Breaking News : ચૂંટણીઓને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરનાર રાજકીય પક્ષો પર હર્ષ સંઘવીના પ્રહાર, જુઓ Video
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે હર્ષ સંઘવીએ મહત્વનું નિવેદન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ચૂંટણીઓ ધર્મ આધારિત ન હોવી જોઈએ અને મતદારોએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઇએ.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે રાજકીય પક્ષો ચૂંટણીઓને ધર્મ આધારિત બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે ક્યારેય યોગ્ય નથી. સંઘવીએ ભારપૂર્વક કહ્યું કે ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે. તેમણે ગુજરાતના તમામ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ આ બાબતને સમજીને પોતાના ક્ષેત્રમાં વધુમાં વધુ મતદાન કરવા માટે બહાર નીકળે, જેથી એક પણ મત બાકી ન રહે.
વધુમાં, સુરતમાં બનેલી છેડતીની ઘટના અંગે પણ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે દીકરીની છેડતી જેવી સંવેદનશીલ ઘટનાઓમાં રાજનીતિ ન હોવી જોઈએ. સરકારે આ મામલે કડક કાર્યવાહી કરી છે અને ગુનેગારો સામે ગંભીરતાપૂર્વક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અમરેલીમાં મતદાન વચ્ચે માથાકૂટ, ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
