અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
Read MoreAhmedabad Breaking News : અમદાવાદમાં AMCની ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, ખોરાકમાં જીવાત, મેંદામાં જીવડાં મળતાં અનેક એકમો સીલ, જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં સ્કૂલ-કોલેજ કેન્ટીન, હોસ્પિટલ અને હોસ્ટેલ કેન્ટીન સહિત વિવિધ ખાદ્ય ધંધાકીય એકમોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન અને અસ્વચ્છતા મળી આવતા અનેક એકમો સામે સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2026
- 11:23 am
Breaking News : અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી ! બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો – જુઓ Video
અમદાવાદમાં લોકોના સ્વાસ્થ્યને લઈને ફૂડ વિભાગે દરોડા પાડ્યા છે. AMC ના ફૂડ વિભાગે બે જાણીતી બેકરી સીલ કરી છે. લાંભા-નારોલની મુસ્કાન બેકરી અને બહેરામપુરાની પ્રિન્સ બેકરીને અનહાઈજેનિક સ્થિતિ અને ફૂડ સેફ્ટી નિયમોના ભંગના આક્ષેપો બાદ સીલ કરવામાં આવી છે.
- TV9 Gujarati
- Updated on: Aug 14, 2026
- 3:22 pm
Breaking News : આંબલી, બોપલ, ઘુમા, શેલામાં પાણી નિકાલનો માસ્ટર પ્લાન તૈયાર, અમિત શાહની સૂચના બાદ કાર્યવાહી
અમદાવાદના આંબલી, બોપલ, ઘુમા, અને શેલા વિસ્તારોમાં જળભરાવની ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દખલગીરી કરી છે.
- Sagar Solanki
- Updated on: Aug 13, 2026
- 7:57 pm
ભ્રષ્ટાચારી અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સની કરાશે તપાસ
કોર્ટની મંજૂરી બાદ તપાસ એજન્સી હવે આરોપી અમિત ડોંગરેને ભોપાલ લઈ જશે અને ત્યાં તેમના બેન્ક લોકરની સર્ચ કાર્યવાહી હાથ ધરશે. લોકરમાંથી કોઈ મહત્વના દસ્તાવેજો અથવા અન્ય પુરાવા મળે છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે.
- Bipin Prajapati
- Updated on: Aug 13, 2026
- 10:52 am
Breaking News: આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં કાચનો ટુકડો નીકળતા AMC એ ફટકારી નોટિસ, ફુડ સેફ્ટી અંગે થશે તપાસ
અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલના ભોજનમાં વિદ્યાર્થીને કાચનો ટુકડો નીકળ્યો હતો. જે બાદ શાળાના ઉદ્ધતાઈપૂર્ણ વર્તનને કારણે વાલીઓએ શાળાએ જઈ હોબાળો કર્યો હતો અને શાળા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાલીઓના હોબાળા બાદ AMC એ પણ ઘટનાનું સંજ્ઞાન લઈ કેન્ટીનને નોટિસ ફટકારાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Aug 11, 2026
- 9:21 pm
₹8 કરોડના ખર્ચે રેલિંગ સફાઈ મશીનો, અમદાવાદ કોર્પોરેશનના નિર્ણય પર સવાલો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સેન્ટ્રલ વર્જ અને BRTS રેલિંગની સફાઈ માટે ₹8 કરોડના ખર્ચે ચાર નવા મશીનો ખરીદવાનો નિર્ણય લેવાયો છે.
- Sagar Solanki
- Updated on: Aug 10, 2026
- 7:12 pm
‘વિકાસ’ ક્યાં ગયો? 25 દિવસમાં 5,000 ખાડા અને 900+ ફરિયાદ પેન્ડિંગ, અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલ્લી – જુઓ Video
અમદાવાદમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત ખૂબ જ ખરાબ બની છે. 25 દિવસમાં 5,000 થી વધુ ખાડા પડ્યા છે, જેમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ફરિયાદો નોંધાઈ છે. 900 થી વધુ ફરિયાદોનું નિરાકરણ હજુ બાકી છે. નવા બનેલા સર્વિસ રોડ પણ ધોવાઈ જતાં રોડની ગુણવત્તા સામે અનેક સવાલો ઊભા થયા છે.
- Ravi Prajapati
- Updated on: Aug 9, 2026
- 8:21 pm
આખરે અમદાવાદનું મનપસંદ જીમખાના કરાયું સીલ, જુગારધામ અને ગેરકાયદેસર કોમર્શિયલ ઉપયોગ મામલે કાર્યવાહી
અમદાવાદના મનપસંદ જીમખાનાને AMC દ્વારા સીલ કરવામાં આવ્યું છે. 1962માં ગ્રાઉન્ડ ફ્લોર માટે કોમર્શિયલ અને ઉપરના બે માળ માટે રેસિડેન્શિયલ ઉપયોગની મંજૂરી અપાઈ હતી, પરંતુ સમગ્ર ઇમારતનો કોમર્શિયલ ઉપયોગ થતો હતો.
- Sagar Solanki
- Updated on: Aug 8, 2026
- 9:22 pm
અમદાવાદના આ વિસ્તારમાં 11 ઓગસ્ટે પાણી કાપ, કયા વોર્ડને થશે અસર, જુઓ Video
અમદાવાદના રાણીપ અને નવા વાડજ વોર્ડના રહેવાસીઓ માટે મહત્વના સમાચાર છે. 11 ઓગસ્ટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરાનાર હોવાથી આ વિસ્તારોમાં પાણી પુરવઠો પ્રભાવિત થશે.
- Sagar Solanki
- Updated on: Aug 8, 2026
- 7:41 pm
બિલ્ડરો સાવધાન! મચ્છરોનું બ્રિડિંગ મળ્યું તો AMC કરશે સીધી કાર્યવાહી, 16 બિલ્ડિંગ સાઇટ સીલ, જુઓ Video
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાને નાથવા AMC એ 1,000 થી વધુ બાંધકામ સાઇટ્સ પર સઘન તપાસ હાથ ધરી છે. 211 સ્થળોએ મચ્છરોના બ્રિડિંગ મળી આવતા નોટિસ અપાઈ.
- Sagar Solanki
- Updated on: Aug 4, 2026
- 6:03 pm
અમદાવાદ મ્યુ.કો.ની નવી પહેલ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રમાં કર્યો આ મોટો અને સુવિધાજનક સુધારો- વાંચો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્નારા ગુજરાતનું સૌપ્રથમ QR કોડ અને દંપતીના ફોટોગ્રાફ સાથેનું ડિજિટલ લગ્ન નોંધણી સર્ટિફિકેટ શરૂ કરાયુ છે. આ પેપરલેસ પ્રક્રિયાથી અરજદારોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. દંપતી તેમની રીતે ઓનલાઈન પોર્ટલ પર દસ્તાવેજ અપલોડ કરીને તેમના અનુકૂળ સમયની તારીખ લઈને કોર્પોરેશનની ઓફિસેથી પ્રમાણપત્ર મેળવી શકશે. જેથી ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
- TV9 Gujarati
- Updated on: Aug 3, 2026
- 2:17 pm
અમદાવાદમાં આ 147 વિસ્તારોમાં હવે પાણી ભરાશે ભરાશે અને ભરાશે જ ! AMC એ જાહેર કર્યું લિસ્ટ
ગુજરાતમાં આગામી 48 કલાકમાં મેઘ તાંડવ સર્જાઈ શકે છે, તેમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
- Sagar Solanki
- Updated on: Jul 30, 2026
- 9:39 pm
Red alert in Ahmedabad : બે દિવસ શાળા-કોલેજ બંધ, અધિકારી-કર્મચારીઓની રજા રદ્દ, વર્ક ફ્રોમ હોમ માટે કમિશ્નરની અપીલ
વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આગામી બે દિવસ માટે શહેરની શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ખાનગી અને સરકારી સંસ્થાઓને શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા અમલમાં મૂકવા AMC દ્વારા અપીલ કરવામાં આવી છે, જેથી રસ્તાઓ પર વાહનોની અવરજવર ઓછી રહે.
- TV9 Gujarati
- Updated on: Jul 30, 2026
- 6:37 pm
₹ 1 લાખનો દંડ અને દસ્તાવેજ કેન્સલ કરવાની કાર્યવાહી, આવાસ યોજનાનુ મકાન ભાડે આપનારની હવે ખૈર નહીં- AMC
આમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આવાસ યોજનાના મકાનો ભાડે આપનાર સામે કડક કાર્યવાહી કરવાનો મોટો નિર્ણય લીધો છે. હવે આવાસ યોજનાના ઘર ભાડે આપનાર ને કોર્પોરેશને લાલ આંખ કરી છે અને તેમની સામે કડક પગલા લેવામાં આવશે.
- TV9 Gujarati
- Updated on: Jul 27, 2026
- 7:37 pm
Breaking News : વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા બોપલમાં ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા, પ્રશ્નોની વરસાવી ઝડી, જુઓ Video
Ahmedabad rain news : મેયરને પણ અમદાવાદ મહાનગરપાલિકાનો વરવો અનુભવ થયો હતો. જ્યારે તેઓ વરસાદી પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાતે હતા ત્યારે એએમસીએ પાણી ઉલેચવા માટે પંપ તો મુકેલા હતા પરંતુ ત્યાં મહાનગરપાલિકાના કોઈ કર્મચારી નહોતા. આથી મેયર હિતેશ બારોટે સ્વંય ડિવોટરીગ પંપ સ્વહસ્તે ચાલુ કર્યા હતા.
- TV9 Gujarati
- Updated on: Jul 26, 2026
- 1:23 pm