ઘર આંગણે જ વાવી શકશો મરચાનો છોડ, આ સરળ રીત અપનાવો
ભારતીય ભોજન લીલા મરચા વગર અધૂરું છે,ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો

ભારતીય ભોજન લીલા મરચા વગર અધૂરું છે,ખોરાકમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત લીલા મરચામાં પોષક તત્વો પણ ભરપૂર હોય છે. આજે અમે તમને કેટલીક સરળ રીતો જણાવીશું, જેની મદદથી તમે તમારા ઘરે વાસણમાં લીલા મરચાં ઉગાડી શકો છો

ઘરમાં રાખેલા કુંડામાં લીલા મરચાં ઉગાડવા માટે ભેજ વગરની માટીમાં ગાયના છાણનું ખાતર મિક્સ કરો.જે પછી કુંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ લીલા મરચાના બીજ નાખો.

કુંડામાં મરચાના બીજ વાવતા સમયે હંમેશા ધ્યાનમાં રાખો કે બીજ સારી ગુણવત્તાના હોવા જોઈએ.

કુંડામાં છોડ વાવ્યા પછી લીલાં મરચાંના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો, કારણ કે વધુ પડતું પાણી ઉમેરવાથી છોડ મરી જાય છે.

લીલા મરચાના છોડને સૂર્યપ્રકાશ મળવો ખૂબ જ જરૂરી છે. આ સિવાય છોડમાં 15 દિવસના અંતરે ગાયના છાણનું ખાતર નાખો.

લીલા મરચાંના છોડને જંતુઓથી ખૂબ જ ઝડપથી રોગ લાગે છે. તેથી સમયાંતરે જંતુનાશકોનો છંટકાવ કરતા રહેવુ જોઇએ

લગભગ 2 મહિના પછી છોડમાં લીલા મરચાં ઉગવા લાગે છે. તે પછી તમે લીલા મરચાનો ઉપયોગ કરી શકો છો. (Image credit: Pinterest)
