સાવધાન! ઘરમાં રાખેલું સોનું અને રોકડ તમને જેલ ભેગા કરી શકે છે? તમારી પાસે પડેલી ‘અઘોષિત સંપત્તિ’ પર સરકારની નજર!
શું તમે પણ ઘરમાં કૅશ કે સોનું છુપાવીને રાખ્યું છે? જો ITRમાં આ વિગતો જાહેર નહીં કરો, તો ટેક્સ વિભાગ 86% સુધીનો દંડ વસૂલી શકે છે. 1 કરોડની અઘોષિત સંપત્તિ પર 85 લાખથી વધુનો ફટકો પડી શકે છે! જાણો મહિલાઓ અને પુરુષો માટે સોનું રાખવાના ચોંકાવનારા નિયમો શું છે અને બચવાનો રસ્તો કયો છે.

જો તમે તમારા ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) માં રોકડ, સોનું કે કોઈ મોટા રોકાણની વિગતો છુપાવી છે અને તેનો સોર્સ (કમાણીનો સ્ત્રોત) સાબિત નથી કરી શકતા, તો આવકવેરા વિભાગ તમારી સામે કડક કાર્યવાહી કરી શકે છે.

જો ટેક્સ વિભાગને તમારી કોઈ અઘોષિત આવક મળી આવે, તો તેના પર માત્ર સામાન્ય ટેક્સ નહીં, પરંતુ વ્યાજ અને પેનલ્ટી સહિત 78% થી લઈને 86% સુધીની અધધ રકમ વસૂલવામાં આવી શકે છે.

નિયમો અનુસાર, પકડાયેલી અઘોષિત આવક પર સીદો 60 ટકા ટેક્સ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત તેના પર 25 ટકા સરચાર્જ અને 4 ટકા સેસ લાગુ થાય છે, જેનાથી કુલ ટેક્સનો આંકડો 78 ટકા સુધી પહોંચી જાય છે.

જો કોઈ વ્યક્તિ પાસે 1 કરોડ રૂપિયાની એવી આવક મળે જેનો સોર્સ તે સાબિત કરી દે, તો પણ તેણે આશરે 78 લાખ રૂપિયા ટેક્સ તરીકે સરકારને ચૂકવવા પડશે.

જો તમે આ 1 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તે સાબિત કરવામાં નિષ્ફળ રહો છો, તો કલમ 271AAC હેઠળ વધારાની 10 ટકા પેનલ્ટી લાગશે. એટલે કે 1 કરોડમાંથી 85.8 લાખ રૂપિયા તો સીધા સરકારના ખાતામાં જશે!

કાયદા મુજબ ઘરમાં રોકડા રૂપિયા (Cash) રાખવાની કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરાઈ નથી. તમે ગમે તેટલી રકમ રાખી શકો છો, પરંતુ શરત માત્ર એટલી જ કે એ એક-એક રૂપિયાનો હિસાબ કાયદેસરનો હોવો જોઈએ.

જો ઘરમાં રાખેલી રોકડ ITRમાં દર્શાવેલી ન હોય અથવા એકાઉન્ટ બુકમાં તેની એન્ટ્રી ન હોય, તો ટેક્સ વિભાગ તેને બ્લેક મની (અઘોષિત આવક) માનીને આખી રકમ પર ટેક્સ અને પેનલ્ટી ઠોકી શકે છે.

ભારતીય સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સોના (Gold) માટે નિયમો થોડા હળવા છે. સ્ત્રોત વગર પરિણીત મહિલા 500 ગ્રામ, અપરિણીત મહિલા 250 ગ્રામ અને પુરુષો માત્ર 100 ગ્રામ સુધીનું સોનું ઘરમાં રાખી શકે છે, જે આઈટી વિભાગ જપ્ત નહીં કરે.

જો તમારી પાસે આ નિર્ધારિત મર્યાદા કરતા વધુ સોનું ઘરમાં પડેલું છે, તો તમારી પાસે તે સોનું ખરીદવા માટેની કાયદેસરની આવકનો પુરાવો અથવા વારસાના દસ્તાવેજ હોવા અનિવાર્ય છે.

જો ભૂલ થઈ ગઈ હોય, તો સરકાર Updated ITR ભરવાની તક આપે છે. રિઅસેસમેન્ટ નોટિસ મળ્યા પછી પણ જો તમે સાચો સોર્સ બતાવીને અપડેટેડ રિટર્ન ભરી દો, તો કલમ 115BBE હેઠળ ડિડક્શન ભલે ન મળે, પણ મોટી પેનલ્ટી અને જેલના સળિયા પાછળ જતા બચી શકાય છે.
શેરધારકો થયા ખુશખુશાલ ! આ કંપનીએ જાહેર કર્યું ‘1900%’ નું ડિવિડન્ડ, જાણો ખાતામાં ક્યારે આવશે પૈસા, વાંચવા માટે અહીં ક્લિક કરો
