અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
Breaking News : પ્રચારનો અંતિમ દિવસ, અંતિમ ઘડીએ CM ભૂપેન્દ્રનો 48 વોર્ડમાં ઝંઝાવાતી પ્રચાર, જુઓ Video
અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં 48 વોર્ડમાં બાઇક રેલી અને રોડશો યોજી જોર લગાવ્યું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સઘન પ્રચાર કરી રહી છે. હવાલા કાંડ અને નેતાઓના વિવાદાસ્પદ નિવેદનો ચર્ચામાં રહ્યા. આજે સાંજે 5 વાગ્યે પ્રચારનો અંત આવશે.
- Hasmukh Ramani
- Updated on: Apr 24, 2026
- 11:55 am
Breaking News : AMC ચૂંટણીમાં ચોંકાવનારો ખુલાસો ! 47 ઉમેદવારો સામે ગંભીર ગુનાઓ, TV9 ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યા ચહેરા, જુઓ આખું List
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પ્રચાર જોર પકડ્યો છે, ત્યારે TV9ની ઇન્વેસ્ટિગેશન રિપોર્ટમાં ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. 48 વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આપના કુલ 526 ઉમેદવારોમાંથી 47 ઉમેદવારો સામે IPC અને BNSની ગંભીર કલમો હેઠળ કેસ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે.
- Mihir Soni
- Updated on: Apr 22, 2026
- 3:29 pm
“વેજલપુરને બીજુ ચંડોળા નહીં બનવા દઉ” – ભાજપના ભૂષણ ભટ્ટ બાદ હવે ધારાસભ્ય અમિત ઠાકરે આપ્યુ સ્ફોટક નિવેદન – Video
અગાઉ ભાજપના ભૂષણ ભટ્ટે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દેવાનો હુંકાર ભર્યો હતો. હવે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે વેજલપુરને બીજુ ચંડોળા નહીં બનવા દેવાનો દાવો કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Apr 20, 2026
- 5:58 pm
સાબરમતી નદીને ખાલી કરાતા જ નદીમાં શરૂ થઈ ખજાનાની શોધ, 400 જેટલા શ્રમિકોએ શરૂ કર્યુ ખોદકામ, જુના ચલણી સિક્કા મળ્યા
અમદાવાદમાં ભર ઉનાળે સાબરમતીને નદીને ખાલી કરવામાં આવી છે. વાસણા બેરેજના 18 દરવાજાનું સમારકામ અને સુભાષબ્રિજનું સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે .ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા 15 એપ્રિલ પહેલાથી જ નદીનું પાણી ઓછુ કરી દેવાયુ છે. નદીમાંથી પાણી ઓસરતા જ અમદાવાદ સહિત દૂરદૂરથી આવેલા શ્રમિકોએ અહીં ખજાનાની શોધ આદરી છે.
- Mina Pandya
- Updated on: Apr 16, 2026
- 7:55 pm
અમદાવાદના દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસની તરફેણમાં, AAP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
અમદાવાદ મહાનગરપાલિકા માટેની ચૂંટણીમાં દાણીલીમડા વોર્ડમાંથી કોંગ્રેસના ઉમેદવારોની તરફેણમાં, AAPમાંથી એક અને AIMIM માંથી 2 ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્ર પાછા ખેંચ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 15, 2026
- 5:32 pm
Breaking News : અમદાવાદ મહાનગરપાલિકા માટે ભાજપે નક્કી કર્યા ઉમેદવારો, એક પછી એકને કર્યા ફોન, જુઓ ઉમેદવારોનુ લિસ્ટ
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. વિવિધ વોર્ડમાં ઉમેદવારોના નામ ટેલિફોનિક રીતે જાહેર કરાયા છે.
- Sagar Solanki
- Updated on: Apr 10, 2026
- 4:02 pm
AMCની ટીમે 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો, ગોતાની ક્રિષ્ણા અને નરોડાની રાધે ડેરીમાંથી મળ્યો જથ્થો
અમદાવાદ મહાનગરપાલિકાની ટીમે કૂલ 244 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત કર્યો છે. જો કે, રાત દીવસ વિવિધ ખાદ્યચીજોની તપાસ કરતી આવેલ મનપાની ટીમને પહેલી જ નજરમાં પનીરનો જથ્થો શંકાસ્પદ જણાયો હતો. આથી તેના નમુના લઈને લેબોરેટરીમાં વૈજ્ઞાનિક ઢબે ચકાસણી અર્થે મોકલી આપ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Apr 8, 2026
- 4:02 pm
Breaking News : ચૂંટણી ટાણે જ કોંગ્રેસને ફટકો, અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ
અમદાવાદ શહેરના બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમ તીરમીજીની, કપડવંજ પોલીસે ગત મોડી રાત્રે ધરપકડ કરતા, કોંગ્રેસને આંચકો લાગ્યો છે. બહેરામપુરા વોર્ડ એ વર્ષોથી કોંગ્રેસનો ગઢ ગણાતો આવ્યો છે. આ વોર્ડમાંથી કોંગ્રેસની આખે આખી પેનલ જીતતી આવી છે.
- TV9 Gujarati
- Updated on: Apr 8, 2026
- 2:17 pm
Breaking News : રસ્તા પર કાર મૂકી તો ખેર નથી! AMCએ જાહેર કર્યો કડક નિર્ણય જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર પાર્કિંગ સામે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. રસ્તા પર વાહનો પાર્ક કરનારા બિલ્ડીંગોના BU સસ્પેન્ડ કરાશે. મુલાકાતીઓના વાહન પણ રોડ પર પાર્ક કરી શકાશે નહીં. આ નિયમ હવે રહેણાક વિસ્તારોમાં પણ અમલમાં મુકાશે, જેથી ટ્રાફિક સમસ્યા હળવી થાય.
- Hasmukh Ramani
- Updated on: Apr 8, 2026
- 11:52 am
Breaking News : ‘પાકિસ્તાન’ ની એન્ટ્રી અમદાવાદની ચૂંટણીમાં, ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર, જુઓ Video
અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના પૂર્વધારા સભ્ય ભૂષણ ભટ્ટના ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ નિવેદને રાજકીય ગરમાવો સર્જ્યો છે. તેમણે કોંગ્રેસના આયાતી ઉમેદવારો અને અશાંત ધારાના અમલના સંદર્ભમાં આ વાત કરી હોવાનું સ્પષ્ટ કર્યું. કોંગ્રેસે ભાજપ પર વિકાસના મુદ્દાઓથી ભટકાવવાનો આરોપ લગાવ્યો છે.
- Hasmukh Ramani
- Updated on: Apr 7, 2026
- 1:25 pm
અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે મોટા સમાચાર: હોટલ-રેસ્ટોરન્ટમાં ‘પનીર’ અસલી છે કે નકલી? હવે બહાર જ લગાવવા પડશે પોસ્ટર!
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શહેરના ફૂડ સર્વિસ પ્રોવાઈડરો વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. હવેથી દરેક રેસ્ટોરન્ટ અને હોટલે પોતે કયા પનીરનો ઉપયોગ કરે છે તેની માહિતી ગ્રાહકો વાંચી શકે તે રીતે ડિસ્પ્લે કરવી પડશે. નિયમનું ઉલ્લંઘન કરનાર સામે મ્યુનિસિપલ તંત્ર લાલ આંખ કરશે.
- TV9 Gujarati
- Updated on: Apr 4, 2026
- 8:25 pm
અમદાવાદને મળ્યો વધુ એક ઓવરબ્રિજ, CM ભૂપેન્દ્ર પટેલે કર્યુ લોકાર્પણ, ટ્રાફિક જામની સમસ્યાથી મળશે મુક્તિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સતાધાર જંક્શન પર નવા બનેલ ફોર લેન ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
- TV9 Gujarati
- Updated on: Mar 29, 2026
- 12:18 pm
AMC એ શોધ્યો ઇંધણનો ઉકેલ ! ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ સાથે ગાયના છાણમાંથી "ગોબર સ્ટિક" બનાવી રહ્યું છે. આ ઇંધણ રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2026
- 6:10 pm
Breaking News: અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી ‘ઈમરજન્સી સાયરન’, જાણો શું છે કારણ
અમદાવાદમાં આજે વહેલી સવારે લાલ દરવાજા વિસ્તારમાં અચાનક જ ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. સાયરન સાંભળીને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. લોકોના મનમાં ચાલી રહ્યુ હતુ કે એક તરફ મિડલ ઇસ્ટમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે.ત્યાં શું હવે અમદાવાદમાં તેની અસરના પગલે તો કોઇ સાયરન વાગી રહ્યા નથી ને?
- Nishat
- Updated on: Mar 7, 2026
- 10:24 am
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો, 15 ટકા રાહત મેળવો
અમદાવાદ મનપા એડવાન્સ ટેક્સ ચૂકવનારા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે રિબેટ યોજના શરૂ કરી છે. આ યોજનાથી નાગરિકો 12% થી 15% સુધી રાહત મેળવી શકે છે, ખાસ કરીને સતત અને ઓનલાઇન ટેક્સ ચૂકવતા લોકોને વધારાનો લાભ મળશે.
- Ashvin Patel
- Updated on: Feb 25, 2026
- 7:20 pm