AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.

કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.

Read More

બિલ્ડરની ‘મનમાની’ પર તંત્રનો કોરડો, ગેરકાયદે ઇમારત પર ફરી વળ્યું બુલડોઝર

બિલ્ડરોની મનમાની અહીંથી અટકી ન હતી. તંત્રએ વર્ષ 2024માં 4 થી 5 વખત નોટિસ આપી હતી અને ગેરકાયદેસર મકાનને સીલ પણ કર્યું હતું, તેમ છતાં આરોપી બિલ્ડર્સે સીલ તોડીને બાંધકામ ચાલુ રાખ્યું હતું. આ કડક કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે.

અમદાવાદના આ વિસ્તારમાં 250થી વધુ જંકશન પર 50 મીટરનો નો-પાર્કિંગ નિયમ લાગુ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનને આવરી લેતા તેના પ્રથમ પાર્કિંગ વિકાસ યોજનાનો અમલ શરૂ કર્યો છે

મોતનો મલાજો ન જળવાયો! સ્મશાન ગૃહમાં ભીના લાકડા આપતા પરિવારે ટાયર અને ગોદડાથી અંતિમવિધિ કરવાની પડી ફરજ, જુઓ Video

જીવનભર તો સંઘર્ષ અને સમસ્યા હોય પરંતુ જીવનના અંત પછી પણ મોતનો મલાજો ન જળવાઈ એ તો કેવી બેદરકારી ? અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહમાં આવી જ ઘટના જોવા મળી..જ્યાં મોતનો મલાજો ન જળવાયો.

પ્રિન્સિપાલથી લઈ મંત્રી મંડળમાં સ્થાન મેળવનાર દર્શનાબેનનો આવો છે પરિવાર

સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.તેમાંથી એક અસારવાના ધારાસભ્ય દર્શના બહેન વાધેલાનું નામ પણ સામેલ છે. તો દર્શનાબેન વાધેલાનો પરિવાર જુઓ

ચાલુ ગાડીએ ટાયર નીકળતા કારચાલક અને પરિવારનો જીવ તાળવે ચોંટ્યો, ‘AMC’ નિષ્ક્રિય અને મૌન – જુઓ Video

અમદાવાદમાં ઠેર-ઠેર રસ્તાઓ પર ખાડા જોવા મળી રહ્યા છે, જેના લીધે વાહનચાલકો પરેશાનીમાં મુકાયા છે. હવે જો આ ખાડાઓને લીધે કોઈ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની?

CM ભૂપેન્દ્ર પટેલને અમિત શાહે લખ્યો પત્ર, પાલડીને જમાલપુર-જુહાપુરા થતુ અટકાવો

જો કે, અમિત શાહ અને કોર્પોરેટરોએ આ પત્ર જુલાઈ મહિનામાં લખાયેલ છે. ત્યાર બાદ અમદાવાદ શહેરના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક પણ યોજાઈ ગઈ હતી. બેઠકમાં પણ આછડતો આ મુદ્દો ઉઠવા પામ્યો હતો. આ બાદ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમે સ્થળ પર તપાસ આદરી છે.

તંત્રએ બાવળાવાસીઓને મરવાના વાંકે ભગવાન ભરોસે છોડી દીધા, જુઓ બાવળાની દુર્દશાનો ચિત્તાર અને સાંભળો લોકોનો ચિત્કાર

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકામાં પાંચ દિવસ પહેલા પડેલા ધોધમાર વરસાદને કારણે ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. જો કે નઘરોળ, નઠારા તંત્રના પાપે આ પાણી વરસાદ અટક્યાના પાંચ દિવસ બાદ આજે પણ ઓસર્યા નથી અને બાવળાવાસીઓને મરવાના વાંકે છોડી દેવાયા છે. મદદનો હાથ તો છોડો તંત્રમાંથી કોઈ પૂછવા ય ફરક્યા ન હતા.

અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના પ્રતાપે 24 કલાક બાદ રસ્તાઓ પરથી નથી ઓસર્યા પાણી, ગ્રામ્ય વિસ્તારોની હાલત થઈ બદ્દથી પણ બદ્દતર- જુઓ Video

અમદાવાદમાં છેલ્લા બે દિવસમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયુ છે. અમદાવાદમાં આ વખતે ક્યાંય પાણી નહીં ભરાયના તંત્રના દાવાનો ફિયાસ્કો થયો છે અને દર વર્ષની જેમ એ જ વોટરલોગિંગની ઠેકઠેકાણે જોવા મળી છે. જેમા શહેરીજનોને સૌથી વધુ હેરાનગતિ સહન કરવાનો વારો આવ્યો છે.

Ahmedabad Cleanest City : ગુજરાતીઓએ કરી બતાવ્યું, ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ બન્યું સ્વચ્છતામાં નંબર 1, જાણો કેવી રીતે

સ્વચ્છતા સર્વેક્ષણ-2024 ના અહેવાલે આ વખતે બધાને આશ્ચર્યચકિત કર્યા. અમદાવાદ દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, સતત 7 વર્ષથી દેશનું સૌથી સ્વચ્છ શહેર રહેલા ઈન્દોરને પાછળ છોડી દીધું છે. ત્યારે તમને એ જાણવું ગમશે કે AMC ની કઈ એવી ખાસ નીતિ છે જેનાથી ઈન્દોરને પાછળ છોડી અમદાવાદ સ્વચ્છતામાં નંબર 1 બની ગયું...

અમદાવાદીઓ જીવના જોખમે આ 5 બ્રિજ પરથી થજો પસાર, બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીએ કહ્યાં છે જર્જરિત

આણંદના ગંભીરા જેવી સ્થિત રાજ્યના અનેક સ્થળે સર્જાઈ શકે તેમ છે. હવે એક પછી એક પુલ અંગે ઘટસ્ફોટ થઈ રહ્યો છે. વિપક્ષ પણ આ મુદ્દે હવે સરકારના કાન આમળી રહી છે. જો કે વિપક્ષ કરે એ તો ઠીક છે, પરંતુ સરકાર કે તંત્રે રચેલ સમિતી જયારે જણાવે કે બ્રિજની હાલત ખરાબ છે અને છતા તે વાહનવ્યવહાર માટે પૂર્વવત રહે તો તે ગંભીર ગુનાની બરાબર હોવાનું લોકોનું કહેવું છે.

અમદાવાદમાં કાંકરિયાના એકા ક્લબમાં પાંચમા માળે એકાએક સ્ટ્રક્ચર તૂટી પડતા મચી નાસભાગ, સદ્દનસીબે જાનહાની ટળી- Video

અમદાવાદના કાંકરિયામાં આવેલા એકા ક્લબમાં આયુષ એક્સપો દરમિયાન પાંચમા માળનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટના દરમિયાન ક્લબમાં છત્તીસગઢના મંત્રી અને વિદેશી ડેલિગેટ્સ પણ હાજર હતા. ઘટના બાદ ક્લબ ખાલી કરાવવામાં આવી અને સ્વિમિંગ પુલનું પાણી ખાલી કરવામાં આવ્યું. 

અમદાવાદમાં ઓઢવ કેનાલ નજીક તણાયેલા યુવકનો મળ્યો મૃતદેહ, તંત્રની ઘોર બેદરકારીને પાપે ગયો જીવ

અમદાવાદમાં ઓઢવ ફાયર સ્ટેશન નજીકની કેનાલ નજીક ભરાયેલા ગટરના પાણીમાં બાઈકચાલક યુવક તણાયો હતો. વરસાદી પાણી અને ગટરના પાણીને વહેણમાં બાઈકચાલક તણાયો અને ડ્રેનેજ લાઈનમાં ગરકાવ થઈ ગયો હતો. આખરે 10 કલાક બાદ યુવકનો મૃતદેહ મળ્યો છે.

AMC માં વર્ષોથી ભાજપનું શાસન છતા કોઈ બોધપાઠ નહીં, દર વર્ષે વરસાદી પાણી ભરાતા વિસ્તારો ઘટવાને બદલે વધે છે

અમદાવાદના નાગરિકોનું કટાક્ષ સ્વરૂપે એવુ કહેવું છે કે, વિકાસના ફળરૂપે, દર વર્ષે વરસાદી ભરાવામાંથી બે ચાર વિસ્તારો મુક્ત થવા જોઈએ, એના બદલે, દર વર્ષે એના એ સ્થળોએ તો વરસાદી પાણી ભરાય છે પરંતુ તેની સાથે સાથે અન્ય કેટલાક વિસ્તારો પણ ઉમેરાય છે. જે પાણી ભરાવાની સમસ્યામાં વિકાસ કરાઈ રહ્યો છે.

વિમાન તુટી પડવાને કારણે લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી, આર્મીના ફાયર ફાયટર્સ બોલાવ્યા હતા

અમદાવાદના રહેણાંક વિસ્તારમાં વિમાન તુટી પડવાને કારણે, લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા માટે અને બચાવ રાહત કામગીરી માટે અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી અને આર્મીના ફાયરફાયટર્સની મદદ પણ માગવામાં આવી હતી.

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">