કલમ 307ના ગુનામાં કઈ રીતે સમાધાન થઈ શકે ? દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ
હાઈકોર્ટે એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે.
લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં, ક્વોશિંગ પીટીશન કરી છે. ચાંગોદરમાં થયેલી મારામારીની ઘટનાને લઈને, પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ રદ કરવા માટે ક્વોશિંગ પીટીશન કરી છે. દેવાયત ખવડ અને માર ખાનાર એટલે કે ફરિયાદ પક્ષ એમ બંને પક્ષના વકીલે હાઇકોર્ટમાં કહ્યું કે, બંને પક્ષે સમાધાન થયું છે.
આ ક્વોશિંગ પીટીશન વાંચતા જ હાઈકોર્ટે એવો વેધક સવાલ કર્યો હતો કે, 307ની કલમમાં કઈ રીતે સમાધાન થઈ શકે, હાઇકોર્ટ પ્રથમ દૃષ્ટિએ જ માન્યું કે દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડ પર કુલ 6 જેટલા નાના મોટા ગુના નોંધવામાં આવ્યા છે. ચાંગોદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં તપાસ અધિકારી કેસ રિપોર્ટ અને બંને પક્ષકારોને હાજર રહેવા ફરમાન કર્યું છે. હાઈકોર્ટે આ ક્વોશિંગ પીટીશન અંગેની વધુ સુનાવણી આગામી 19 ફેબ્રુઆરી ના રોજ હાથ ધરાશે.
ભાજપના પૂર્વ પ્રધાને કહ્યું- જૂની જાહેરાતોના કામ થતા નથી ને બજેટમાં નવી નવી જાહેરાતો કરાય છે
અંબાજી ગબ્બર માર્ગ પર શ્રદ્ધાળુઓ 'અસુરક્ષિત'! વીડિયો થયો 'વાયરલ'
મહીસાગર શિક્ષણ વિભાગનો ફિયાસ્કો: પરીક્ષા પછી ધો. 10 ની પોથીઓનું વિતરણ
કર્મચારીઓ સામે અધિકારીઓ ઝૂક્યા! PDU સિવિલમાં મામલો થાળે પડ્યો
વડોદરાની MS યુનિવર્સિટીમાં હવે ભણાવાશે RSS અને નરેન્દ્ર મોદીના પાઠ
