AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસથી રાહત મેળવવા માંગો છો ? તો ઘરના આંગણે ઉગતા આ એક છોડથી કરો દિવસની શરૂઆત, બ્લડ સુગરને રાખશે કાબૂમાં

આજના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ડાયાબિટીસ એક મોટી સમસ્યા બની ગઈ છે. તેને નિયંત્રિત કરવા માટે મોંઘી દવાઓ ઉપરાંત પ્રકૃતિમાં એક એવો અદ્ભુત ઘરેલું ઉપાય છુપાયેલો છે કે, જે બ્લડ સુગરને મૂળમાંથી કાઢવાની તાકાત ધરાવે છે. રિસર્ચ અનુસાર, રોજ સવારે ખાલી પેટે આ ખાસ કુદરતી રસ પીવાથી ઇન્સ્યુલિનનું પ્રમાણ વધે છે અને સુગર લેવલ પણ ઝડપથી કંટ્રોલમાં આવે છે.

| Updated on: Jul 10, 2026 | 3:55 PM
Share
આજના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનના કારણે ડાયાબિટીસ એક ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારની દવાઓ અને ઘરેલું ઉપાયોનો સહારો લે છે. જો કે, કેટલાક કુદરતી રસ્તાઓની મદદથી તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આ કુદરતી ઉપાયોમાંથી એક કુંવારપાઠાનો રસ છે.

આજના સમયમાં ખરાબ લાઈફસ્ટાઈલ અને ખોટા ખાનપાનના કારણે ડાયાબિટીસ એક ખૂબ જ સામાન્ય પરંતુ ગંભીર સમસ્યા બની ગઈ છે. તેને કંટ્રોલમાં રાખવા માટે લોકો અલગ-અલગ પ્રકારની દવાઓ અને ઘરેલું ઉપાયોનો સહારો લે છે. જો કે, કેટલાક કુદરતી રસ્તાઓની મદદથી તેને સરળતાથી કંટ્રોલ કરી શકાય છે. આ કુદરતી ઉપાયોમાંથી એક કુંવારપાઠાનો રસ છે.

1 / 6
આયુર્વેદમાં એલોવેરાને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે અને સંશોધનો પણ દર્શાવે છે કે, તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે, ડાયાબિટીસના દર્દીઓ માટે 'Aloe Vera Juice' કેમ ફાયદાકારક છે અને તેના શું-શું બેનિફિટ્સ (લાભ) છે.

આયુર્વેદમાં એલોવેરાને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે અને સંશોધનો પણ દર્શાવે છે કે, તે બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. એવામાં ચાલો જાણીએ કે, ડાયાબિટીસના દર્દીઓ માટે 'Aloe Vera Juice' કેમ ફાયદાકારક છે અને તેના શું-શું બેનિફિટ્સ (લાભ) છે.

2 / 6
એલોવેરામાં ક્રોમિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારે છે. તે લોહીમાં ગ્લુકોઝના લેવલને ઝડપથી વધતા અટકાવે છે. કેટલાક અભ્યાસો અનુસાર, નિયમિતપણે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી ફાસ્ટિંગ બ્લડ સુગરના સ્તરમાં ઘટાડો થાય છે.

એલોવેરામાં ક્રોમિયમ, મેંગેનીઝ અને મેગ્નેશિયમ જેવા તત્વો જોવા મળે છે, જે શરીરમાં ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને વધારે છે. તે લોહીમાં ગ્લુકોઝના લેવલને ઝડપથી વધતા અટકાવે છે. કેટલાક અભ્યાસો અનુસાર, નિયમિતપણે એલોવેરા જ્યુસનું સેવન કરવાથી ફાસ્ટિંગ બ્લડ સુગરના સ્તરમાં ઘટાડો થાય છે.

3 / 6
એલોવેરાના છોડમાં 'ફાયટોસ્ટેરોલ્સ' નામનું સંયોજન હોય છે. આ સંયોજન શરીરમાં એન્ટી-હાયપરગ્લાયસેમિક અસર પેદા કરે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાદુપિંડ (પેનક્રિયાઝ) ના કોષોને સક્રિય કરીને ઇન્સ્યુલિનના નેચરલ પ્રોડક્શનને વધારવામાં મદદ કરે છે.

એલોવેરાના છોડમાં 'ફાયટોસ્ટેરોલ્સ' નામનું સંયોજન હોય છે. આ સંયોજન શરીરમાં એન્ટી-હાયપરગ્લાયસેમિક અસર પેદા કરે છે, જે ટાઇપ-2 ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે. તે સ્વાદુપિંડ (પેનક્રિયાઝ) ના કોષોને સક્રિય કરીને ઇન્સ્યુલિનના નેચરલ પ્રોડક્શનને વધારવામાં મદદ કરે છે.

4 / 6
ડાયાબિટીસના દર્દીઓનું પાચનતંત્ર અવારનવાર નબળું પડી જાય છે. એલોવેરા જ્યુસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ઝાઇમ્સ હોય છે, જે શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ (ઝેરી તત્વો) ને બહાર કાઢે છે. તે કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત અપાવીને પાચનક્રિયાને સુધારે છે.

ડાયાબિટીસના દર્દીઓનું પાચનતંત્ર અવારનવાર નબળું પડી જાય છે. એલોવેરા જ્યુસમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ઝાઇમ્સ હોય છે, જે શરીરમાંથી હાનિકારક ટોક્સિન્સ (ઝેરી તત્વો) ને બહાર કાઢે છે. તે કબજિયાત, એસિડિટી અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત અપાવીને પાચનક્રિયાને સુધારે છે.

5 / 6
ડાયાબિટીસના દર્દીઓમાં અવારનવાર એવું જોવા મળે છે કે, કોઈ પણ ઈજા કે ઘા સરળતાથી રૂઝાતા નથી. એલોવેરામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની અંદરની હીલિંગ પાવર (રૂઝ આવવાની ક્ષમતા) વધારે છે અને સંક્રમણ (ઈન્ફેક્શન) ના જોખમને ઓછું કરે છે. ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે એલોવેરા જ્યુસને એક ગ્લાસ નવશેકા પાણીમાં ભેળવીને લઈ શકે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.

ડાયાબિટીસના દર્દીઓમાં અવારનવાર એવું જોવા મળે છે કે, કોઈ પણ ઈજા કે ઘા સરળતાથી રૂઝાતા નથી. એલોવેરામાં એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે શરીરની અંદરની હીલિંગ પાવર (રૂઝ આવવાની ક્ષમતા) વધારે છે અને સંક્રમણ (ઈન્ફેક્શન) ના જોખમને ઓછું કરે છે. ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટે એલોવેરા જ્યુસને એક ગ્લાસ નવશેકા પાણીમાં ભેળવીને લઈ શકે છે. આનાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થશે.

6 / 6
Disclaimer: (આ આર્ટિકલમાં સૂચવવામાં આવેલી ટિપ્સ માત્ર સામાન્ય માહિતી માટે જ છે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈપણ કામ કે તમારા ડાયેટમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરતા પહેલા તમારા ડોક્ટરની સલાહ જરૂર લો. TV9 Gujarati કોઈપણ પ્રકારના દાવાની પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી.)

ચોમાસામાં ફ્રિજની બહાર ન રાખતા આ 6 ખોરાક, રસોડાની આ નાની ભૂલ આખા પરિવારને કરી દેશે બીમાર !

Follow Us
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">