કાનુની સવાલ : ઘરેલુ વિવાદને કારણે પતિની આત્મહત્યા માટે પત્ની જવાબદાર નથી : બોમ્બે હાઇકોર્ટ
બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું હતું કે, વૈવાહિક ઝઘડો, દુર્વ્યવહાર અથવા માતાના ઘરે જવું જેવી ઘટનાઓને 'આત્મહત્યા માટે ઉશ્કેરણી' તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. કલમ 306 હેઠળ કેસ ત્યારે બને છે. જ્યારે આરોપીનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે દબાણ કરવાનો હોય.

જો પતિ ઘરેલું ઝગડા કે વૈવાહિક લગ્નને કારણે આત્મહત્યા કરી લે છે. તો પત્નીને તે માટે જવાબદાર ગણી શકાય નહી. આ મહત્વની ટિપ્પણી બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપી છે. બેન્ચે વૈવાહિક વિવાદો અને આત્મહત્યા મામલાને લઈ એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, જો કોઈ પતિ ઘરેલું ઝગડા કે વૈવાહિક મતભેદથી આત્મહત્યા જેવું પગલું ભરે છે. તો પત્નીને આત્મહત્યા માટે ઉકસાવવા દોષી માની શકાય નહી.

આ મામલો અમરાવતી જિલ્લાનો છે. 26 નવેમ્બર, 2019 ના રોજ, એક વ્યક્તિએ ટ્રેન નીચે કૂદીને આત્મહત્યા કરી હતી. મૃતકના પિતાએ અમરાવતીના રાજાપેઠ પોલીસ સ્ટેશનમાં તેની પુત્રવધૂ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

સસરાએ આરોપ લગાવ્યો હતો કે તેની પત્ની વારંવાર નાની નાની બાબતોમાં તેની સાથે ઝઘડો કરતી હતી અને તેના પર દુર્વ્યવહાર કરતી હતી. તે વારંવાર તેના માતાપિતાને જાણ કર્યા વિના તેના ઘરે જતી રહેતી હતી. તેને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી, જેના કારણે તેમના પુત્રએ આત્મહત્યા કરી હતી.

પોલીસે ફરિયાદ આધાર પર પત્ની વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો કેસ દાખલ કર્યો હતો. પત્નીએ તેના વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ તેમજ કાનુની કાર્યવાહીને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ મામલાની સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક ઝઘડો, દુર્વ્યવહાર અથવા માતાના ઘરે જવું જેવી ઘટનાઓને 'આત્મહત્યા માટે ઉશ્કેરણી' ને શ્રેણીમાં રાખી શકાતી નથી. કલમ 306 હેઠળ કેસ ત્યારે બને છે. જ્યારે આરોપીનો ઈરાદો સ્પષ્ટપણે વ્યક્તિને પોતાનો જીવ લેવા માટે દબાણ કરવાનો હોય.

કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે, પતિ-પત્નીની વચ્ચે થનારો સામાન્ય ઝગડો કે મતભેદ ઉશ્કેરવાની શ્રેણીમાં આવતો નથી. કોર્ટે પત્નીની અરજી સ્વીકારીને પોલીસ દ્વારા નોંધાયેલા કેસ અને ચાલી રહેલા ટ્રાયલને સંપૂર્ણપણે રદ કરી દીધો. કોર્ટના આ નિર્ણયને એવા કેસોમાં એક ઉદાહરણ તરીકે ગણવામાં આવી રહ્યો છે જ્યાં વૈવાહિક તણાવના દુ:ખદ અંત પછી જીવનસાથી પર ફોજદારી આરોપો લગાવવામાં આવે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
