Tejasswi Prakash On Wedding: તેજસ્વી પ્રકાશે કરણ કુન્દ્રા સાથેના લગ્ન પર મૌન તોડ્યું, કહ્યું ક્યારે બનશે કરણની ‘કન્યા’
Tejasswi Prakash On Wedding:તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાના લગ્નને લઈને ઘણી વખત સવાલો ઉઠ્યા છે. હવે આખરે તેજસ્વીએ કરણ સાથે લગ્ન કરવા પર મૌન તોડ્યું છે.

નાના પડદાના કપલ વિશે વાત કરીએ તો, તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાનો ઉલ્લેખ કેમ ન થાય. તેજસ્વી અને કરણ જેટલા એકબીજાને પસંદ કરે છે, તેટલી જ તેમના ચાહકોને તેમની જોડી ગમે છે. બંને સ્ટાર્સ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

ઓન સ્ક્રીન હોય કે પછી ઓન સ્ક્રીન તેજસ્વી પ્રકાશ અને કરણ કુંદ્રા હંમેશા એક સાથે સુંદર જોવા મળે છે. ચાહકોએ બંન્નેને તેજરન નામ આપ્યું છે, તેની કેમેસ્ટ્રીને જોઈ હંમેશા બંન્નેના લગ્નને લઈ સવાલો થાય છે.

હવે તેજસ્વી પ્રકાશ દ્રારા કરણ કુંદ્રા સાથે લગ્નને લઈ સવાલ પર જવાબ આપ્યો છે, એક ઈન્ટરવ્યુમાં તેજસ્વી પ્રકાશે કહ્યું કે, કરણની સાથે રિલેશનશિપમાં બંન્ને સિક્યોર ફીલ કરે છે. આ સિવાય તેમણે કહ્યું કે, હાલમાં તેને લગ્નને લઈ કોઈ પ્રશર નથી,

તેજસ્વી પ્રકાશે કહ્યું કરણ અને મારા લગ્નને લઈ સવાલો ખુબ થાય છે. કરણને ખબર છે હું મારી પ્રોફેશનલ લાઈફમાં એક સ્થાન પર છું જ્યાં લોકોને લાગે કે હું લગ્ન માટે તૈયાર છું. તેને ખબર છે તેને જીંદગીમાં શું જોઈએ અમે અમારા સંબંધને લઈ ખુશ છીએ. આ માટે કોઈ પ્રેશર નથી,

તમને જણાવી દઈએ કે, કરણ કુંદ્રા અને તેજસ્વી પ્રકાશની લવ સ્ટોરી સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસ સીઝન 15થી શરુ થઈ હતી. ત્યારથી બંન્ને એક સાથે છે. બંન્ને સ્ટાર મ્યુઝિક વીડિયો બારિશમાં સાથે જોવા મળી ચૂક્યા છે. (all Photos: kkundrra,tejasswiprakash insta)