AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુંડળીમાં પિતૃદોષના કારણે જીવનમાં આવી રહી છે ‘મુશ્કેલીઓ’ ? પિતૃઓની કૃપા મેળવવા માટે કરો આ ‘ખાસ ઉપાયો’

કુંડળીમાં પિતૃદોષ હોવાને કારણે વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. ખાસ કરીને પારિવારિક જીવનમાં ઝઘડા અને કરિયરના ક્ષેત્રમાં અવરોધોનું કારણ પિતૃદોષ હોઈ શકે છે. આથી પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તેનાથી સંબંધિત ઉપાયો ચોક્કસ કરવા જોઈએ. એવામાં ચાલો જાણી લઈએ કે, કુંડળીમાં પિતૃદોષ કેવી રીતે બને છે અને તેની ખરાબ અસરોથી બચવા માટે તમારે શું કરવું જોઈએ.

| Updated on: Jul 03, 2026 | 5:24 PM
Share
કુંડળીમાં સૂર્યને પિતા અને પૂર્વજોના કારક માનવામાં આવે છે. જો સૂર્યની યુતિ રાહુ-કેતુ કે શનિ સાથે થઈ રહી હોય તો તેને પિતૃદોષ માનવામાં આવે છે. પંચમ (પાંચમા) અને નવમ (નવમા) ભાવમાં રાહુ કે કેતુ અને સૂર્યની યુતિ હોય તો પિતૃદોષ વધુ ગંભીર બને છે. નવમો ભાવ નબળો હોય એટલે કે નીચનો હોય અથવા 6, 8, 12 મા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષ હાજર રહે છે. પાંચમા ભાવમાં જો પાપ ગ્રહ જેવા કે શનિ, રાહુ, કેતુ, મંગળ બિરાજમાન હોય તો કુંડળીમાં પિતૃદોષ રહે છે.

કુંડળીમાં સૂર્યને પિતા અને પૂર્વજોના કારક માનવામાં આવે છે. જો સૂર્યની યુતિ રાહુ-કેતુ કે શનિ સાથે થઈ રહી હોય તો તેને પિતૃદોષ માનવામાં આવે છે. પંચમ (પાંચમા) અને નવમ (નવમા) ભાવમાં રાહુ કે કેતુ અને સૂર્યની યુતિ હોય તો પિતૃદોષ વધુ ગંભીર બને છે. નવમો ભાવ નબળો હોય એટલે કે નીચનો હોય અથવા 6, 8, 12 મા ભાવમાં હોય ત્યારે પણ કુંડળીમાં પિતૃદોષ હાજર રહે છે. પાંચમા ભાવમાં જો પાપ ગ્રહ જેવા કે શનિ, રાહુ, કેતુ, મંગળ બિરાજમાન હોય તો કુંડળીમાં પિતૃદોષ રહે છે.

1 / 5
પિતૃદોષને દૂર કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. પીપળાને જળ ચઢાવવાથી, પીપળા પાસે દીવો પ્રગટાવવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

પિતૃદોષને દૂર કરવા માટે પીપળાના વૃક્ષની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે પીપળાના વૃક્ષમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. પીપળાને જળ ચઢાવવાથી, પીપળા પાસે દીવો પ્રગટાવવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

2 / 5
દરેક પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ, દાન વગેરે કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. કાગડાને રોટલી ખવડાવવાથી, કીડીઓને કણ (ખાંડ/લોટ) નાખવાથી, ગાયની સેવા કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

દરેક પિતૃપક્ષ દરમિયાન પિતૃઓની પૂજા કરવાથી, પિતૃઓ માટે તર્પણ, દાન વગેરે કરવાથી તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે. કાગડાને રોટલી ખવડાવવાથી, કીડીઓને કણ (ખાંડ/લોટ) નાખવાથી, ગાયની સેવા કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળી શકે છે.

3 / 5
પિતૃઓની કૃપા મેળવવા માટે તમારે 'ॐ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ' નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્રનું દાન કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

પિતૃઓની કૃપા મેળવવા માટે તમારે 'ॐ શ્રી સર્વ પિતૃ દેવતાભ્યો નમો નમઃ' નો જાપ કરવો જોઈએ. આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષ પણ દૂર થાય છે. ભગવાન વિષ્ણુ અને મહાદેવની પૂજા કરવાથી તમે પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવવાથી અને જરૂરિયાતમંદોને અન્ન, વસ્ત્રનું દાન કરવાથી પણ તમને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે.

4 / 5
અમાસના દિવસે પિતૃઓ માટે દાન અને તર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરના વડીલોનો આદર કરો છો અને તેમની સેવા કરો છો, તો તમને પિતૃદોષની ખરાબ અસરો જોવા મળતી નથી. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે ગયા (Gaya) જઈને પણ પિતૃ પૂજન કરી શકો છો.

અમાસના દિવસે પિતૃઓ માટે દાન અને તર્પણ કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઘરના વડીલોનો આદર કરો છો અને તેમની સેવા કરો છો, તો તમને પિતૃદોષની ખરાબ અસરો જોવા મળતી નથી. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે તમે ગયા (Gaya) જઈને પણ પિતૃ પૂજન કરી શકો છો.

5 / 5
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. TV9 Gujarati સંપૂર્ણપણે આની પુષ્ટિ કરતું નથી.)

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
g clip-path="url(#clip0_868_265)">