અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે એએમસી (AMC)ની સ્થાપના બોમ્બે પ્રોવિઝનલ કોર્પોરશન એક્ટ, 1949 હેઠળ જુલાઈ,1950ના રોજ કરવામાં આવી હતી. તે અમદાવાદ શહેરના નાગરિક માળખાકીય અને વહીવટી વ્યવસ્થાપન માટે કાર્યરત છે. બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશનની 63મી અને 66મી કલમ મુજબ, એ.એમ.સી. ચોક્કસ ફરજીયાત અને વિવેકાધીન સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર છે.
કોર્પોરેશન ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, એક IAS અધિકારી દ્વારા ચલાવવામાં આવે છે. વહીવટી હેતુઓ માટે શહેર 7 ઝોન- મધ્ય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં વહેંચાયેલું છે. કોર્પોરેટરની પસંદગી અને સત્તા એક ચૂંટણી દ્વારા કરવામાં આવે છે. મેયર પક્ષના સૌથી મોટા વડા હોય છે.
AMC એ શોધ્યો ઇંધણનો ઉકેલ ! ગાયના ગોબરમાંથી કરી આવી કમાલ, જુઓ Video
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) રખડતા ઢોરની સમસ્યાના નિરાકરણ સાથે ગાયના છાણમાંથી "ગોબર સ્ટિક" બનાવી રહ્યું છે. આ ઇંધણ રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ છે અને ઓછું પ્રદૂષણ ફેલાવે છે.
- TV9 Gujarati
- Updated on: Mar 14, 2026
- 6:10 pm
Breaking News: અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી ‘ઈમરજન્સી સાયરન’, જાણો શું છે કારણ
અમદાવાદમાં આજે વહેલી સવારે લાલ દરવાજા વિસ્તારમાં અચાનક જ ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. સાયરન સાંભળીને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. લોકોના મનમાં ચાલી રહ્યુ હતુ કે એક તરફ મિડલ ઇસ્ટમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે.ત્યાં શું હવે અમદાવાદમાં તેની અસરના પગલે તો કોઇ સાયરન વાગી રહ્યા નથી ને?
- Nishat
- Updated on: Mar 7, 2026
- 10:24 am
અમદાવાદીઓ માટે રૂપિયા બચાવવાની AMCએ જાહેર કરી યોજના, એડવાન્સ ટેક્સ ભરો, 15 ટકા રાહત મેળવો
અમદાવાદ મનપા એડવાન્સ ટેક્સ ચૂકવનારા નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે રિબેટ યોજના શરૂ કરી છે. આ યોજનાથી નાગરિકો 12% થી 15% સુધી રાહત મેળવી શકે છે, ખાસ કરીને સતત અને ઓનલાઇન ટેક્સ ચૂકવતા લોકોને વધારાનો લાભ મળશે.
- Ashvin Patel
- Updated on: Feb 25, 2026
- 7:20 pm
Breaking News : સાવધાન અમદાવાદ! તમારી થાળીમાં નકલી પનીર તો નથી ને? 10 હોટેલમાંથી ઝડપાયુ નકલી પનીર, જુઓ Video
અમદાવાદમાં ફૂડ વિભાગે જાણીતી 10 હોટલોમાં નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. દરોડા દરમિયાન 173 કિલો નકલી પનીર અને અન્ય અખાદ્ય સામગ્રી જપ્ત કરાઈ. પનીરના નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા જેમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થયો હતો. તંત્ર દ્વારા લાખોનો દંડ પણ વસૂલાયો છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 24, 2026
- 11:23 am
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે? વિપક્ષે સવાલ કરતાની સાથે જ છવાઈ ગયો સન્નાટો- Video
અમદાવાદ મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટરોના બાળકો અભ્યાસ કરે છે? આ સવાલ વિપક્ષે ઉઠાવતાની સાથે મનપામાં રાજકારણ ગરમાયું છે.
- TV9 Gujarati
- Updated on: Feb 19, 2026
- 9:11 pm
Breaking News : અમદાવાદમાં દરરોજ 50 લીટરથી વધુ તેલ વાપરતા એકમો માટે મનપાનો કડક નિર્ણય, TPC મશીન રાખવુ ફરજિયાત
વારંવાર એ જ તેલમાં તળેલી વસ્તુઓ વેચતા વેપારીઓ સામે હવે કડક કાર્યવાહી થશે. ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ પર મનપાની તીખી નજર રહેશે.
- Ashvin Patel
- Updated on: Feb 19, 2026
- 1:57 pm
RTI એક્ટિવિસ્ટો બ્લેકમેઈલ કરે છે, AMCના એસ્ટેટ વિભાગના અધિકારીએ ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખ્યો પત્ર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે RTI એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતો એક પત્ર લખ્યો છે. ACB, CP, CM, PM, હાઈકોર્ટને લખેલા પત્રમાં RTI એક્ટિવિસ્ટ થકી થતી હેરાનગતિ મામલો ઉજાગર કર્યો છે. એસીબી તરીકે ઓળખાતા એન્ટી કરપ્શન બ્યુરો, શહેર પોલીસ કમિશનર, DCP, CM ભૂપેન્દ્ર પટેલ, PM નરેન્દ્ર મોદી અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસને પણ ફિયાદ સ્વરૂપે લખેલા પત્રની નકલ મોકલી છે.
- TV9 Gujarati
- Updated on: Feb 13, 2026
- 5:02 pm
અમદાવાદની રોનક બદલવાનું સ્વપ્ન, આધુનિક વિકાસ માટે ખર્ચાશે કરોડો રૂપિયા, રૂ. 18518 કરોડનું રજૂ કરાયું બજેટ
અમદાવાદ મહાનગરપાલિકાની આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીન ભાજપ હસ્તકની સ્ટેન્ડિંગ કમિટીએ, રૂપિયા 18518 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં નવા ઓવરબ્રિજ, નવા અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. નવા અન્ડરપાસ બનાવવાશે પરંતુ ચોમાસામાં તે અન્ડરપાસમાં વરસાદી પાણીના ભરાવા અંગે કોઈ વાત નથી. પૂર્વ અને પશ્ચિમમાં વિકાસને સમતોલ કરવા માટે પૂર્વ વિસ્તારમાં પણ સારી એવી નાણાકીય ફાળવણી કરાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 10, 2026
- 7:01 pm
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ, આ રહેશે ડાયવર્ઝન રુટ! જુઓ Video
અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થતાં ભારે, મોટા અને મધ્યમ વાહનો માટે 11 મહિના બંધ રહેશે. સમારકામ આવતીકાલથી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. નાના અને દ્વિચક્રી વાહનો માટે બ્રિજ ખુલ્લો રહેશે. જોકે, પ્રતિબંધ છતાં કેટલાક ભારે વાહનો અવરજવર કરતા જોવા મળે છે, જેનાથી દુર્ઘટનાનો ભય છે. વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 8, 2026
- 2:17 pm
Breaking News : અમદાવાદમાં હોર્ડિંગ્સ કૌભાંડ મોટા માથાં ફસાશે? કોની મીલીભગત? જુઓ Video
અમદાવાદમાં હોર્ડિંગ્સ એજન્સીઓ અને AMC અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ સામે આવ્યું છે. ઓક્શન દ્વારા મળેલી જગ્યાઓ બદલીને 28 જેટલી એજન્સીઓએ ગેરરીતિ આચરી છે. ટીપી કમિટીએ ચેન્જ ઓફ સાઇટ પર રોક લગાવી તપાસના આદેશ આપ્યા છે. 61 હોર્ડિંગ્સ સમયમર્યાદા બાદ પણ કાર્યરત હતા.
- Hasmukh Ramani
- Updated on: Feb 8, 2026
- 10:55 am
15 હજાર કરોડનું બજેટ પણ LG હોસ્પિટલમાં ICU બેડ નથી ! વેન્ટિલેટર પરના દર્દીઓને સ્ટ્રેચર પર આપાતી સારવાર, તંત્રની ઘોર લાપરવાહી
સ્માર્ટ સિટી અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાઓનો ભયાનક અભાવ જોવા મળ્યો છે. અહીં ક્રિટિકલ દર્દીઓને બેડના અભાવે ગાદી વગરના સ્ટ્રેચર પર વેન્ટિલેટર સપોર્ટ સાથે સારવાર આપવામાં આવી રહી છે. કરોડોના બજેટ છતાં તંત્રની આ નિષ્ફળતા સામાન્ય જનતાના જીવ સાથે ચેડાં સમાન છે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 8:39 pm
અમદાવાદના કતલખાના મુદ્દે ભાજપ-કોંગ્રેસના MLA સામ સામે, જુઓ વીડિયો
અમદાવાદ મહાનગરપાલિકાના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનરે સુચવેલ 32 કરોડના ખર્ચે કતલખાનાનુ આધુનિકરણ કરવાના કામનો એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહે વિરોધ કર્યો છે.
- TV9 Gujarati
- Updated on: Feb 5, 2026
- 3:53 pm
Breaking News : હાઈકોર્ટનો ઝટકો! આસારામ પાસેથી મોટેરા આશ્રમ છીનવાયો, 45,000 ચોરસ મીટર જમીન પર સરકારનો કબ્જો, જુઓ Video
ગુજરાત હાઈકોર્ટે આસારામના મોટેરા આશ્રમની 45,000 ચોરસ મીટર જમીન પરત લેવા રાજ્ય સરકારને મંજૂરી આપી છે. ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવશે અને જમીનનો ઉપયોગ 2030 કોમનવેલ્થ ગેમ્સ માટે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટે કરાશે, જે સરકારી યોજનાનો એક ભાગ છે.
- Hasmukh Ramani
- Updated on: Feb 5, 2026
- 1:16 pm
Breaking News : અમદાવાદનુ 17018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ, નવા બનશે ઓવરબ્રિજ- અન્ડરબ્રિજ, રેલવે ફાટક પણ દૂર કરાશે, જાણો ક્યાં કયાં વિસ્તારોમાં શું થશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડ્રાફ્ટ બજેટમાં નહેરુનગરથી લઈને ઈસ્કોન બ્રિજ સુધીના માર્ગ પર ત્રણ લાંબા એલિવેટેડ ઓવરબ્રિજ બનાવાશે. જેના માટે 1000 કરોડની ફાળવણી કરવામાં આવી છે. બોપલ SP રિંગ રોડથી ઘુમા સુધી પણ બનશે એલિવેટેડ કોરિડોર બનાવવાની જોગવાઈ કરાઈ છે.
- TV9 Gujarati
- Updated on: Feb 4, 2026
- 3:22 pm
Ahmedabad News: ખાનપુરની ‘બાગબાન’ સાઈટ વિવાદમાં, અશાંતધારાની મંજૂરી મેળવવા હિન્દુ ભાગીદારને ‘મહોરો બનાવાયાનો MLAનો આક્ષેપ
અમદાવાદના ખાનપુર વિસ્તારમાં અશાંતધારા હેઠળ મંજૂરી મેળવવા માટે ‘રહેબર ડેવલપર્સ’ દ્વારા ગેરરીતિ આચરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે. મુસ્લિમ બિલ્ડર ગ્રુપ દ્વારા હિન્દુ વિસ્તારમાં બાંધકામની પરવાનગી લેવા માટે 5% હિસ્સા સાથે હિન્દુ વ્યક્તિને ભાગીદાર બનાવ્યા બાદ મંજૂરી મળતા જ તેને દૂર કરી દેવાતા વિવાદ વકર્યો છે. ધારાસભ્યની ફરિયાદ અને તપાસમાં ગેરરીતિ સામે આવતા તંત્રએ સાઈટ સીલ કરી છે, જેની સામે બિલ્ડરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.
- TV9 Gujarati
- Updated on: Feb 2, 2026
- 9:22 pm