મોહમ્મદ સિરાજ
મોહમ્મદ સિરાજ ક્રિકેટની દુનિયામાં સફળતાના માર્ગ પર ઝડપથી આગળ વધ્યો હતો. ઓટોરિક્ષા ડ્રાઇવરના પુત્ર સિરાજએ 2015માં ક્રિકેટ બોલ સાથે પ્રથમ વખત બોલિંગ કરી હતી અને માત્ર બે વર્ષ બાદ 2017માં રૂ. 2.6 કરોડનો આઇપીએલ કોન્ટ્રેક્ટ મેળવી લીધો હતો. 2017માં જ ન્યૂઝીલેન્ડ સામે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટી-20 ફોર્મેટમાં પદાર્પણ કર્યુ હતુ. રણજી ટ્રોફીની તેની બીજી સીઝનમાં જ તેણે 9 મેચમાં 41 વિકેટ ઝડપી લીધી હતી. 2019માં વનડે ક્રિકેટમાં અને 2020માં ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા સામે જ તેણે બંને ફોર્મેટમાં ડેબ્યૂ કર્યુ હતુ. 2023ના એશિયા કપની ફાઇનલમાં સિરાજે તરખાટ મચાવ્યો હતો અને 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. શ્રીલંકા 50 રનમાં ઓલઆઉટ થઇ હતી અને ભારતીય ટીમે 10 વિકેટથી જીત મેળવી એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. સિરાજ જાન્યુઆરી 2023 અને માર્ચ 2023 વચ્ચે વનડે ક્રિકેટના બોલરની રેન્કિંગમાં પ્રથમ ક્રમ પર હતો.
IND vs AUS: પહેલી વનડેમાં રોહિત-વિરાટનું સ્થાન કન્ફર્મ, બીજા કોને મળશે તક ? આવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન
IND vs AUS પ્લેઈંગ ઈલેવન : શુભમન ગિલની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા 19 ઓક્ટોબરે પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમય પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા જોવા મળશે. બંનેનું સ્થાન પ્લેઈંગ ઈલેવનમાં નક્કી જ છે. જાણો પહેલી વનડેમાં કેવી હશે ભારતની પ્લેઈંગ ઈલેવન.
- Smit Chauhan
- Updated on: Oct 18, 2025
- 4:48 pm
અમદાવાદ ટેસ્ટનો પહેલો દિવસ ભારતને નામ, સિરાજ-બુમરાહની દમદાર બોલિંગ, રાહુલની મજબૂત ફિફ્ટી
ટીમ ઈન્ડિયાના હોમ સિઝનની શરૂઆત અમદાવાદમાં ટેસ્ટ મેચ સાથે થઈ ગઈ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ખેલાડીઓ દમદાર પ્રદર્શન કરી તમને મજૂબત સ્થિતિમાં મૂકી દીધું હતું. ફાસ્ટ બોલર સિરાજ અને બુમરાહ પહેલા દિવસે ટીમ ઈન્ડિયા માટે હીરો રહ્યા હતા. અનુભવી બેટ્સમેન કેએલ રાહુલે મજબૂત ફિફ્ટી ફટકારી હતી.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2025
- 7:14 pm
IND vs WI : જસપ્રીત બુમરાહની મદદ છતાં મોહમ્મદ સિરાજ વેસ્ટ ઈન્ડિઝ સામે 5 વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો
અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પાંચ વિકેટ લેવાથી ચૂકી ગયો. તેણે 14 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ લીધી. બુમરાહની મદદ છતાં સિરાજ પાંચમી વિકેટ ન લઈ શક્યો.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2025
- 4:41 pm
Breaking News : બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો, કેપ્ટન શ્રેયસ ઐયર બહાર થયો
IND A vs AUS A: ઈન્ડિયા એ અને ઓસ્ટ્રેલિયા એ વચ્ચે રમાનારી બીજી મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરતો જોવા મળશે નહી.પહેલી ટેસ્ટ મેચમાં તેનું સારું પ્રદર્શન રહ્યું ન હતું.બીજી મેચમાં કેપ્ટન શ્રેયસ અય્યર બહાર રહેશે.
- Nirupa Duva
- Updated on: Sep 23, 2025
- 10:24 am
એશિયા કપ 2025 પહેલા રોહિત-શુભમન સહિત આ ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુ પહોંચ્યા
ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ફિટનેસ ટેસ્ટ માટે બેંગલુરુના BCCI સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) પહોંચ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા, શુભમન ગિલ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓના નામ શામેલ છે. આગામી દિવસોમાં આ સ્ટાર ખેલાડીઓના ફિટનેસ ટેસ્ટનું રિઝલ્ટ આવશે.
- Smit Chauhan
- Updated on: Sep 1, 2025
- 6:01 pm
Asia Cup 2025 : શુભમનને એશિયા કપ પહેલા આ ખાસ જગ્યાએ બોલાવવામાં આવ્યો, સિરાજની પણ થશે એન્ટ્રી
ટીમ ઈન્ડિયાના ટેસ્ટ કેપ્ટન અને T20 વાઈસ કેપ્ટન શુભમન ગિલને BCCI દ્વારા બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સમાં જવા માટે કહેવામાં આવ્યું છે. મોહમ્મદ સિરાજને પણ આ જ સૂચના આપવામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Sep 1, 2025
- 6:05 pm
BCCIના આદેશનો ખુલ્લેઆમ વિરોધ, KL રાહુલ અને મોહમ્મદ સિરાજને આ ટીમમાં સ્થાન નહીં મળે
ભારતીય ક્રિકેટની સ્થાનિક સિઝન 28 ઓગસ્ટથી દુલીપ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ સાથે શરૂ થઈ રહી છે. તેમાં 6 ઝોનની ટીમો ભાગ લેશે, જેમાં ટીમ ઈન્ડિયાના ઘણા સિનિયર ખેલાડીઓ પણ ભાગ લેશે. પરંતુ કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજ તેમાં રમશે નહીં.
- Smit Chauhan
- Updated on: Aug 23, 2025
- 8:36 pm
Bronco Test : ટીમ ઈન્ડિયાના બોલરોએ 6 મિનિટમાં પાસ કરવો પડશે બ્રોન્કો ટેસ્ટ, જાણો શું છે આ નિયમ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે બીસીસીઆઈએ ફાસ્ટ બોલરો માટે એક નવો ટેસ્ટ શરુ કરવા જઈ રહી છે. ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે ફાસ્ટ બોલરોએ આ ટેસ્ટ પાસ કરવો ખુબ જરુરી છે. તેમણે આ ટેસ્ટ 6 મિનિટની અંદર પાસ કરવાનો રહેશે. તો ચાલો જાણીએ શું છે આ Bronco Test
- Nirupa Duva
- Updated on: Aug 22, 2025
- 1:13 pm
Asia Cup 2025: શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજ એશિયા કપમાંથી થશે બહાર!
એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયાની પસંદગી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈંગ્લેન્ડ પ્રવાસમાં સૌથી સફળ રહેલા શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજને એશિયા કપ માટેની ભારતીય ટીમમાં તક નહીં મળે. બંનેની ફિટનેસ અને ફોર્મ સારું હોવા છતાં બંને ખેલાડીઓ એશિયા કપમાં નહીં રમે એવું સૂત્રોનું માનવું છે.
- Smit Chauhan
- Updated on: Sep 1, 2025
- 6:13 pm
Zanai Bhosle : કોણ છે જનાઈ ભોંસલે, જેમણે ક્રિકેટર મોહમ્મદ સિરાજને રાખડી બાંધી ? બોલિવૂડ સાથે ખાસ કનેક્શન
Who Is Zanai Bhosle: હાલમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ક્રિકેટર મોહમ્મદ સિરાજ અને જનાઈ ભોંસલેના રાખડીના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ફોટો સામે આવ્યા બાદ ચાહકો ચોંકી ગયા છે. કારણ કે, પહેલા બંન્નેના ડેટિંગની ચર્ચાઓ થઈ રહી હતી. તો ચાલો જાણીએ કે, આ જનાઈ ભોંસલે કોણ છે?
- Nirupa Duva
- Updated on: Aug 11, 2025
- 11:08 am
બુમરાહ ટોપ-10 ની લિસ્ટમાંથી બહાર ! સ્ટાર્કને પછાડીને ઝિમ્બાબ્વેના બોલરે બાજી મારી, જુઓ ‘ટોપ વિકેટ ટેકર’ની લિસ્ટ
વર્ષ 2025માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં ફક્ત બે જ ભારતીય બોલર છે. આશ્ચર્યજનક વાત એ છે કે, જસપ્રીત બુમરાહ ટોપ-10ની આ લિસ્ટમાં છે જ નહી.
- Ravi Prajapati
- Updated on: Aug 11, 2025
- 1:38 pm
જે છોકરી સાથે મોહમ્મદ સિરાજના લવ અફેરની ચર્ચા થઈ રહી હતી, તેમણે ક્રિકેટરને બાંધી રાખડી- જુઓ Video
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. જ્યારે એક છોકરી સાથે પાર્ટીનો ફોટો વાયરલ થયો હતો. ત્યારબાદ બંન્નેના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર થઈ હતી. હવે રક્ષાબંધન પર આ છોકરીએ મોહમ્મદ સિરાજને રાખડી બાંધી છે. જુઓ વીડિયો
- Nirupa Duva
- Updated on: Aug 10, 2025
- 4:22 pm
Asia Cup 2025 : આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયામાં પાછા ફરશે, ઘણા મોટા નામ થશે બહાર
એશિયા કપ 2025 9 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 29 સપ્ટેમ્બરે રમાશે. એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ ટુર્નામેન્ટ માટે ઘણા ખેલાડીઓ T20 ટીમમાં પાછા ફરી શકે છે.
- Smit Chauhan
- Updated on: Aug 6, 2025
- 10:31 pm
મોહમ્મદ સિરાજે જે દારૂની બોટલનો અસ્વીકાર કર્યો, આ સ્ટાર ભારતીય ખેલાડીએ તેને બે વાર જીતી
મોહમ્મદ સિરાજને પ્લેયર ઓફ ધ મેચ તરીકે એવોર્ડમાં એક દારૂની બોટલ મળી હતી, પરંતુ તેણે આ બોટલ લેવાનો ઈનકાર કર્યો. જે બાદ આ બોટલને લઈ ઈન્ટરનેટ પર ચર્ચાઓ વધી ગઈ. ફેન્સ જાણવા માંગે છે કે આ બોટલ કઈ કંપનીની છે. આ બોટલમાં ખાસ શું છે અને તેની કિંમત કેટલી છે? આ બધા સવાલોનો જવાબ તમને આ આર્ટીકલમાં મળશે.
- Smit Chauhan
- Updated on: Aug 5, 2025
- 8:22 pm
સિરાજ ટીમ ઈન્ડિયામાંથી થશે બહાર ? ગૌતમ ગંભીરના આ નિર્ણયથી મળ્યો સંકેત
ટીમ ઈન્ડિયા માટે ઈંગ્લેન્ડ પ્રવાસ એકંદરે સારો રહ્યો. મોહમ્મદ સિરાજની મજબૂત બોલિંગને કારણે ભારતે આ શ્રેણી 2-2 થી ડ્રો પર સમાપ્ત કરી. હવે ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 રમવાનો છે, જેમાં મોહમ્મદ સિરાજના રમવા પર મોટો સસ્પેન્સ છે.
- Smit Chauhan
- Updated on: Aug 5, 2025
- 6:47 pm