Mouni Roy-Suraj Divorce : હું લગ્ન કરવા માગતો ન હતો પરંતુ… Mouni Roy ને લઈ સૂરજ નામ્બિયારનો ખુલાસો, જુઓ
અભિનેત્રી મૌની રોય અને પતિ સૂરજ નામ્બિયારના છૂટાછેડાની અફવાઓ વચ્ચે સૂરજનો એક જૂનો ઇન્ટરવ્યુ ફરી વાયરલ થયો છે. સૂરજે ત્યારે કહ્યું હતું કે તે લગ્ન માટે તૈયાર નહોતો, જ્યારે મૌની લગ્ન કરવા ઈચ્છતી હતી.

ટીવી અને બોલિવૂડ અભિનેત્રી Mouni Roy છેલ્લા કેટલાક દિવસોથી પોતાના વૈવાહિક જીવનને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર તેમના અને પતિ Suraj Nambiar ના સંબંધોને લઈને અનેક અફવાઓ ચાલી રહી હતી. હવે બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા અલગ થવાની માહિતી શેર કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ વચ્ચે સૂરજ નામ્બિયારનો એક જૂનો ઇન્ટરવ્યૂ ફરી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેણે લગ્ન વિશે ખુલ્લેઆમ વાત કરી હતી.

એક ઇન્ટરવ્યૂ દરમિયાન સૂરજે જણાવ્યું હતું કે તે લાંબા સમય સુધી લગ્ન માટે તૈયાર નહોતો. બોમ્બે ટાઈમ્સને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે લગ્ન સંસ્થાના વિરોધમાં નથી, પરંતુ વ્યક્તિગત રીતે લગ્ન કરવા માટે માનસિક રીતે તૈયાર નહોતો. તેણે કહ્યું કે લગ્ન જીવનને સ્થિરતા અને શાંતિ આપે છે અને તે આ સંબંધનો સન્માન કરે છે.

સૂરજે મૌની વિશે વાત કરતાં કહ્યું હતું કે મૌની શરૂઆતથી જ લગ્ન કરવા ઈચ્છતી હતી. તેના મતે સંબંધમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. સૂરજના કહેવા મુજબ, તે વારંવાર વધુ સમય માંગતો રહ્યો, પરંતુ એક સમયે મૌનીએ તેને સ્પષ્ટ નિર્ણય લેવા કહ્યું. ત્યારબાદ તેને સમજાયું કે જો તે લગ્ન નહીં કરે તો કદાચ સંબંધ તૂટી શકે.

ઇન્ટરવ્યૂમાં સૂરજે એ પણ જણાવ્યું હતું કે બંને પોતાના કરિયરમાં વ્યસ્ત રહેતા હોવાથી તેમનું લગ્નજીવન સંતુલિત રીતે આગળ વધી રહ્યું હતું. જોકે હવે છૂટાછેડાની અફવાઓ વચ્ચે આ ઇન્ટરવ્યૂ ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા નેટીઝન્સ આ નિવેદન પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

આ દરમિયાન મૌની અને સૂરજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને લોકોને અફવાઓ અને ખોટા સમાચાર ન ફેલાવવા અપીલ કરી છે. બંનેએ આ મુશ્કેલ સમયમાં પોતાની પ્રાઈવસી જાળવવાની વિનંતી પણ કરી છે. નોંધનીય છે કે આ કપલે જાન્યુઆરી 2022માં ગોવામાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું.
લગ્નના 4 વર્ષ બાદ પતિથી અલગ થઈ મૌની રોય, પરસ્પર સંમતિથી લીધા છૂટાછેડા
