AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક

ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.

Read More

સિંહની પજવણી કરનારા 8 ને પાંજરે પુરતુ વન વિભાગ, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પજવણીના વીડિયોમાં દેખાયા

જસાધાર રેન્જના અધિકારીઓએ સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરીને વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારના 8 યુવકોને ઝડપી પાડ્યા હતા. તમામ સામે વન્યજીવ સંરક્ષણ કાયદાની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધવાની અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Junagadh News: ગિરનારની સીડીઓ ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો, પગના અવશેષો મળ્યા, ઘટના બાદ ગિરનાર પ્રવાસીઓ માટે બંધ

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના મોડજ ગામનો પરિવાર ગિરનાર પર અંબાજી માતાના દર્શન માટે આવ્યો હતો. પરિવારના સભ્યો આશરે 50 જેટલા પગથિયાં ચઢ્યા હતા ત્યારે 11 વર્ષનો મયૂરસિંહ પોતાની માતા સાથે ચાલતો હતો. એ દરમિયાન અચાનક સાવજે હુમલો કરી બાળકને પરિવાર વચ્ચેથી ખેંચી જંગલ તરફ લઈ ગયો.

Breaking News: અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, શું મેટિંગ દરમિયાન પજવણી થઈ હતી? વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ

અમરેલી જિલ્લાના લીલીયા રેન્જમાં સિંહના હુમલામાં યુવકના મોતની ઘટનાને વનવિભાગે અત્યંત ગંભીરતાથી લીધી છે. ઘટનાના અનુસંધાને શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ ચિરાગ અમીન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે.

Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે

અમરેલીમાં માનવભક્ષી બનેલા ચાર સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજુલા અને ખાંભામાં થયેલા બે માનવ હુમલા બાદ વનવિભાગે આ સિંહોને પકડી પાડ્યા હતા. રિપોર્ટમાં માનવ ભક્ષણ પુષ્ટિ થતા, હવે તેમને જુનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ માનવીને નુકસાન ન પહોંચાડે.

Breaking News : ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ, નવ બાળકો અસરગ્રસ્ત, જુઓ Video

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ખાણીપીણીના સ્ટોલ પર જમ્યા બાદ નવ બાળકો સહિત અનેક લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામ અસરગ્રસ્તોને પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું

અમરેલીના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ પર વિલંબનો આરોપ લગાવ્યો છે.

Breaking News : સિંહ યુગલની પાછળ ચાલ્યો, બુમો પાડી….ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહની પજવણીનો Video વાયરલ

સોશિયલ મીડિયા પર સિંહની પજવણી કરતા વીડિયો અનેક વખત વાયરલ થતાં હોય છે. આ વીડિયોથી સિંહ પ્રેમીઓમાં ખુબ જ નારાજગી જોવા મળે છે.ગીર વિસ્તારમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે.

Gir Breaking News : સિંહોનું વેકેશન આજથી શરુ! ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ ! જુઓ Video

સાસણ ગીર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદની અનિયમિતતા કારણે દર વર્ષની તુલનામાં એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Amreli Breaking News: અમરેલીના કોવાયા ગામે સિંહે યુવકને ફાડી ખાધો, ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video

મધરાતનો સમય હોવાથી કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પ્રકાશચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડે તેને અડધી રાત્રે બહાર ન જવા અને સવાર સુધી રાહ જોવાની વિનંતી પણ કરી હતી. જોકે પ્રકાશચંદ્રે પોતાની મુસાફરી ચાલુ રાખી હતી અને કંપનીમાંથી નીકળી ગયો હતો.

Breaking News : અમરેલીના કોવાયા ગામે સિંહણે યુવકનો શિકાર કર્યો, જુઓ Video

ગત સપ્તાહ માંજ અમરેલીના બગસરાના ઘંટીયાણ ગામે સિંહણે પરપ્રાંતિય પરિવારના 7 વર્ષીય બાળકને ફાડી ખાધુ હતુ. આજે અમરેલીના કોવાયા ગામમાંથી યુવક પર સિંહણે ધાતકી હુમલો કર્યા બાદ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે.

Amreli Breaking News : એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત ! ફોરેસ્ટરની કરાઈ બદલી 

ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી.

Gir Breaking News : 8 સિંહોના શંકાસ્પદ મોત પછી ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરાયા! જુઓ Video

ગિરમાં સિંહોમાં ફેલાતી બીમારીના કારણે મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો હતો. સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. ત્યારબાદ સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં યાવ્યા છે.

ગીરમાં 8 સિહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વનવિભાગ સામે શંકાની સોય 

ગીરના સિંહો એ દેશની શાન છે અને ગુજરાત માટે આ ઘરેણા સમાન છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરના સાવજ પર સંકટના વાદળો ઘેરાયા છે અને એક બાદ એક 8 સિંહોના ભેદી સંજોગોમાં મૃત્યુ થયા છે. ત્યારે ન માત્ર વનવિભાગ પરંતુ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને મંત્રીઓ દોડતા થયા છે. ગાંધીનગરમાં પણ અરણ્યભવન ખાતે સિંહોના મોત મામલે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમા વનવિભાગના તમામ મોટા મોટા અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા.

Breaking News : સિંહોના મોત મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન, બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત

ગિરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા બે સિંહ બાળના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.

Breaking News : ગીરમાં વધુ 2 સિંહબાળના મોત, સિંહોના ટપોટપ મોતથી વન વિભાગમાં હડકંપ, શું ફરી વળશે CDVનો કહેર? જુઓ Video

અમરેલી ગિર પૂર્વમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે સિંહોનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના બે સિંહ બાળના અવસાન થયાની પુષ્ટિ પીસીસીએફ ભવાની પતિએ કરી છે. બેબેસિયા વાયરસની ગેરહાજરી બાદ સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગની શક્યતા સેવાઈ રહી છે, જેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા છે.

g clip-path="url(#clip0_868_265)">