અમરનાથ યાત્રા
દર વર્ષે મોટી સંખ્યામાં લોકો જમ્મુ કાશ્મીરમાં આવેલા બાબા બર્ફાનીના દર્શન કરવા જાય છે. બાબા અમરનાથની ગુફા દરિયાની સપાટીથી લગભગ 3800 મીટરની ઉંચાઈ પર આવેલી છે. ગુફામાં બનતા શિવલિંગની વિશેષતા એ છે કે તે સ્વંય પોતાનો આકાર લે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રની વધ અને ઘટ થવા સાથે આ શિવલિંગનો આકાર પણ બદલાઈ જાય છે.
અમરનાથનું શિવલિંગ નક્કર બરફનું બનેલું છે. જે ગુફામાં આ શિવલિંગ છે, ત્યાં હિમકર્ણના રૂપમાં બરફ છે. દર વર્ષે શિયાળામાં અહીં શિવલિંગ આકાર પામે છે અને આ શિવલિંગના દર્શન કરવા માટે અમરનાથ યાત્રા પર દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. યાત્રા પહેલા અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.
ભારે વરસાદ અને ભૂસ્ખલનમાં ફસાયા અમરનાથ યાત્રાળુઓ, સૈન્ય જવાનોએ 500 યાત્રાળુઓને બચાવ્યા
જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં પડી રહેલા ભારે વરસાદ અને વરસાદને લઈને થયેલા ભૂસ્ખલનમાં અમરનાથ યાત્રા પ્રભાવિત થઈ. રાયલપથરી અને બ્રારીમાર્ગ વચ્ચે ભૂસ્ખલનને કારણે સેંકડો યાત્રાળુઓ ફસાયા હતા. ભારતીય સેનાએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી અને લગભગ 500 યાત્રાળુઓને સલામત સ્થળે ખસેડ્યા અને તબીબી સહાય પૂરી પાડી હતી. એક બીમાર મુસાફરને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. ભારતીય સેનાએ, અમરનાથ યાત્રાની પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું છે.
- TV9 Gujarati
- Updated on: Jul 17, 2025
- 4:54 pm
બાબા અમરનાથની યાત્રાનો સાચો ઈતિહાસ શું છે? એક મુસ્લિમ ભરવાડ બુટા મલિકે બાબા બર્ફાનીની ગુફા શોધી હોવાની વાતમાં કેટલુ તથ્ય?
બાબા અમરનાથની યાત્રાને લઈને વર્ષોથી કેટલાક બ્રિટીશર્સ, ડાબેરી ઈતિહાસકારો અને નહેરુવાદીઓ ફેક નેરેટિવ ચલાવી રહ્યા છે. એ જુઠાણુ એ છે કે બાબા બર્ફાનીની ગુફાની શોધ 1850માં બુટા મલિક નામના એક મુસ્લિમ ભરવાડે કરી હતી, બુટા મલિક સાથે એક સાધુને જોડીને એક વાર્તા પણ ઘડી દેવામાં આવી છે. આજે આપણે જાણશું કે બાબા બર્ફાનીની ગુફા કેટલી પ્રાચીન છે, જેનો ઉલ્લેખ મહાભારતકાળમાં પણ મળી આવે છે, તો એક મુસ્લિમ ભરવાડ સાથે બાબાની ગુફાને જોડીને કાશ્મીર સાથે ક્યુ નેરેટિવ જોડવાની વાત છે?- વાંચો
- Mina Pandya
- Updated on: Jul 11, 2025
- 1:42 am
Amarnath Yatra 2025 : બાબા બર્ફાનીના દર્શન માટે 3 જુલાઈથી શરૂ થઈ રહી છે યાત્રા, ચુસ્ત બનાવાઈ સુરક્ષા વ્યવસ્થા
આગામી 3 જુલાઈથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે અમરનાથ પહોંચે છે. 22 એપ્રિલના રોજ પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમરનાથ યાત્રા માટે વ્યાપક તૈયારીઓ કરવામાં આવી છે. અમરનાથ યાત્રાની સલામતી સુનિશ્ચિત કરવા માટે CRPF એ, સમગ્ર રૂટ પર દેખરેખ વધારી દીધી છે.
- TV9 Gujarati
- Updated on: Jun 30, 2025
- 4:19 pm
Breaking News : પહેલગામ આતંકવાદી હુમલાની અસર અમરનાથ યાત્રા પર જોવા મળી, રજિસ્ટ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો
જમ્મુ કાશ્મીર પહેલાગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાની અસર હવે અમરનાથ યાત્રા પર પણ જોવા મળી રહી છે. એલજી મનોજ સિન્હાએ હાલમાં જણાવ્યું કે, પહેલગામ હુમલાને લઈ અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશનમાં અસર પડી છે. અત્યારસુધી માત્ર 85,000 યાત્રિકોએ પોતાનું રજિસ્ટ્રેશન કર્યું છે. ગત્ત વર્ષે 2.36 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા હતા.
- Nirupa Duva
- Updated on: Jun 27, 2025
- 2:16 pm
History of city name : અમરનાથ નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા
અમરનાથ તીર્થધામ ભારતના સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે, જે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલો છે. આ તીર્થધામના પાછળ એક અત્યંત આધ્યાત્મિક ઈતિહાસ અને દુર્લભ પ્રાકૃતિક ચમત્કાર છુપાયેલો છે.
- Ashvin Patel
- Updated on: May 16, 2025
- 6:04 pm
જમ્મુકાશ્મીરમાં અત્યાર સુધીમાં પ્રવાસીઓ પર કેટલા આતંકી હુમલા થયા? પહલગામમાં કરાયેલી ટાર્ગેટ કિલિંગ પાછળ શું હતુ ષડયંત્ર ?
જમ્મુકાશ્મીરના પહલગામમાં મોટો આતંકી હુમલાની ઘટના સામે આવી છે. આતંકીઓએ પ્રવાસીઓને ટાર્ગેટ કરી અંધાધૂંધ ફાયરીંગ કર્યુ. જેમા 20 થી વધુના મોતની આશંકા છે. અમરનાથ યાત્રા પહેલા પ્રવાસીઓ પરનો આ હુમલો યાત્રિકોમાં ડર ઉભો કરવાના ષડયંત્રનો એક ભાગ ગણાઈ રહ્યો છે. આવો જાણીએ આતંકીઓ આખરે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને કેમ ટાર્ગેટ કરે છે?
- Mina Pandya
- Updated on: Apr 22, 2025
- 9:22 pm
Breaking News: જમ્મુકાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા આંતકી હુમલામાં 27 લોકોના મોતની આશંકા, મૃતકોમાં 2 વિદેશી સામેલ
જમ્મુકાશ્મીરના પહલગામના બેસરનમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમા ઘોડેસવારી કરી રહેલા પ્રવાસીઓ પર આતંકીઓએ ફાયરીંગ કર્યુ હતુ. 6 થી 7 આતંકીઓએ 2-2 ની ટૂકડી બનાવી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. સૂત્રો જદ્વારા મળતી વિગતો અનુસાર 27 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જો કે મોતના આંકડા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
- Mina Pandya
- Updated on: Apr 22, 2025
- 9:22 pm