કેમ પાકિસ્તાન પરત નથી ફરી Seema Haider? કેવી રીતે બચી ગઈ જાણો કારણ
પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. પરંતુ પોતાના PUBG પ્રેમને મળવા માટે નેપાળ થઈને ભારત આવેલી સીમા હૈદર હજુ પાકિસ્તાન પરત ફરી નથી. ત્યારે સીમા હૈદરને કેમ પાકિસ્તાન નથી મોકલવમાં આવી અને કેવી રીતે તે બચી ગઈ ચાલો જાણીએ

ભારતમાં ગેરકાયદેસર રીતે રહેતા પાકિસ્તાની નાગરિકોને તેમના દેશમાં પાછા મોકલવાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. પરંતુ પોતાના PUBG પ્રેમને મળવા માટે નેપાળ થઈને ભારત આવેલી સીમા હૈદર હજુ પાકિસ્તાન પરત ફરી નથી. આ અંગે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે સીમા હૈદરને કેમ પાકિસ્તાન નથી મોકલવમાં આવી અને કેવી રીતે તે બચી ગઈ તે આખો દેશ જાણવા માંગે છે.

તમને જણાવી દઈએ કે સીમા વીઝા વગર એટલે કે ઈલલીગલ રીતે ભારતમાં આવી છે તો પછી તેના પર વીઝાનો કોઈ નિયમ લાગુ પડી શકે તેમ નથી. જો તે વીઝા લઈને ભારત આવતી તો તેને પાકિસ્તાન પરત ફરવું જ પડત, પણ તેના ખોટી રીતે ભારત આવતા હાલ તે બચી ગઈ છે.

પણ સીમાના ઈલલીગલ રીતે ભારત આવવા પર ઉત્તર પ્રદેશ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે આ કેસ જ્યાં સુધી ચાલી રહ્યો છે ત્યાં સુધી સીમા સીમા હૈદર અહીં જ રહેવું પડશે, તેમજ સીમાએ તેની ભારતીય નાગરીકતા માટે રાષ્ટ્રીયભવનમાં અરજી કરી છે આથી તે અરજી પર કોઈ નિર્ણય નહીં લેવાય ત્યાં સુધી સિમા ભારતમાં જ રહેશે.

ત્યારે આ બધાની વચ્ચે સીમા હૈદરનો કેસ લડી રહેલા વકીલ એપી સિંહનો દાવો છે કે ઉત્તર પ્રદેશ સરકારે 18 માર્ચે નોઈડામાં જન્મેલી સીમા હૈદરની પુત્રી માટે જન્મ પ્રમાણપત્ર બનાવ્યું છે. આવી સ્થિતિમાં, તે હવે ભારતની નાગરિક કહેવાશે. એપી સિંહ કહ્યું છે કે સીમાએ પાકિસ્તાનમાં જ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. બાદમાં, તેણે નેપાળ અને ભારત બંનેમાં હિન્દુ રીતરિવાજો સાથે ભારતીય નાગરિક સચિન મીણા સાથે લગ્ન કર્યા.

માન્ય વિઝા સાથે ભારત આવેલા તમામ પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા છે, પરંતુ ભારતીય વિઝા વિના આવેલી સીમા બચી ગઈ છે. એવું કહેવાય છે કે ક્યારેક કેટલાક ખરાબ કાર્યો પણ કઈક સારું કરી જાય છે. સીમાનો કેસ યુપી કોર્ટમાં છે કારણ કે તે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી. હવે સીમાને કોર્ટ પોતાનો નિર્ણય ન આપે ત્યાં સુધી અહીં રહેશે. સીમાનો કેસ પણ રાષ્ટ્રપતિ ભવનમાં છે. તેણીને ભારતીય નાગરિકતા આપવાની માંગ અંગે રાષ્ટ્રપતિ ભવને હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી.

ભારતીય નાગરિકતા માટે સીમાની અરજી પહેલગામ હુમલા પહેલા કરવામાં આવી હતી. જ્યાં સુધી રાષ્ટ્રપતિ ભવન તરફથી આ નિર્ણય ન આવે ત્યાં સુધી સીમાને ભારતમાંથી પાકિસ્તાન મોકલી શકાતી નથી. દરમિયાન, પહેલગામ હુમલા પછી, જ્યારે પાકિસ્તાનીઓને ભારતમાંથી હાંકી કાઢવાના સમાચાર આવ્યા, ત્યારે સીમાએ એક વીડિયો જાહેર કરીને યુપીના મુખ્યમંત્રી અને દેશના વડા પ્રધાનને અપીલ કરી કે તેમને પાકિસ્તાન ન મોકલવામાં આવે કારણ કે હવે તે ભારતની પુત્રવધૂ છે. સીમા મે 2023 માં નેપાળ થઈને ભારતમાં પ્રવેશી હતી.

તે પણ તેના ચાર બાળકો સાથે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા દ્વારા, સીમાને યુપીના ગ્રેટર નોઈડાના રહેવાસી સચિન મીણા સાથે પ્રેમ થઈ ગયો. તેણીએ પોતાનું નામ સીમા હૈદરથી બદલીને સીમા મીના રાખ્યું અને હિન્દુ ધર્મ અપનાવ્યો અને હિન્દુ રીતરિવાજ મુજબ લગ્ન કર્યા. સીમાને પહેલા નોઈડા પોલીસ અને પછી એટીએસ દ્વારા વિઝા વિના ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછ પછી, ગુપ્તચર એજન્સીઓ તરફથી મળેલા ઇનપુટ્સને ધ્યાનમાં રાખીને તેણીને જામીન પર મુક્ત કરવામાં આવી હતી.
પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ છે. લાહોર અને કરાચી પણ પાકિસ્તાનના મુખ્ય મોટા શહેરો છે. પાકિસ્તાનના વધુ સમાચાર જોવા માટે અહી ક્લકિ કરો

































































