આ કઠોળ પથરી માટે રામબાણ ઈલાજ છે, આજે જ તેને આહારમાં સામેલ કરો
તમે સામાન્ય રીતે અડદની દાળ, ચણાની દાળ, મસુર દાળ અને તુવેર દાળનું સેવન કરતા હશો. પરંતુ શું તમે ક્યારેય કુલથી દાળ વિશે સાંભળ્યું છે. ઘણા લોકો તેના વિશે જાણતા નથી. આવો જાણીએ કુલી દાળ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે.

દાળ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે ઘણા લોકો તુવેર દાળ અને મસૂર દાળ જેવા કઠોળનું સેવન કરે છે. આવી જ બીજી એક દાળ છે કુલથી. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આવો જાણીએ તેના ફાયદા.

કુલથી દાળને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. તે ચયાપચયને ઝડપી બનાવવાનું કામ કરે છે. તેનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. તેમાં કેલરી પણ ઘણી ઓછી હોય છે. આ રીતે તેનું સેવન કરવાથી ઝડપથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

કુલથી દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ દાળના સેવનથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

કિડની સ્ટોનથી પરેશાન લોકો માટે આ દાળ રામબાણ ઈલાજ છે. એક અભ્યાસ મુજબ કુલથી દાળનું સેવન કરવાથી પથરીની સમસ્યામાંથી રાહત મળી શકે છે. જેના માટે કિડની સ્ટોનમાંથી રાહત મેળવવા માટે કુલથી દાળ સેવન પણ કરી શકો છો.

કુલ્થી દાળમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. આ દાળનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, આનું સેવન સારા કોલેસ્ટ્રોલને વધારે છે.