ગીર નેશનલ પાર્ક
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
World Lion Day 2026 : માનવ પર હુમલો કરી ચૂકેલા સિંહો માટે, આંબરડી સફારી પાર્કમાં બનશે 100 હેક્ટરનું ખાસ ક્ષેત્ર
અમરેલી જિલ્લાના ધારી નજીક આવેલું આંબરડી સફારી પાર્ક ગીરના વન્યજીવનનો અનુભવ કરાવતા મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોમાં સામેલ છે. આશરે 365 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં એશિયાટિક સિંહ ઉપરાંત દીપડા, ચિતલ, નીલગાય, ચિંકારા, મોર સહિત વિવિધ વન્યજીવો અને પક્ષીઓ જોવા મળે છે.
- Bipin Prajapati
- Updated on: Aug 9, 2026
- 1:25 pm
Breaking News : ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું ! અદ્ભુત દૃશ્યો કેમેરામાં થયા કેદ, જુઓ-Video
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરસાદી માહોલમાં ગીર વિસ્તારમાં સિંહો ઘણીવાર રસ્તા પર જોવા મળે છે. જોકે, એકસાથે 12 સિંહોનું ટોળું રસ્તા પર ઉતરી આવવું ખૂબ જ દુર્લભ ઘટના માનવામાં આવે છે.
- Devankashi rana
- Updated on: Aug 3, 2026
- 12:52 pm
Gir Somnath Breaking: ગીર-સોમનાથમાં કૂવામાં ખાબક્યો દીપડો, કલાકોની જહેમત બાદ સફળ રેસ્ક્યુ, જુઓ Video
ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામમાં એક દીપડો અચાનક કૂવામાં ખાબકતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મહેશ રણમલ વાજા નામના ખેડૂતના કૂવામાં દીપડો પડી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 29, 2026
- 1:15 pm
સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પજવણીના વીડિયોમાં દેખાયા
જસાધાર રેન્જના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા હતા. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 12, 2026
- 11:00 am
Junagadh News: ગિરનારની સીડીઓ ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, પગના અવશેષો મળ્યા, ઘટના બાદ ગિરનાર પ્રવાસીઓ માટે બંધ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર પર અંબાજી માતાના દર્શન માટે આવ્યો હતો. પરિવારના સભ્યો આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યા હતા ત્યારે 11 વર્ષનો મયૂરસિંહ પોતાની માતા સાથે ચાલતો હતો. એ દરમિયાન અચાનક સાવજે હુમલો કરી બાળકને પરિવાર વચ્ચેથી ખેંચી જંગલ તરફ લઈ ગયો.
- Devankashi rana
- Updated on: Jul 11, 2026
- 12:20 pm
Breaking News: અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, શું મેટિંગ દરમિયાન પજવણી થઈ હતી? વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહના હુમલામાં યુવકના મોતની ઘટનાને વનવિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાના અનુસંધાને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jul 9, 2026
- 12:32 pm
Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે
અમરેલીમાં માનવભક્ષી બનેલા ચાર સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજુલા અને ખાંભામાં થયેલા બે માનવ હુમલા બાદ વનવિભાગે આ સિંહોને પકડી પાડ્યા હતા. રિપોર્ટમાં માનવ ભક્ષણ પુષ્ટિ થતા, હવે તેમને જુનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ માનવીને નુકસાન ન પહોંચાડે.
- Mina Pandya
- Updated on: Jun 27, 2026
- 7:58 pm
Breaking News : ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ, નવ બાળકો અસરગ્રસ્ત, જુઓ Video
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ખાણીપીણીના સ્ટોલ પર જમ્યા બાદ નવ બાળકો સહિત અનેક લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામ અસરગ્રસ્તોને પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jun 27, 2026
- 2:56 pm
Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું
અમરેલીના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ પર વિલંબનો આરોપ લગાવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 26, 2026
- 5:32 pm
Breaking News : સિંહ યુગલની પાછળ ચાલ્યો, બુમો પાડી….ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહની પજવણીનો Video વાયરલ
સોશિયલ મીડિયા પર સિંહની પજવણી કરતા વીડિયો અનેક વખત વાયરલ થતાં હોય છે. આ વીડિયોથી સિંહ પ્રેમીઓમાં ખુબ જ નારાજગી જોવા મળે છે.ગીર વિસ્તારમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 24, 2026
- 1:39 pm
Gir Breaking News : સિંહોનું વેકેશન આજથી શરુ! ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ ! જુઓ Video
સાસણ ગીર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદની અનિયમિતતા કારણે દર વર્ષની તુલનામાં એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 2:43 pm
Amreli Breaking News: અમરેલીના કોવાયા ગામે સિંહે યુવકને ફાડી ખાધો, ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video
મધરાતનો સમય હોવાથી કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પ્રકાશચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડે તેને અડધી રાત્રે બહાર ન જવા અને સવાર સુધી રાહ જોવાની વિનંતી પણ કરી હતી. જોકે પ્રકાશચંદ્રે પોતાની મુસાફરી ચાલુ રાખી હતી અને કંપનીમાંથી નીકળી ગયો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 12:44 pm
Breaking News : અમરેલીના કોવાયા ગામે સિંહણે યુવકનો શિકાર કર્યો, જુઓ Video
ગત સપ્તાહ માંજ અમરેલીના બગસરાના ઘંટીયાણ ગામે સિંહણે પરપ્રાંતિય પરિવારના 7 વર્ષીય બાળકને ફાડી ખાધુ હતુ. આજે અમરેલીના કોવાયા ગામમાંથી યુવક પર સિંહણે ધાતકી હુમલો કર્યા બાદ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 16, 2026
- 12:59 pm
Amreli Breaking News : એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત ! ફોરેસ્ટરની કરાઈ બદલી
ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી.
- Devankashi rana
- Updated on: Jun 6, 2026
- 12:59 pm
Gir Breaking News : 8 સિંહોના શંકાસ્પદ મોત પછી ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરાયા! જુઓ Video
ગિરમાં સિંહોમાં ફેલાતી બીમારીના કારણે મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો હતો. સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. ત્યારબાદ સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં યાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 5, 2026
- 1:29 pm