AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર… હવે મળશે ‘લાઈફટાઈમ પેન્શન’, જાણો ક્યારે અને કેવી રીતે

ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર છે, કારણ કે હવે તેમને આજીવન પેન્શન મળવાની તક મળશે. ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન રહે છે કે, પેન્શન ક્યારે મળશે, કેટલી મળશે અને કયા નિયમ હેઠળ મળશે, તેથી આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.

| Updated on: Feb 10, 2026 | 12:17 PM
Share
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે EPFOની પેન્શન યોજના એટલે કે EPS અત્યંત મહત્વની છે. નોકરી દરમિયાન દર મહિને PF કપાય છે પરંતુ મોટાભાગના કર્મચારીઓ એ સમજી શકતા નથી કે, પેન્શન ક્યારે મળશે, કેટલું મળશે અને કઈ શરતો પર મળશે?

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે EPFOની પેન્શન યોજના એટલે કે EPS અત્યંત મહત્વની છે. નોકરી દરમિયાન દર મહિને PF કપાય છે પરંતુ મોટાભાગના કર્મચારીઓ એ સમજી શકતા નથી કે, પેન્શન ક્યારે મળશે, કેટલું મળશે અને કઈ શરતો પર મળશે?

1 / 6
PF બેલેન્સ જ્યાં પાસબુકમાં દેખાય છે, ત્યાં પેન્શનનું ગણિત નિયમો અને ફોર્મ્યુલા પર ચાલે છે. તાજેતરના વર્ષોમાં EPFOના નિયમો, પગાર મર્યાદા અને કોર્ટના આદેશોને કારણે EPSને સમજવું વધુ મુશ્કેલ બન્યું છે. EPS હેઠળ માસિક પેન્શન મેળવવા માટે બે શરતો સૌથી મહત્વની છે. પહેલી, કર્મચારીની ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ થયેલી હોવી જોઈએ અને બીજી, તેની ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.

PF બેલેન્સ જ્યાં પાસબુકમાં દેખાય છે, ત્યાં પેન્શનનું ગણિત નિયમો અને ફોર્મ્યુલા પર ચાલે છે. તાજેતરના વર્ષોમાં EPFOના નિયમો, પગાર મર્યાદા અને કોર્ટના આદેશોને કારણે EPSને સમજવું વધુ મુશ્કેલ બન્યું છે. EPS હેઠળ માસિક પેન્શન મેળવવા માટે બે શરતો સૌથી મહત્વની છે. પહેલી, કર્મચારીની ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ થયેલી હોવી જોઈએ અને બીજી, તેની ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.

2 / 6
અહીં પેન્શન પાત્ર સેવાનો અર્થ એવો સમયગાળો છે કે, જેમાં એમ્પ્લોયર (માલિક) દ્વારા EPSમાં યોગદાન આપવામાં આવ્યું હોય અને કર્મચારીએ PF ટ્રાન્સફર કરાવ્યું હોય, ઉપાડ્યું ન હોય. 10 વર્ષથી ઓછી સેવા હોય તો આજીવન પેન્શનનો હક મળતો નથી.

અહીં પેન્શન પાત્ર સેવાનો અર્થ એવો સમયગાળો છે કે, જેમાં એમ્પ્લોયર (માલિક) દ્વારા EPSમાં યોગદાન આપવામાં આવ્યું હોય અને કર્મચારીએ PF ટ્રાન્સફર કરાવ્યું હોય, ઉપાડ્યું ન હોય. 10 વર્ષથી ઓછી સેવા હોય તો આજીવન પેન્શનનો હક મળતો નથી.

3 / 6
કર્મચારીના એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા PF યોગદાનનો 8.33 ટકા હિસ્સો EPSમાં જમા થાય છે. જો કે, આ યોગદાન નક્કી કરેલી પગાર મર્યાદા પર જ આધારિત હોય છે. આનો અર્થ એ છે કે, તમારો વાસ્તવિક પગાર ગમે તેટલો વધારે હોય પણ પેન્શનની ગણતરી એક મર્યાદાથી ઉપર વધતી નથી. આ જ કારણ છે કે, ઊંચા પગાર ધરાવતા લોકોને પણ પેન્શન મર્યાદિત મળે છે અને તેને રોકાણની જેમ વધારી શકાતું નથી.

કર્મચારીના એમ્પ્લોયર દ્વારા આપવામાં આવતા PF યોગદાનનો 8.33 ટકા હિસ્સો EPSમાં જમા થાય છે. જો કે, આ યોગદાન નક્કી કરેલી પગાર મર્યાદા પર જ આધારિત હોય છે. આનો અર્થ એ છે કે, તમારો વાસ્તવિક પગાર ગમે તેટલો વધારે હોય પણ પેન્શનની ગણતરી એક મર્યાદાથી ઉપર વધતી નથી. આ જ કારણ છે કે, ઊંચા પગાર ધરાવતા લોકોને પણ પેન્શન મર્યાદિત મળે છે અને તેને રોકાણની જેમ વધારી શકાતું નથી.

4 / 6
જો કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમર પહેલા એટલે કે 50 વર્ષ પછી પેન્શન લેવા માંગે છે, તો તેને 'અર્લી પેન્શન' માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પેન્શનની રકમમાં કાયમી ઘટાડો કરવામાં આવે છે. બીજી તરફ, જો કર્મચારી 58 વર્ષ પછી પેન્શન લેવાનું ટાળે છે અને 60 વર્ષ સુધી રાહ જુએ છે, તો તેને થોડું વધારે પેન્શન મળી શકે છે. ટૂંકમાં, પેન્શનનો સમય તમારા માસિક લાભને ડાયરેક્ટ અસર કરે છે.

જો કોઈ કર્મચારી 58 વર્ષની ઉંમર પહેલા એટલે કે 50 વર્ષ પછી પેન્શન લેવા માંગે છે, તો તેને 'અર્લી પેન્શન' માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પેન્શનની રકમમાં કાયમી ઘટાડો કરવામાં આવે છે. બીજી તરફ, જો કર્મચારી 58 વર્ષ પછી પેન્શન લેવાનું ટાળે છે અને 60 વર્ષ સુધી રાહ જુએ છે, તો તેને થોડું વધારે પેન્શન મળી શકે છે. ટૂંકમાં, પેન્શનનો સમય તમારા માસિક લાભને ડાયરેક્ટ અસર કરે છે.

5 / 6
જો કોઈ કર્મચારી EPS હેઠળ 10 વર્ષની સેવા પૂરી કરતા પહેલા નોકરી છોડી દે છે, તો તેને માસિક પેન્શન મળતું નથી. આવા કિસ્સામાં EPFO તરફથી એકસાથે ઉપાડનો લાભ (Withdrawal Benefit) આપવામાં આવે છે. આ રકમ સર્વિસ ટેબલના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં સેવાના વર્ષો મુજબ એક ફેક્ટર નક્કી કરી તેને પેન્શન પાત્ર પગાર સાથે ગુણવામાં આવે છે. આ રકમ સામાન્ય રીતે મર્યાદિત હોય છે અને તે લાઈફટાઈમ પેન્શનનો વિકલ્પ બનતી નથી.

જો કોઈ કર્મચારી EPS હેઠળ 10 વર્ષની સેવા પૂરી કરતા પહેલા નોકરી છોડી દે છે, તો તેને માસિક પેન્શન મળતું નથી. આવા કિસ્સામાં EPFO તરફથી એકસાથે ઉપાડનો લાભ (Withdrawal Benefit) આપવામાં આવે છે. આ રકમ સર્વિસ ટેબલના આધારે નક્કી કરવામાં આવે છે, જેમાં સેવાના વર્ષો મુજબ એક ફેક્ટર નક્કી કરી તેને પેન્શન પાત્ર પગાર સાથે ગુણવામાં આવે છે. આ રકમ સામાન્ય રીતે મર્યાદિત હોય છે અને તે લાઈફટાઈમ પેન્શનનો વિકલ્પ બનતી નથી.

6 / 6

આ પણ વાંચો: નોકરિયાત વર્ગ માટે ખુશખબર… એક પણ રૂપિયો ખર્ચ્યા વગર મેળવો 7 લાખનો વીમો, તમારા પરિવારને મુશ્કેલીમાં સાથ આપશે આ ‘સ્કીમ’

Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
દુબઈથી સોનાની હેરાફેરીના નવા પેંતરાનો પર્દાફાશ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
મહાશિવરાત્રી પહેલા ભવનાથ માર્ગ પર નોન-વેજથી વિવાદ
g clip-path="url(#clip0_868_265)">