દોઢ દાયકા કરતા પણ વધુનો પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક મીડિયાનો અનુભવ. પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતના રાજકારણના રિપોર્ટીગ પર પકડ. રાજકીય ઘટનાઓ ઉપરાંત કોર્ટ અને કાયદાકીય બાબતોના રિપોર્ટિંગનો બહોળો અનુભવ. અત્યારે રાજ્ય સરકાર અને સત્તાધારી પક્ષ ઉપરાંત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ અને સામાજિક મુદ્દાઓ તેમના રિપોર્ટિંગના મુખ્ય વિષય રહ્યા છે. 15 વર્ષ કરતાં વધુના કાર્યકાળ દરમિયાન ઈલેટ્રોનિક મીડિયામાં અનેક સ્પેશીયલ શો કરી નામના મેળવી.
Breaking News : પાટીદાર આંદોલન અંગેના તમામ કેસ પરત ખેંચાયા, દિનેશ બાંભણીયાએ કર્યો દાવો, હાર્દિક પટેલે પણ સરકારનો માન્યો આભાર
પાટીદાર આંદોલન અંગે થયેલા કેસોને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા સરકારે કવાયત શરુ કરી હોવાનું સામે આવ્યુ છે. તમામ કેસ પરત ખેંચાયાનો દિનેશ બાંભણીયાનો દાવો છે. જો કે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દિનેશ બાંભણીયાએ ટ્વીટ કરીને માન્યો મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.
- Kinjal Mishra
- Updated on: Feb 7, 2025
- 11:08 am
અમેરિકામાં ગેરકાયદે રહેતા 33 ગુજરાતી ફરશે પરત, જાણો નામની યાદી, જુઓ Video
અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો પરત ફરશે. જેમાં 33 ગુજરાતીઓ પણ અમેરિકાથી પરત ફરશે. આજે બપોરે ભારતીયો અમૃતસર પહોંચશે. પરત આવનાર લોકોમાંથી મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધુ લોકો છે.
- Kinjal Mishra
- Updated on: Feb 5, 2025
- 3:03 pm
Uniform Civil Code : ગુજરાતમાં પણ લાગુ થશે UCC ? બપોરે મુખ્યપ્રધાન અને ગૃહરાજ્યપ્રધાન કરશે પત્રકાર પરિષદ
મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થઈ શકે છે. આ અંગે આજે રાજ્ય સરકાર કમિટીની જાહેરાત કરશે, તેમજ પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતા હેઠળ કમિટીનું આજે ગઠન થવા જઈ રહ્યું છે.
- Kinjal Mishra
- Updated on: Feb 4, 2025
- 1:12 pm
હિન્દુના નામે લાયસન્સ કઢાવીને અન્ય દ્વારા ચલાવાતી હોટલ-રેસ્ટોરન્ટમાં હવેથી ST બસ નહીં ઊભી રહે, GSRTCએ 27 લાયસન્સ રદ કર્યા
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને મળેલ લેખિત ફરિયાદને આધારે, 27 હોટલ-રેસ્ટોરન્ટ પર હવેથી એસટી બસ ઊભી નહીં રાખવાનો નિર્ણય કર્યો છે. આ હોયલ અને રેસ્ટોરન્ટ એવી હતી,કે જેમનુ લાયસન્સ હિન્દુ કે ભળતા નામે લીધુ હોય અને તેનુ સંચાલન અન્યો દ્વારા કરાતુ હોય.
- Kinjal Mishra
- Updated on: Jan 23, 2025
- 7:59 pm
Mahakumbh 2025 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે 3 ફેબ્રુઆરીએ મહાકુંભમાં કરશે શાહી સ્નાન, જુઓ Video
દેશ - વિદેશથી લાખો કરોડોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્નાન કરવા અને કલ્પવાસ કરવામાં માટે આવ્યા છે. દેશના નામચીન વ્યક્તિઓની સાથે વિદેશના લોકો પણ શાહી સ્નાન કરાવવ માટે આવતા હોય છે.
- Kinjal Mishra
- Updated on: Jan 21, 2025
- 6:03 pm
Local body elections : સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત, આ બે જગ્યાએ નહીં યોજાય ચૂંટણી, Videoમાં જાણો વધુ માહિતી
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય ચૂંટણી આયોગે જણાવ્યું છે કે આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. ચૂંટણી કમિશન દ્વારા આ સપ્તાહના અંત સુધીમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી ફેબ્રુઆરીના બીજા કે ત્રીજા અઠવાડિયામાં ગુજરાત વિધાનસભા સત્ર દરમિયાન યોજાઈ શકે છે.
- Kinjal Mishra
- Updated on: Jan 20, 2025
- 11:42 am
HMPV વાયરસ મુદ્દે ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું સાવચેતી રાખવી
Human Metapneumovirus Cases in Gujarat : ચીન બાદ હવે ભારતમાં Human Metapneumovirus (HMPV)ના કુલ 4 કેસ ભારતમાં નોંધાયા છે. જેમાંથી 2 કર્ણાટક, 1 બેંગ્લોર અને 1 કેસ ગુજરાતમાં નોંધાયો છે. તો HMPV વાયરસ મુદ્દે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
- Kinjal Mishra
- Updated on: Jan 6, 2025
- 6:23 pm
ગુજરાતમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર, ગાંધીધામ નગરપાલિકાને, નવી મહાનગરપાલિકા બનાવવા ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય
નવી 9 મહાનગરપાલિકાઓની રચના સાથે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા વધીને બે ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: Jan 1, 2025
- 3:42 pm
Breaking News : ગુજરાતમાં વધુ એક જિલ્લો અસ્તિત્વમાં આવશે, બનાસકાંઠા જિલ્લામાંથી વધુ એક જિલ્લાને મંજૂરી
ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવો વાવ-થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ નવા જિલ્લામાં વાવ અને થરાદના 8 તાલુકાનો સમાવેશ થશે, જ્યારે બનાસકાંઠામાં 6 તાલુકા રહેશે. થરાદ નવા જિલ્લાનું મુખ્ય મથક બનશે. આ ઉપરાંત, રાજ્યમાં 9 નવા મ્યુનિસિપલ કોર્પોરેશન પણ બનશે.
- Kinjal Mishra
- Updated on: Jan 1, 2025
- 1:49 pm
ભૂપેન્દ્ર પટેલ સરકારને આવતી કાલે 2 વર્ષ થશે પૂર્ણ, ‘ગ્યાન’ ગરીબ, યુવા, અન્નદાતા સહિતના કાર્યક્રમ દ્વારા થશે ઉજવણી
ભૂપેન્દ્ર પટેલ સરકારને આવતી કાલે 2 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. જેથી આવતીકાલે રાજ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે. ‘ગ્યાન’ ગરીબ, યુવા, અન્નદાતા, નારીશક્તિના સમૂચિત વિકાસના કાર્યક્રમો દ્વારા ભૂપેન્દ્ર પટેલ સરકારના બે વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવશે.વિકસિત ભારત @ 2047ના થીમ સાથે આ કાર્યક્રમો યોજવામાં આવશે.
- Kinjal Mishra
- Updated on: Dec 11, 2024
- 4:17 pm
6 મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક 8 ગુનાઓ ઉકેલ્યા, જુઓ તસવીરો
ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્નિફર ડોગ ટીમે એન.ડી.પી.એસના બે કેસ ઉપરાંત એક હત્યા, બળાત્કાર, ઘરફોડ અને બે ચોરીના ગુનાઓ ઉકેલવામાં સફળતા મેળવી છે.
- Kinjal Mishra
- Updated on: Dec 3, 2024
- 4:45 pm
Video : ભાજપમાં નવા સંગઠન માટે નક્કી કરાયા ધારાધોરણ, જાણો કેવા થયા ફેરફાર
ભાજપમાં નવા સંગઠન રચનાને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે કેટલાક ધારાધોરણ નક્કી કર્યા છે. 45 વર્ષથી નીચેના હશે તેને જ સ્થાન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
- Kinjal Mishra
- Updated on: Nov 27, 2024
- 5:22 pm