AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંક કર્મચારીઓ તૈયાર રહે… હવે થશે ‘મોટો પગાર’ વધારો, તમારા ખાતામાં વધારાના પૈસા ક્યારે આવશે?

બેંકોના કર્મચારીઓ માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. સરકારે બેંક કર્મચારીઓના 13મા પગાર વધારા માટેની પ્રક્રિયા અત્યારથી જ તેજ કરી દેવા માટે આદેશ આપ્યો છે.

| Updated on: Apr 26, 2026 | 6:24 PM
Share
સરકાર ઈચ્છે છે કે, જાહેર ક્ષેત્રની બેંકો (PSB) તેમના કર્મચારીઓના પગાર વધારા સાથે જોડાયેલી આગામી પ્રક્રિયામાં વિલંબ ન કરે. આ માટે બેંકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ 13માં બાય-પાર્ટાઈટ સેટલમેન્ટ (દ્વિપક્ષીય કરાર) પર વાટાઘાટો વહેલી તકે શરૂ કરે અને તેને એક વર્ષની અંદર પૂર્ણ કરે. આનો મુખ્ય હેતુ એ છે કે, 1 નવેમ્બર 2027 થી અમલમાં આવનાર વેજ રિવિઝન (પગાર સુધારો) સમયસર લાગુ થઈ જાય અને કર્મચારીઓને કોઈ અનિશ્ચિતતાનો સામનો ન કરવો પડે.

સરકાર ઈચ્છે છે કે, જાહેર ક્ષેત્રની બેંકો (PSB) તેમના કર્મચારીઓના પગાર વધારા સાથે જોડાયેલી આગામી પ્રક્રિયામાં વિલંબ ન કરે. આ માટે બેંકોને કહેવામાં આવ્યું છે કે, તેઓ 13માં બાય-પાર્ટાઈટ સેટલમેન્ટ (દ્વિપક્ષીય કરાર) પર વાટાઘાટો વહેલી તકે શરૂ કરે અને તેને એક વર્ષની અંદર પૂર્ણ કરે. આનો મુખ્ય હેતુ એ છે કે, 1 નવેમ્બર 2027 થી અમલમાં આવનાર વેજ રિવિઝન (પગાર સુધારો) સમયસર લાગુ થઈ જાય અને કર્મચારીઓને કોઈ અનિશ્ચિતતાનો સામનો ન કરવો પડે.

1 / 7
સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ દર પાંચ વર્ષે તેમના કર્મચારીઓના પગારમાં સુધારો કરે છે, જેમાં વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી PTI ના જણાવ્યા અનુસાર, સરકારી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ માટે આગામી વેજ રિવિઝન 1 નવેમ્બર 2027 થી લાગુ થવાનું છે.

સામાન્ય રીતે જાહેર ક્ષેત્રની બેંકો અને નાણાકીય સંસ્થાઓ દર પાંચ વર્ષે તેમના કર્મચારીઓના પગારમાં સુધારો કરે છે, જેમાં વીમા કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સમાચાર એજન્સી PTI ના જણાવ્યા અનુસાર, સરકારી બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓ માટે આગામી વેજ રિવિઝન 1 નવેમ્બર 2027 થી લાગુ થવાનું છે.

2 / 7
આ પ્રક્રિયામાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) કર્મચારી યુનિયનો અને એસોસિએશનો સાથે વાટાઘાટો કરે છે તેમજ પરસ્પર સંમતિથી વેજ એગ્રીમેન્ટ નક્કી કરવામાં આવે છે. કામગીરીમાં સ્થિરતા જળવાઈ રહે અને કર્મચારીઓમાં અસંતોષ ન વધે તે માટે વેજ સેટલમેન્ટ સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. આ કારણોસર, નાણાકીય સેવા વિભાગે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને વાટાઘાટોની તૈયારી તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું છે, જેથી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય. 20 એપ્રિલે જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 12 મહિનામાં પૂર્ણ કરવી જોઈએ.

આ પ્રક્રિયામાં ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) કર્મચારી યુનિયનો અને એસોસિએશનો સાથે વાટાઘાટો કરે છે તેમજ પરસ્પર સંમતિથી વેજ એગ્રીમેન્ટ નક્કી કરવામાં આવે છે. કામગીરીમાં સ્થિરતા જળવાઈ રહે અને કર્મચારીઓમાં અસંતોષ ન વધે તે માટે વેજ સેટલમેન્ટ સમયસર પૂર્ણ થાય તે જરૂરી છે. આ કારણોસર, નાણાકીય સેવા વિભાગે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓને વાટાઘાટોની તૈયારી તાત્કાલિક શરૂ કરવા જણાવ્યું છે, જેથી પ્રક્રિયામાં કોઈ વિલંબ ન થાય. 20 એપ્રિલે જાહેર કરાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, બેંકોએ આ સમગ્ર પ્રક્રિયા વધુમાં વધુ 12 મહિનામાં પૂર્ણ કરવી જોઈએ.

3 / 7
અગાઉ જોવામાં આવ્યું છે કે, ઘણી વખત વેજ સેટલમેન્ટ તો થઈ જાય છે પરંતુ તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર ખૂબ મોડો કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓને સમયસર લાભ મળી શકતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે અગાઉ જ IBA ને નિર્દેશ આપ્યો હતો કે, ભવિષ્યમાં વેજ નેગોશિયેશન (પગાર વાટાઘાટો) આગામી સમયગાળો શરૂ થાય તે પહેલાં જ ફાઈનલ કરી લેવામાં આવે, જેથી પગાર સુધારો નિયત તારીખથી લાગુ થઈ શકે.

અગાઉ જોવામાં આવ્યું છે કે, ઘણી વખત વેજ સેટલમેન્ટ તો થઈ જાય છે પરંતુ તેની સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર ખૂબ મોડો કરવામાં આવે છે. આનાથી કર્મચારીઓને સમયસર લાભ મળી શકતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને નાણા મંત્રાલયે અગાઉ જ IBA ને નિર્દેશ આપ્યો હતો કે, ભવિષ્યમાં વેજ નેગોશિયેશન (પગાર વાટાઘાટો) આગામી સમયગાળો શરૂ થાય તે પહેલાં જ ફાઈનલ કરી લેવામાં આવે, જેથી પગાર સુધારો નિયત તારીખથી લાગુ થઈ શકે.

4 / 7
હવે જ્યારે આ વખતે વાટાઘાટો સમયસર શરૂ થઈ રહી છે, ત્યારે એમ પણ કહેવામાં આવ્યું છે કે, જરૂરી નિયમોમાં ફેરફાર પણ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરવામાં આવે. સરકારી બેંકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત દેખાવ કર્યો છે. નાણાકીય વર્ષ 2023 માં તેમનો કુલ નફો 1.05 લાખ કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2024 માં વધીને 1.41 લાખ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025 માં 1.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આ સુધારો સારી એસેટ ક્વોલિટી, સતત વધતી લોન અને મજબૂત કેપિટલ બફરને કારણે આવ્યો છે.

હવે જ્યારે આ વખતે વાટાઘાટો સમયસર શરૂ થઈ રહી છે, ત્યારે એમ પણ કહેવામાં આવ્યું છે કે, જરૂરી નિયમોમાં ફેરફાર પણ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરવામાં આવે. સરકારી બેંકોએ છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત દેખાવ કર્યો છે. નાણાકીય વર્ષ 2023 માં તેમનો કુલ નફો 1.05 લાખ કરોડ રૂપિયા હતો, જે નાણાકીય વર્ષ 2024 માં વધીને 1.41 લાખ કરોડ રૂપિયા અને નાણાકીય વર્ષ 2025 માં 1.78 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો છે. આ સુધારો સારી એસેટ ક્વોલિટી, સતત વધતી લોન અને મજબૂત કેપિટલ બફરને કારણે આવ્યો છે.

5 / 7
જાહેર ક્ષેત્રની બેંકોની બેલેન્સ શીટ પણ સતત મજબૂત થઈ છે. સપ્ટેમ્બર 2025 ના અંત સુધીમાં ગ્રોસ NPA ઘટીને 2.30% ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે, જ્યારે નેટ NPA લગભગ 3% રહ્યો છે. પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો વધીને 94.63% થયો છે અને નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ 6 મહિનાના અંત સુધીમાં કેપિટલ એડિકવસી રેશિયો 15.96% પર રહ્યો છે, જે મજબૂત સ્થિતિ દર્શાવે છે.

જાહેર ક્ષેત્રની બેંકોની બેલેન્સ શીટ પણ સતત મજબૂત થઈ છે. સપ્ટેમ્બર 2025 ના અંત સુધીમાં ગ્રોસ NPA ઘટીને 2.30% ના રેકોર્ડ નીચલા સ્તરે આવી ગયો છે, જ્યારે નેટ NPA લગભગ 3% રહ્યો છે. પ્રોવિઝનિંગ કવરેજ રેશિયો વધીને 94.63% થયો છે અને નાણાકીય વર્ષ 2026 ના પ્રથમ 6 મહિનાના અંત સુધીમાં કેપિટલ એડિકવસી રેશિયો 15.96% પર રહ્યો છે, જે મજબૂત સ્થિતિ દર્શાવે છે.

6 / 7
આ વેજ સેટલમેન્ટનો સીધો ફાયદો જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓને મળે છે. આ ઉપરાંત, જૂની ખાનગી બેંકો અને કેટલીક વિદેશી બેંકોના કર્મચારીઓ પણ આનાથી પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ પણ સમાન પગાર કરારના દાયરામાં આવે છે. સરકારનો ભાર આ વખતે સમયસર વેજ સેટલમેન્ટ પૂર્ણ કરાવવા પર છે, જેથી કર્મચારીઓને નિયત તારીખથી જ નવા પગારનો લાભ મળી શકે. એવામાં મજબૂત નફો અને સારી બેલેન્સ શીટ આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકે છે.

આ વેજ સેટલમેન્ટનો સીધો ફાયદો જાહેર ક્ષેત્રની બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓને મળે છે. આ ઉપરાંત, જૂની ખાનગી બેંકો અને કેટલીક વિદેશી બેંકોના કર્મચારીઓ પણ આનાથી પ્રભાવિત થાય છે, કારણ કે તેઓ પણ સમાન પગાર કરારના દાયરામાં આવે છે. સરકારનો ભાર આ વખતે સમયસર વેજ સેટલમેન્ટ પૂર્ણ કરાવવા પર છે, જેથી કર્મચારીઓને નિયત તારીખથી જ નવા પગારનો લાભ મળી શકે. એવામાં મજબૂત નફો અને સારી બેલેન્સ શીટ આ પ્રક્રિયાને વધુ સરળ બનાવી શકે છે.

7 / 7

ખજાનો ખાલી થવાના આરે? એક શક્તિશાળી દેશે અચાનક વેચી દીધું હજારો કિલો સોનું, દુનિયાભરમાં ચર્ચા શરૂ

Follow Us
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
1.5 ટનનું AC એક રાતમાં કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
ગાયક કલાકાર અને ઉમેદવાર રાજલ બારોટે કર્યુ મતદાન, જુઓ-Video
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે વડોદરામાં કર્યું મતદાન
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
ઘરેથી પણ મતદાન કરી શકાય તેવી વ્યવસ્થા કરવા સિનિયર સિટીઝનની માંગ
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે 'છૂટા હાથની મારામારી'
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
'વોટ' લેવા છે પણ 'સુવિધા' નથી આપવી! 200 મતદારોએ મતદાનનો વિરોધ કર્યો
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
આણંદના સાંસેજમાં મતદાન બુથ પર કર્મચારીનું મોત
g clip-path="url(#clip0_868_265)">