ગીર નેશનલ પાર્ક
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
Breaking News: અમરેલીમાં માનવભક્ષી ચારેય સિંહોને કરાઈ આજીવન કેદની સજા, જુનાગઢ સક્કરબાગ ઝુમાં મોકલાશે
અમરેલીમાં માનવભક્ષી બનેલા ચાર સિંહોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. રાજુલા અને ખાંભામાં થયેલા બે માનવ હુમલા બાદ વનવિભાગે આ સિંહોને પકડી પાડ્યા હતા. રિપોર્ટમાં માનવ ભક્ષણ પુષ્ટિ થતા, હવે તેમને જુનાગઢ સક્કરબાગ ઝૂમાં મોકલવામાં આવશે જેથી તેઓ ભવિષ્યમાં કોઈ માનવીને નુકસાન ન પહોંચાડે.
- Mina Pandya
- Updated on: Jun 27, 2026
- 7:58 pm
Breaking News : ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ, નવ બાળકો અસરગ્રસ્ત, જુઓ Video
ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ખાણીપીણીના સ્ટોલ પર જમ્યા બાદ નવ બાળકો સહિત અનેક લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામ અસરગ્રસ્તોને પ્રભાસ પાટણ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
- Sagar Solanki
- Updated on: Jun 27, 2026
- 2:56 pm
Breaking News : અમરેલીમાં વધુ એક સિંહનું શંકાસ્પદ મોત, દલખાણીયા રેન્જમાં મૃતદેહ મળતા વનવિભાગ દોડતું થયું
અમરેલીના દલખાણીયા રેવન્યુ વિસ્તારમાં એક સિંહનો શંકાસ્પદ મૃતદેહ મળતા વન વિભાગની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોએ વન વિભાગ પર વિલંબનો આરોપ લગાવ્યો છે.
- Sagar Solanki
- Updated on: Jun 26, 2026
- 5:32 pm
Breaking News : સિંહ યુગલની પાછળ ચાલ્યો, બુમો પાડી….ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહની પજવણીનો Video વાયરલ
સોશિયલ મીડિયા પર સિંહની પજવણી કરતા વીડિયો અનેક વખત વાયરલ થતાં હોય છે. આ વીડિયોથી સિંહ પ્રેમીઓમાં ખુબ જ નારાજગી જોવા મળે છે.ગીર વિસ્તારમાં વધુ એક સિંહ પજવણીનો વીડિયો વાયરલ થયો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 24, 2026
- 1:39 pm
Gir Breaking News : સિંહોનું વેકેશન આજથી શરુ! ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ ! જુઓ Video
સાસણ ગીર અભ્યારણ્ય આજથી પ્રવાસીઓ માટે આગામી ચાર મહિના સુધી બંધ કરવામાં આવ્યું છે. આ વર્ષે વરસાદની અનિયમિતતા કારણે દર વર્ષની તુલનામાં એક સપ્તાહ મોડું એટલે કે 23 જૂનથી અભ્યારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Jun 23, 2026
- 2:43 pm
Amreli Breaking News: અમરેલીના કોવાયા ગામે સિંહે યુવકને ફાડી ખાધો, ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video
મધરાતનો સમય હોવાથી કંપનીમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે પ્રકાશચંદ્રને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ગાર્ડે તેને અડધી રાત્રે બહાર ન જવા અને સવાર સુધી રાહ જોવાની વિનંતી પણ કરી હતી. જોકે પ્રકાશચંદ્રે પોતાની મુસાફરી ચાલુ રાખી હતી અને કંપનીમાંથી નીકળી ગયો હતો.
- TV9 Gujarati
- Updated on: Jun 20, 2026
- 12:44 pm
Breaking News : અમરેલીના કોવાયા ગામે સિંહણે યુવકનો શિકાર કર્યો, જુઓ Video
ગત સપ્તાહ માંજ અમરેલીના બગસરાના ઘંટીયાણ ગામે સિંહણે પરપ્રાંતિય પરિવારના 7 વર્ષીય બાળકને ફાડી ખાધુ હતુ. આજે અમરેલીના કોવાયા ગામમાંથી યુવક પર સિંહણે ધાતકી હુમલો કર્યા બાદ મોતને ઘાટ ઉતાર્યાની ઘટના સામે આવી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 16, 2026
- 12:59 pm
Amreli Breaking News : એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત ! ફોરેસ્ટરની કરાઈ બદલી
ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી.
- Devankashi rana
- Updated on: Jun 6, 2026
- 12:59 pm
Gir Breaking News : 8 સિંહોના શંકાસ્પદ મોત પછી ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરાયા! જુઓ Video
ગિરમાં સિંહોમાં ફેલાતી બીમારીના કારણે મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો હતો. સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. ત્યારબાદ સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં યાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 5, 2026
- 1:29 pm
ગીરમાં 8 સિહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વનવિભાગ સામે શંકાની સોય
ગીરના સિંહો એ દેશની શાન છે અને ગુજરાત માટે આ ઘરેણા સમાન છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરના સાવજ પર સંકટના વાદળો ઘેરાયા છે અને એક બાદ એક 8 સિંહોના ભેદી સંજોગોમાં મૃત્યુ થયા છે. ત્યારે ન માત્ર વનવિભાગ પરંતુ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને મંત્રીઓ દોડતા થયા છે. ગાંધીનગરમાં પણ અરણ્યભવન ખાતે સિંહોના મોત મામલે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમા વનવિભાગના તમામ મોટા મોટા અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 5:05 pm
Breaking News : સિંહોના મોત મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન, બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત
ગિરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા બે સિંહ બાળના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
- Devankashi rana
- Updated on: May 29, 2026
- 2:16 pm
Breaking News : ગીરમાં વધુ 2 સિંહબાળના મોત, સિંહોના ટપોટપ મોતથી વન વિભાગમાં હડકંપ, શું ફરી વળશે CDVનો કહેર? જુઓ Video
અમરેલી ગિર પૂર્વમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે સિંહોનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના બે સિંહ બાળના અવસાન થયાની પુષ્ટિ પીસીસીએફ ભવાની પતિએ કરી છે. બેબેસિયા વાયરસની ગેરહાજરી બાદ સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગની શક્યતા સેવાઈ રહી છે, જેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા છે.
- Hasmukh Ramani
- Updated on: May 29, 2026
- 10:46 am
ગીરના સિંહોને લઈને સરકાર એલર્ટ, CMએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહ બાળ મૃત્યુ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ચાર સિંહ બાળના મૃત્યુ બાદ 17 સિંહોને આઇસોલેટ કરાયા છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 9:37 pm
Gir Conservation : ગુજરાતના સિંહોમાં ચેપી રોગોનો ખતરો વધ્યો, વહેલા નિદાન માટે સાંસદ પરિમલ નથવાણીની સરકારને અપીલ
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોના CDV અને બેબીસિયા જેવા ચેપી રોગોથી થતા મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 5:44 pm
ગિરના ફોરેસ્ટ ટ્રેકર્સને મળશે 10 લાખ સુધીનું વીમા કવચ, પરિમલ નથવાણીનો સહયોગ, જુઓ Photos
ગિર અને બૃહદ્ ગિરના 220 ફોરેસ્ટ ટ્રેકર્સને હવે અકસ્માત અને આરોગ્ય વીમા કવચ મળશે. સાંસદ પરિમલ નથવાણીના સહયોગથી રૂ. 3 થી 10 લાખ સુધીના વીમાથી ટ્રેકર્સ અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા મળશે.
- Sagar Solanki
- Updated on: May 18, 2026
- 8:24 pm