છેલ્લા ૧૫ વર્ષથી સામાજિક, રાજકીય, ખેતી- પશુપાલન જેવાં વિષયોનું રિપોર્ટિંગ અને લેખન તેમનાં રસનાં વિષયક્ષેત્રો રહ્યાં છે સાથે પ્રકૃતિનાં વિષયને કેન્દ્રમાં રાખી ફોટોગ્રાફીનાં ક્ષેત્રમાં પણ ઉત્તમ કામગીરી કરી રહ્યાં છે મધ્ય ગુજરાતનાં છેવાડાનાં ગામડાંઓના વિવિધ પ્રશ્નોને વાચા આપવામાં સતત પ્રયત્નશીલ રહ્યાં છે તેઓ ચરોતરનાં પ્રગતિશીલ અને પ્રયોગશીલ ખેડુતોની ખેતીની અવનવીન પદ્ધતિ – પડકારો અને પ્રશ્નોને સમાચારના માધ્યમથી રાજ્યભરના ખેડુતો સુધી પહોંચાડ્યાં છે પત્રકારત્વની સાથે તેઓ ચરોતરની શાળા -મહાશાળા અને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે અવનવાં વિષયો પર ચર્ચા વિમર્શ કરતાં રહે છે ૨૦૧૯માં ધર્મપત્ની રોહિણીનાં કેન્સરમાં અવસાન બાદ તેઓ જુદી -જુદી સંસ્થાઓ સાથે સંકળાઈને કેન્સર જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ છે
Breaking News : આખરે ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારાયું ! 900 મીટર દૂરથી ઓપરેટ કરાયું ઓપરેશન, જુઓ Video
વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર થોડા સમય પહેલા એક ભયાનક ઘટના બની હતી. બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે અનેક લોકોના મોત થયા હતા. આ ઘટનામાં એક ટેન્કર બ્રિજ પર અટવાઈ ગયું હતું અને 25 દિવસથી ત્યાં જ લટકતું રહ્યું હતું.
- Dharmendra Kapasi
- Updated on: Aug 6, 2025
- 2:12 pm
Breaking News : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે સર્ચ ઓપરેશન, હજુ પણ મૃતદેહ સ્લેબ નીચે દબાયેલા હોવાની આશંકા, જુઓ Video
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ચોથા દિવસે પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ પણ નદીમાં કેટલાક વાહનો ફસાયેલા હોવાથી તેને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર હજુ પણ એક વ્યક્તિનો મૃતદેહ સ્લેબ નીચે દબાયેલો છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 12, 2025
- 12:52 pm
Breaking News : ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં રેસ્ક્યૂની કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા, મૃત્યુઆંક 20 થયો
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સતત ત્રણ દિવસથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે ત્રીજા દિવસે રેસ્ક્યુ કામગીરી દરમિયાન વધુ 2 મૃતદેહ મળી આવ્યા છે. જે પછી મૃત્યુઆંક 20 થયો છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 11, 2025
- 12:08 pm
Ghambhira Bridge Collapse : બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 15 થયો, તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરાઇ, 30 દિવસમાં સરકારને આપશે અહેવાલ
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કમિટીની રચના કરી છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 10, 2025
- 12:35 pm
Ghambhira Bridge Collapse : દુર્ઘટનાના 24 કલાક બાદ પણ સર્ચ ઑપરેશન યથાવત, નદીના પ્રવાહને લીધે મુશ્કેલીઓ વધી, હજુ પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 10, 2025
- 9:49 am
Mahisagar River Bridge collapse : બ્રિજ દુર્ઘટનાના મૃતકોના નામ આવ્યા સામે, જુઓ Video
વડોદરા જિલ્લાના પાદરાથી ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે. આ ઘટનામાં 9 લોકોના મોત થયા છે અને 5થી વધુ ઇજાગ્રસ્ત છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડાયા છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 9, 2025
- 2:54 pm
Breaking News : મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો, મોટા પ્રમાણમાં વાહનો નદીમાં પડ્યાની આશંકા, જુઓ Video
મધ્ય ગુજરાતની સૌથી મોટી દુર્ઘટના સામે આવી છે. મહીસાગર નદી પરનો બ્રિજ તૂટ્યો છે. જેના પગલે બ્રિજ પર અવરજવર કરતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. આણંદ જિલ્લાના ગંભીરાથી વડોદરા જિલ્લાના પાદરા અને ભરૂચ તરફ જવાનાં મહીસાગર નદી પરનો બ્રિજ તૂટી પડ્યો છે.
- Dharmendra Kapasi
- Updated on: Jul 9, 2025
- 2:28 pm
Kheda Video : લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, પથ્થર અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, 8 લોકો ઘાયલ
ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના ગોઠાજ ગામમાં એક જ કોમના બે જૂથો વચ્ચે લગ્ન પ્રસંગને લઈને ગંભીર બબાલ. પથ્થરમારા અને લાકડીઓથી હુમલામાં 8થી વધુ લોકો ઘાયલ થયા.
- Dharmendra Kapasi
- Updated on: May 23, 2025
- 6:38 pm
દાદાની સરકારમાં ખનિજ માફિયા બેફામ ! નદીનુ વહેણ રોકીને ગેરકાયદે રેતીનું ખુલ્લેઆમ ખનન
બેફામ બનેલા ખાણ ખનિજ માફિયાઓ, સરકારી તંત્રની કોઈ પડી જ ના હોય તેમ ખેડા જિલ્લામાં વાત્રક નદીના પટ્ટમાં રેતીનો કામચલાઉ બ્રિજ બનાવી નાખ્યો છે. આ ઘટના પ્રકાશમાં લાવવામાં આવતા જ, તંત્ર હાફળુ ફાંફળુ થઈને કડક કામગીરી કરવા નદીના પટ્ટમાં દોડી ગયું હતું.
- Dharmendra Kapasi
- Updated on: Apr 4, 2025
- 3:34 pm
Kheda : ડાકોરના ઠાકોરની આરતીનો વિવાદ છેડાયો, સિંહાસનની નીચેથી ઉતારાઈ આરતી ! વૈષ્ણવોમાં રોષ
ડાકોરના પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં આરતી ઉતારવાની પરંપરામાં ફેરફાર કરાતા વિવાદ ઉભો થયો છે. મંદિરના ઈતિહાસમાં પહેલીવાર પ્રભુ રણછોડરાયજીની આરતી પરંપરાગત રીતે સિંહાસન પર નહીં, પરંતુ નીચે ઊભા રહી ઉતારવામાં આવી. ટેમ્પલ કમિટીએ આદેશ આપ્યા છે કે આરતી કરતી વખતે વારાદારો સિંહાસન કે તેના પાટીયા પર ઊભા ન રહે. આ નિર્ણયને લઈને સેવકો અને વૈષ્ણવોમાં ભારે નારાજગી છે.
- Dharmendra Kapasi
- Updated on: Mar 1, 2025
- 12:49 pm
Anand : ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ, 100 કરોડનું રો મટીરીયલ કર્યું જપ્ત, જુઓ Video
આણંદના ખંભાતમાં દવાની આડમાં ડ્રગ્સ બનાવવાનો પર્દાફાશ થયો છે. ATSએ ખંભાતના નેજામાં દવાની ફેકટરી પર બાતમીના આધારે દરોડા પાડ્યા છે. ફેકટરી માલિક સહિત 6 લોકોની ધરપકડ કરાઈ છે.
- Dharmendra Kapasi
- Updated on: Jan 24, 2025
- 10:42 am
અમદાવાદમાં પ્રદૂષણ માફિયાઓ બેફામ, ખારીકટ કેનાલમાં ઠલવાતા કેમિકલ યુક્ત પાણીથી ખેડા તાલુકાના ખેડૂતો પારાવાર નુકસાની વેઠવા મજબૂર
અમદાવાદમાં આવેલી કેનાલ ખેડાના ખેડૂતોને આડ અસર કરી રહી છે જાણવામાં થોડું નવું લાગે પણ આ જ વાસ્તવિક્તા છે. ખેડૂતોને ખેતી માટે પાણી પૂરુ પાડવા માટે કેનાલોનું નેટવર્ક બનાવવામાં આવ્યું અને હવે આ જોડતી કેનાલોના કારણે પ્રદૂષણનો મુદ્દો ઊઠ્યો છે.આ કેનાલમાં પાણીની સાથે ભારોભાર પ્રદૂષણ વહી રહ્યું છે. જે ખેડા તાલુકાના બે ડઝનથી વધુ ગામોના ખેડૂતો માટે માથાના દુખાવા સમાન બન્યુ છે.
- Dharmendra Kapasi
- Updated on: Dec 3, 2024
- 9:08 pm