AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં ‘ગરોળી’ નું દેખાવું એ તમને અપાવશે ‘રાજયોગ’ અને ‘ઉચ્ચ પદ’, જોતાં જ કરો આ એક કામ રાતોરાત બદલાઈ જશે ‘નસીબ’

સનાતન પરંપરામાં પ્રકૃતિ અને તેના જીવજંતુઓને ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત માનવામાં આવ્યા છે. એવામાં ધ્યાન દોરવા જેવું એ છે કે, સામાન્ય રીતે લોકો ઘરમાં 'ગરોળી' જોઈને ડરી જાય છે અથવા તો તેને ભગાડવાનો પ્રયાસ કરે છે. એવામાં શું તમે જાણો છો કે, શાસ્ત્રો અનુસાર આ સામાન્ય દેખાતો જીવ તમારા બંધ નસીબનું તાળું ખોલી શકે છે?

| Updated on: Aug 08, 2026 | 6:47 PM
Share
પ્રાચીન શકુન શાસ્ત્ર અને પરંપરાગત વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક અને શકુન-અપશકુનનું એક મોટું માધ્યમ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, ગરોળીનું દેખાવું તમને 'રાજયોગ' એટલે કે સમાજમાં ઉચ્ચ પદ, માન-સન્માન અને અપાર ધન-દોલત અપાવી શકે છે પરંતુ તેના માટે તે કયા સમયે અને કઈ જગ્યાએ દેખાય છે, તે ખૂબ જ મહત્વનું છે.

પ્રાચીન શકુન શાસ્ત્ર અને પરંપરાગત વાસ્તુશાસ્ત્રમાં ગરોળીને દેવી લક્ષ્મીનું પ્રતીક અને શકુન-અપશકુનનું એક મોટું માધ્યમ માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર, ગરોળીનું દેખાવું તમને 'રાજયોગ' એટલે કે સમાજમાં ઉચ્ચ પદ, માન-સન્માન અને અપાર ધન-દોલત અપાવી શકે છે પરંતુ તેના માટે તે કયા સમયે અને કઈ જગ્યાએ દેખાય છે, તે ખૂબ જ મહત્વનું છે.

1 / 6
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દીવાલો અને દિશાઓ ઊર્જાનું કેન્દ્ર હોય છે. જો તમને ગરોળી ઘરની ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાની દીવાલ પર ઉપરની તરફ ચડતી દેખાય, તો આ મહાશુભ સંકેત છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, ઉત્તર અને પૂર્વ દિશાના સ્વામી અનુક્રમે ધનના દેવતા કુબેર અને દેવતાઓના રાજા ઇન્દ્ર છે. આ દિશામાં ગરોળીનું દેખાવું એ વાતનો સૂચક છે કે, તમને ટૂંક સમયમાં સરકારી ક્ષેત્રમાંથી લાભ, નોકરીમાં મોટું પ્રમોશન અથવા વ્યાપારમાં ભારે નફો થવાનો છે. બસ આને જ જીવનમાં રાજયોગની શરૂઆત માનવામાં આવે છે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરની દીવાલો અને દિશાઓ ઊર્જાનું કેન્દ્ર હોય છે. જો તમને ગરોળી ઘરની ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણાની દીવાલ પર ઉપરની તરફ ચડતી દેખાય, તો આ મહાશુભ સંકેત છે. વાસ્તુ વિજ્ઞાન અનુસાર, ઉત્તર અને પૂર્વ દિશાના સ્વામી અનુક્રમે ધનના દેવતા કુબેર અને દેવતાઓના રાજા ઇન્દ્ર છે. આ દિશામાં ગરોળીનું દેખાવું એ વાતનો સૂચક છે કે, તમને ટૂંક સમયમાં સરકારી ક્ષેત્રમાંથી લાભ, નોકરીમાં મોટું પ્રમોશન અથવા વ્યાપારમાં ભારે નફો થવાનો છે. બસ આને જ જીવનમાં રાજયોગની શરૂઆત માનવામાં આવે છે.

2 / 6
આનાથી વિપરીત, જો ગરોળી મંદિર કે પૂજા ઘરની નજીક દેખાય, તો તે સાક્ષાત મા લક્ષ્મીની કૃપાનો સંકેત છે. જો ગરોળી દીવાલ છોડીને વારંવાર ભોંયતળિયે કે જમીન પર સરકતી દેખાય, તો શકુન શાસ્ત્ર તેને 'અશુભ' માને છે. આ આવનારા સમયમાં આર્થિક નુકસાન અથવા વગર કારણે થતા ફાજલ ખર્ચની ચેતવણી છે.

આનાથી વિપરીત, જો ગરોળી મંદિર કે પૂજા ઘરની નજીક દેખાય, તો તે સાક્ષાત મા લક્ષ્મીની કૃપાનો સંકેત છે. જો ગરોળી દીવાલ છોડીને વારંવાર ભોંયતળિયે કે જમીન પર સરકતી દેખાય, તો શકુન શાસ્ત્ર તેને 'અશુભ' માને છે. આ આવનારા સમયમાં આર્થિક નુકસાન અથવા વગર કારણે થતા ફાજલ ખર્ચની ચેતવણી છે.

3 / 6
ખાસ વાત એ છે કે, ગરોળી કયા સમયે દેખાઈ રહી છે; તેનો પણ શકુન શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ મળે છે. જો સવારે ઊંઘમાંથી જાગતા જ તમારી નજર સૌથી પહેલા દીવાલ પર સરકતી ગરોળી પર પડે, તો તેને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ સંકેત છે કે, તે દિવસે તમને કોઈ બહુ મોટા સારા સમાચાર, અટકેલા નાણાં અથવા કોઈ મોટી બિઝનેસ ડીલ મળવાની છે.

ખાસ વાત એ છે કે, ગરોળી કયા સમયે દેખાઈ રહી છે; તેનો પણ શકુન શાસ્ત્રમાં વિશેષ ઉલ્લેખ મળે છે. જો સવારે ઊંઘમાંથી જાગતા જ તમારી નજર સૌથી પહેલા દીવાલ પર સરકતી ગરોળી પર પડે, તો તેને ખૂબ જ ચમત્કારિક માનવામાં આવે છે. આ સંકેત છે કે, તે દિવસે તમને કોઈ બહુ મોટા સારા સમાચાર, અટકેલા નાણાં અથવા કોઈ મોટી બિઝનેસ ડીલ મળવાની છે.

4 / 6
શકુન શાસ્ત્રનો આ સૌથી સ્થાપિત નિયમ છે કે, દિવાળીની રાત્રે ઘરમાં ગરોળીનું દેખાવું એ સૌથી મોટો શકુન છે. આ એ વાતની ગેરંટી માનવામાં આવે છે કે, આવનારા આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં દરિદ્રતા નહીં આવે અને સુખ-સમૃદ્ધિનો વાસ રહેશે. જો તમે રાતનું કે દિવસનું ભોજન કરી રહ્યા હોવ અને તે સમયે તમને ગરોળીનો અવાજ સંભળાય અથવા તે સામે આવી જાય, તો આ ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર કે અણધાર્યા લાભ મળવાનો ઈશારો છે.

શકુન શાસ્ત્રનો આ સૌથી સ્થાપિત નિયમ છે કે, દિવાળીની રાત્રે ઘરમાં ગરોળીનું દેખાવું એ સૌથી મોટો શકુન છે. આ એ વાતની ગેરંટી માનવામાં આવે છે કે, આવનારા આખા વર્ષ દરમિયાન તમારા ઘરમાં દરિદ્રતા નહીં આવે અને સુખ-સમૃદ્ધિનો વાસ રહેશે. જો તમે રાતનું કે દિવસનું ભોજન કરી રહ્યા હોવ અને તે સમયે તમને ગરોળીનો અવાજ સંભળાય અથવા તે સામે આવી જાય, તો આ ટૂંક સમયમાં જ કોઈ શુભ સમાચાર કે અણધાર્યા લાભ મળવાનો ઈશારો છે.

5 / 6
શકુન શાસ્ત્ર અનુસાર, જો તમને યોગ્ય સમયે અને સાચી જગ્યાએ ગરોળી દેખાય, તો તેને ડરાવીને ભગાડવાની ભૂલ ક્યારેય ન કરશો. તેના બદલે દૂરથી જ હાથ જોડીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો. જો શક્ય હોય તો, દૂરથી જ તેના પર ગંગાજળના થોડા ટીપાં છાંટી દો અને મનોમન તમારી મનોકામના કહો. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી તે શુભ શકુનનું ફળ અનેક ગણું વધી જાય છે અને ધન આગમનના માર્ગમાં આવી રહેલી અડચણો તરત જ દૂર થઈ જાય છે. હવે પછી જ્યારે તમે તમારા ઘરમાં ગરોળીને સરકતી જુઓ, તો ડરવાને બદલે એક ક્ષણ રોકાઈને તેની દિશા અને સમય પર ધ્યાન જરૂર આપજો, શું ખબર તે તમારા જીવનમાં રાજયોગનો સંદેશ લઈને આવી હોય.

શકુન શાસ્ત્ર અનુસાર, જો તમને યોગ્ય સમયે અને સાચી જગ્યાએ ગરોળી દેખાય, તો તેને ડરાવીને ભગાડવાની ભૂલ ક્યારેય ન કરશો. તેના બદલે દૂરથી જ હાથ જોડીને તમારા ઈષ્ટદેવનું ધ્યાન ધરો. જો શક્ય હોય તો, દૂરથી જ તેના પર ગંગાજળના થોડા ટીપાં છાંટી દો અને મનોમન તમારી મનોકામના કહો. એવું માનવામાં આવે છે કે, આવું કરવાથી તે શુભ શકુનનું ફળ અનેક ગણું વધી જાય છે અને ધન આગમનના માર્ગમાં આવી રહેલી અડચણો તરત જ દૂર થઈ જાય છે. હવે પછી જ્યારે તમે તમારા ઘરમાં ગરોળીને સરકતી જુઓ, તો ડરવાને બદલે એક ક્ષણ રોકાઈને તેની દિશા અને સમય પર ધ્યાન જરૂર આપજો, શું ખબર તે તમારા જીવનમાં રાજયોગનો સંદેશ લઈને આવી હોય.

6 / 6
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

ઘરમાં તૂટેલા વાસણોનો ના કરજો ઉપયોગ ! જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે

Follow Us
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
AMCનું જેકેટ પહેરી, ક્રેન લાવીને રોડ પર જ કરી 7 લાખના કોપર વાયરની ચોરી
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
જામનગરના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ફફડાટ, જુઓ-Video
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
આજનું રાશિફળ : રવિવારે કઈ રાશિઓ માટે રહેશે નાણાકીય રોકાણ ઉત્તમ? જુઓ
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
અમદાવાદમાં વધુ એક થાર ચાલકે સર્જ્યો અકસ્માત
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
જામનગરની જી.જી. હોસ્પિટલ સામે રેસિડેન્ટ ડોક્ટરનું શોષણ કરવાના આક્ષેપો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
Tv9 ના રિયાલિટી ચેકની અસર, બેદરકાર સિક્યોરિટી એજન્સી સામે નોંધાયો ગુનો
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
રાજ્યમાં ભેળસેળિયાઓ સામે તવાઈ ફૂડ અને ડ્રગ વિભાગની તવાઈ
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
મહેસાણા: પશુપાલકોને કુલ ₹455 કરોડનો ઐતિહાસિક ભાવવધારો ચૂકવાશે
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
52 હજારથી વધુ પશુપાલકોના ખાતામાં ₹ 75 કરોડ જમા કર્યા- જયેશ રાદડિયા
g clip-path="url(#clip0_868_265)">