કાનુની સવાલ : શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?
સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે, જો ઘરજમાઈ બનવાનો દાવો કરવાથી કોઈ વ્યક્તિની સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. સુપ્રીમ કોર્ટે આ મામલે મહત્વનો ચુકાદો આપ્યો છે. ચાલો જાણીએ

સુપ્રીમ કોર્ટે ગુરુવારના રોજ કહ્યું કે, કોઈ વ્યક્તિના સાસરિયા પક્ષના કાકા પોતાની ભત્રીજીના પતિને ઘરજમાઈ બનાવવાનો દાવો કરે છે. તો આ પહેલા તેમણે એ સાબિત કરવું પડશે કે, શું આવો રિવાજ ખરેખર છે.

માત્ર દાવો કરવાથી સંપત્તિમાં ઉત્તરાધિકારનો અધિકાર મળતો નથી. કોર્ટે ઝારખંડના ઉરાંવ જનજાતીય સમુદાય સાથે જોડાયેલો એક સંપત્તિ વિવાદમાં 3 નીચલી કોર્ટેના નિર્ણયને રદ કર્યો છે.

કોર્ટે જણાવ્યું હતું કે પ્રતિવાદીઓ આવી કોઈ રિવાજ અસ્તિત્વમાં હોવાનું સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો. તેથી ફરિયાદ કરનારની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કોઈપણ પરંપરા અથવા રિવાજ સાબિત કરવાની જવાબદારી તેનો દાવો કરનાર પક્ષની છે. કોર્ટે એ દાવાને પણ ફગાવી દીધો હતો કે લેદુરા ઓરાઓન તેની ભત્રીજીના પતિ પુનાઈ ઓરાઓનને તેના જમાઈ તરીકે દત્તક લઈ શકે છે અને તેના આધારે તેને તેની મિલકતનો વારસદાર બનાવી શકે છે.

બેન્ચે કહ્યું કે, એવું ક્યાંય સાબિત થયું નથી કે પ્રચલિત પરંપરા હેઠળ કોઈ વ્યક્તિ તેની ભત્રીજીના પતિને જમાઈ તરીકે દત્તક લઈ શકે છે.

શું ઘર જમાઈને તેના સસરાની મિલકતમાં હક મળી શકે છે?પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પુરાવાથીએ સાબિત જરુર થયું કે, ઘરજમાઈને પોતાના સાસરાની સંપત્તિમાં અધિકાર મળી શકે છે. પરંતુ આવો કોઈ પુરાવો રજુ કરવામાં આવ્યો ન હતો. જેનાથી એ સાબિત થઈ શકે કે,આ રિવાજ સાસરિયા પક્ષના કાકાની સંપત્તિ પર લાગુ થાય છે.

સમગ્ર મામલો શું હતો. આ વિવાદ ઓરાઓં પરિવારની પૈતૃક મિલકતને લગતો હતો. પ્રતિવાદીઓએ દલીલ કરી હતી કે પુનાઈ ઓરાઓંને નિઃસંતાન લેદુરા ઓરાઓં દ્વારા જમાઈ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા, અને તેથી, તેમને મિલકત પર વારસાગત અધિકારો હોવા જોઈએ. સામેવાળા પક્ષે આ દાવાને પડકાર્યો હતો, એવી દલીલ કરી હતી કે આવી કોઈ પરંપરા અસ્તિત્વમાં નથી.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
