Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025 Video : કેટરીના કૈફ, અક્ષય કુમાર અને સોનાલી બેન્દ્રેએ પવિત્ર સંગમમાં લગાવી ડૂબકી

મહાકુંભ 2025 માં બોલિવૂડ સેલેબ્સની હાજરીનો સિલસિલો સતત ચાલુ છે. અક્ષય કુમાર અને સોનાલી બેન્દ્રેએ જ્યાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી, ત્યાં કેટરીના કૈફે પણ સ્વામી ચિદાનંદના આશ્રમમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ મેળવી.

Maha Kumbh 2025 Video : કેટરીના કૈફ, અક્ષય કુમાર અને સોનાલી બેન્દ્રેએ પવિત્ર સંગમમાં લગાવી ડૂબકી
Follow Us:
| Updated on: Feb 24, 2025 | 8:12 PM

ભારતીય સંસ્કૃતિના મહાપર્વ મહાકુંભ 2025 માં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે. માત્ર સામાન્ય જનતાને જ નહીં, પણ બોલિવૂડ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ પણ જોવા મળી રહ્યો છે. બોલિવૂડ સ્ટાર અક્ષય કુમારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરી. બીજી તરફ, પ્રખ્યાત અભિનેત્રી કેટરીના કૈફે પણ સ્વામી ચિદાનંદ સરસ્વતીના આશ્રમમાં જઈને પવિત્ર મહાકુંભની સુખદ અનુભૂતિ મેળવી. બોલિવૂડ સ્ટાર્સની હાજરી દર્શાવે છે કે તમે કોઈપણ ક્ષેત્રમાં હોય, આધ્યાત્મિક શાંતિ અને જીવનમાં સંતુલન જરૂરી છે.

બોલિવૂડના સિતારાઓની હાજરી

સંગમમાં સ્નાન કર્યા બાદ અક્ષય કુમારે કહ્યું, “હું અહીં આવીને ખૂબ આનંદ અનુભવી રહ્યો છું. મહાકુંભ 2025 માટે કરવામાં આવેલી વ્યવસ્થા અદભુત છે. હું ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો આભાર માનું છું કે તેમની સતત મહેનત અને દૃઢ નિર્ધારથી આટલું ભવ્ય આયોજન શક્ય બન્યું. 2019 ના કુંભમાં અનેક તકલીફો જોવા મળતી હતી, પરંતુ આ વખતે તમામ વ્યવસ્થાઓ સુચિત અને સુમેળભર્યાં છે. અંબાણી અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓ અને બોલિવૂડના સિતારાઓની હાજરીએ આ મહાકુંભને વધુ ભવ્ય બનાવ્યો છે.” તેમણે સુરક્ષા કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓનો પણ આભાર માન્યો અને કહ્યું કે તેમની નિષ્ઠા અને મહેનતના લીધે આ ભવ્ય આયોજન સફળ બન્યું છે.

AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ
Cobra Vs King Cobra: કોબ્રા અને કિંગ કોબ્રા વચ્ચે 5 મોટા તફાવત, જાણો
ગૌરી ખાનની કુંડલી એટલી શક્તિશાળી છે કે જે લગ્ન કરતો એ રાજયોગ ભોગવતો
મચ્છરને નથી ગમતી આ ગંધ, આ વસ્તુ ઘરમાં રાખવામાં આવે તો મચ્છર થઇ જશે છુમંતર
Jioનો સૌથી સસ્તો પ્લાન લોન્ચ ! માત્ર 895માં મળી રહી 336 દિવસની વેલિડિટી

કેટરીના કૈફને ભગવાન શિવની મૂર્તિ અને રુદ્રાક્ષનો વૃક્ષ ભેટમાં આપવામાં આવી

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફે પણ મહાકુંભમાં જઈ આધ્યાત્મિક અનુભૂતિ કરી. પરમાર્થ નિકેતન શિબિર ખાતે તેમણે સ્વામી ચિદાનંદ સરસ્વતીજી અને સાધ્વી ભગવતી સરસ્વતીજી સાથે ખાસ મુલાકાત કરી. આ પ્રસંગે તેમને ભગવાન શિવની મૂર્તિ અને રુદ્રાક્ષનો વૃક્ષ ભેટમાં આપવામાં આવ્યો. સ્વામી ચિદાનંદ સરસ્વતીજીએ જણાવ્યું કે, જ્યારે બોલિવૂડની લોકપ્રિય હસ્તીઓ મહાકુંભમાં આવે છે, ત્યારે તે યુવાધનને ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃત બનાવે છે. આ સાબિત કરે છે કે આધ્યાત્મિકતા માત્ર સાધુ-સંતો માટે જ નહીં, પણ દરેક માનવીના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

યુવાનોને તેમની સંસ્કૃતિ અને મૂળીઓ સાથે જોડાવાની પ્રેરણા

આ પ્રસંગે સાધ્વી ભગવતી સરસ્વતીજીએ કહ્યું, “યુવા પેઢી માટે સમજવું જરૂરી છે કે આધ્યાત્મિકતા માત્ર વડીલો કે સાધુ-સંતો માટે જ નહીં, પણ જીવનના તમામ પડાવમાં શાંતિ અને સંતુલન મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. જ્યારે કેટરીના કૈફ જેવી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ મહાકુંભમાં આવે છે, ત્યારે તે આપણા યુવાનોને તેમની સંસ્કૃતિ અને મૂળીઓ સાથે જોડાવાની પ્રેરણા આપે છે.”

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી સોનાલી બેન્દ્રે પણ તેમના પરિવાર સાથે મહાકુંભ 2025માં હાજરી આપવા માટે પ્રયાગરાજ પહોંચ્યા. તેમણે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી અને ધાર્મિક તથા આધ્યાત્મિક શાંતિ અનુભવી. સંગમમાં સ્નાન કર્યા પછી સોનાલી બેન્દ્રેએ જણાવ્યું કે મહાકુંભમાં આવીને તેમને અનોખી શાંતિ અને હકારાત્મક ઉર્જાની અનુભૂતિ થઈ છે. તેમણે આ પવિત્ર કાર્યક્રમનો ભાગ બનીને ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાને વધુ નજીકથી અનુભવી.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
પહેલગામમાં હુમલાને લઇ રાજ્યમાં એલર્ટ, તીર્થ સ્થાનોની વધારી સુરક્ષા
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ગુજરાતમાં 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં વધારો થવાની આગાહી
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના પિતા-પુત્રના મૃતદેહ અમદાવાદ એરપોર્ટ લવાયા
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
મનોજ મુન્તશિરે પહલગામના આતંકી હુમલાને લઈને કરી પોતાની ભાવના વ્યક્ત
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
આતંકી હુમલાની પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરી નિંદા
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">