કાનુની સવાલ : ભરણપોષણ ન ચૂકવવા બદલ સુપ્રીમ કોર્ટે કડક આદેશ આપ્યો, પતિના પગારમાંથી 25,000 રૂપિયા કાપવામાં આવશે
સુપ્રીમકોર્ટે એક મહત્વના આદેશમાં કંપનીના કર્મચારીના પગારમાંથી 25,000 કાપીને પત્નીના ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે. જાણો કોર્ટે આ આદેશ કેમ આપ્યો શું છે સમગ્ર મામલો.

સુપ્રીમ કોર્ટે એક મહત્વના નિર્ણયમાં એક કંપનીને નિર્દેશ આપ્યો છે કે, તે પોતાના કર્મચારીના પગારમાંથી દર મહિને 25,000 કાપે. આ રકમ તેને સીધી કર્મચારીથી અલગ રહેતી પત્નીના બેન્કના ખાતામાં મોકલવાની રહેશે. કોર્ટે પતિને આદેશ આપ્યો હતો કે, તે પોતાની પત્ની અને દીકરીને મેન્ટેન્સ આપે પરંતુ પતિ આ આદેશનું પાલન કરતો ન હતો.

આ આદેશ જસ્ટિસ જે.બી પારદીવાલા અને જસ્ટિસ કે.વી વિશઅવનાથનની બેન્ચે અલગ રહેતા દંપતીને મામલે આપ્યો હતો. કોર્ટે કહ્યું કે. પત્ની અને દીકરીને બંન્ને આર્થિક સહાયતાની હકદાર છે પરંતુ પતિ પહેલા આપેલા આદેશ છતાં મેન્ટેન્સ આપતો ન હતો.

સુપ્રીમ કોર્ટે પહેલા પણ અનેક વખત કહી ચૂક્યું છે કે,મેન્ટેન્સ કોઈ દાન નથી પરંતુ કાનુની અધિકાર છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પત્ની અને બાળકો ગૌરવ સાથે જીવન જીવી શકે.

તેમણે કહ્યું કે, આવા કેસમાં સેલેરીથી સીધા પૈસા કાપી મેન્ટેનસનો આદેશ લાગુ કરવાને પ્રભાવી રીતે બની જાય છે. આનાથી ખાતરી કરી શકાય છે કે ચુકવણી નિયમિતપણે કરવામાં આવે છે.

સુનાવણી દરમિયાન કોર્ટે પતિને એ પણ પુછ્યું કે, શું વચગાળાના ભરણપોષણ તરીકે 2.5 લાખ રૂપિયા જમા કરાવવા તૈયાર છે, પરંતુ તેણે રકમ ચૂકવવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. ત્યારબાદ કોર્ટે મેન્ટેન્સ આદેશ લાગુ કરવા માટે સેલેરીમાંથી સીધું મેન્ટેન્સ કાપવાનો આદેશ યોગ્ય સમજ્યો હતો.

ત્યારબાગ કોર્ટે મેન્ટેન્સનો આદેશ લાગુ કરવા માટે સેલેરીમાંથી સીધા પૈસા કટ કરવાનો આદેશ યોગ્ય સમજ્યો હતો.કોર્ટે પતિના કર્મચારીને દર મહિને તેમના પગારમાંથી 25,000 કાપીને RTGS દ્વારા તેમની પત્નીના બેંક ખાતામાં જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ વ્યવસ્થા કોર્ટ આ મામલે નવો આદેશ જાહેર ન કરે ત્યાં સુધી ચાલુ રહેશે. કોર્ટે આગામી સુનાવણી એપ્રિલમાં નક્કી કરી છે, જ્યાં તે નક્કી કરવામાં આવશે કે આદેશનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે કે નહીં.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
