AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Railway Station : ભારતનું અનોખું રેલવે સ્ટેશન, જેનું કોઈ નામ જ નથી, કારણ ચોંકાવનારું

ભારતમાં એક એવું અનોખું રેલ્વે સ્ટેશન છે જેનું કોઈ નામ નથી. ભારતના ગામમાં આવેલું આ સ્ટેશન વર્ષોથી નામવિહીન છે.

| Updated on: Dec 27, 2025 | 11:37 AM
Share

 

ભારતીય રેલવેના વિશાળ નેટવર્કમાં એક એવું અનોખું રેલવે સ્ટેશન છે, જે વર્ષોથી નામ વગર કાર્યરત છે. મુસાફરો અહીંથી રોજ ચઢે છે અને ઉતરે છે, ટ્રેનો નિયમિત રીતે રોકાય છે, પરંતુ સ્ટેશનના પીળા બોર્ડ પર આજ સુધી કોઈ નામ લખાયું નથી. ઓળખ વિના ચાલતું આ સ્ટેશન ભારતીય રેલવેના દૈનિક સંચાલનનો અવિભાજ્ય ભાગ બની ગયું છે અને તેને દેશના સૌથી અજોડ રેલવે સ્ટેશનોમાં સ્થાન મળ્યું છે.

ભારતીય રેલવેના વિશાળ નેટવર્કમાં એક એવું અનોખું રેલવે સ્ટેશન છે, જે વર્ષોથી નામ વગર કાર્યરત છે. મુસાફરો અહીંથી રોજ ચઢે છે અને ઉતરે છે, ટ્રેનો નિયમિત રીતે રોકાય છે, પરંતુ સ્ટેશનના પીળા બોર્ડ પર આજ સુધી કોઈ નામ લખાયું નથી. ઓળખ વિના ચાલતું આ સ્ટેશન ભારતીય રેલવેના દૈનિક સંચાલનનો અવિભાજ્ય ભાગ બની ગયું છે અને તેને દેશના સૌથી અજોડ રેલવે સ્ટેશનોમાં સ્થાન મળ્યું છે.

1 / 6
ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જેને દેશની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ દેશભરના 7,300થી વધુ રેલવે સ્ટેશનો વચ્ચે 13,000થી વધુ પેસેન્જર ટ્રેનો દોડે છે. સામાન્ય રીતે દરેક સ્ટેશન તેની ઓળખ પીળા બોર્ડ પર લખાયેલા નામથી મેળવે છે, પરંતુ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં આવેલું આ સ્ટેશન વર્ષોથી સંપૂર્ણ ખાલી બોર્ડ સાથે ઓળખાય છે.

ભારતીય રેલવે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલવે નેટવર્ક છે, જેને દેશની જીવનરેખા તરીકે ઓળખવામાં આવે છે. દરરોજ દેશભરના 7,300થી વધુ રેલવે સ્ટેશનો વચ્ચે 13,000થી વધુ પેસેન્જર ટ્રેનો દોડે છે. સામાન્ય રીતે દરેક સ્ટેશન તેની ઓળખ પીળા બોર્ડ પર લખાયેલા નામથી મેળવે છે, પરંતુ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં આવેલું આ સ્ટેશન વર્ષોથી સંપૂર્ણ ખાલી બોર્ડ સાથે ઓળખાય છે.

2 / 6
આ રસપ્રદ ઘટનાની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. તે સમયે બાંકુરા–માસાગ્રામ રેલવે લાઇન પર એક નવું સ્ટેશન પૂર્ણ થયું હતું. બર્ધમાન શહેરથી આશરે 35 કિલોમીટર દૂર આવેલું આ સ્ટેશન બે ગામો — રૈના અને રૈનાગઢ —ની વચ્ચે સ્થિત હતું. પ્રારંભિક કાગળકામ અને બાંધકામ પૂર્ણ થયા બાદ, રેલવેએ સ્ટેશનનું નામ “રૈનાગઢ” રાખવાનું નક્કી કર્યું અને પીળા બોર્ડ પર તે નામ લખી દેવામાં આવ્યું. શરૂઆતમાં રૈનાગઢ ગામના લોકો આ નિર્ણયથી ખુશ હતા, પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી ન શકી.

આ રસપ્રદ ઘટનાની શરૂઆત વર્ષ 2008માં થઈ હતી. તે સમયે બાંકુરા–માસાગ્રામ રેલવે લાઇન પર એક નવું સ્ટેશન પૂર્ણ થયું હતું. બર્ધમાન શહેરથી આશરે 35 કિલોમીટર દૂર આવેલું આ સ્ટેશન બે ગામો — રૈના અને રૈનાગઢ —ની વચ્ચે સ્થિત હતું. પ્રારંભિક કાગળકામ અને બાંધકામ પૂર્ણ થયા બાદ, રેલવેએ સ્ટેશનનું નામ “રૈનાગઢ” રાખવાનું નક્કી કર્યું અને પીળા બોર્ડ પર તે નામ લખી દેવામાં આવ્યું. શરૂઆતમાં રૈનાગઢ ગામના લોકો આ નિર્ણયથી ખુશ હતા, પરંતુ આ ખુશી લાંબા સમય સુધી ટકી ન શકી.

3 / 6
સ્ટેશન પર “રૈનાગઢ” નામ લખાતા જ નજીકના રૈના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ દાવો કર્યો કે જે જમીન પર સ્ટેશન અને પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, તે તેમની માલિકીની છે. તેમના મતે, જો જમીન રૈના ગામની છે, તો સ્ટેશનનું નામ રૈનાગઢ કેમ હોવું જોઈએ? આ મુદ્દે બંને ગામો વચ્ચે વિવાદ ઊભો થયો અને પરિસ્થિતિ ધીમે ધીમે તણાવપૂર્ણ બનતી ગઈ. અંતે મામલો રેલવે બોર્ડ સુધી પહોંચ્યો.

સ્ટેશન પર “રૈનાગઢ” નામ લખાતા જ નજીકના રૈના ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો. ગ્રામજનોએ દાવો કર્યો કે જે જમીન પર સ્ટેશન અને પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, તે તેમની માલિકીની છે. તેમના મતે, જો જમીન રૈના ગામની છે, તો સ્ટેશનનું નામ રૈનાગઢ કેમ હોવું જોઈએ? આ મુદ્દે બંને ગામો વચ્ચે વિવાદ ઊભો થયો અને પરિસ્થિતિ ધીમે ધીમે તણાવપૂર્ણ બનતી ગઈ. અંતે મામલો રેલવે બોર્ડ સુધી પહોંચ્યો.

4 / 6
રેલવેવહીવટીતંત્રે બંને પક્ષોને સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ ગામ પોતાનો દાવો છોડવા તૈયાર નહોતું. વિવાદ ઉકેલવાને બદલે વધુ ગંભીર બનતો ગયો અને આખરે કોર્ટ સુધી પહોંચ્યો. રોજિંદા ઝઘડા, વિરોધ અને કામગીરીમાં આવતા વિક્ષેપોથી કંટાળીને, રેલવેએ એક અનોખો અને અચંબિત કરનાર નિર્ણય લીધો.

રેલવેવહીવટીતંત્રે બંને પક્ષોને સમજાવવાનો પૂરતો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પણ ગામ પોતાનો દાવો છોડવા તૈયાર નહોતું. વિવાદ ઉકેલવાને બદલે વધુ ગંભીર બનતો ગયો અને આખરે કોર્ટ સુધી પહોંચ્યો. રોજિંદા ઝઘડા, વિરોધ અને કામગીરીમાં આવતા વિક્ષેપોથી કંટાળીને, રેલવેએ એક અનોખો અને અચંબિત કરનાર નિર્ણય લીધો.

5 / 6
રેલવે અધિકારીઓએ સ્ટેશનના પીળા બોર્ડ પરથી “રૈનાગઢ” નામ સંપૂર્ણપણે હટાવી દીધું. ત્યારથી આ સ્ટેશન કોઈ નામ વિના કાર્યરત છે. આજે પણ અહીં ટ્રેનો રોકાય છે, મુસાફરો આવન-જાવન કરે છે, પરંતુ સ્ટેશનના બોર્ડ પર ખાલી પીળું પાટિયું જ જોવા મળે છે. આ રીતે, બે ગામોના વિવાદને કારણે ભારતને એક એવું રેલવે સ્ટેશન મળ્યું છે, જેની ઓળખ માત્ર તેની નામવિહિન હાજરીથી થાય છે.

રેલવે અધિકારીઓએ સ્ટેશનના પીળા બોર્ડ પરથી “રૈનાગઢ” નામ સંપૂર્ણપણે હટાવી દીધું. ત્યારથી આ સ્ટેશન કોઈ નામ વિના કાર્યરત છે. આજે પણ અહીં ટ્રેનો રોકાય છે, મુસાફરો આવન-જાવન કરે છે, પરંતુ સ્ટેશનના બોર્ડ પર ખાલી પીળું પાટિયું જ જોવા મળે છે. આ રીતે, બે ગામોના વિવાદને કારણે ભારતને એક એવું રેલવે સ્ટેશન મળ્યું છે, જેની ઓળખ માત્ર તેની નામવિહિન હાજરીથી થાય છે.

6 / 6

Ahmedabad Train dining : અમદાવાદને મળશે નવું નજરાણું, આંબલી રોડ સ્ટેશન પર બની રહ્યું છે ‘રેલ કોચ રેસ્ટોરન્ટ’

Follow Us
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મુંબઈમાં વરસાદનું આગમન, ગુજરાતમાં ક્યારે મળશે ગરમીથી રાહત!
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
મહિલા ખેલાડીઓ સાથે કબડ્ડી રમતા દેખાયા મંત્રી 'મનસુખ માંડવિયા'
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
અમદાવાદનો મેડિકલનો વિદ્યાર્થી જ્યોર્જિયામાં ગુમ થતા પરિવાર ચિંતિત
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
છોટાઉદેપુર તાલુકા પંચાયતની જીતમાં ભાન ભૂલ્યા સાંસદ ?
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે ડીઝલનો મોટો જથ્થો જપ્ત! જુઓ Video
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
CNG, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાથી સ્કૂલ વર્ધીની રિક્ષા, વાન થશે મોંઘી ?
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
વાલીઓને મોટો ઝટકો! સ્કૂલ વાન અને રિક્ષા ભાડા વધવાની શક્યતા-Video
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
નાણાકીય સ્થિતિમાં સુધારો થશે, આજે તમારો આત્મવિશ્વાસ વધશે
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
g clip-path="url(#clip0_868_265)">