ગીર નેશનલ પાર્ક
ગીર નેશનલ પાર્ક જે સાસણ ગીર તરીકે પણ ઓળખાય છે. ગીર નેશનલ પાર્ક ગુજરાતમાં આવેલું જંગલ અને વન્યજીવ અભયારણ્ય છે. તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. તે કુલ 1412 ચો.કી.મી. વિસ્તારમાં ફેલાયેલું છે.
આ નેશનલ પાર્ક સોમનાથથી 43 કિ.મી અને જુનાગઢથી 60 કિ.મીના અંતરે આવેલો છે. આ એશિયાઇ સિંહોનું એકમાત્ર રહેઠાણ છે અને એશિયાના અતિ મહત્ત્વના રક્ષિત વિસ્તાર તરીકે જાહેર કરાયેલ છે.
ગીરને દેશના સુપ્રસિધ્ધ નેશનલ પાર્કમાંના એક તરીકે નામના મળી છે. આ નેશનલ પાર્ક સિંહ ઉપરાંત અનેક પ્રાણીઓ અને પક્ષીઓની 300 જેટલી પ્રજાતિઓનું આશ્રયસ્થાન છે.
નેશનલ પાર્ક પ્રવાસીઓ માટે જૂનથી સપ્ટેમ્બર સુધી બંધ રહે છે. ત્યારે નવેમ્બરના અંતથી માર્ચની શરૂઆત સુધીનો સમય પ્રવાસીઓ માટે મુલાકાતનો ઉત્તમ સમય ગણાય છે. આ સમય દરમિયાન વન્યજીવોને ખુલ્લામાં ફરતા જોવાનો લહાવો મળી જાય છે.
Amreli Breaking News : એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત ! ફોરેસ્ટરની કરાઈ બદલી
ધારી ગીર પૂર્વ વિસ્તારમાં ગર્ભવતી સિંહણના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સંબંધિત વિસ્તારના ફોરેસ્ટર અપડાઉન કરતા હોવાથી નિયમિત પેટ્રોલિંગ અને સિંહોના મોનિટરિંગમાં બેદરકારી રહી હતી.
- Devankashi rana
- Updated on: Jun 6, 2026
- 12:59 pm
Gir Breaking News : 8 સિંહોના શંકાસ્પદ મોત પછી ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરાયા! જુઓ Video
ગિરમાં સિંહોમાં ફેલાતી બીમારીના કારણે મોતનો આંકડો 8 સુધી પહોંચ્યો હતો. સિંહના મોત થતા વન વિભાગ દોડતું થયું હતું. ત્યારબાદ સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. હવે 11 જેટલા સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત કરવામાં યાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 5, 2026
- 1:29 pm
ગીરમાં 8 સિહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વનવિભાગ સામે શંકાની સોય
ગીરના સિંહો એ દેશની શાન છે અને ગુજરાત માટે આ ઘરેણા સમાન છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરના સાવજ પર સંકટના વાદળો ઘેરાયા છે અને એક બાદ એક 8 સિંહોના ભેદી સંજોગોમાં મૃત્યુ થયા છે. ત્યારે ન માત્ર વનવિભાગ પરંતુ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને મંત્રીઓ દોડતા થયા છે. ગાંધીનગરમાં પણ અરણ્યભવન ખાતે સિંહોના મોત મામલે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમા વનવિભાગના તમામ મોટા મોટા અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jun 1, 2026
- 5:05 pm
Breaking News : સિંહોના મોત મામલે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન, બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત
ગિરમાં સિંહોમાં ફેલાતી રહસ્યમય બીમારીના કારણે મોતનો આંકડો હવે 8 સુધી પહોંચી ગયો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા બે સિંહ બાળના મોત થતા વન વિભાગ દોડતું થયું છે.
- Devankashi rana
- Updated on: May 29, 2026
- 2:16 pm
Breaking News : ગીરમાં વધુ 2 સિંહબાળના મોત, સિંહોના ટપોટપ મોતથી વન વિભાગમાં હડકંપ, શું ફરી વળશે CDVનો કહેર? જુઓ Video
અમરેલી ગિર પૂર્વમાં ફેલાયેલી ભેદી બીમારીને કારણે સિંહોનો મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં સારવાર હેઠળના બે સિંહ બાળના અવસાન થયાની પુષ્ટિ પીસીસીએફ ભવાની પતિએ કરી છે. બેબેસિયા વાયરસની ગેરહાજરી બાદ સિંહોમાં સીડીવી જેવા ગંભીર રોગની શક્યતા સેવાઈ રહી છે, જેના નમૂના ગાંધીનગર લેબમાં મોકલાયા છે.
- Hasmukh Ramani
- Updated on: May 29, 2026
- 10:46 am
ગીરના સિંહોને લઈને સરકાર એલર્ટ, CMએ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગીરમાં સિંહ બાળ મૃત્યુ મુદ્દે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. ચાર સિંહ બાળના મૃત્યુ બાદ 17 સિંહોને આઇસોલેટ કરાયા છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 9:37 pm
Gir Conservation : ગુજરાતના સિંહોમાં ચેપી રોગોનો ખતરો વધ્યો, વહેલા નિદાન માટે સાંસદ પરિમલ નથવાણીની સરકારને અપીલ
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ગિર વિસ્તારમાં એશિયાઈ સિંહોના CDV અને બેબીસિયા જેવા ચેપી રોગોથી થતા મૃત્યુ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
- Sagar Solanki
- Updated on: May 27, 2026
- 5:44 pm
ગિરના ફોરેસ્ટ ટ્રેકર્સને મળશે 10 લાખ સુધીનું વીમા કવચ, પરિમલ નથવાણીનો સહયોગ, જુઓ Photos
ગિર અને બૃહદ્ ગિરના 220 ફોરેસ્ટ ટ્રેકર્સને હવે અકસ્માત અને આરોગ્ય વીમા કવચ મળશે. સાંસદ પરિમલ નથવાણીના સહયોગથી રૂ. 3 થી 10 લાખ સુધીના વીમાથી ટ્રેકર્સ અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા મળશે.
- Sagar Solanki
- Updated on: May 18, 2026
- 8:24 pm
બિલાડી કુળની સાત પ્રજાતિમાંથી પાંચ પ્રજાતિ ભારતમાં, 1 જૂને દિલ્હીમાં યોજાશે આંતરરાષ્ટ્રીય બિગ કેટ અલાયન્સ શિખર સંમેલન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તા.1 અને 2 જૂનના દિવસોએ નવી દિલ્હીમાં ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની પ્રથમ સમિટ યોજાશે. આ સમિટની પ્રિ-ઈવેન્ટ દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ થીમ સાથે યોજાવવાની છે. તદઅનુસાર, સાસણગીરમાં સિંહ, ભોપાલમાં ચિતા, ભુવનેશ્વરમાં દીપડા, ગેંગટોકમાં સ્નો લેપર્ડ અને મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘ સરક્ષણ અંગેની ઈવેન્ટ યોજાશે. સૌરાષ્ટ્ર ગુજરાતની જનતાના સન્માનનું પ્રતિક બનેલા સિંહ અને તેના સંરક્ષણના મોડલને સમગ્ર વિશ્વ સમક્ષ રજૂ કરવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: May 14, 2026
- 7:01 pm
સાસણ ગીરમાં રકુલ પ્રીત સિંહે નિયમો તોડ્યા હોવાનો ‘વાયરલ વીડિયો’માં આક્ષેપ, જાણો સાસણ રેન્જના DCF એ શું કહ્યું – જુઓ Video
સાસણ ગીરના જંગલમાં સફારીનો આનંદ માણવા પહોંચેલી અભિનેત્રી રકુલ પ્રીત સિંહ મુશ્કેલીમાં મુકાઈ હોય તેવું લાગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નિયમો તોડીને પ્રતિબંધિત વિસ્તારમાં કારમાંથી નીચે ઉતરીને ચાલતી જોવા મળી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. એવામાં ચાલો જાણીએ કે, વન વિભાગના સાસણ રેન્જના ડીસીએફ અગ્નિ વ્યાસે શું કહ્યું...
- Ravi Prajapati
- Updated on: May 10, 2026
- 5:04 pm
Breaking News : વન વિભાગની મિલીભગત કે રાજકીય ખેલ ? 51 સિંહોના કોરિડોરમાં માઇનિંગની મંજૂરી આપનાર તત્વો સામે આંદોલનનું રણશિંગું ! જુઓ Video
અમરેલીના જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં બાબકોટ નજીક 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે આપવાની સંભાવનાથી સિંહોના નિવાસસ્થાન પર સંકટ ઊભું થયું છે. આ વિસ્તાર 40-51 સિંહોનું ઘર અને મહત્વનો કોરિડોર છે. સ્થાનિક વન અધિકારીઓ દ્વારા સકારાત્મક અભિપ્રાયની ચર્ચા વચ્ચે વન પ્રધાને મંજૂરી ન આપવાની સ્પષ્ટતા કરી છે. સિંહ પ્રેમીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
- Hasmukh Ramani
- Updated on: May 10, 2026
- 10:49 am
Breaking News: ગીરમાં બોલિવુડનો જમાવડો! આયુષ્માન-રકુલપ્રીતે માણી સિંહ સફારી, સ્ટાર્સે વધાર્યો ગીરનો ગૌરવ, જુઓ વીડિયો
ગુજરાતના ગૌરવ સમાન ગીર જંગલમાં આજે ફિલ્મી દુનિયાના ચમકતા સિતારાઓનો અનોખો મેળાપ જોવા મળ્યો. એશિયાટિક સિંહોની ધરતી ગીર-સોમનાથ આજે બોલિવુડ સ્ટાર્સ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગઈ હતી. ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો દો’ના પ્રમોશન માટે અભિનેતા આયુષ્માન ખુરાના, અભિનેત્રી વામિકા ગબ્બી, રકુલપ્રીત સિંહ અને સિંગર ઝારાએ ગીર સફારીનો રોમાંચક અનુભવ કર્યો.
- TV9 Gujarati
- Updated on: May 10, 2026
- 8:52 am
Breaking News : જંગલમાં સિંહની પજવણી, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા વનવિભાગ થયુ દોડતુ,જુઓ Video
ગીર વિસ્તારમાં સિંહની પજવણીના વીડિયો વાયરલ થવા એ ગંભીર ચિંતાનો વિષય છે. હાલમાં અમરેલી જિલ્લામાં સિંહોની પાછળ ગાડી દોડાવી, ટોર્ચની લાઈટ મારી કરતો વીડિયો સામે આવ્યા છે, જે બાદ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: May 7, 2026
- 11:37 am
ગીરના રતાંગ ગામમાં બાળકીની પાછળ પડ્યો સિંહ, માંડ-માંડ બચ્યો જીવ – જુઓ Video
ગીરના રતાંગ ગામમાં સિંહે બાળકીનો પીછો કરતા ભયનો માહોલ સર્જાયો છે. ડાલામથ્થા અચાનક પોતાનો મારણ કરેલો શિકાર પડતો મુકી બાળકીની પાછળ દોડ્યો હતો. જો કે બાળકીએ દોટ મુકી તેનો જીવ બચાવ્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 25, 2026
- 7:10 pm
Breaking News : ગાયે 2 સિંહણો સામે ભીડી બાથ! બચાવી લીધો પોતાનો જીવ, જુઓ CCTV Video
ગીર સોમનાથના ઉના તાલુકાના પાતાપુર ગામમાં ગાય અને બે સિંહણો વચ્ચેનો રોમાંચક જીવ-મરણનો જંગ CCTVમાં કેદ થયો છે, જેમાં ગાયે બહાદુરીથી પોતાનો બચાવ કર્યો.
- Nishat
- Updated on: Apr 1, 2026
- 2:35 pm