AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સવારે ખાલી પેટે ચા પીવાની આદત છે? તો બદલી નાખો, કારણ કે હળદર અને સૂંઠનું આ જાદુઈ પાણી શરીર માટે છે અમૃત સમાન

ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચાની ચુસ્કી સાથે થાય છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટે હળદર અને સૂંઠનું મિશ્રણ કરીને બનાવેલું આ સાદું પાણી શરીરની કાયાપલટ કરી શકે છે.

| Updated on: May 16, 2026 | 8:08 PM
Share
ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ બેડ ટી પીવાનું પસંદ કરે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ આ આદતને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવે છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટે હળદર અને સૂંઠનું પાણી પીવાને એક અકસીર ઔષધિ માનવામાં આવ્યું છે. જ્યારે હળદરમાં રહેલું 'કર્ક્યુમિન' અને સૂંઠમાં જોવા મળતું 'જીંઝરોલ' એકસાથે મળે છે, ત્યારે તેના ઔષધીય ગુણો બમણા થઈ જાય છે અને તે શરીર માટે પાવરહાઉસ તરીકે કામ કરે છે.

ઘણા લોકો સવારે ઉઠતાની સાથે જ બેડ ટી પીવાનું પસંદ કરે છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સ આ આદતને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાવે છે. આયુર્વેદમાં સવારે ખાલી પેટે હળદર અને સૂંઠનું પાણી પીવાને એક અકસીર ઔષધિ માનવામાં આવ્યું છે. જ્યારે હળદરમાં રહેલું 'કર્ક્યુમિન' અને સૂંઠમાં જોવા મળતું 'જીંઝરોલ' એકસાથે મળે છે, ત્યારે તેના ઔષધીય ગુણો બમણા થઈ જાય છે અને તે શરીર માટે પાવરહાઉસ તરીકે કામ કરે છે.

1 / 7
પાચનતંત્ર માટે રામબાણ ઈલાજ: સવારે ખાલી પેટે આ પાણી પીવાથી પેટના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ (પાચક રસો) સક્રિય થાય છે. સૂંઠ પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ અને અપચાની સમસ્યાને જડમૂળથી ખતમ કરવાનું કામ કરે છે. બીજી તરફ, હળદર આંતરડાનો સોજો ઓછો કરીને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે, જેનાથી તમે જે પણ ખાઓ છો તે સરળતાથી પચી જાય છે.

પાચનતંત્ર માટે રામબાણ ઈલાજ: સવારે ખાલી પેટે આ પાણી પીવાથી પેટના ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ (પાચક રસો) સક્રિય થાય છે. સૂંઠ પેટમાં ગેસ, એસિડિટી, બ્લોટિંગ અને અપચાની સમસ્યાને જડમૂળથી ખતમ કરવાનું કામ કરે છે. બીજી તરફ, હળદર આંતરડાનો સોજો ઓછો કરીને મેટાબોલિઝમ બુસ્ટ કરે છે, જેનાથી તમે જે પણ ખાઓ છો તે સરળતાથી પચી જાય છે.

2 / 7
સાંધાના દુખાવા અને સોજામાંથી મુક્તિ: હળદર અને સૂંઠ બંને પોતાના એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો વિરોધી) ગુણો માટે જાણીતા છે. જો તમને સવારે ઉઠતાની સાથે જ હાથ-પગ અથવા સાંધામાં જકડન અને દુખાવો અનુભવાતો હોય, તો આ પાણી તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તે ગઠિયા (આર્થરાઈટિસ) ના લક્ષણોને ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.

સાંધાના દુખાવા અને સોજામાંથી મુક્તિ: હળદર અને સૂંઠ બંને પોતાના એન્ટી-ઇન્ફ્લેમેટરી (સોજો વિરોધી) ગુણો માટે જાણીતા છે. જો તમને સવારે ઉઠતાની સાથે જ હાથ-પગ અથવા સાંધામાં જકડન અને દુખાવો અનુભવાતો હોય, તો આ પાણી તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. તે ગઠિયા (આર્થરાઈટિસ) ના લક્ષણોને ઘટાડવામાં અત્યંત મદદરૂપ છે.

3 / 7
ઈમ્યુનિટી બનશે લોખંડી: બદલાતા વાતાવરણમાં વારંવાર શરદી, ઉધરસ કે વાયરલ ફ્લૂ થવાનો ખતરો રહે છે. આ પાણી એક ઉત્તમ ડિટોક્સ ડ્રિંક છે. આ બંને મસાલામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

ઈમ્યુનિટી બનશે લોખંડી: બદલાતા વાતાવરણમાં વારંવાર શરદી, ઉધરસ કે વાયરલ ફ્લૂ થવાનો ખતરો રહે છે. આ પાણી એક ઉત્તમ ડિટોક્સ ડ્રિંક છે. આ બંને મસાલામાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સિડન્ટ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો હોય છે, જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.

4 / 7
વજન ઘટાડવામાં માસ્ટર બ્લાસ્ટર: જો તમે વધતા વજન અને પેટની ચરબીથી પરેશાન છો, તો આ પાણી તમારા મેટાબોલિક રેટને ઝડપી બનાવે છે. સૂંઠ શરીરમાં જમા થયેલી જીદ્દી ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે અને હળદર લોહીને સાફ કરીને શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) ને બહાર કાઢે છે, જેનાથી વેઇટ લોસ પ્રોસેસ સરળ બને છે.

વજન ઘટાડવામાં માસ્ટર બ્લાસ્ટર: જો તમે વધતા વજન અને પેટની ચરબીથી પરેશાન છો, તો આ પાણી તમારા મેટાબોલિક રેટને ઝડપી બનાવે છે. સૂંઠ શરીરમાં જમા થયેલી જીદ્દી ચરબીને બર્ન કરવામાં મદદ કરે છે અને હળદર લોહીને સાફ કરીને શરીરમાંથી ઝેરી તત્વો (ટોક્સિન્સ) ને બહાર કાઢે છે, જેનાથી વેઇટ લોસ પ્રોસેસ સરળ બને છે.

5 / 7
બનાવવાની સાચી રીત કઈ છે?: આ હેલ્ધી ડ્રિંક તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણી, પા ચમચી હળદર પાવડર અને પા ચમચી સૂંઠ પાવડર લો. પાણીને થોડું નવશેકું ગરમ કરો અને તેમાં હળદર તથા સૂંઠ બરાબર મિક્સ કરી લો. સ્વાદ બદલવા માટે તમે આમાં અડધી ચમચી મધ અથવા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ પાણીને સવારે બેસીને ઘૂંટડે-ઘૂંટડે ચાની જેમ પીવું જોઈએ.

બનાવવાની સાચી રીત કઈ છે?: આ હેલ્ધી ડ્રિંક તૈયાર કરવા માટે 1 ગ્લાસ પાણી, પા ચમચી હળદર પાવડર અને પા ચમચી સૂંઠ પાવડર લો. પાણીને થોડું નવશેકું ગરમ કરો અને તેમાં હળદર તથા સૂંઠ બરાબર મિક્સ કરી લો. સ્વાદ બદલવા માટે તમે આમાં અડધી ચમચી મધ અથવા લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. આ પાણીને સવારે બેસીને ઘૂંટડે-ઘૂંટડે ચાની જેમ પીવું જોઈએ.

6 / 7
રોગમુક્ત જીવન જીવવા માટે મોંઘી દવાઓ ખાવા કરતાં સવારની શરૂઆત આ દેશી અને કુદરતી ડ્રિંકથી કરવી એ આજના સમયનો સૌથી મોટો અને બેસ્ટ હેલ્થ જુગાડ છે.

રોગમુક્ત જીવન જીવવા માટે મોંઘી દવાઓ ખાવા કરતાં સવારની શરૂઆત આ દેશી અને કુદરતી ડ્રિંકથી કરવી એ આજના સમયનો સૌથી મોટો અને બેસ્ટ હેલ્થ જુગાડ છે.

7 / 7

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

Breaking News: અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ પછી સૌથી મોટો ધડાકો, છેલ્લી સેકન્ડ સુધી સ્ટીયરીંગ પકડીને શું કરી રહ્યા હતા કેપ્ટન?

Follow Us
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">