AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup Breaking News: દિલ્હીના મેદાનમાં ઇતિહાસ રચવા તૈયાર ‘અર્શદીપ સિંહ’, અશ્વિનનો ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડવાથી માત્ર થોડા ડગલાં દૂર

ICC T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમ પોતાની બીજી મેચમાં નામીબિયા સામે ટકરાશે. આ મેચમાં ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ પાસે ઇતિહાસ રચવાની શાનદાર તક હશે.

| Updated on: Feb 10, 2026 | 1:50 PM
Share
અર્શદીપ સિંહ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક છે. જો અર્શદીપ નામીબિયા સામેની મેચમાં 4 બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહેશે, તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.

અર્શદીપ સિંહ ભારતના દિગ્ગજ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનો વર્લ્ડ કપનો મોટો રેકોર્ડ તોડવાની ખૂબ જ નજીક છે. જો અર્શદીપ નામીબિયા સામેની મેચમાં 4 બેટ્સમેનને આઉટ કરવામાં સફળ રહેશે, તો તે T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની જશે.

1 / 6
અર્શદીપ સિંહ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ભારત માટે 15 મેચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યો છે. ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનમાં તેણે અમેરિકા (USA) સામે ભારતની પ્રથમ મેચમાં બે વિકેટ મેળવી હતી. આ રીતે તેના ખાતામાં 29 વિકેટ થઈ ગઈ છે. હવે અર્શદીપના નિશાના પર દિગ્ગજ ભારતીય સ્પિનર અશ્વિનનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે, અશ્વિને T20 વર્લ્ડ કપમાં ભારત માટે 24 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી હતી.

અર્શદીપ સિંહ અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં ભારત માટે 15 મેચમાં 29 વિકેટ ઝડપી ચૂક્યો છે. ટૂર્નામેન્ટની વર્તમાન સીઝનમાં તેણે અમેરિકા (USA) સામે ભારતની પ્રથમ મેચમાં બે વિકેટ મેળવી હતી. આ રીતે તેના ખાતામાં 29 વિકેટ થઈ ગઈ છે. હવે અર્શદીપના નિશાના પર દિગ્ગજ ભારતીય સ્પિનર અશ્વિનનો રેકોર્ડ છે. જણાવી દઈએ કે, અશ્વિને T20 વર્લ્ડ કપમાં ભારત માટે 24 મેચમાં કુલ 32 વિકેટ ઝડપી હતી.

2 / 6
અર્શદીપના વર્તમાન ફોર્મને જોતા એવું માનવામાં આવે છે કે, તે 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે યોજાનારી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. જો અર્શદીપ ત્રણ કે તેથી વધુ વિકેટ લેશે, તો તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ બોલર બની જશે.

અર્શદીપના વર્તમાન ફોર્મને જોતા એવું માનવામાં આવે છે કે, તે 12 ફેબ્રુઆરીએ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં નામીબિયા સામે યોજાનારી મેચમાં આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી શકે છે. જો અર્શદીપ ત્રણ કે તેથી વધુ વિકેટ લેશે, તો તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારતનો સૌથી સફળ બોલર બની જશે.

3 / 6
T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ 32 વિકેટ લઈને મોખરે છે, જ્યારે અર્શદીપ સિંહે 29 વિકેટ મેળવી છે. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે 26 વિકેટ, હાર્દિક પંડ્યાએ 24 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ 22 વિકેટ લઈને ભારતીય ટીમની બોલિંગને મજબૂતી આપી છે. આ આંકડા દર્શાવે છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે.

T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. રવિચંદ્રન અશ્વિન સૌથી વધુ 32 વિકેટ લઈને મોખરે છે, જ્યારે અર્શદીપ સિંહે 29 વિકેટ મેળવી છે. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે 26 વિકેટ, હાર્દિક પંડ્યાએ 24 વિકેટ અને રવીન્દ્ર જાડેજાએ 22 વિકેટ લઈને ભારતીય ટીમની બોલિંગને મજબૂતી આપી છે. આ આંકડા દર્શાવે છે કે, T20 વર્લ્ડ કપમાં ભારતીય બોલરોનું પ્રદર્શન ઘણું પ્રભાવશાળી રહ્યું છે.

4 / 6
અર્શદીપ સિંહ T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે 77 મેચની 76 ઇનિંગ્સમાં 120 વિકેટ ઝડપી છે. 51 રન આપીને 5 વિકેટ એ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અર્શદીપ બાદ જસપ્રીત બુમરાહ 107 વિકેટ સાથે બીજા સ્થાને છે.

અર્શદીપ સિંહ T20I ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે 77 મેચની 76 ઇનિંગ્સમાં 120 વિકેટ ઝડપી છે. 51 રન આપીને 5 વિકેટ એ તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન છે. અર્શદીપ બાદ જસપ્રીત બુમરાહ 107 વિકેટ સાથે બીજા સ્થાને છે.

5 / 6
જણાવી દઈએ કે, ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. ટીમને એક દિવસનો બ્રેક મળવાની શક્યતા છે, ત્યારબાદ પ્રેક્ટિસ સેશન શરૂ થશે. નામીબિયા સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને તક મળશે કે નહીં? તે અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

જણાવી દઈએ કે, ભારતીય ટીમ દિલ્હી પહોંચી ગઈ છે. ટીમને એક દિવસનો બ્રેક મળવાની શક્યતા છે, ત્યારબાદ પ્રેક્ટિસ સેશન શરૂ થશે. નામીબિયા સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. જસપ્રીત બુમરાહની વાપસી લગભગ નક્કી માનવામાં આવે છે, જ્યારે વોશિંગ્ટન સુંદરને તક મળશે કે નહીં? તે અંગેનો અંતિમ નિર્ણય ટીમ મેનેજમેન્ટ લેશે.

6 / 6

T20 WC 2026 Breaking News : ICCની દરિયાદિલી, બાંગ્લાદેશને નહીં કરે દંડ, મળ્યું આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનું યજમાનપદ

જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
જ્યોર્જિયામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કાર સાથે અથડાયુ પ્લેન
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝનો વીડિયો વાયરલ
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
Breaking News : 120 કિલો ચાંદીની ચોરી પાછળ અંડરવર્લ્ડ સ્ટાઈલ ષડયંત્ર!
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
ગીર પાસે રેલવે ટ્રેક પર સિંહો! લોકો પાયલટે ટાળી મહાદુર્ઘટના
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
વડોદરામા આગામી સત્રથી 1500થી વધુ બાળકો ડિજિટલ સુવિધાઓ સાથે કરશે અભ્યાસ
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
ગીરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈન ધર્મની ધજા ફરકાવતા વિવાદ વકર્યો
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
રાજકોટ-જામનગર બાદ હવે અમદાવાદમાં પણ 'હું નથુરામ' નાટકનો શો રદ
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
Breaking News: દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
શિયાળાનો અંત કે ઉનાળાની શરૂઆત? ગુજરાતમાં હવામાનનું ઘમાસાણ
g clip-path="url(#clip0_868_265)">