AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતના કયા શહેરે મેળવ્યું છે ભારતનું “મિલ્ક કેપિટલ” હોવાનું બહુમાન? જ્યાં સરદારે રોપ્યા હતા એકતાના બીજ, ત્યાં આજે વહે છે ‘દૂધની ગંગા’

શું તમે જાણો છો ભારતનું એવું કયું શહેર છે કે, જે આખા દેશમાં “મિલ્ક કેપિટલ” તરીકે જાણીતું છે? આ વાત માત્ર દૂધના ઉત્પાદનની નથી પણ એવા અડગ વિશ્વાસની છે કે, જેણે લાખો ખેડૂતોના જીવનમાં ખુશીઓના રંગ ભર્યા.

| Updated on: Apr 06, 2026 | 4:25 PM
Share
ભારતનું કયું શહેર “મિલ્ક કેપિટલ” તરીકે ઓળખાય છે? શું તમે આનો સાચો જવાબ જાણો છો? જણાવી દઈએ કે, આ શહેર ડેરી ક્રાંતિની ઓળખ બની ચૂક્યું છે અને સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદન માટે જાણીતું છે.

ભારતનું કયું શહેર “મિલ્ક કેપિટલ” તરીકે ઓળખાય છે? શું તમે આનો સાચો જવાબ જાણો છો? જણાવી દઈએ કે, આ શહેર ડેરી ક્રાંતિની ઓળખ બની ચૂક્યું છે અને સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદન માટે જાણીતું છે.

1 / 6
ગુજરાતના આણંદ (Anand) શહેરને ભારતનું “Milk Capital” કહેવામાં આવે છે. આ શહેર ડેરી ઇન્ડસ્ટ્રીનું એક મજબૂત કેન્દ્ર છે અને અહીંથી જ દૂધ ક્રાંતિને નવી દિશા મળી. આણંદને ડેરી ક્રાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે. તે હવે ભારતની ડેરી મૂવમેન્ટનું હૃદય બની ચૂક્યું છે. અહીંથી જ “વ્હાઇટ રિવોલ્યુશન” ની શરૂઆત થઈ, જેણે દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો.

ગુજરાતના આણંદ (Anand) શહેરને ભારતનું “Milk Capital” કહેવામાં આવે છે. આ શહેર ડેરી ઇન્ડસ્ટ્રીનું એક મજબૂત કેન્દ્ર છે અને અહીંથી જ દૂધ ક્રાંતિને નવી દિશા મળી. આણંદને ડેરી ક્રાંતિનું કેન્દ્ર માનવામાં આવે છે. તે હવે ભારતની ડેરી મૂવમેન્ટનું હૃદય બની ચૂક્યું છે. અહીંથી જ “વ્હાઇટ રિવોલ્યુશન” ની શરૂઆત થઈ, જેણે દેશને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવ્યો.

2 / 6
અહીં દૂધ સંગ્રહ, પ્રોસેસિંગ અને સપ્લાયની સિસ્ટમ ખૂબ જ સંગઠિત અને મજબૂત છે. દરેક સ્તર પર શ્રેષ્ઠ વ્યવસ્થાપનને કારણે ગુણવત્તા અને માત્રા બંને જળવાઈ રહે છે, જેનાથી ડેરી સેક્ટરને સ્થિરતા મળે છે. આણંદનું કો-ઓપરેટિવ મોડલ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.

અહીં દૂધ સંગ્રહ, પ્રોસેસિંગ અને સપ્લાયની સિસ્ટમ ખૂબ જ સંગઠિત અને મજબૂત છે. દરેક સ્તર પર શ્રેષ્ઠ વ્યવસ્થાપનને કારણે ગુણવત્તા અને માત્રા બંને જળવાઈ રહે છે, જેનાથી ડેરી સેક્ટરને સ્થિરતા મળે છે. આણંદનું કો-ઓપરેટિવ મોડલ ખેડૂતો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયું છે.

3 / 6
આનાથી ખેડૂતોને દૂધના યોગ્ય ભાવ મળ્યા અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થઈ, જેનાથી ગ્રામીણ વિકાસને પણ વેગ મળ્યો. આ શહેરમાં આધુનિક ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. આ સાથે જ અહીં દૂધ, દહીં, ઘી અને છાશનું રોજિંદા જીવનમાં ખાસ મહત્વ છે, જે તેની સમૃદ્ધ ડેરી સંસ્કૃતિને દર્શાવે છે.

આનાથી ખેડૂતોને દૂધના યોગ્ય ભાવ મળ્યા અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત થઈ, જેનાથી ગ્રામીણ વિકાસને પણ વેગ મળ્યો. આ શહેરમાં આધુનિક ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે. આ સાથે જ અહીં દૂધ, દહીં, ઘી અને છાશનું રોજિંદા જીવનમાં ખાસ મહત્વ છે, જે તેની સમૃદ્ધ ડેરી સંસ્કૃતિને દર્શાવે છે.

4 / 6
આણંદ તેની ડેરી મીઠાઈઓ (શ્રીખંડ અને પેડા) માટે પણ પ્રખ્યાત છે. અહીંથી જ Amul ની શરૂઆત થઈ, જેણે ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીને નવી ઓળખ આપી અને તેને વિશ્વ સ્તરે સ્થાપિત કરી. 1964નું વર્ષ ભારતમાં ડેરી વિકાસ કાર્યક્રમના ઇતિહાસમાં એક મહત્વનો વળાંક હતો. ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રી, 31 ઓક્ટોબરના રોજ અમૂલના કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આણંદ આવ્યા હતા. તેમણે ખેડાના ખેડૂતો સાથે એક રાત વિતાવી અને ત્યાંની સફળતા જોઈને, અમૂલના તત્કાલીન જનરલ મેનેજર કુરિયન સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી કે, જો અમૂલ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે, તો લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં ખાસ પરિવર્તન આવી શકે છે.

આણંદ તેની ડેરી મીઠાઈઓ (શ્રીખંડ અને પેડા) માટે પણ પ્રખ્યાત છે. અહીંથી જ Amul ની શરૂઆત થઈ, જેણે ભારતની ડેરી ઇન્ડસ્ટ્રીને નવી ઓળખ આપી અને તેને વિશ્વ સ્તરે સ્થાપિત કરી. 1964નું વર્ષ ભારતમાં ડેરી વિકાસ કાર્યક્રમના ઇતિહાસમાં એક મહત્વનો વળાંક હતો. ભારતના તત્કાલીન વડાપ્રધાન સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રી, 31 ઓક્ટોબરના રોજ અમૂલના કેટલ ફીડ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આણંદ આવ્યા હતા. તેમણે ખેડાના ખેડૂતો સાથે એક રાત વિતાવી અને ત્યાંની સફળતા જોઈને, અમૂલના તત્કાલીન જનરલ મેનેજર કુરિયન સમક્ષ એવી ઈચ્છા વ્યક્ત કરી કે, જો અમૂલ મોડેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે, તો લોકોની સામાજિક-આર્થિક સ્થિતિમાં ખાસ પરિવર્તન આવી શકે છે.

5 / 6
આ સપનાને હકીકત બનાવવા માટે, વર્ષ 1965માં આણંદમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ની સ્થાપના કરવામાં આવી અને વર્ષ 1969-70 સુધીમાં NDDB એ ભારત માટે એક ડેરી વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો, જેને સામાન્ય રીતે "ઓપરેશન ફ્લડ" અથવા "શ્વેત ક્રાંતિ" તરીકે ઓળખવામાં આવે છે. 'ઓપરેશન ફ્લડ કાર્યક્રમ' આજે પણ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ માનવામાં આવે છે. આમાં અમૂલને એક મોડેલ તરીકે જોવામાં આવ્યું હતું અને શ્વેત ક્રાંતિના ઇતિહાસમાં આ મોડેલને અવારનવાર "આણંદ પેટર્ન" કહેવામાં આવે છે. "આણંદ પેટર્ન" ને લાગુ કરવાથી ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનીને ઉભરી આવ્યો છે.

આ સપનાને હકીકત બનાવવા માટે, વર્ષ 1965માં આણંદમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (NDDB) ની સ્થાપના કરવામાં આવી અને વર્ષ 1969-70 સુધીમાં NDDB એ ભારત માટે એક ડેરી વિકાસ કાર્યક્રમ શરૂ કર્યો, જેને સામાન્ય રીતે "ઓપરેશન ફ્લડ" અથવા "શ્વેત ક્રાંતિ" તરીકે ઓળખવામાં આવે છે. 'ઓપરેશન ફ્લડ કાર્યક્રમ' આજે પણ વિશ્વમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડેરી વિકાસ કાર્યક્રમ માનવામાં આવે છે. આમાં અમૂલને એક મોડેલ તરીકે જોવામાં આવ્યું હતું અને શ્વેત ક્રાંતિના ઇતિહાસમાં આ મોડેલને અવારનવાર "આણંદ પેટર્ન" કહેવામાં આવે છે. "આણંદ પેટર્ન" ને લાગુ કરવાથી ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બનીને ઉભરી આવ્યો છે.

6 / 6

‘PM MODI’ કયો ફોન વાપરે છે? જવાબ જાણીને તમે પણ દંગ રહી જશો

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">