મનુષ્ય જીવનના એ ત્રણ તબક્કા, જ્યારે માણસ યુવાવસ્થામાંથી ઝડપભેર વૃદ્ધાવસ્થામાં સરકી જાય છે, જાણો
શું તમે જાણો છો કે વ્યક્તિનાં જીવનમાં એવા ત્રણ વર્ષ આવે છે, જ્યારે એ યુવાવસ્થાથી વૃદ્ધાવસ્થામાં સરકી જાય છે – એ પણ જાણે અજાણે?

મનુષ્ય હંમેશા યુવાન રહેવા માટે પ્રયત્નશીલ રહે છે – નવી ફેશન, દેખાવ, જીવનશૈલી, વિચારો બધું જ બદલાય છે પણ આશય એ જ રહે છે. "યુવાન દેખાવું છે" છતાં પણ હકીકત એ છે કે માણસ વૃદ્ધ ન થવાના અનેક પ્રયત્નો કરે છે, પણ એ "જાતે જ વૃદ્ધ બની જાય છે."

તો એ ત્રણ વર્ષ કયા? તેની વાત કરવામાં આવે તો ઉંમર 30 વર્ષ કે જ્યારે યુવાનીનો આરસ પિયતાં વ્યક્તિ અહીં આવી પહોંચે છે. આ વયે મન સૂઝબૂઝયુક્ત બની જાય છે. ભોગવિલેલા જીવન અનુભવથી હવે નવીનતાનું કૌતૂહલ ઘટવા લાગે છે. જો વ્યક્તિ અહીં પોતાની ઉર્જા ટકી રાખે, તો તે આગામી 15 વર્ષો સુધી એટલે કે 45 વર્ષની ઉંમર સુધી તાજગીભર્યું જીવન જીવી શકે છે.

આ બાદ ઉંમર વર્ષ 45 જે આ એક એવો વળાંક છે જ્યાં શરીર અને મન બંને ધીરે ધીરે તકલીફો તરફ આગળ વધે છે. પાચન, ઊર્જા અને શારીરિક સક્રિયતામાં ઘટાડો જોવા મળે છે. અહીં જો યોગ્ય ખોરાક, વ્યાયામ અને મનોબળથી યુવાની ટકી રાખવામાં આવે, તો વૃદ્ધાવસ્થાના પડઘા દૂર રાખી શકાય છે.

ઉંમર 60 વર્ષ જ્યારે આ વયને સંપૂર્ણ વૃદ્ધાવસ્થાનું દ્વાર માનવામાં આવે છે. દુનિયાભરમાં આ ઉંમરે નિવૃત્તિ થાય છે, જવાબદારીઓ ઓછી થાય છે અને સ્વતંત્ર જીવનની શરૂઆત થાય છે. છતાંય, જો વ્યક્તિએ અહીં સુધી પોતાની તંદુરસ્તી જાળવી રાખી હોય – તો 60 પછીનું જીવન પણ એજશ યુવાન રીતે જીવી શકાય છે.

આ બધુ વિચારી તમને પ્રશ્ન થશે કે શું 75 વર્ષની ઉંમરે પણ યુવાવસ્થા બચાવી શકાય ? તો જવાબ છે હા, કેટલાક ભાગ્યશાળી લોકો 75 વર્ષની ઉંમરે પણ ઉત્તમ તંદુરસ્તી, સ્ફૂર્તિ અને ઊર્જાથી ભરપૂર જોવા મળે છે. એ દર્શાવે છે કે યોગ્ય જીવનશૈલી, ખોરાક અને વિચારો દ્વારા વૃદ્ધાવસ્થાની અસર ઘટાડી શકાય છે.

દર 15 વર્ષે મનુષ્ય જીવનમાં એક મોટો ફેરફાર આવે છે. જેમાં 15, 30, 45, 60 અને 75 વર્ષ… જો આપણે દરેક મહત્વની ઉંમરે યોગ્ય નિર્ણયો લઈએ અને જીવનશૈલીમાં યોગ્ય સુધારાઓ કરીએ – તો વૃદ્ધાવસ્થા બસ એક સંજોગ બની રહે છે, ન કે આપણું વાસ્તવિક સ્વરૂપ. (નોંધ :અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.) (All Image - Canva)
જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે. આવા જ સમાચાર વાંચવા અહીં ક્લિક કરી તમારૂ નોલેજ વધારો.
