AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra : મહારાષ્ટ્ર સરકારે ડુંગળીના ભાવને લઈને કરી મોટી જાહેરાત, લાખો ખેડૂતોને થશે ફાયદો !

સીએમ શિંદેએ બજેટ સત્રના બીજા દિવસે કહ્યું કે તેમની અપીલ કર્યા બાદ નાફેડે ડુંગળીની ખરીદી વધારી છે અને ખેડૂતો પાસેથી 2.38 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 9:23 AM
Share
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બજારમાં  ડુંગળીના ભાવ ઘટી રહ્યાં છે. તે વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો સાથે છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરશે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે બજારમાં ડુંગળીના ભાવ ઘટી રહ્યાં છે. તે વચ્ચે મહારાષ્ટ્ર સરકાર ડુંગળીની ખેતી કરનાર ખેડૂતો સાથે છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરશે.

1 / 5
એકનાથ  શિંદેએ નીચલા ગૃહમાં કહ્યું હતું કે “અમે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની સાથે ઊભા છીએ. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)એ ડુંગળીની ખરીદી શરૂ કરી છે, જેનાથી ભાવમાં વધારો થશે.નાફેડ એ કેન્દ્ર સરકાર હેઠળની ટોચની સંસ્થા છે.

એકનાથ શિંદેએ નીચલા ગૃહમાં કહ્યું હતું કે “અમે ડુંગળીની ખેતી કરનારા ખેડૂતોની સાથે ઊભા છીએ. નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)એ ડુંગળીની ખરીદી શરૂ કરી છે, જેનાથી ભાવમાં વધારો થશે.નાફેડ એ કેન્દ્ર સરકાર હેઠળની ટોચની સંસ્થા છે.

2 / 5
 બજેટ સત્રના બીજા દિવસે, શિંદેએ કહ્યું કે તેમની વિનંતી પર, નાફેડે ડુંગળીની ખરીદીમાં વધારો કર્યો છે અને ખેડૂતો પાસેથી 2.38 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ખરીદ કેન્દ્ર નથી, તો તે ખેડૂતો માટે ત્યાં ખોલવામાં આવશે.

બજેટ સત્રના બીજા દિવસે, શિંદેએ કહ્યું કે તેમની વિનંતી પર, નાફેડે ડુંગળીની ખરીદીમાં વધારો કર્યો છે અને ખેડૂતો પાસેથી 2.38 લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જો કોઈ ચોક્કસ વિસ્તારમાં કોઈ ખરીદ કેન્દ્ર નથી, તો તે ખેડૂતો માટે ત્યાં ખોલવામાં આવશે.

3 / 5
મહારાષ્ટ્રના એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર 'લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટિ'માં સોમવારે ડુંગળીના ભાવ ઘટીને 2-4 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જેના કારણે નારાજ ખેડૂતોએ ડુંગળી વેચવાનું બંધ કરી દીધું. મુખ્યમંત્રીએ કહ્યું, “ડુંગળીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. જરૂર પડશે તો ખેડૂતોને કેટલીક આર્થિક સહાય પણ આપવામાં આવશે.

મહારાષ્ટ્રના એશિયાના સૌથી મોટા ડુંગળી બજાર 'લાસલગાંવ એગ્રીકલ્ચર પ્રોડક્ટ માર્કેટ કમિટિ'માં સોમવારે ડુંગળીના ભાવ ઘટીને 2-4 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા, જેના કારણે નારાજ ખેડૂતોએ ડુંગળી વેચવાનું બંધ કરી દીધું. મુખ્યમંત્રીએ કહ્યું, “ડુંગળીની નિકાસ પર કોઈ પ્રતિબંધ નથી. જરૂર પડશે તો ખેડૂતોને કેટલીક આર્થિક સહાય પણ આપવામાં આવશે.

4 / 5
અગાઉ વિધાનસભામાં નાસિકથી આવી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળે ખેડૂતોની વેદનાનો ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્ર સરકારની ડુંગળીની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભુજબળે કહ્યું, “રાજ્યના સૌથી મોટા જથ્થાબંધ બજારોમાંથી એક બજાર અમારા મતવિસ્તારમાં છે. તુર્કી, પાકિસ્તાન, કઝાકિસ્તાન, યુક્રેન, મોરોક્કો, ઉઝબેકિસ્તાન અને બેલારુસમાં ડુંગળીની ખૂબ માંગ છે. આપણે ડુંગળીની નિકાસ કરવી જોઈએ જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

અગાઉ વિધાનસભામાં નાસિકથી આવી રહેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા છગન ભુજબળે ખેડૂતોની વેદનાનો ઉલ્લેખ કર્યો હતો અને કેન્દ્ર સરકારની ડુંગળીની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. ભુજબળે કહ્યું, “રાજ્યના સૌથી મોટા જથ્થાબંધ બજારોમાંથી એક બજાર અમારા મતવિસ્તારમાં છે. તુર્કી, પાકિસ્તાન, કઝાકિસ્તાન, યુક્રેન, મોરોક્કો, ઉઝબેકિસ્તાન અને બેલારુસમાં ડુંગળીની ખૂબ માંગ છે. આપણે ડુંગળીની નિકાસ કરવી જોઈએ જેનાથી ખેડૂતોને ફાયદો થશે.

5 / 5
Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">