Char Dham Yatra 2025 : ચારધામના કપાટ ખુલી ગયા છે , જાણો કેવી રીતે કરશે આ યાત્રા
ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ ખોલી દેવામાં આવ્યા છે અને ભક્તો દર્શન માટે આવી રહ્યા છે.જાણો કેવી રીતે કરશે આ યાત્રા

ચારધામના કપાટ ખુલી ગયા છે , હરિદ્વાર અને ઋષિકેશથી રૂટ વિકલ્પો પસંદ કરી, રોડ, રેલવે અથવા હેલિકોપ્ટર દ્વારા યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુસાફરી કરો અને રજિસ્ટ્રેશન અંગે અપડેટ ટિપ્સ મેળવો.

હિન્દુઓની પવિત્ર અને આધ્યાત્મિક યાત્રાઓમાંથી એક ઉત્તરાખંડની ચારધામની યાત્રા છે. આ યાત્રાને છોટી ચારધામ પણ કહેવામાં આવે છે. જેમાં યમુનોત્રી,ગંગોત્રી,કેદારનાથ અને બદ્રીનાથ મંદિરના દર્શન સામેલ છે. આ તમામ સ્થળોને હિંદુ ધર્મમાં ખુબ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભારતીય ધર્મગ્રંથોમાં આ સ્થાન સાથે જોડાયેલી અનેક પૈરાણિક કથાઓ છે.

મોટાભાગની ચારધામ યાત્રાઓ હરિદ્વાર અથવા ઋષિકેશથી શરૂ થાય છે, જે બે મુખ્ય આધ્યાત્મિક પ્રવેશદ્વાર છે જે દિલ્હી અને અન્ય મુખ્ય શહેરો સાથે રોડ અને રેલવે દ્વારા સારી રીતે જોડાયેલા છે. બાય રોડ ચારધામની યાત્રા થોડો સમય માંગી લે તેવી છે. કારણ કે, ભારે ટ્રાફિકને કારણે ટ્રાવેલિંગમાં થોડો સમય વધારે લાગે છે.ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન આ યાત્રા આધ્યાત્મિક રીતે પણ સમૃદ્ધ બનાવે છે, યમુનોત્રી વાહન દ્વારા જાનકી ચટ્ટી સુધી મુસાફરી કરો, ત્યારબાદ મંદિર સુધી 5 કિમી ટ્રેક અથવા પોની/પાલકી સવારી કરો.ગંગોત્રી રોડ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે,

કેદારનાથ: ગૌરીકુંડ સુધી બાય રોડ દ્વારા જઈ શકાય છે, ત્યારબાદ 16-18 કિમીનો ટ્રેક છે. ગૌરીકુંડથી પોની, પાલકી અને હેલિકોપ્ટર સેવાઓ ઉપલબ્ધ છે. બદ્રીનાથ: રોડ દ્વારા જોશીમઠથી અહી પહોંચી શકો છો.

આ ચારધામો સુધી કોઈ સીધી ટ્રેનો પહોંચતી નથી, છતાં યાત્રાળુઓ હરિદ્વાર, ઋષિકેશ અથવા દેહરાદૂન સુધી ટ્રેન દ્વારા મુસાફરી કરી શકે છે અને પછી રોડ દ્વારા તેમની યાત્રા કરે છે. આ રેલવે સ્ટેશનો દિલ્હી, લખનૌ અને કોલકાતા અને અમદાવાદ જેવા શહેરો સાથે સારી રીતે જોડાયેલા છે.

હેલિકોપ્ટર યાત્રા ઝડપી અને આરામદાયક યાત્રા, યાત્રાળુઓ પાસે સમય ઓછો હોય અથવા વૃદ્ધો સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો હેલિકોપ્ટર સેવાઓ એક સારો વિકલ્પ રહે છે. હેલિકોપ્ટરની સેવા ચારધામ દર્શન માટે થોડી મોંઘી પડી શકે છે.કેદારનાથ મંદિરની નજીક, સીધા હેલિકોપ્ટરથી કેદારનાથ હેલિપેડ પર ઉતરી શકો છો.

ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન ખુબ જરુરી છે, કારણ કે દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન માટે આવે છે. આટલી મોટી સંખ્યામાં મુસાફરોની સલામતી અને સુવિધા પર નજર રાખવા માટે આ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































