કાનુની સવાલ: ગર્લફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યા પછી લગ્ન નહી કરો તો મળશે સજા, જાણી લો કાનુન
ખોટા બહાના કે લગ્નના વચનો હેઠળ શારીરિક સંબંધો બાંધવા બદલ શું સજા છે? ચાલો આ બાબતે કાયદાની સમજૂતી કરીએ.POCSO એકટ શું કહે છે. તમને જણાવી દઈએ કે કોર્ટમાં આરોપ સાબિત થયા પછી જ સજા આપી શકાય છે.

છેલ્લા કેટલાક સમયથી એવા પણ કેસ સામે આવ્યા છે. જેમાં છોકરા લગ્નનું ખોટું વચન આપી છોકરીઓ સાથે શારીરિક સંબંધ બાંધતા હોય છે. તમને જણાવી દઈએ કે, આવું કરવું એક કાનુની ગુનો છે. તેમજ ગુનેગારને આ મામલે મોટી સજા પણ થઈ શકે છે.

ભારતીય દંડ સંહિતા હેઠળ, લગ્નના બહાને શારીરિક સંબંધ બાંધવા અથવા ખોટા વચનો આપવા બદલ શું સજા છે? આ બાબતે કાયદો શું કહે છે? ચાલો તમને સંપૂર્ણ વિગતો જણાવીએ.

તમને જણાવી દઈએ કે, કોઈ છોકરો કોઈ છોકરી સાથે લગ્નનું વચન આપી ફિઝિકલ રિલેશન રાખે છે. ટુંકમાં છોકરી સાથે લગ્ન કરતો નથી. તો આમ કરવું એ ફોજદારી ગુનો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 69 આવા કેસ માટે સજા વ્યાખ્યાયિત કરે છે.

ભારતીય ન્યાય સંહિતા એટલે કે, બીએનએસની કલમ 69 હેઠળ જો કોઈ લગ્નનું ખોટું વચન આપી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધે છે. જો વ્યક્તિ ગુના માટે દોષિત ઠરે છે, તો તેને 10 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ કિસ્સામાં, બંને સજા શક્ય છે.

આ કલમ હેઠળ, જો કોઈ મહિલાને નોકરીના ખોટા વચનો આપીને, પ્રમોશનની લાલચ આપીને અથવા પોતાની ઓળખ છુપાવીને શારીરિક સંબંધ બાંધવામાં આવે છે. તો પણ સજા થઈ શકે છે.તમને જણાવી દઈએ કે કોર્ટમાં આરોપ સાબિત થયા પછી જ સજા આપી શકાય છે.

થોડા સમય પહેલા કોલકાતા હાઈકોર્ટે POCSO એકટ હેઠળ એક 23 વર્ષીય પુરુષને આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર 2 લાખનો દંડ સાથે આ સજા યથાવત રાખવામાં આવી છે.

આ આખો મામલો 2015-2017નો છે. જ્યારે આરોપીએ સગીરા સાથે કથિત અફેર શરૂ કર્યું ત્યારે તે 12 વર્ષની હતી, જ્યારે આરોપી 23 વર્ષનો હતો. આ સમય દરમિયાન, આરોપીએ સગીરા સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા, લગ્નના ખોટા વચનો આપ્યા હતા.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
