Narmada : Statue of Unity સાથે જોડાયેલી આ રસપ્રદ માહિતી જાણ્યા પછી તમે અહીંની મુલાકાતનું ફટાફટ પ્લાનિંગ કરી નાંખશો
સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ને વિશ્વની સૌથી મોટી પ્રતિમા(Tallest Statue in the World) તરીકે ઓળખવામાં આવે છે જેનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કર્યું હતું.આ પ્રતિમા એટલી વિશાળ છે કે તમે તેને 7 કિમી દૂરથી પણ જોઈ શકો છો.તેની આ વિશેષતાઓ તમને અચંબિત કરી દેશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી(Statue of Unity)ને વિશ્વની સૌથી મોટી પ્રતિમા(Tallest Statue in the World) તરીકે ઓળખવામાં આવે છે જેનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના રોજ પીએમ નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ કર્યું હતું.આ પ્રતિમા એટલી વિશાળ છે કે તમે તેને 7 કિમી દૂરથી પણ જોઈ શકો છો.તેની આ વિશેષતાઓ તમને અચંબિત કરી દેશે.

તમને જણાવી દઈએ કે 31 ઓક્ટોબર 2018ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિના દિવસે આ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતના નર્મદા જિલ્લાના કેવડિયામાં સાધુ ટાપુ પર સ્થિત છે. આ પ્રતિમાને મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ(Dream Project of Narendra Modi) પણ કહી શકાય.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી પ્રખ્યાત પ્રતિમાઓમાંની એક છે. આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની યાદમાં બનાવવામાં આવી છે જેમને ભારતના મહાન નેતા તરીકે જોવામાં આવ્યા હતા. આ પ્રતિમાની ઉંચાઈ 182 મીટર છે. આ પ્રતિમાને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા માનવામાં આવે છે.આ પ્રતિમા એટલી વિશાલ છે કે તેને સ્પેસમાંથી પણ જોઈ શકાય છે.


આ પ્રતિમાને પૂર્ણ કરવા માટે 300 એન્જિનિયરો અને 3000 કામદારોએ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી કામ કર્યું હતું. લાર્સન એન્ડ ટર્બોએ આ પ્રતિમા બનાવવામાં સૌથી મોટો ફાળો આપ્યો છે.

આ સુંદર પ્રતિમા બનાવવા માટે, 70,000 ટન સિમેન્ટ, 25,000 ટન સ્ટીલ અને 12,000 તાંબાની પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેનું વજન આશરે 1700 ટન હતું. પ્રતિમાનો બેઝ બનાવવા માટે 129 ટનથી વધુ સ્ક્રેપ આયર્નનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, આ સ્ક્રેપ આયર્ન ભારતના 10 કરોડ ખેડૂતોએ દાનમાં આપ્યું હતું.