AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘી દવાઓ લાવવાની જરૂર નથી ! ઊધઈને જડમૂળથી ખતમ કરવા અપનાવો આ ‘4 આસાન ઘરેલું ટિપ્સ’

મોંઘા ફર્નિચરને અંદરથી ખોખલું કરતી ઊધઈનો ખતરો ગરમી અને ચોમાસામાં ખૂબ વધી જાય છે. જો તમે મોંઘા કેમિકલ વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો તમારા રસોડામાં જ એવી 4 સિક્રેટ વસ્તુઓ હાજર છે કે, જે ઊધઈનો કાયમી ખાતમો કરી શકે છે.

| Updated on: May 19, 2026 | 8:18 PM
Share
ઊધઈ એક ‘સાઈલન્ટ કિલર' છે, જે ધીમે-ધીમે તમારા મોંઘા ફર્નિચરને અંદરથી ખોખલું કરી નાખે છે. ખાસ કરીને ગરમી અને ચોમાસાની ઋતુમાં તેનો ખતરો ઝડપથી વધી જાય છે. જો તમે પણ કોઈ કેમિકલ વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો આ 4 સરળ ઘરેલું ઉપાય તમારી મોટી સમસ્યા હલ કરી શકે છે.

ઊધઈ એક ‘સાઈલન્ટ કિલર' છે, જે ધીમે-ધીમે તમારા મોંઘા ફર્નિચરને અંદરથી ખોખલું કરી નાખે છે. ખાસ કરીને ગરમી અને ચોમાસાની ઋતુમાં તેનો ખતરો ઝડપથી વધી જાય છે. જો તમે પણ કોઈ કેમિકલ વગર તેનાથી છુટકારો મેળવવા માંગો છો, તો આ 4 સરળ ઘરેલું ઉપાય તમારી મોટી સમસ્યા હલ કરી શકે છે.

1 / 6
ઘણીવાર તો જ્યાં સુધી આપણને ખબર પડે છે, ત્યાં સુધીમાં લાકડું અંદરથી સંપૂર્ણપણે ખોખલું થઈ ચૂક્યું હોય છે. જો તમારા ઘરમાં પણ સોફા, બેડ, કબાટ કે દરવાજામાં ઊધઈએ પોતાનું ઘર બનાવી લીધું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ સરળ અને અસરકારક ઉપાય અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

ઘણીવાર તો જ્યાં સુધી આપણને ખબર પડે છે, ત્યાં સુધીમાં લાકડું અંદરથી સંપૂર્ણપણે ખોખલું થઈ ચૂક્યું હોય છે. જો તમારા ઘરમાં પણ સોફા, બેડ, કબાટ કે દરવાજામાં ઊધઈએ પોતાનું ઘર બનાવી લીધું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. બસ આ સરળ અને અસરકારક ઉપાય અપનાવીને તમે તેનાથી છુટકારો મેળવી શકો છો.

2 / 6
રસોડામાં રહેલો 'સફેદ સરકો' (White Vinegar) ઊધઈ માટે કાળ સમાન છે. એક કપ સરકામાં બે લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં પણ તમને ઊધઈ અથવા તેના દ્વારા બનાવવામાં આવેલી માટીની લાઈનો દેખાય, ત્યાં આનો ભરપૂર છંટકાવ કરો. આની તીવ્ર એસિડિક પ્રોપર્ટીઝ ઊધઈને તરત જ ખતમ કરી દે છે.

રસોડામાં રહેલો 'સફેદ સરકો' (White Vinegar) ઊધઈ માટે કાળ સમાન છે. એક કપ સરકામાં બે લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી લો. હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લો. હવે જ્યાં પણ તમને ઊધઈ અથવા તેના દ્વારા બનાવવામાં આવેલી માટીની લાઈનો દેખાય, ત્યાં આનો ભરપૂર છંટકાવ કરો. આની તીવ્ર એસિડિક પ્રોપર્ટીઝ ઊધઈને તરત જ ખતમ કરી દે છે.

3 / 6
ઊધઈને મારવા માટે 'બોરિક એસિડ' સૌથી બેસ્ટ અને પાકો ઉપાય માનવામાં આવે છે. તમે બજારમાંથી બોરિક એસિડ પાવડર લાવી શકો છો. હવે પાણીમાં આ પાવડરને મિક્સ કરીને એક ઘટ્ટ દ્રાવણ (ઘોળ) બનાવી લો. આ દ્રાવણને ઊધઈ લાગી હોય તે જગ્યા પર સ્પ્રે કરો અથવા બ્રશની મદદથી લગાવી દો. આ સિવાય જ્યારે ઊધઈ આના સંપર્કમાં આવે છે, ત્યારે તે બચી શકતી નથી.

ઊધઈને મારવા માટે 'બોરિક એસિડ' સૌથી બેસ્ટ અને પાકો ઉપાય માનવામાં આવે છે. તમે બજારમાંથી બોરિક એસિડ પાવડર લાવી શકો છો. હવે પાણીમાં આ પાવડરને મિક્સ કરીને એક ઘટ્ટ દ્રાવણ (ઘોળ) બનાવી લો. આ દ્રાવણને ઊધઈ લાગી હોય તે જગ્યા પર સ્પ્રે કરો અથવા બ્રશની મદદથી લગાવી દો. આ સિવાય જ્યારે ઊધઈ આના સંપર્કમાં આવે છે, ત્યારે તે બચી શકતી નથી.

4 / 6
લીમડામાં એવા ગુણો હોય છે, જે જીવડાં અને કીડા-મકોડાને દૂર રાખે છે. જો તમે ઊધઈ વાળી જગ્યા પર લીમડાનું શુદ્ધ તેલ લગાવો છો, તો ઊધઈ ત્યાંથી ભાગી જાય છે. સૌથી સારી વાત એ છે કે, લીમડાનું તેલ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને તેનાથી ફર્નિચરને પણ કોઈ નુકસાન થતું નથી. તમે ઈચ્છો તો રૂની મદદથી તેને લાકડા પર લગાવી શકો છો.

લીમડામાં એવા ગુણો હોય છે, જે જીવડાં અને કીડા-મકોડાને દૂર રાખે છે. જો તમે ઊધઈ વાળી જગ્યા પર લીમડાનું શુદ્ધ તેલ લગાવો છો, તો ઊધઈ ત્યાંથી ભાગી જાય છે. સૌથી સારી વાત એ છે કે, લીમડાનું તેલ સંપૂર્ણપણે સુરક્ષિત હોય છે અને તેનાથી ફર્નિચરને પણ કોઈ નુકસાન થતું નથી. તમે ઈચ્છો તો રૂની મદદથી તેને લાકડા પર લગાવી શકો છો.

5 / 6
મીઠું અને ગરમ પાણી પણ એક સૌથી સસ્તો અને સરળ ઉપાય છે. સરખી માત્રામાં મીઠું અને ગરમ પાણી એકસાથે મિક્સ કરી લો, જ્યાં સુધી મીઠું સંપૂર્ણપણે ઓગળી ન જાય. હવે આ મીઠાવાળા પાણીને સિરીંજ (ઇન્જેક્શન) અથવા સ્પ્રેની મદદથી ઊધઈના કાણાંની અંદર નાખો. મીઠું ઊધઈના શરીરને સૂકવી નાખે છે, જેનાથી તે તરત જ મરી જાય છે.

મીઠું અને ગરમ પાણી પણ એક સૌથી સસ્તો અને સરળ ઉપાય છે. સરખી માત્રામાં મીઠું અને ગરમ પાણી એકસાથે મિક્સ કરી લો, જ્યાં સુધી મીઠું સંપૂર્ણપણે ઓગળી ન જાય. હવે આ મીઠાવાળા પાણીને સિરીંજ (ઇન્જેક્શન) અથવા સ્પ્રેની મદદથી ઊધઈના કાણાંની અંદર નાખો. મીઠું ઊધઈના શરીરને સૂકવી નાખે છે, જેનાથી તે તરત જ મરી જાય છે.

6 / 6

અંબાણીના આઈસ્ક્રીમનો ભાવ કેટલો અને તે કયા દૂધમાંથી બને છે? આ જાણ્યા બાદ તમે જ કહેશો કે, ‘આટલામાં તો આખા મહિનાનું દૂધ આવી જાય’

Follow Us
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
નવા નેતાઓને નીતિન પટેલની કડક શિખામણ, કામ કરીને પ્રજાનો વિશ્વાસ જીતો
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
હવે 'ભાજપ' વિરુદ્ધ 'ભાજપ'! BJP ના બે જૂથ જાહેરમાં મારામારી
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
જુનાગઢમાં ઇંધણની કટોકટી: ડીઝલ અછત અને લાંબી કતારોથી વાહનચાલકોમાં રોષ
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
TMCના ઉમેદવાર જહાંગીરે ફલતા બેઠક પરથી ચૂંટણી લડવા કર્યો ઈન્કાર-Video
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
રાજકોટમાં ડીઝલ લેવા માટે ખેડૂતોની લાઈન, ઇંધણ ન મળતા ખેતીકામ પર અસર
g clip-path="url(#clip0_868_265)">