![અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-06-at-2.48.43-PM.jpeg)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
“કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો”: વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી નોંધાવ્યો વિરોધ- Video
અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને છેલ્લા બે મહિનાથી સીલ કરવામાં આવી છે. AMC એ BU પરમિશનના અભાવે બે મહિનાથી કોલેજને સીલ માર્યુ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે કોલેજનું સીલ ખોલવાની માગ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર પકોડા વેચી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.
- Narendra Rathod
- Updated on: Jul 26, 2024
- 6:16 pm
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને રહેંસી નાખનારા સૌથી દર્દનાક અકસ્માતના એક વર્ષ બાદ પણ બ્રિજ પર નથી લાગ્યા CCTV કેમેરા
અમદાવાદમાં માલેતુજાર બાપના દીકરા તથ્ય પટેલે પોતાની જેગુઆર કાર બેફામ સ્પીડે હંકારી 9 લોકોને રહેંસી નાંખ્યાં હતા. આ અતિશય દર્દનાક અને ભયાવહ અકસ્માતને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે. અકસ્માત સમયે ઈસ્કોન બ્રિજ પર એકપણ સીસીટીવી કેમેરા ન હતા અને આજે એક વર્ષ બાદ પણ સીસીટીવી કેમેરા લગાવવાનુ ટ્રાફિક વિભાગ અને નેશનલ હાઈવે ઓથોરિટીને સૂજતુ નથી. 9 લોકોના મોત બાદ પણ તંત્રની અહીં ઘોર બેદરકારી છતી થાય છે.
- Narendra Rathod
- Updated on: Jul 20, 2024
- 2:45 pm
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ વીડિયો
ઇતિહાસમાં પ્રથમ વાર એક સાથે 37 બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવનાર છે. 1892 થી અત્યાર સુધીમાં નિર્માણ કરવામાં આવેલા અને જર્જરીત થયેલા બ્રિજને રિપેર કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં આવેલા બ્રિજનું પ્રાથમિક તબક્કામાં સમારકામ હાથ ધરવામાં આવનાર છે.
- TV9 Gujarati
- Updated on: Jul 14, 2024
- 2:16 pm
Ahmedabad Rain : આગામી 45 દિવસ શેલા વિસ્તારનો આ રોડ રહેશે બંધ, ઔડાએ જાહેરનામું બહાર પાડી આપી જાણકારી, જુઓ Video
અમદાવાદમાં 30 જૂનના રોજ ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે શેલા વિસ્તારમાં આવેલો એક રોડ બેસી જતા આગામી 45 દિવસ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
- Ronak Varma
- Updated on: Jul 9, 2024
- 12:32 pm
સાબરમતી નદીમાં પ્રદૂષણ મુદ્દે AMC સામે હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરી, જુઓ વીડિયો
સાબરમતી નદીમાં થતા પ્રદુષણને લઈ હાઇકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. જાહેરહીતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેને લઈ હાલમાં હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી રહી છે. હાઇકોર્ટે કોર્પોરેશનને વેધક સવાલો કર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jul 8, 2024
- 5:52 pm
વાહ રે તંત્ર, અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં બનાવાયેલા નવાનકોર વ્હાઈટ ટોપિંગ રોડમાં કોન્ટ્રાક્ટર મેનહોલ રાખવાનુ જ ભૂલી ગયા
અમદાવાદમાં જોધપુર વિસ્તારમાં આવેલા પ્રેરણાતીર્થ દેરાસરથી સૈનિક પેટ્રોલ પમ્પ સુધી તાજેતરમાં જ બનાવાયેલા વ્હાઈટ ટોપિંગ રોડને ફરી વિવાદનું કારણ બન્યો છે. અગાઉ લેવલિંગમાં આવેલી ખામી બાદ રોડના કોન્ટ્રાક્ટરની વધુ એક બેદરકારી સામે આવી છે. રોડ બનાવી વખતે મેનહોલ દબાવી દેવામાં આવ્યા છે. ગટરના મુખ્ય ઢાંકણા પર આખેઆખો રોડ બનાવી દીધો ત્યા સુધી કોર્પોરેશનના અધિકારીઓને તેની જાણ જ ન હતી
- Jignesh Patel
- Updated on: Jul 6, 2024
- 8:50 pm
અમદાવાદ: આરોગ્ય વિભાગના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મળ્યા મચ્છર બ્રિડિંગ, જુઓ વીડિયો
આંબલી રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બાંધકામ ચાલી રહ્યું છે અને જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરોડાના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી મચ્છર બ્રિડિંગને લઈ તપાસ શરુ કરવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Jul 5, 2024
- 3:11 pm
ફરી એકવાર મનપાની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ન્યુ ડેવલપ શેલા વિસ્તારમાં ભરાયા 2-2 ફુટ સુધી પાણી
અમદાવાદમાં દોઢ કલાક વરસેલા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. મનપાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે અને શહેરનો એકપણ વિસ્તાર એવો નથી જ્યા વરસાદી પાણી ન ભરાયા હોય. ડેવલપ વિસ્તારોમાં આવતા શેલા, સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર બે-બે ફુટ સુધીના પાણી ભરાતા શહેરીજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.
- Narendra Rathod
- Updated on: Jul 1, 2024
- 2:43 pm
માન્યામાં ન આવે તેવી વાત, અમદાવાદમાં એક શિક્ષક સાથે થઈ કરોડોની છેતરપિંડી, રૂપિયા પડાવી ભેજાબાજ આરોપી થયો વિદેશ ફરાર- વાંચો
અમદાવાદમાં હવે શિક્ષકો પણ સલામત નથી. અમદાવાદમાં સાબરકાંઠાના એક શિક્ષક સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ શિક્ષકને મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને ભેજાબાજ આરોપીએ કરોડો રૂપિયા ખંખેરી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.
- Harin Matravadia
- Updated on: Jun 27, 2024
- 3:53 pm
પ્રથમ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સ્માર્ટ સિટી અમદાવાદ, મનપાની પ્રિમોન્સુન કામગીરી રહી ગઈ માત્ર કાગળ પર- જુઓ Video
અમદાવાદમાં પ્રથમ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખોલી છે. રાત્રિના સમયે થયેલા પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક રસ્તાઓ જળમગ્ન બન્યા તો અનેક વસ્તારોમાંથી હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. જુઓ વિવિધ વિસ્તારમાં શહેરીજનોને પડતી સમસ્યાનો જીવંત ચિત્તાર.
- Narendra Rathod
- Updated on: Jun 25, 2024
- 2:27 pm
AMCના ઈતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં કૌભાંડ થયું હોવાનો વિપક્ષનો આરોપ
ખારીકટ કેનાલને ડેવલપ કરવાની જેની જવાબદારી છે. તે કૌભાંડો કરવામાં વ્યસ્ત હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો છે. વિપક્ષનો દાવો છે કે, ખારીકટ કેનાલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં AMCના ઈતિહાસનો સૌથી મોટો ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે.
- Jignesh Patel
- Updated on: Jun 24, 2024
- 9:43 pm
Ahmedabad Video : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે મનપાની 30 સ્માર્ટ શાળાનું કરશે લોકાર્પણ, નારણપુરા ખાતે જાહેરસભા સંબોધશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે. અમદાવાદ મનપા સ્કૂલ બોર્ડની 30 સ્માર્ટ સ્કૂલનું લોકાર્પણ અમિત શાહના હસ્તે થવાનું છે.
- TV9 Gujarati
- Updated on: Jun 21, 2024
- 10:39 am
Ahmedabad Video : વરસાદી પાણીના નિકાલ માટે AMCનો નવતર પ્રયોગ, મનપા જુદાં- જુદાં વિસ્તારમાં બનાવશે 13 ખંભાતી કૂવા
ગુજરાતમાં ચોમાસાનું આગામન થઈ ચૂક્યુ છે. ત્યારે અમદાવાદમાં મનપાએ ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ અને સંગ્રહ માટે શહેરમાં ખંભાતી કૂવાઓ બનાવશે. અમદાવાદમાં 13 ખંભાતી કૂવાઓ ખોદવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Jun 16, 2024
- 9:11 am
Ahmedabad Video : દાણીલીમડાનાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઈટર ઘટના સ્થળે
રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.
- Ronak Varma
- Updated on: Jun 14, 2024
- 12:34 pm
Ahmedabad Video : ફરજમાં બેદરકારી રાખનાર અધિકારી સામે મનપા કમિશનરના કડક પગલા, ઇજનેર વિભાગના 4 અધિકારીને કર્યા સસ્પેન્ડ
અમદાવાદમાં સરખેજમાં બની રહેલા કોમ્યુનિટીના કામમાં ગોટાળા બદલ ઇજનેર વિભાગના 4 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોમ્યુનિટી હોલના કામમાં ગેરરીતિ મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ મનપા કમિશનર એમ. થેન્નારસએ 4 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
- TV9 Gujarati
- Updated on: Jun 11, 2024
- 4:11 pm