AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!

2026નો T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન યોજાશે. જેનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, એક રિપોર્ટમાં કામચલાઉ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં દાવો કરવામાં આવ્યો છે ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હશે.

IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!
India vs PakistanImage Credit source: PTI
| Updated on: Nov 21, 2025 | 7:30 PM
Share

T20 વર્લ્ડ કપ 2026 માટે ફક્ત અઢી મહિના બાકી છે, પરંતુ ટુર્નામેન્ટનું શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. ભારત અને શ્રીલંકામાં યોજાનારી આ ટુર્નામેન્ટમાં વીસ ટીમો ભાગ લેવાની છે, પરંતુ દરેક ટીમની મેચનો સમય અને સ્થાન હાલમાં અસ્પષ્ટ છે. જો કે, સંભવિત શેડ્યૂલ વિશે સમાચાર આવવા લાગ્યા છે. એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ટુર્નામેન્ટની યજમાન અને વર્તમાન વિશ્વ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા આ વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) સામે રમશે. હાઈ-પ્રોફાઈલ ભારત-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ થવાની ધારણા છે.

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની ટક્કર

T20 વર્લ્ડ કપ 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ, 2026 દરમિયાન ભારત અને શ્રીલંકામાં યોજાશે. ટુર્નામેન્ટનું શેડ્યુલ હજુ સુધી નક્કી થયું નથી, પરંતુ એક કામચલાઉ શેડ્યુલ આવ્યું છે. એક અહેવાલમાં આ કામચલાઉ શેડ્યુલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ કોલંબોમાં યોજાશે. કોલંબોના બે સ્ટેડિયમ વર્લ્ડ કપ મેચોનું આયોજન કરશે. જો કે ભારત-પાકિસ્તાન મેચનું સ્થાન હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી.

ભારત પાકિસ્તાન એક જ ગ્રુપમાં

આ વખતે પણ, T20 વર્લ્ડ કપ પાછલા આવૃત્તિ જેવા જ ફોર્મેટનું પાલન કરશે, જેમાં 20 ટીમોને પાંચ-પાંચના ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે. કામચલાઉ શેડ્યૂલ સૂચવે છે કે, 2024 T20 વર્લ્ડ કપની જેમ ભારત, પાકિસ્તાન અને યુનાઈટેડ સ્ટેટ્સ ફરી એકવાર એક જ ગ્રુપમાં હશે. ગયા વખતે, ટીમ ઈન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં આ બંને ટીમોને હરાવી હતી, જ્યારે પાકિસ્તાનને યુનાઈટેડ સ્ટેટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકામાં રમાશે

સ્થળની વાત કરીએ તો, ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકામાં રમાશે. પાકિસ્તાને ભારતમાં રમવાનો ઈનકાર કર્યો હોવાથી તેની બધી મેચ શ્રીલંકામાં રમશે. જો પાકિસ્તાની ટીમ સેમિફાઈનલ અને પછી ફાઈનલમાં પહોંચે છે, તો બંને મેચ પણ શ્રીલંકામાં જ રમાશે. જો શ્રીલંકાની ટીમ પણ સેમિફાઈનલમાં પહોંચે છે, તો તે તેની હોમ મેચ પણ ત્યાં જ રમશે. જો કે, જો પાકિસ્તાન કે શ્રીલંકામાંથી કોઈ ટોપ 4 માં પહોંચશે નહીં, તો બંને સેમિફાઈનલ ભારતમાં રમાશે. હજી સેમિફાઈનલ અને ફાઈનલ માટેના સ્થળો નક્કી નથી, એવામાં તેવી શક્યતા છે કે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.

આ પણ વાંચો: AUS vs ENG: બેન સ્ટોક્સે કર્યો કમાલ, 43 વર્ષ પછી કોઈ ઈંગ્લિશ કેપ્ટને મેળવી આ ખાસ સિદ્ધિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">