AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્રહ દશાથી પરેશાન છો? જ્યોતિષ મુજબ આ 9 વૃક્ષોમાં છુપાયેલું છે તમારી સફળતાનું રહસ્ય, આજે જ જાણો

શું તમારું ભાગ્ય સાથ નથી આપી રહ્યું? મોંઘા રત્નો કે વિધિઓ પાછળ ખર્ચ કરવાને બદલે પ્રકૃતિનો સહારો લો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ 9 છોડ ગ્રહોની નબળી ચાલને સુધારી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે.

| Updated on: Apr 25, 2026 | 7:49 PM
Share
કહેવાય છે કે જો ગ્રહો સાથ આપે તો ધૂળ પણ સોનું બની જાય છે. પણ જ્યારે આ ગ્રહોની ચાલ બગડે છે, ત્યારે બનેલા કામ પણ અટકી જાય છે. અવારનવાર આપણે ગ્રહોની દિશા ઠીક કરવા માટે મોંઘી વીંટીઓ કે ભારે પૂજા-પાઠ વિશે વિચારીએ છીએ, પણ શું તમને ખબર છે કે તમારી બાલ્કની કે ગાર્ડનમાં લાગેલો એક નાનો છોડ પણ તમારી કિસ્મત બદલી શકે છે? હા, આયુર્વેદ અને જ્યોતિષ બંને માને છે કે આ છોડમાં ગજબની પોઝિટિવ એનર્જી હોય છે.

કહેવાય છે કે જો ગ્રહો સાથ આપે તો ધૂળ પણ સોનું બની જાય છે. પણ જ્યારે આ ગ્રહોની ચાલ બગડે છે, ત્યારે બનેલા કામ પણ અટકી જાય છે. અવારનવાર આપણે ગ્રહોની દિશા ઠીક કરવા માટે મોંઘી વીંટીઓ કે ભારે પૂજા-પાઠ વિશે વિચારીએ છીએ, પણ શું તમને ખબર છે કે તમારી બાલ્કની કે ગાર્ડનમાં લાગેલો એક નાનો છોડ પણ તમારી કિસ્મત બદલી શકે છે? હા, આયુર્વેદ અને જ્યોતિષ બંને માને છે કે આ છોડમાં ગજબની પોઝિટિવ એનર્જી હોય છે.

1 / 10
સૂર્ય માટે: આંકડો (મદાર): સૂર્યને ગ્રહોના રાજા અને માન-સન્માનના કારક માનવામાં આવે છે. જો કાર્યક્ષેત્રમાં અવરોધો આવતા હોય કે આત્મવિશ્વાસની કમી હોય, તો રવિવારના દિવસે આંકડાના છોડનું પૂજન કરવાથી પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.

સૂર્ય માટે: આંકડો (મદાર): સૂર્યને ગ્રહોના રાજા અને માન-સન્માનના કારક માનવામાં આવે છે. જો કાર્યક્ષેત્રમાં અવરોધો આવતા હોય કે આત્મવિશ્વાસની કમી હોય, તો રવિવારના દિવસે આંકડાના છોડનું પૂજન કરવાથી પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે.

2 / 10
ચંદ્ર માટે: ખાખરો (પલાશ): ચંદ્ર મન અને માનસિક સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે. માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવા માટે ખાખરાના વૃક્ષની સંભાળ રાખવી અત્યંત લાભદાયી છે. તેનાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.

ચંદ્ર માટે: ખાખરો (પલાશ): ચંદ્ર મન અને માનસિક સ્વાસ્થ્યને નિયંત્રિત કરે છે. માનસિક શાંતિ અને એકાગ્રતા વધારવા માટે ખાખરાના વૃક્ષની સંભાળ રાખવી અત્યંત લાભદાયી છે. તેનાથી પારિવારિક સંબંધોમાં મધુરતા આવે છે.

3 / 10
મંગળ માટે: ખેર: મંગળ ગ્રહ ઉર્જા, સાહસ અને જમીનનો સ્વામી છે. જો સ્વભાવમાં ઉગ્રતા હોય કે મિલકત સંબંધી વિવાદો ચાલતા હોય, તો મંગળ દોષના નિવારણ માટે ખેરનું વૃક્ષ વાવવું જોઈએ.

મંગળ માટે: ખેર: મંગળ ગ્રહ ઉર્જા, સાહસ અને જમીનનો સ્વામી છે. જો સ્વભાવમાં ઉગ્રતા હોય કે મિલકત સંબંધી વિવાદો ચાલતા હોય, તો મંગળ દોષના નિવારણ માટે ખેરનું વૃક્ષ વાવવું જોઈએ.

4 / 10
બુધ માટે: અઘેડો (અપામાર્ગ): બુધ ગ્રહ બુદ્ધિ અને વેપાર કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે અઘેડાનો છોડ શુભ ગણાય છે. તે નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે.

બુધ માટે: અઘેડો (અપામાર્ગ): બુધ ગ્રહ બુદ્ધિ અને વેપાર કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે અઘેડાનો છોડ શુભ ગણાય છે. તે નિર્ણય લેવાની ક્ષમતામાં સુધારો કરે છે.

5 / 10
ગુરુ (બૃહસ્પતિ) માટે: પીપળો અને કેળ: બૃહસ્પતિ જ્ઞાન અને સમૃદ્ધિના કારક છે. આર્થિક સ્થિરતા અને વૈવાહિક સુખ માટે ગુરુવારે પીપળા કે કેળના વૃક્ષનું પૂજન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

ગુરુ (બૃહસ્પતિ) માટે: પીપળો અને કેળ: બૃહસ્પતિ જ્ઞાન અને સમૃદ્ધિના કારક છે. આર્થિક સ્થિરતા અને વૈવાહિક સુખ માટે ગુરુવારે પીપળા કે કેળના વૃક્ષનું પૂજન કરવાથી દરિદ્રતાનો નાશ થાય છે.

6 / 10
શુક્ર માટે: ઉમરો (ગુલર): શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સુવિધાઓ અને સુંદરતાનું પ્રતીક છે. જો જીવનમાં વૈભવની કમી હોય, તો ઉમરાના વૃક્ષની સેવા ફળદાયી માનવામાં આવે છે. તેનાથી જીવનમાં સુખ-સાધનોની વૃદ્ધિ થાય છે.

શુક્ર માટે: ઉમરો (ગુલર): શુક્ર ગ્રહ ભૌતિક સુખ-સુવિધાઓ અને સુંદરતાનું પ્રતીક છે. જો જીવનમાં વૈભવની કમી હોય, તો ઉમરાના વૃક્ષની સેવા ફળદાયી માનવામાં આવે છે. તેનાથી જીવનમાં સુખ-સાધનોની વૃદ્ધિ થાય છે.

7 / 10
શનિ માટે: ખીજડો (શમી): શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની સાડાસાતી કે ઢૈય્યાની અસરો ઓછી કરવા માટે શમીનો છોડ સૌથી પ્રભાવશાળી છે. શનિવારે સાંજે શમીના છોડ નીચે દીવો પ્રગટાવવાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે.

શનિ માટે: ખીજડો (શમી): શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. શનિની સાડાસાતી કે ઢૈય્યાની અસરો ઓછી કરવા માટે શમીનો છોડ સૌથી પ્રભાવશાળી છે. શનિવારે સાંજે શમીના છોડ નીચે દીવો પ્રગટાવવાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે.

8 / 10
રાહુ માટે: ચંદન: રાહુ અચાનક આવતા સંકટોનો કારક છે. રાહુના નકારાત્મક પ્રભાવોને શાંત કરવા માટે ચંદનનું વિશેષ મહત્વ છે. ચંદનની શીતળતા રાહુની ઉગ્રતાને શાંત કરે છે અને માનસિક સ્પષ્ટતા આપે છે.

રાહુ માટે: ચંદન: રાહુ અચાનક આવતા સંકટોનો કારક છે. રાહુના નકારાત્મક પ્રભાવોને શાંત કરવા માટે ચંદનનું વિશેષ મહત્વ છે. ચંદનની શીતળતા રાહુની ઉગ્રતાને શાંત કરે છે અને માનસિક સ્પષ્ટતા આપે છે.

9 / 10
કેતુ માટે: અશ્વગંધા: કેતુ ગ્રહને માનસિક દ્વંદ્વ સાથે જોડવામાં આવે છે. કેતુની શાંતિ માટે અશ્વગંધાનો છોડ શ્રેષ્ઠ છે. તેની સેવા કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને માનસિક ભ્રમની સ્થિતિ સમાપ્ત થાય છે.

કેતુ માટે: અશ્વગંધા: કેતુ ગ્રહને માનસિક દ્વંદ્વ સાથે જોડવામાં આવે છે. કેતુની શાંતિ માટે અશ્વગંધાનો છોડ શ્રેષ્ઠ છે. તેની સેવા કરવાથી સ્વાસ્થ્ય સુધરે છે અને માનસિક ભ્રમની સ્થિતિ સમાપ્ત થાય છે.

10 / 10

નોંધ: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. tv9gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે પુષ્ટિ કરતું નથી.

Tulsi Vastu: કાળઝાળ ગરમીમાં સુકાઈ ગયો છે તુલસીનો છોડ? ફેંકવાની ભૂલ ન કરતા, આ ડાળીનો ઉપાયો તમને કરી દેશે માલામાલ!

Follow Us
g clip-path="url(#clip0_868_265)">