AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Budget 2026-27 Breaking : Viksit Gujarat@2047 તરફ મોટું પગલું, શ્રમ અને કૌશલ્ય વિકાસ માટે ₹2902 કરોડની જાહેરાત

રાજ્ય સરકારે વિકસિત ગુજરાત@2047ના લક્ષ્યાંકોને ધ્યાનમાં રાખીને શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ ₹2902 કરોડની જોગવાઈ કરી છે, જેમાં ITI મજબૂતિકરણથી લઈને શ્રમિક કલ્યાણ યોજનાઓનો સમાવેશ થાય છે.

Gujarat Budget 2026-27 Breaking : Viksit Gujarat@2047 તરફ મોટું પગલું, શ્રમ અને કૌશલ્ય વિકાસ માટે ₹2902 કરોડની જાહેરાત
Gujarat Budget 2026-27 Breaking News Viksit Gujarat@2047 Rs 2902 Cr for Labour, Skill Development and Employment
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2026 | 2:54 PM
Share

રાજ્ય સરકારે આ વર્ષે રજૂ કરેલા બજેટમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષેત્રને કેન્દ્રમાં રાખીને કુલ ₹2902 કરોડની ફાળવણી કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રાજ્યના વિકાસ માટે કુશળ માનવબળ અને શ્રમિક કલ્યાણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને આ ફાળવણી તે પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન

‘નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન’ અંતર્ગત ₹226 કરોડની જોગવાઇ કરવામાં આવી છે, જેનો મુખ્ય હેતુ યુવાનોને આધુનિક કૌશલ્ય તાલીમ દ્વારા રોજગારી સાથે જોડવાનો છે. આ મિશન હેઠળ તાલીમાર્થીઓને મજબૂત ટેક્નિકલ અને વ્યાવસાયિક કૌશલ્ય આપવામાં આવશે, જેથી તેઓ શ્રમ બજારમાં સક્ષમ અને આત્મનિર્ભર બની શકે.

શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે ₹200 કરોડ ફાળવાયા છે, જે રાજ્યના શ્રમિકો અને તેમના પરિવારને પૌષ્ટિક ભોજન પૂરૂં પાડવા માટે ઉપયોગી રહેશે. તે જ રીતે, PM Setu Yojna માટે ₹200 કરોડ અને શ્રમિક બસેરા યોજના માટે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે સ્થળાંતરિત શ્રમિકોને સુરક્ષિત રહેઠાણ અને આધાર પૂરૂં પાડશે.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા

રાજ્યની 16 નવી ITI બિલ્ડિંગના બાંધકામ માટે ₹97 કરોડ ફાળવવામાં આવ્યા છે, તેમજ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં જરૂરી યંત્રસામગ્રી પૂરી પાડવા ₹84 કરોડ ફાળવાયા છે. વિવિધ ITIમાં માળખાકીય સુવિધા વધારવા અને ફાયર સેફ્ટી સુવિધા માટે ₹64કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ સાથે, દર વર્ષે 1 લાખ 50 હજાર તાલીમાર્થીઓને બે યુનિફોર્મ માટે DBT મારફતે ₹30 કરોડની સહાય આપવામાં આવશે, જે વિદ્યાર્થીઓને વાર્ષિક ખર્ચમાં રાહત આપશે.

ધન્વંતરિ આરોગ્ય રથ

આ ઉપરાંત, ધન્વંતરિ આરોગ્ય રથ યોજના હેઠળ કુલ ₹60 કરોડ ફાળવાયા છે, જે આરોગ્ય સેવા લાભને શ્રમિકો સુધી પહોંચાડશે. ‘નમો કૌશલ્ય લક્ષ્મી યોજના’ માટે ₹40 કરોડ ફાળવાયા છે, જે મહિલા શ્રમિકો અને કૌશલ્ય તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપશે. મીઠાના અગરિયાઓને આવાસ ફાળવવા ₹25 કરોડ ફાળવાયા છે, જ્યારે સામૂહિક જનતા જૂથ અકસ્માત વીમા યોજનાના અંતર્ગત બાંધકામ શ્રમિકોને આકસ્મિક મૃત્યુની સ્થિતિમાં ₹૫ લાખની સહાય આપવા ₹12 કરોડ ફાળવાયા છે.

આ ફાળવણી દર્શાવે છે કે રાજ્ય સરકાર શ્રમિકોની સામાજિક સુરક્ષા, કૌશલ્ય વિકાસ, રોજગાર અને આવાસ જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓને વધુ પ્રાથમિકતા આપી રહી છે. આ પગલાં માત્ર આંકડાઓ નહીં, પરંતુ કર્મઠ શ્રમિકો અને યુવાનોના જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ લાવવા માટે મજબૂત રીતે મકસદ રાખે છે. વિકસિત ગુજરાત@2047 તરફના આ પગલાંને રાજ્યના વિકાસ માટે મહત્વપૂર્ણ દૃષ્ટિથી જોવામાં આવે છે અને તે આગામી પેઢી માટે ગતિશીલ અને આત્મનિર્ભર સામાજિક માળખું તૈયાર કરશે.

Breaking News : Gujarat Budget 2026-27 માં ટ્રેક્ટરથી બાયો-CNG સુધી રાજ્ય સરકારની ગ્રામ સમૃદ્ધિ માટે મોટી જાહેરાતો

બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
બજેટનું લક્ષ્ય 'GYAN'! ચાર મુખ્ય સ્તંભ દ્વારા દેશના વિકાસનો નવો રોડમેપ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
Gujarat Weather : વીજળીની કડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
AI સમિટ 2026: ભારત મંડપમમાં રોબોટે લગાવ્યા ‘દેશી’ ઠુમકા
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
ભૂતકાળનું રોકાણ અપાવશે બમણો ફાયદો, જીવનસાથી સાથે વિતશે યાદગાર સાંજ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
અમદાવાદમાં સરકારી આવાસમાં PG ચાલતુ હતુ PG, દરોડા દરમિયાન થયો પર્દાફાશ
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
ભારત-ફ્રાંસ વચ્ચે ઐતિહાસિક ડીલ !
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
ગુજરાતની આખરી મતદાર યાદી જાહેર, કુલ 4,40,30,725 મતદારો નોંધાયા
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
સાબરમતી નદી પરના બ્રિજ પરથી રિક્ષા નદીમાં ખાબકી, ચાલકનું થયું મોત
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે આ આશ્રમ સાથે ખૂલ્યુ કનેક્શન
g clip-path="url(#clip0_868_265)">