વડતાલધામમાં રવિસભાનો ‘અમૃત મહોત્સવ’ અને 6000 કિલો દ્રાક્ષનો અન્નકૂટ ધરાયો, જુઓ Photos
વડતાલધામમાં યુવાનોમાં અતિશય લોકપ્રિય થઈ રહેલી રવિસભાનો “અમૃત મહોત્સવ” ઉજવાયો હતો. આ પ્રસંગે 6 ટન દ્રાક્ષના અન્નકૂટ માટે દ્રાક્ષ વેચાતી લેવામાં આવી નથી પરંતુ નાસિક રહીને શિક્ષણ- આરોગ્ય અને સત્સંગ સમાજ સેવામાં ભેખધારી વયોવૃદ્ધ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીમાંથી મોકલી છે.

શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થસ્થાન વડતાલધામમાં યુવાનોમાં અતિશય લોકપ્રિય થઈ રહેલી રવિસભાનો “અમૃત મહોત્સવ” ઉજવાયો હતો. આ પ્રસંગે 6 ટન દ્રાક્ષના અન્નકૂટ માટે દ્રાક્ષ વેંચાતી લેવામાં આવી નથી પરંતુ નાસિક રહીને શિક્ષણ- આરોગ્ય અને સત્સંગ સમાજ સેવામાં ભેખધારી વયોવૃદ્ધ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ પોતાની વાડીમાંથી મોકલેલ છે.

જાતે ફળ ફૂલ ઉછેરવા અને દેવ સેવામાં વાપરવાની પવિત્ર ભાવનાથી મંદિરોમાં દ્રાક્ષ ઉત્સવ કરાવતા રહે છે જે, આ તેમના તરફથી વડતાલધામમાં ત્રીજો દ્રાક્ષ ઉત્સવ છે. આજે રવિવારે આરાધ્ય ઈસ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને મહાપ્રતાપી શ્રી લક્ષ્મીનારાયણ દેવના સમક્ષ નાસિકથી મંગાવેલ 6 ટન દ્રાક્ષનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.

છેલ્લા સાત આઠ વર્ષથી ચાલતી અમૃત રવિસભા પ્રસંગે હજારોની સંખ્યામાં યુવકો અને સત્સંગના અગ્રણીઓ જોડાયા હતા. રવિસભામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી “ વચનામૃત”ની કથા વક્તા વિદ્વાન મુખ્ય કોઠારી ડો. સંત સ્વામી કરી રહ્યા છે.

સત્સંગ અને સમાજ જીવનની ઉપયોગી વાતોના કારણે સભા વધુને વધુ સત્સંગીઓમાં લોકપ્રિય થઈ છે. અમૃત રવિસભાના યજમાનપદે અક્ષરવાસી નારાયણભાઈનો કચ્છી પરિવાર નડિયાદમાં ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે સભાના આયોજક શ્યામ સ્વામી અને યુવકોને હૃદયથી આશીર્વાદ પાઠવ્યા હતા. ઘરસભાના પ્રસિદ્ધ વક્તા નિત્યસ્વરૂપ સ્વામીએ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ પૂર્વ સંધ્યાએ વડતાલની સેવા પ્રવૃત્તિને બિરદાવતા કહ્યું હતું કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સર્વજીવ હિતાવહ ના સંદેશને આ પ્રસંગે લઈ વડતાલ ટેમ્પલ બોર્ડ દ્વારા ઉનાળાની ધોમ ધખતી ગરમીમાં ઉઘાડા પગે રોડ પર ફરતા દરિદ્ર નારાયણને 31 હજાર ચંપલનું વિતરણ કરાશે.