AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahashivratri : મહાદેવને પ્રસન્ન કરવા માટે કઈ વસ્તુઓનું દાન કરવું ફળદાયી ? આટલું કરશો, તો ભાગ્યના બંધ દરવાજા ખૂલી જશે

મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ ભક્તો માટે અતૂટ શ્રદ્ધા અને સંકલ્પનું પર્વ છે. આ દિવસે ભક્તો મહાદેવની પૂજા-અર્ચના કરવાની સાથે ઉપવાસ રાખતા હોય છે પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે.

| Updated on: Feb 10, 2026 | 4:54 PM
Share
મહાશિવરાત્રીનો દિવસ ભક્તો માટે શ્રદ્ધા અને સંકલ્પનો દિવસ હોય છે. આ દિવસે ભક્તો પૂરી શ્રદ્ધા સાથે મહાદેવની આરાધના કરે છે અને ઉપવાસ રાખે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે.

મહાશિવરાત્રીનો દિવસ ભક્તો માટે શ્રદ્ધા અને સંકલ્પનો દિવસ હોય છે. આ દિવસે ભક્તો પૂરી શ્રદ્ધા સાથે મહાદેવની આરાધના કરે છે અને ઉપવાસ રાખે છે. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ હોય છે.

1 / 8
એવું કહેવાય છે કે, જરૂરિયાતમંદોને દાન આપવાથી ભોલે બાબા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાથે જ ગ્રહ દોષ અને વૈવાહિક સમસ્યાઓ સહિત જીવનની બીજી મુશ્કેલીઓના નિવારણ માટે આ દિવસે કરવામાં આવેલું દાન અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે, જરૂરિયાતમંદોને દાન આપવાથી ભોલે બાબા પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે. સાથે જ ગ્રહ દોષ અને વૈવાહિક સમસ્યાઓ સહિત જીવનની બીજી મુશ્કેલીઓના નિવારણ માટે આ દિવસે કરવામાં આવેલું દાન અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

2 / 8
ચોખાનું દાન: મહાશિવરાત્રીના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ચોખાના દાનથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ માનસિક શાંતિ માટે પણ ચોખાનું દાન અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

ચોખાનું દાન: મહાશિવરાત્રીના દિવસે ચોખાનું દાન કરવું શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, ચોખાના દાનથી કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે. સાથે જ માનસિક શાંતિ માટે પણ ચોખાનું દાન અત્યંત લાભદાયી માનવામાં આવે છે.

3 / 8
કાળી દાળ (અડદ): જો તમારા પર શનિ દોષ હોય, તો એવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે કાળી અડદની દાળનું દાન કરવું તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે, આ દિવસે કાળી દાળના દાનથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

કાળી દાળ (અડદ): જો તમારા પર શનિ દોષ હોય, તો એવી સ્થિતિમાં મહાશિવરાત્રીના દિવસે કાળી અડદની દાળનું દાન કરવું તમારા માટે અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. એવું કહેવાય છે કે, આ દિવસે કાળી દાળના દાનથી શનિ દોષનો પ્રભાવ ઓછો થાય છે.

4 / 8
સફેદ વસ્તુઓનું દાન: એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને સફેદ રંગ અત્યંત પ્રિય છે. તેથી મહાશિવરાત્રીના દિવસે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ રંગની વસ્તુઓ (સફેદ વસ્ત્રો, દૂધ, દહીં અને ફળ)નું દાન કરવું જોઈએ.

સફેદ વસ્તુઓનું દાન: એવું માનવામાં આવે છે કે, ભગવાન શિવને સફેદ રંગ અત્યંત પ્રિય છે. તેથી મહાશિવરાત્રીના દિવસે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે સફેદ રંગની વસ્તુઓ (સફેદ વસ્ત્રો, દૂધ, દહીં અને ફળ)નું દાન કરવું જોઈએ.

5 / 8
કાળા તલનું દાન: ગ્રહ સંબંધિત સમસ્યાઓ માટે કાળા તલનું દાન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી અને ત્યારબાદ તેનું દાન કરવાથી પિતૃ દોષ તેમજ શનિની સાડાસાતીનો પ્રભાવ ઓછો થાય છે.

કાળા તલનું દાન: ગ્રહ સંબંધિત સમસ્યાઓ માટે કાળા તલનું દાન અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, શિવલિંગ પર કાળા તલ અર્પણ કરવાથી અને ત્યારબાદ તેનું દાન કરવાથી પિતૃ દોષ તેમજ શનિની સાડાસાતીનો પ્રભાવ ઓછો થાય છે.

6 / 8
શૃંગારનું દાન: એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. આ દિવસે કોઈ મહિલાને શૃંગારની વસ્તુઓ દાનમાં આપવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે શૃંગારનું દાન કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શૃંગારનું દાન: એવું માનવામાં આવે છે કે, મહાશિવરાત્રીના દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવના વિવાહ થયા હતા. આ દિવસે કોઈ મહિલાને શૃંગારની વસ્તુઓ દાનમાં આપવી શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ દિવસે શૃંગારનું દાન કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

7 / 8
ઘી અને ગોળનું દાન: એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં દીવો પ્રગટાવવા માટે ઘીનું દાન કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. વધુમાં, ગોળનું દાન કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સૂર્ય ગ્રહ મજબૂત બને છે.

ઘી અને ગોળનું દાન: એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે મંદિરમાં દીવો પ્રગટાવવા માટે ઘીનું દાન કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. વધુમાં, ગોળનું દાન કરવાથી આત્મવિશ્વાસ વધે છે અને સૂર્ય ગ્રહ મજબૂત બને છે.

8 / 8
ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર માન્યતાઓ અને પરંપરાગત જાણકારીઓ પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ પ્રકારની માન્યતા કે જાણકારીની પુષ્ટિ કરતા નથી. કોઈપણ ઉપાય કરતા પહેલા સંબંધિત વિષયના નિષ્ણાતની સલાહ લેવી અનિવાર્ય છે.

આ પણ વાંચો: Mahashivratri Special: મહાશિવરાત્રિ પર ભોળેનાથને પ્રિય ‘ઠંડાઈ’ ઘરે બનાવો

કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
કમલમમાં જવાનો શોખ ધરાવનાર સરકારી કર્મચારી રાજીનામુ આપી ભગવો પહેરી લે
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
g clip-path="url(#clip0_868_265)">