AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : હરભજન સિંહ હવે CRPF સુરક્ષા હેઠળ રહેશે, માન સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્રએ વધારાની સુરક્ષા પૂરી પાડી

રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની પંજાબ સરકાર દ્વારા સુરક્ષા દુર કર્યા બાદ કેન્દ્ર સરકારે સીઆરપીએફની સુરક્ષા આપી છે. આ ઘટના પંજાબમાં જોવા મળતા રાજનીતિક સંકટ વચ્ચે થઈ છે. રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો કે, આમ આદમી પાર્ટીના અનેક સાંસદ પાર્ટી બદલી રહ્યા છે. હરભજન સિંહનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થવાથી રાજનીતિમાં હલચલ મચી ગઈ છે.

Breaking News : હરભજન સિંહ હવે CRPF સુરક્ષા હેઠળ રહેશે, માન સરકારે તેમની સુરક્ષા પાછી ખેંચી લીધી, કેન્દ્રએ વધારાની સુરક્ષા પૂરી પાડી
| Updated on: Apr 27, 2026 | 10:52 AM
Share

પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ હરભજન સિંહની સિક્યોરિટી પરત લઈ લીધી છે. તેના ઘરની બહારથી પંજાબ પોલીસ સુરક્ષાકર્મચારીઓને દુર કર્યા છે. રાધવ ચઢ્ઢાએ હરભજન સિંહના આમ આદમી પાર્ટી છોડવાનો દાવો કર્યો હતો. પંજાબ પોલીસની સુરક્ષા કવર દુર કર્યા બાદ તરત જ રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહને સીઆરપીએફની સુરક્ષા કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. તેના જલંધરના ઘરની બહાર સીઆરપીએફને તૈનાત કરવામાં આવ્યા છે.

પંજાબ સરકારે રાજ્યસભાના સાંસદ અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહની સુરક્ષા પરત લઈ લીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે. જયારે આમ આદમી પાર્ટીથી અલગ થઈ ભાજપમાં સામેલ થયેલા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, હરભજન સિંહ પણ આમ આદમી પાર્ટી છોડનાર 7 સાંસદમાં સામેલ છે. હરભજન સિંહના સ્ટાફ મુજબ પંજાબ સરકારે પોલીસ સિક્યોરીટી પરત લઈ લીધી છે. 9 થી 10 સુરક્ષાકર્મચારીઓ અને સરકારી એસ્કોર્ટ ગાડી પંજાબ સરકારે પરત લઈ લીધી છે.

આમ આદમી પાર્ટીના 7 સાંસદોએ પક્ષ બદલ્યો

આ ઘટના પંજાબમાં રાજકીય સંકટ વચ્ચે આવી છે, જે AAPના સાત રાજ્યસભા સાંસદો – રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, રાજિન્દર ગુપ્તા, અશોક મિત્તલ અને વિક્રમ સાહનીના પક્ષપલટા પછી શરૂ થયું હતું, જેના કારણે પક્ષના કાર્યકરો અને નેતાઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાઓ આવી હતી.શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા રાધવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે, આમઆદમી પાર્ટીના ઉપરના સદનમાં લગભગ બે તૃતીયાંશ સાંસદો તેમની સાથે જવા તૈયાર છે, જે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની પાર્ટી માટે મોટો ઝટકો છે.

હરભજન સિંહ પાસે સૌથી મોટી સુરક્ષા ટીમ હતી, જેમાં એક ડઝનથી વધુ કર્મચારીઓ હતા. સુરક્ષા હટાવવાનું આ પગલું એવા સમયે આવ્યું છે જ્યારે AAP લુધિયાણા, ભટિંડા, ફરીદકોટ અને ચંદીગઢમાં આ સાંસદો વિરુદ્ધ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે.

બોલીવુડની સુંદર અભિનેત્રીના દિલ પર રાજ કરનાર સાંસદ-ક્રિકેટર હરભજન સિંહના પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">