપી સિંહ અને નેવી ચીફ એડમિરલ દિનેશ કે ત્રિપાઠી સહિત સશસ્ત્ર દળોના તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કહ્યું હતું. તેમણે સ્પષ્ટતા કરી કે ‘અમને કોઈની જમીન જોઈતી નથી, પરંતુ અમે અમારી જમીનની રક્ષા માટે કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર છીએ.’

ઓપરેશન સિંદૂરમાં સેનાની ભૂમિકાની પ્રશંસા

રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ ઓપરેશન સિંદૂરની સફળતા બદલ ભારતીય સશસ્ત્ર દળોના ત્રણેય અંગો – થલસેના, વાયુસેના અને નૌસેનાની પ્રશંસા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ઓપરેશન ભારતના સ્વદેશી પ્લેટફોર્મ, સાધનો અને શસ્ત્ર પ્રણાલીઓની ક્ષમતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને કહ્યું કે આ ભારતના સ્વદેશી પ્લેટફોર્મ, સાધનો અને શસ્ત્ર પ્રણાલીઓની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમણે એમ પણ કહ્યું કે આ સફળતા ફરી એકવાર આત્મનિર્ભરતાની જરૂરિયાત દર્શાવે છે, જેમાં આપણે હજુ પણ લાંબી મજલ કાપવાની છે.

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
g clip-path="url(#clip0_868_265)">