અમરનાથ યાત્રા
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બર્ફાનીના દર્શન કરવા જાય છે. બાબા અમરનાથની ગુફા દરિયાની સપાટીથી લગભગ 3800 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ગુફામાં બનતા શિવલિંગની વિશેષતા એ છે કે તે સ્વંય પોતાનો આકાર લે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રની વધ અને ઘટ થવા સાથે આ શિવલિંગનો આકાર પણ બદલાઈ જાય છે.
અમરનાથનું શિવલિંગ નક્કર બરફનું બનેલું છે. જે ગુફામાં આ શિવલિંગ છે, ત્યાં હિમકર્ણના રૂપમાં બરફ છે. દર વર્ષે શિયાળામાં અહીં શિવલિંગ આકાર પામે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા પર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. યાત્રા પહેલા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.
Read MoreAmarnath Yatra 2026 : અમરનાથ યાત્રા પર બ્રેક ! 9 ઓગસ્ટથી યાત્રા કરાઈ સ્થગિત, જાણો કારણ
અમરનાથ યાત્રા નિર્ધારિત તારીખ પહેલાં અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચંદનવારી (અનંતનાગ) અને બાલતાલ (ગંદરબલ) રૂટ દ્વારા યાત્રા 9 ઓગસ્ટથી સ્થગિત કરવામાં આવશે.
- Devankashi rana
- Updated on: Aug 9, 2026
- 10:09 am
Breaking News : ખરાબ હવામાનની આગાહીને પગલે, વૈષ્ણોદેવી-અમરનાથ યાત્રા આજથી અચોક્કસ મુદત માટે સ્થગિત
ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા, આગામી દિવસો માટે જાહેર કરાયેલ પ્રતિકૂળ હવામાનની ચેતવણીને પગલે, આજે 19 જુલાઈથી વૈષ્ણોદેવી યાત્રા અને અમરનાથની યાત્રા, સાવચેતીના પગલા તરીકે અચોક્કસ સમય માટે સ્થગિત કરવામાં આવી છે.
- Bipin Prajapati
- Updated on: Jul 19, 2026
- 8:53 am
અમરનાથ યાત્રામાં અનોખો પ્રયોગ: 400 ટન કચરો અને ખચ્ચરના છાણમાંથી બનાવાશે વીજળી અને ગ્રીન ફ્યુઅલ
5 લાખથી વધુ શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન અમરનાથ યાત્રામાં આ વખતે ઇકો-ફ્રેન્ડલી મોડલ અપનાવાયું છે. ખચ્ચરના છાણમાંથી બાયોગેસ અને પ્લાસ્ટિક મુક્ત યાત્રા માટે લેવાયેલા અનોખા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે.
- Sachin Agrawal
- Updated on: Jul 18, 2026
- 7:25 pm
અમરનાથ યાત્રા શરૂ થયાના પાંચ જ દિવસમાં બાબા બર્ફાની કેમ થયા અંતર્ધાન, પ્રકૃતિએ આપેલો સંકેત આપણે ક્યારે સમજશુ?
દેશના જવાનોએ અમરનાથ ગુફા ખૂલતાની સાથે જે પહેલી તસવીર શેર કરી હતી તેમા બાબા બર્ફાની સાત ફુટ ઉંચી, ભવ્ય, દિવ્ય, કર્પુર ગૌરવ સ્વરૂપે દૃશ્યમાન હતા. 29 જૂને જ્યારે પહેલી સત્તાવાર પૂજા કરવામાં આવી ત્યારે બાબા બર્ફાનીની ઊંચાઈ 5 ફુટ હતી. પરંતુ 6 જૂલાઈ એ સામે આવેલી તસવીરે આખા દેશને સ્તબ્ધ કરી દીધો. બાબા બર્ફાનીનું હિમલિંગ 90 % જેટલુ પિગળી ગયુ છે. જે ભાવિકોએ અનેક મહિનાઓથી તૈયારી કરી, દુર્ગમ માર્ગોને પાર કરી બાબાના દર્શનની આશાએ કાશ્મીર પહોંચ્યા, તેમની સામે ગુફા ખાલી હતી. આખરે પાંચ દિવસની અંદર જ એવુ તો શું થઈ ગયુ કે બાબા બર્ફાની આ પ્રકારે અંતર ધ્યાન થઈ ગયા?
- Mina Pandya
- Updated on: Aug 6, 2026
- 3:50 pm
Amarnath Yatra : અમરનાથ હિમશિવલિંગ માત્ર 5 દિવસમાં અંતરધ્યાન, ક્લાઇમેટ ચેન્જ યાત્રાળુઓ માટે ચિંતાનું કારણ
અમરનાથ યાત્રાના પ્રારંભના માત્ર પાંચ જ દિવસમાં બાબા બર્ફાનીનું પવિત્ર હિમશિવલિંગ સંપૂર્ણપણે અંતરધ્યાન થઈ ગયું છે. 57 દિવસની યાત્રા પૂર્વે જ આ ઘટનાએ શ્રદ્ધાળુઓમાં ચિંતા અને નિરાશા પ્રસરાવી છે.
- Sagar Solanki
- Updated on: Jul 8, 2026
- 9:30 pm
ત્રણ દિવસમાં 56,000 થી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા બર્ફાનીના દર્શન, સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા
અમરનાથ યાત્રા: માત્ર નોંધણી કરાયેલા (રજિસ્ટર્ડ) યાત્રાળુઓને જ કાશ્મીર તરફ જવાની મંજૂરી આપવામાં આવી રહી છે, જ્યારે બિન-નોંધણીકૃત શ્રદ્ધાળુઓને નવો રજીસ્ટ્રેશન ક્વોટા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નિર્ધારિત ચેકપોસ્ટ પર રોકી દેવામાં આવશે.
- Sachin Agrawal
- Updated on: Jul 6, 2026
- 11:35 pm
અમરનાથ યાત્રાને નિશાન બનાવવાનું પાકિસ્તાનનુ કાવતરુ, એજન્સી એલર્ટ
અમરનાથ યાત્રાને નિશાન બનાવવા માટે પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓના આકાઓએ, સાંબા અને કઠુઆ સેકટરમાં ડ્રોનથી શસ્ત્રો પહોચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાની માહિતી ગુપ્તચર એજન્સીને મળી છે. જેના આધારે સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલ વિવિધ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આજે 2 જુલાઈના રોજથી અમરનાથની યાત્રાએ જવા માટે યાત્રીકો રવાના થયા છે. યાત્રાનો પ્રારંભ 3 જુલાઈથી થશે.
- Bipin Prajapati
- Updated on: Jul 2, 2026
- 2:47 pm
Amarnath Yatra 2026: બાબા બર્ફાનીના દર્શન માટે અમરનાથ યાત્રાનો આજથી પ્રારંભ, પહેલો જથ્થો રવાના
Amarnath Yatra : આજે, 2 જુલાઈના રોજ, 'બાબા બર્ફાની' ના આશીર્વાદ મેળવવા માટે યાત્રાળુઓનો પહેલો જથ્થો ભગવતી નગર યાત્રી નિવાસથી રવાના થવા નીકળ્યો છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાળુઓને લીલી ઝંડી આપી હતી.
- Devankashi rana
- Updated on: Jul 2, 2026
- 10:03 am
અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા, જુઓ Video
અમરનાથ યાત્રા હવે આસ્થાની સાથે હાઇટેક સુરક્ષાનો પણ પર્યાય બની છે. 3 જુલાઈથી શરૂ થતી યાત્રા માટે જમ્મુમાં 600 સીસીટીવી કેમેરા, ડ્રોન સર્વેલન્સ અને સુરક્ષા દળો તૈનાત કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Jun 29, 2026
- 10:32 pm
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા આજથી શરુ, કોણ કરી શકે છે યાત્રા ? જાણો
અમરનાથ યાત્રા 2026 3 જુલાઈ થી 28 ઓગસ્ટ સુધી 57 દિવસ સુધી ચાલશે. સુરક્ષાના કારણે આ યાત્રા માર્ગ પર હેલીકોપ્ટર સેવા બંધ કરી દેવામાં આવી છે. જેને નો -ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો છે.
- Nirupa Duva
- Updated on: Jun 3, 2026
- 9:53 am
Amarnath Yatra 2026 : અમરનાથ યાત્રા 2026 માટે ક્યારે શરુ થશે રજિસ્ટ્રેશન? જાણો શું છે નિયમ
હિમાલયમાં સ્થિત બાબા બર્ફાનીની પવિત્ર ગુફાની મુલાકાત લેવા માટે અમરનાથ યાત્રા 2026ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તો જો તમે પણ અમરનાથની યાત્રામાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો રજિસ્ટ્રેશનથી લઈ ક્યા રુટ તમારા માટે બેસ્ટ રહેશે. તેના વિશે પણ વિસ્તારથી જાણી લો.
- Nirupa Duva
- Updated on: Apr 14, 2026
- 3:42 pm