Breaking News : માતા-પિતા સાથે કેદારનાથ જવાનો બનાવી લો પ્લાન, આ તારીખે ખુલશે કેદારનાથ ધામના કપાટ
મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. તો જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો જાણી લો કેદારનાથ ધામના કપાટ ક્યારે ખુલશે. તેમજ કેદારનાથ ધામ કેવી રીતે પહોંચશો.

મહાશિવરાત્રિના પાવન અવસર પર કેદારનાથ ધામના કપાટ ખુલવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 12 જ્યોતિર્લિંગોમાંના એક કેદારનાથ ધામના દરવાજા 2 મેના રોજ સવારે 7 વાગ્યે ખોલવામાં આવશે.

28 એપ્રિલે પાલખી શીતકાલીન ગદ્દીસ્થળ પરથી ધામ માટે રવાના થશે અને 1 મેના રોજ બાબા કેદારની પાલખી કેદારનાથ પહોંચશે.દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો કેદારનાથ ધામના દર્શન કરવા પહોંચે છે.

કેદારનાથ ધામ ઉત્તરાખંડની ગોદમાં આવેલું એક પ્રસિદ્ધ તીર્થસ્થાન છે. જો તમે પણ કેદારનાથ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ચાલો જાણીએ કેવી રીતે જવું સરળ રહેશે.

કેદારનાથ ધામ જો તમે જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો સૌથી પહેલા તમારે અમદાવાદથી હરિદ્વાર જવાનું રહેશે. ત્યારબાદ હરિદ્વારથી ગૌરી કુંડ પહોંચવાનું રહેશે.

ત્યારબાદ તમારી કેદારનાથની યાત્રા શરુ થશે. તમે ચાલીને અથવા તો જો હેલિકોપ્ટર સેવા બજેટની બહાર છે તો તમે ગૌરીકુંડથી કેદારનાથ સુધી પાલખી અને ઘોડા પણ બુક કરાવી શકો છો.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.

કેદારનાથ જવા માટે, તમને દિલ્હી અથવા અન્ય કોઈપણ શહેરથી દેહરાદૂન જવા માટે બસ, ફ્લાઇટ અથવા ટ્રેન મળશે. દિલ્હીથી તમે રોડ માર્ગે કેદારનાથ જઈ શકો છો, અહીંથી કેદારનાથ ધામનું અંતર 466 કિલોમીટર છે.
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું ખુબ મહત્વ છે, ઉત્તરાખંડમાં આવેલા આ ચાર ધામમાં કેદારનાથ, બદરીનાથ, યમનોત્રી, ગંગોત્રીનો સમાવેશ થાય છે. ચાર ધામ યાત્રાના વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
