જો ખાતાધારક અને નોમિની બંનેનું મોત થાય તો કોને મળે છે પૈસા ? જાણો RBIના નવા નિયમો!
બેંકમાં નોમિની બનાવવો જ પૂરતું નથી! જો અચાનક નોમિનીનું પણ મોત થાય તો તમારા પરિવારને પૈસા મેળવવા માટે લોઢાના ચણા ચાવવા પડી શકે છે. જાણો RBI ના તે ગૂઢ નિયમો જે તમારા પરસેવાની કમાણીને ડૂબતા બચાવી શકે છે.

શું તમે જાણો છો કે જો બેંક ખાતાધારક અને તેણે રાખેલા નોમિની (વારસદાર) બંનેનું અકાળે અવસાન થાય, તો ખાતામાં રહેલી કમાણીનું શું થાય છે? મોટાભાગના લોકો માને છે કે આ પૈસા સરકાર પાસે જાય છે, પણ સત્ય કંઈક અલગ જ છે.

સુપ્રીમ કોર્ટના 1984ના ઐતિહાસિક ચુકાદા મુજબ, નોમિની એ માત્ર એક 'ટ્રસ્ટી' છે, માલિક નહીં. જો નોમિની જીવિત ન હોય, તો કાયદેસરના વારસદારો (Legal Heirs) આ રકમ પર દાવો કરી શકે છે.

જો મૃતકે 'વસિયતનામું' (Will) બનાવ્યું હોય તો તેના આધારે, અન્યથા હિન્દુ સક્સેશન એક્ટ જેવા ધાર્મિક ઉત્તરાધિકાર કાયદા મુજબ પૈસાની વહેંચણી થાય છે. આ માટે 'સક્સેશન સર્ટિફિકેટ' સૌથી મહત્વનું હથિયાર બને છે.

જો ખાતા પર કોઈ દાવો ન કરે, તો 10 વર્ષ પછી RBI આ રકમને 'અનક્લેમ્ડ' જાહેર કરી DEAF ફંડમાં મોકલી દે છે. જોકે, સાચા વારસદારો પુરાવા આપીને ગમે ત્યારે આ પૈસા પાછા મેળવી શકે છે.

જોઈન્ટ એકાઉન્ટના કિસ્સામાં નિયમ થોડો રાહત આપનારો છે. જો એક વ્યક્તિનું મૃત્યુ થાય, તો બીજી વ્યક્તિ ડેથ સર્ટિફિકેટ જમા કરાવીને એકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તમામ રકમ પર તેનો જ હક રહે છે.
આખી દુનિયા જેનાથી ડરે છે, તે ‘બ્રહ્માસ્ત્ર’ હવે ભારત આવશે; પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દેશે આ ડિફેન્સ સિસ્ટમ, વાંચવા માટે અહીં ક્લિક કરો
