AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુંડળીમાં પિતૃદોષના કારણે જીવનમાં આવી રહી છે ‘મુશ્કેલીઓ’ ? પિતૃઓની કૃપા મેળવવા માટે કરો આ ‘ખાસ ઉપાયો’

કુંડળીમાં પિતૃદોષ હોવાને કારણે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. ખાસ કરીને પારિવારિક જીવનમાં ઝઘડા અને કરિયરના ક્ષેત્રમાં અવરોધોનું કારણ પિતૃદોષ હોઈ શકે છે. આથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તેનાથી સંબંધિત ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. એવામાં ચાલો જાણી લઈએ કે, કુંડળીમાં પિતૃદોષ કેવી રીતે બને છે અને તેની ખરાબ અસરોથી બચવા માટે તમારે શું કરવું જોઈએ.

| Updated on: Jul 03, 2026 | 5:24 PM
Share
કુંડળીમાં સૂર્યને પિતા અને પૂર્વજોના કારક માનવામાં આવે છે. જો સૂર્યની યુતિ રાહુ-કેતુ કે શનિ સાથે થઈ રહી હોય તો તેને પિતૃદોષ માનવામાં આવે છે. પંચમ (પાંચમા) અને નવમ (નવમા) ભાવમાં રાહુ કે કેતુ અને સૂર્યની યુતિ હોય તો પિતૃદોષ વધુ ગંભીર બને છે. નવમો ભાવ નબળો હોય એટલે કે નીચનો હોય અથવા 6, 8, 12 મા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષ હાજર રહે છે. પાંચમા ભાવમાં જો પાપ ગ્રહ જેવા કે શનિ, રાહુ, કેતુ, મંગળ બિરાજમાન હોય તો કુંડળીમાં પિતૃદોષ રહે છે.

કુંડળીમાં સૂર્યને પિતા અને પૂર્વજોના કારક માનવામાં આવે છે. જો સૂર્યની યુતિ રાહુ-કેતુ કે શનિ સાથે થઈ રહી હોય તો તેને પિતૃદોષ માનવામાં આવે છે. પંચમ (પાંચમા) અને નવમ (નવમા) ભાવમાં રાહુ કે કેતુ અને સૂર્યની યુતિ હોય તો પિતૃદોષ વધુ ગંભીર બને છે. નવમો ભાવ નબળો હોય એટલે કે નીચનો હોય અથવા 6, 8, 12 મા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષ હાજર રહે છે. પાંચમા ભાવમાં જો પાપ ગ્રહ જેવા કે શનિ, રાહુ, કેતુ, મંગળ બિરાજમાન હોય તો કુંડળીમાં પિતૃદોષ રહે છે.

1 / 5
પિતૃદોષને દૂર કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. પીપળાને જળ ચઢાવવાથી, પીપળા પાસે દીવો પ્રગટાવવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

પિતૃદોષને દૂર કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. પીપળાને જળ ચઢાવવાથી, પીપળા પાસે દીવો પ્રગટાવવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

2 / 5
દરેક પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ, દાન વગેરે કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. કાગડાને રોટલી ખવડાવવાથી, કીડીઓને કણ (ખાંડ/લોટ) નાખવાથી, ગાયની સેવા કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

દરેક પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ, દાન વગેરે કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. કાગડાને રોટલી ખવડાવવાથી, કીડીઓને કણ (ખાંડ/લોટ) નાખવાથી, ગાયની સેવા કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

3 / 5
પિતૃઓની કૃપા મેળવવા માટે તમારે 'ॐ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ' નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્રનું દાન કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

પિતૃઓની કૃપા મેળવવા માટે તમારે 'ॐ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ' નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્રનું દાન કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

4 / 5
અમાસના દિવસે પિતૃઓ માટે દાન અને તર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરના વડીલોનો આદર કરો છો અને તેમની સેવા કરો છો, તો તમને પિતૃદોષની ખરાબ અસરો જોવા મળતી નથી. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે ગયા (Gaya) જઈને પણ પિતૃ પૂજન કરી શકો છો.

અમાસના દિવસે પિતૃઓ માટે દાન અને તર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરના વડીલોનો આદર કરો છો અને તેમની સેવા કરો છો, તો તમને પિતૃદોષની ખરાબ અસરો જોવા મળતી નથી. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે ગયા (Gaya) જઈને પણ પિતૃ પૂજન કરી શકો છો.

5 / 5
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati સંપૂર્ણપણે આની પુષ્ટિ કરતું નથી.)

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">