ગીર નેશનલ પાર્ક
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
ભાવનગરથી 20 કિલોમીટર દૂર જોવા મળ્યો એશિયાઈ સિંહ, વન વિભાગે શરૂ કર્યુ પેટ્રોલિંગ
એશિયાઈ સિંહ હવે તેમનો વિસ્તાર વધારતા હોય તેવુ લાગી રહ્યું છે. ભાવનગર શહેરથી માત્ર 20 કિલોમીટર દૂર સુધી સિંહ આટાફેરા મારી રહ્યા છે. એટલુ જ નહીં, તેની ડણાક પણ હવે ભાવનગરથી થોડેક દૂર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં સંભળાઈ રહી છે.
- TV9 Gujarati
- Updated on: Jan 14, 2026
- 8:54 pm
ગીરમાં દુઃખદ ઘટના: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગી જતા થયુ મોત- Video
જુનાગઢ જિલ્લાના વિસાવદરના નાની મોણપરી ગામે 4 વર્ષના માસૂમને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણને પાંજરે પુરવા ગયેલી વન વિભાગની ટીમને તેમના એક સહકર્મીને ગુમાવવાનો વારો આવ્યો છે. વન વિભાગના કર્મીએ સિંહણ સામે આવી જતા તેને બેભાન કરવા વેટરનરી તબીબે ગોળી છોડી હતી. જેમા સિંહણ દૂર ખસી જતા સામે આવેલા ટ્રેકરને ગોળી વાગી જતા ટ્રેકરનું મૃત્યુ નિપજ્યુ છે.
- TV9 Gujarati
- Updated on: Jan 5, 2026
- 6:46 pm
નાતાલની રજાઓમાં સાસણ ગીર પ્રવાસીઓથી છલકાયું, સિંહની ગર્જનાથી ગુંજી ઉઠ્યું જંગલ, જુઓ Video
નાતાલની રજાઓ શરૂ થતાં જ જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. એશિયાટિક સિંહનું એકમાત્ર ઘર ગણાતું સાસણ ગીર આ દિવસોમાં પ્રવાસીઓની ચહલપહલ અને સિંહની ગર્જનાથી ગાજી રહ્યું છે. દિવાળી વેકેશન હોય કે નાતાલની રજાઓ, સાસણ ગીર હંમેશા પ્રવાસીઓનું મનપસંદ સ્થળ બની રહ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Dec 27, 2025
- 2:08 pm
Christmas Celebration Places : પરિવાર અને મિત્રો સાથે આ ક્રિસમસની ઉજવણી કરવા માટે ગુજરાતના શ્રેષ્ઠ સ્થળો
તો, જો 31 ડિસેમ્બરની સાંજે, તમે અચાનક નવા વર્ષની ઉજવણી ઘરે નહીં, પણ બહાર ક્યાંક કરવાનું નક્કી કરો છો, તો ફક્ત તમારા બેગ પેક કરો અને બહાર નીકળી જાઓ આજે અમે તમને ગુજરાતના કેટલાક એવા સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાં તમે ન્યુયર પર ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Dec 24, 2025
- 12:52 pm
Amreli : શ્વાનના બચ્ચાને રમાડતા નજરે પડ્યો સિંહ, જુઓ અનોખા દ્રશ્યો
અમરેલી જિલ્લાના અનેક ગામડાઓમાં વન્ય પ્રાણીઓના આંટાફેરા સતત વધી રહ્યા છે, જેના ત્રણ વીડિયો વાયરલ થયા છે. રાજુલાના કોવાયા ગામે સિંહ શ્વાનના બચ્ચા સાથે રમતો અને રહેણાંક મકાનમાં પ્રવેશતો જોવા મળ્યો. આ ઉપરાંત, છતડીયા રોડ પર દીપડાની લટાર પણ કેદ થઈ છે.
- TV9 Gujarati
- Updated on: Dec 19, 2025
- 12:24 pm
Gir Somnath : સૌરાષ્ટ્રની શાન ગણાતા સાવજનો આખો પરિવાર લટાર પર નીકળ્યો, ઉના હાઇવે પર એકસાથે 10 સિંહ દેખાયા, જુઓ Video
ગીર-સોમનાથ જિલ્લામાંથી ફરી એક વખત સાવજના અદ્ભુત અને રોમાંચક દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે અહીં સિંહોના આંટાફેરા જોવા મળે છે, પરંતુ આ વખતનો નજારો વિશેષ હતો. ગીર ગઢડા-ઉના હાઇવે પર એક સાથે આઠથી દસ જેટલા સિંહોનો આખો પરિવાર રોડ પર લટાર મારતો કેમેરામાં કેદ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Dec 1, 2025
- 3:06 pm
આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ, 9 દિવસ વહેલા ખોલી દેવામાં આવી સફારી, 10 ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ લેશે મુલાકાત
ગુજરાતના ગીર ક્ષેત્રના ચાહકો માટે ખુશીની ખબર છે. ગીર જંગલ સફારીની ફરીથી શરૂઆત થઇ ચુકી છે. આજથી સાસણ જંગલ સફારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન 4 માસ માટે જંગલ સફારી બંધ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુના આગમનને ધ્યાને લઈ જંગલ સફારી 9 દિવસ પહેલાં ખોલી દેવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Oct 7, 2025
- 2:30 pm
Travel tips : વનરાજનું વેકેશન પૂર્ણ અને પ્રવાસીઓનું વેકેશન શરુ, દિવાળીમાં ફ્રેન્ડ સાથે બનાવી લો ફરવાનો પ્લાન
સાસણ ગીર અભ્યારણ ચોમાસાની ઋતુમાં ચાર મહિના બંધ રાખવામાં આવે છે.હાલ ગીરમાં સોળે કળાએ પ્રકૃતિ ખીલી છે. ત્યારે પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે, ગીર નેશનલ પાર્ક દિવાળી પહેલા પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે.
- Nirupa Duva
- Updated on: Oct 6, 2025
- 4:35 pm
Amreli: આંબરડી સફારી પાર્કમાં સાતમ-આઠમની રજાઓમાં સિંહ દર્શન માટે ઉમટ્યા પર્યટકો, 6500 વધુ પ્રવાસીઓ આવ્યા
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનું ઘણુ મહત્વ છે. આ દરમિયાન મીની વેકેશન જેવો માહોલ હોવાથી લોકો ફરવા માટે નીકળી પડતા હોય છે. ત્યારે આ વર્ષે સાતમ આઠમના તહેવારો દરમિયાન 3 દિવસમાં 6500 થી વધુ પર્યટકોએ સફારી પાર્કની મુલાકાત લઈ સિંહ દર્શનનો આનંદ માણ્યો હતો.
- TV9 Gujarati
- Updated on: Aug 19, 2025
- 4:45 pm
Travel Tips : ઓછા બજેટમાં વીકએન્ડ માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો, બનાવી લો ફરવાનો પ્લાન
સતત ઓફિસમાં બેસી કામ કરીને થાકી ગયા છે. તો આ સમયે સ્ટ્રેસ ફ્રી થવાની ખુબ જરુર પડે છે. તો આજે અમે તમને કેટલાક ગુજરાતના એવા સ્થળો વિશે વાત કરીશું. જ્યાં તમે પરિવાર સાથે કે પત્નીને લઈ વીકએન્ડમાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.
- Nirupa Duva
- Updated on: Aug 18, 2025
- 3:27 pm
Travel tips : જો તમારે સિંહ દર્શન કરવા હોય, તો ગુજરાતના આ સ્થળ પર પહોંચી જાવ
ભારતમાં સતત સિંહોની સંખ્યા ઓછી થઈ રહી છે. જેને લઈ જાગ્રૃતા ફેલાવવા માટે વર્લ્ડ લાયન ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 10 ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ 2025ની ઉજવણી કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે જાણીએ ગુજરાતમાં તમે ક્યાં સ્થળો પર સિંહના નજીકના દર્શન કરી શકો.
- Nirupa Duva
- Updated on: Aug 10, 2025
- 12:05 pm
ગીરના સિંહની જોડી જય-વીરૂને અનોખી શ્રદ્ધાંજલિ, વીડિયો ગીત-ડોક્યુમેન્ટરીનું સાસંદ પરિમલ નથવાણીએ કર્યું લોકાર્પણ
રાજ્યસભાના સાંસદ અને સિંહપ્રેમી પરિમલ નથવાણીએ આ પ્રસંગે કહ્યું કે, “જય-વીરુની જોડી” ગીત તમામ મોખરાનાં સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે.તેમણે વધુમાં ઉમેર્યું કે “જય અને વીરુની ગર્જના આપણી ચેતનામાં હંમેશા જીવંત રહે અને આ ગીત અને ડોક્યુમેન્ટરી મારફતે હું તેમને યથાર્થ શ્રદ્ધાંજલિ આપવા માગું છું.
- TV9 Gujarati
- Updated on: Aug 7, 2025
- 7:56 pm
Gir Somnath : ઝૂંપડામાં સુતેલા બાળકને દીપડો ઉઠાવી ગયો, 2 વર્ષના માસુમનો મૃતદેહ મળ્યો, જુઓ Video
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામમાં એક અત્યંત દુઃખદ અને કરૂણ ઘટના સામે આવી છે. મોડી રાત્રે ઝૂંપડામાં સુતેલા 2 વર્ષીય માસુમ બાળકને દીપડો ઉઠાવી ગયો હતો.જે પછી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટના ખોડિયારની ધાર પાસે આવેલા દેવીપૂજક સમાજની વસાહતમાં બની છે.
- TV9 Gujarati
- Updated on: Aug 4, 2025
- 3:08 pm
મિત્રતા હોય તો આવી.. હંમેશા સાથે રહેતા જય વિરુની જોડીનો અસ્ત, મિત્ર વિરુનુ મોત થતા જય પણ એક જ મહિનામાં મૃત્યુ પામ્યો
જય વિરુની જોડીનો અસ્ત, એક સમયે તેની ડણક માત્રથી ભલભલાના રૂંવાડા ઉભા થઈ જતા એ ડણક હવે સદાયને માટે શાંત થઈ ગઈ. આ વાત છે ગીરના પ્રખ્યાત બે સિંહોની દોસ્તીની. જેઓ જન્મથી જ એકબીજાના મિત્ર હતા અને એકના મૃત્યુના સમાચાર બાદ બીજા સિંહે પણ માત્ર એક જ મહિનામાં આ દુનિયાને અલવિદા કહી દીધી.
- Mina Pandya
- Updated on: Aug 8, 2025
- 2:20 pm
સિંહોના મૃત્યુને લઈને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મુળુ બેરાને પત્ર લખી ગંભીર સવાલો ઉઠાવ્યા, જુઓ Video
રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખીને જાફરાબાદ રેન્જમાં સિંહોના મૃત્યુ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારી અને અણઆવડતને કારણે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Aug 1, 2025
- 11:10 am