AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ, આ રહેશે ડાયવર્ઝન રુટ! જુઓ Video

અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત થતાં ભારે, મોટા અને મધ્યમ વાહનો માટે 11 મહિના બંધ રહેશે. સમારકામ આવતીકાલથી 8 જાન્યુઆરી 2027 સુધી ચાલશે. નાના અને દ્વિચક્રી વાહનો માટે બ્રિજ ખુલ્લો રહેશે. જોકે, પ્રતિબંધ છતાં કેટલાક ભારે વાહનો અવરજવર કરતા જોવા મળે છે, જેનાથી દુર્ઘટનાનો ભય છે. વૈકલ્પિક માર્ગો જાહેર કરાયા છે.

Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ, આ રહેશે ડાયવર્ઝન રુટ! જુઓ Video
breaking news ahmedabad shashtri bridge to remain close for vehicles know diversion route
| Updated on: Feb 08, 2026 | 2:17 PM
Share

અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ આજકાલ માત્ર પુલ નથી રહ્યો એક ખુલ્લી ચેતવણી બની ગયો છે. વિશાલા-પિરાણા રોડ પરનો આ મહત્વપૂર્ણ બ્રિજ આગામી 11 મહિના માટે ભારે અને મધ્યમ વાહનો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કારણ સ્પષ્ટ છે: બ્રિજના બેરિંગ અને પેડેસ્ટલ જર્જરિત હાલતમાં છે અને મરામત વિના વાહનવ્યવહાર જીવલેણ સાબિત થઈ શકે.

નાના અને દ્વિચક્રી વાહનોને છૂટ

8 જાન્યુઆરી 2027 સુધી ચાલનારા આ સમારકામ દરમિયાન નાના અને દ્વિચક્રી વાહનોને છૂટ આપવામાં આવી છે, જેથી સ્થાનિક નાગરિકોને સંપૂર્ણ અગવડ ન પડે. નિયમો સાથે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. કાગળ પર બધું વ્યવસ્થિત લાગે છે, પરંતુ જમીન પર દ્રશ્ય કંઈક જુદું જ બોલે છે.

હકીકતમાં તો શાસ્ત્રી બ્રિજ પર હજુ પણ ભારે ટ્રક, બસો અને માલવાહક વાહનો નિર્ભયતાથી પસાર થઈ રહ્યા છે. જર્જરિત પુલ પરથી થતી આ અવરજવર માત્ર નિયમભંગ નથી, પરંતુ ખુલ્લેઆમ જોખમને આમંત્રણ છે. અનેક વખત પોલીસની ગેરહાજરીમાં આવા વાહનો પસાર થતાં જોવા મળે છે, જેનાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સતત મંડરાઈ રહી છે.

આ રહેશે ડાયવર્ઝન રુટ

ભારે વાહનચાલકોને સરળ અવરજવર મળે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન પણ જાહેર કરવામાં આવ્યા છે. લાંભાથી જશોદાનગર થઈ પીરાણા તરફ આવતાં વાહનોએ પીરાણા જંકશનથી ડમ્પિંગ સાઈટ, બહેરામપુરા, આંબેડકર બ્રિજ અને અંજલી ચાર રસ્તા મારફતે વાસણા-વિશાલા તરફ જવાનું રહેશે. સરખેજ-જુહાપુરાથી આવતાં વાહનો માટે પણ વૈકલ્પિક માર્ગ નક્કી કરવામાં આવ્યો છે.

નિયમો સ્પષ્ટ છે, રસ્તા ઉપલબ્ધ છે પછી બેફિકર ડ્રાઈવિંગ કેમ? શાસ્ત્રી બ્રિજ પર લાગેલી “બંધ”ની સૂચના માત્ર બોર્ડ સુધી સીમિત ન રહે એ જરૂરી છે. એક ક્ષણની બેદરકારી અનેક જીવ માટે ખતરો બની શકે છે. હવે સમય આવી ગયો છે કે તંત્ર કડક અમલ કરે અને વાહનચાલકો જવાબદારી સમજે. કારણ કે પુલ માત્ર વાહનોને નહીં પરંતુ વિશ્વાસને પણ ટેકો આપે છે અને એ વિશ્વાસ તૂટે, એ પહેલા જ સાવચેત થવું આવશ્યક છે.

Input Credit : Mihir Soni

જ્યાં સંબંધો હાર્યા અને કાગળ જીત્યા, રાજોડની રડાવી દેતી ઘટના, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">