AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

History of city name : અમરનાથ નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

અમરનાથ તીર્થધામ ભારતના સૌથી પવિત્ર હિન્દુ તીર્થસ્થાનોમાંનું એક છે, જે જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલો છે. આ તીર્થધામના પાછળ એક અત્યંત આધ્યાત્મિક ઈતિહાસ અને દુર્લભ પ્રાકૃતિક ચમત્કાર છુપાયેલો છે.

| Updated on: May 16, 2025 | 6:04 PM
Share
"અમરનાથ" શબ્દ બે શબ્દોથી બનેલો છે. "અમર" એટલે કે અમરત્વ (અવિનાશી) "નાથ" એટલે કે ભગવાન (માલિક, ઇશ્વર), આ પવિત્ર ધામને "અમરનાથ" એમ કહેવાનું કારણ એ છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને "અમરત્વ" નું રહસ્ય જણાવ્યું હતું. (Credits: - Wikipedia)

"અમરનાથ" શબ્દ બે શબ્દોથી બનેલો છે. "અમર" એટલે કે અમરત્વ (અવિનાશી) "નાથ" એટલે કે ભગવાન (માલિક, ઇશ્વર), આ પવિત્ર ધામને "અમરનાથ" એમ કહેવાનું કારણ એ છે કે અહીં ભગવાન શિવે માતા પાર્વતીને "અમરત્વ" નું રહસ્ય જણાવ્યું હતું. (Credits: - Wikipedia)

1 / 11
એવી લોકવિશ્વાસ છે કે અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એક અત્યંત ગુપ્ત અને પવિત્ર કથા સંભળાવી હતી, જેને 'અમરકથા' તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ કથા જ્યારે સંભળાવવામાં આવી રહી હતી ત્યારે એક નાનકડું બાળક  શુક-શિશુ ગુફાની આસપાસ હાજર હતું અને એ કથાના શ્રવણથી તે અમરત્વને પામીને શુકદેવ ઋષિ બની ગયા.

એવી લોકવિશ્વાસ છે કે અમરનાથ ગુફામાં ભગવાન શિવે માતા પાર્વતીને એક અત્યંત ગુપ્ત અને પવિત્ર કથા સંભળાવી હતી, જેને 'અમરકથા' તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે આ કથા જ્યારે સંભળાવવામાં આવી રહી હતી ત્યારે એક નાનકડું બાળક શુક-શિશુ ગુફાની આસપાસ હાજર હતું અને એ કથાના શ્રવણથી તે અમરત્વને પામીને શુકદેવ ઋષિ બની ગયા.

2 / 11
વિશ્લેષકોના મતે, સૌપ્રથમ વખત અમરનાથ ગુફા વિશે જાણવા મળ્યું હતું તે 16મી શતાબ્દીમાં એક સ્થાનિક મુસ્લિમ ભરવાડ દ્વારા થયું હતું. માન્યતા છે કે  આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે (Credits: - Wikipedia)

વિશ્લેષકોના મતે, સૌપ્રથમ વખત અમરનાથ ગુફા વિશે જાણવા મળ્યું હતું તે 16મી શતાબ્દીમાં એક સ્થાનિક મુસ્લિમ ભરવાડ દ્વારા થયું હતું. માન્યતા છે કે આજે પણ ચોથા ભાગનો ચડાવો તે મુસલમાન ભરવાડના વંશજોને મળે છે (Credits: - Wikipedia)

3 / 11
કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમરકથા સંભળાવવા માટે લાવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેઓએ પોતાનો સંબંધિત વિવિધ  સાથીઓને અલગ અલગ સ્થળ પર છોડ્યાં હતાં. લોકવાયકાઓ મુજબ તેમણે પોતાના માથાના ચંદનને "ચંદનવાડી", નાનાં નાગોને "અનંતનાગ", ગળાના શેષનાગને "શેષનાગ" નામક સ્થળ પર  અને જંતુઓને "પિસ્સુટોપ" વિસ્તારમાં છોડી દીધા. આશ્ચર્યજનક રીતે,  આ બધાં સ્થળો આજે પણ અમરનાથ યાત્રાના માર્ગમાં જોવા મળે છે અને યાત્રાળુઓની શ્રદ્ધાનો ભાગ બન્યા છે.

કહેવાય છે કે જ્યારે ભગવાન શિવ માતા પાર્વતીને અમરકથા સંભળાવવા માટે લાવી રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેઓએ પોતાનો સંબંધિત વિવિધ સાથીઓને અલગ અલગ સ્થળ પર છોડ્યાં હતાં. લોકવાયકાઓ મુજબ તેમણે પોતાના માથાના ચંદનને "ચંદનવાડી", નાનાં નાગોને "અનંતનાગ", ગળાના શેષનાગને "શેષનાગ" નામક સ્થળ પર અને જંતુઓને "પિસ્સુટોપ" વિસ્તારમાં છોડી દીધા. આશ્ચર્યજનક રીતે, આ બધાં સ્થળો આજે પણ અમરનાથ યાત્રાના માર્ગમાં જોવા મળે છે અને યાત્રાળુઓની શ્રદ્ધાનો ભાગ બન્યા છે.

4 / 11
આજ સુધીમાં પણ અનેક શ્રદ્ધાળુઓને આ ગુફામાં કબૂતરોની એક અનોખી જોડી જોવા મળે છે. માન્યતા મુજબ,આ જોડી પણ અમરકથા સાંભળી અમર થઈ ગઈ હતી.  એમ માનવામાં આવે છે કે જેને આ કબૂતરો દર્શન આપે છે, તેમને ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આજ સુધીમાં પણ અનેક શ્રદ્ધાળુઓને આ ગુફામાં કબૂતરોની એક અનોખી જોડી જોવા મળે છે. માન્યતા મુજબ,આ જોડી પણ અમરકથા સાંભળી અમર થઈ ગઈ હતી. એમ માનવામાં આવે છે કે જેને આ કબૂતરો દર્શન આપે છે, તેમને ભગવાન શિવ અને પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

5 / 11
ભગવાન શિવે આ ગુફામાં માતા પાર્વતીને એ કથા સંભળાવી હતી જેમાં અમરનાથ યાત્રાનો ઉલ્લેખ હતો અને તેમાં માર્ગમાં આવતા પવિત્ર સ્થળોનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. સમય જતા આ કથા 'અમરકથા' તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ.(Credits: - Wikipedia)

ભગવાન શિવે આ ગુફામાં માતા પાર્વતીને એ કથા સંભળાવી હતી જેમાં અમરનાથ યાત્રાનો ઉલ્લેખ હતો અને તેમાં માર્ગમાં આવતા પવિત્ર સ્થળોનું પણ વર્ણન કરવામાં આવ્યું હતું. સમય જતા આ કથા 'અમરકથા' તરીકે લોકમાં પ્રસિદ્ધ થઈ.(Credits: - Wikipedia)

6 / 11
અમરનાથ ગુફાની સૌથી પ્રથમ શોધ ઋષિ ભૃગુ દ્વારા થઈ હતી. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં કાશ્મીરની આખી ખીણ પાણીથી ઘેરાયેલી હતી.  ત્યારે ઋષિ કશ્યપે નદીઓ અને નાળાઓ બનાવીને આ ખીણમાંથી પાણી હળવું કર્યું હતું. પાણી ઓસરી જતાં અમરનાથ વિસ્તાર દેખાવામાં આવ્યો અને ત્યાં ભૃગુ ઋષિને શિવલિંગના પાવન દર્શન થયા. (Credits: - Wikipedia)

અમરનાથ ગુફાની સૌથી પ્રથમ શોધ ઋષિ ભૃગુ દ્વારા થઈ હતી. કહેવાય છે કે ઘણા વર્ષો પહેલાં કાશ્મીરની આખી ખીણ પાણીથી ઘેરાયેલી હતી. ત્યારે ઋષિ કશ્યપે નદીઓ અને નાળાઓ બનાવીને આ ખીણમાંથી પાણી હળવું કર્યું હતું. પાણી ઓસરી જતાં અમરનાથ વિસ્તાર દેખાવામાં આવ્યો અને ત્યાં ભૃગુ ઋષિને શિવલિંગના પાવન દર્શન થયા. (Credits: - Wikipedia)

7 / 11
આ ઘટનાને અનુસરીને, આ જગ્યા હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ બની ગઈ. જ્યારે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને આ શિવલિંગ વિશે જાણકારી મળી,ત્યારે તે જગ્યા ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે માની લેવાઈ અને સમય જતાં અહીં વાર્ષિક યાત્રા શરૂ થઈ. આજના સમયમાં પણ, લાખો ભક્તો દર વર્ષે શ્રાવણ મહિનામાં, એટલે કે જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન, દુર્ગમ માર્ગો પસાર કરીને શિવલિંગના દર્શન માટે અમરનાથ યાત્રા કરે છે.(Credits: - Wikipedia)

આ ઘટનાને અનુસરીને, આ જગ્યા હિન્દુઓ માટે એક પવિત્ર તીર્થ બની ગઈ. જ્યારે સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓને આ શિવલિંગ વિશે જાણકારી મળી,ત્યારે તે જગ્યા ભગવાન શિવના નિવાસસ્થાન તરીકે માની લેવાઈ અને સમય જતાં અહીં વાર્ષિક યાત્રા શરૂ થઈ. આજના સમયમાં પણ, લાખો ભક્તો દર વર્ષે શ્રાવણ મહિનામાં, એટલે કે જુલાઈ અને ઑગસ્ટ દરમિયાન, દુર્ગમ માર્ગો પસાર કરીને શિવલિંગના દર્શન માટે અમરનાથ યાત્રા કરે છે.(Credits: - Wikipedia)

8 / 11
પ્રાચીન ગ્રંથોમાં અમરનાથ ગુફાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. રાજતરંગિણીના સાતમા પુસ્તકના શ્લોક 183માં કૃષ્ણાથ અથવા અમરનાથ વિશે ઉલ્લેખ મળે છે.ધારણા છે કે ઇ.સ.ની 11મી સદીમાં રાણી સૂર્યમતીએ આ પવિત્ર સ્થળે ત્રિશૂલ, બાણલિંગ અને અન્ય ધાર્મિક ચિહ્નો અર્પણ કર્યા હતા. (Credits: - Wikipedia)

પ્રાચીન ગ્રંથોમાં અમરનાથ ગુફાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. રાજતરંગિણીના સાતમા પુસ્તકના શ્લોક 183માં કૃષ્ણાથ અથવા અમરનાથ વિશે ઉલ્લેખ મળે છે.ધારણા છે કે ઇ.સ.ની 11મી સદીમાં રાણી સૂર્યમતીએ આ પવિત્ર સ્થળે ત્રિશૂલ, બાણલિંગ અને અન્ય ધાર્મિક ચિહ્નો અર્પણ કર્યા હતા. (Credits: - Wikipedia)

9 / 11
પ્રજ્ઞા ભટ્ટ દ્વારા રચિત 'રાજવલીપતાકા' ગ્રંથમાં અમરનાથ યાત્રાની વિસ્તૃત વિગતો જોવા મળે છે, જેમાં યાત્રાનો માર્ગ, તે સમયના સંસ્કાર અને આધ્યાત્મિક મહત્વનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત,  અન્ય ઘણાં જૂનાં ધાર્મિક ગ્રંથો અને ગ્રંથસાહિત્યમાં પણ અમરનાથ યાત્રા અને તેના આધ્યાત્મિક મહાત્મ્યના સંદર્ભો જોવા મળે છે. (Credits: - Wikipedia)

પ્રજ્ઞા ભટ્ટ દ્વારા રચિત 'રાજવલીપતાકા' ગ્રંથમાં અમરનાથ યાત્રાની વિસ્તૃત વિગતો જોવા મળે છે, જેમાં યાત્રાનો માર્ગ, તે સમયના સંસ્કાર અને આધ્યાત્મિક મહત્વનો પણ ઉલ્લેખ છે. આ ઉપરાંત, અન્ય ઘણાં જૂનાં ધાર્મિક ગ્રંથો અને ગ્રંથસાહિત્યમાં પણ અમરનાથ યાત્રા અને તેના આધ્યાત્મિક મહાત્મ્યના સંદર્ભો જોવા મળે છે. (Credits: - Wikipedia)

10 / 11
શોધકોએ એ પણ નોંધ્યું છે કે અમરનાથ ફક્ત એક ગુફા નથી. અમરાવતી નદીના પવિત્ર માર્ગ પર આગળ વધતાં અનેક નાની-મોટી ગુફાઓ જોવા મળે છે,  જે તમામ બરફથી ઢંકાયેલાં હોય છે અને તેથી આ વિસ્તાર અત્યંત વિશિષ્ટ અને આધ્યાત્મિકતાથી ભરપૂર માનવામાં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે.  વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

શોધકોએ એ પણ નોંધ્યું છે કે અમરનાથ ફક્ત એક ગુફા નથી. અમરાવતી નદીના પવિત્ર માર્ગ પર આગળ વધતાં અનેક નાની-મોટી ગુફાઓ જોવા મળે છે, જે તમામ બરફથી ઢંકાયેલાં હોય છે અને તેથી આ વિસ્તાર અત્યંત વિશિષ્ટ અને આધ્યાત્મિકતાથી ભરપૂર માનવામાં આવે છે. ( આ માહિતી વિવિધ ઐતિહાસિક તથ્યો અને સંશોધનો પર આધારિત છે. વિગતવાર માહિતી માટે, ઇતિહાસના પ્રમાણભૂત ગ્રંથો અને સંશોધનોનો અભ્યાસ કરવો ઉચિત રહેશે.) (Credits: - Wikipedia)

11 / 11

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">