Ratan Tata Death : રતન ટાટા ક્રિકેટરોને પણ કરી ચૂક્યા છે મદદ, આ ક્રિકેટર જીતી ચૂક્યા છે વર્લ્ડકપ

રતન ટાટાના કાર્યકાળ દરમિયાન ટાટા ગ્રુપની અલગ-અલગ કંપનીઓએ દેશના અનેક ક્રિકેટરોને સપોર્ટ કર્યો હતો. તેમની મદદથી, તે આગળ વધ્યા અને બાદમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું અને વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી.

| Updated on: Oct 10, 2024 | 12:03 PM
રતન ટાટાનું બુધવાર 9 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે નિધન થયું છે. તેના નિધનથી આખો દેશ શૌકમાં છે. રમત-ગમત પણ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેના કામો માટે તેને યાદ કરવામાં આવે છે.

રતન ટાટાનું બુધવાર 9 ઓક્ટોબરના રોજ 86 વર્ષની વયે નિધન થયું છે. તેના નિધનથી આખો દેશ શૌકમાં છે. રમત-ગમત પણ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેના કામો માટે તેને યાદ કરવામાં આવે છે.

1 / 5
તમને જણાવી દઈએ કે, રતન ટાટાને ક્રિકેટ સાથે પણ ખુબ પ્રેમ હતો. તેમણે ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. રતન ટાટાએ ક્રિકેટરને તૈયાર કરવા માટે તેમણે આર્થિક રુપથી મજબુત કર્યા અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

તમને જણાવી દઈએ કે, રતન ટાટાને ક્રિકેટ સાથે પણ ખુબ પ્રેમ હતો. તેમણે ભારતીય ક્રિકેટને આગળ વધારવા માટે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. રતન ટાટાએ ક્રિકેટરને તૈયાર કરવા માટે તેમણે આર્થિક રુપથી મજબુત કર્યા અને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.

2 / 5
આનું પરિણામએ આવ્યું કે, યુવરાજ સિંહ જેવા અનેક ક્રિકેટરો દેશને મળ્યા, જેમણે ભારતને વર્લ્ડ ટ્રોફી પણ જીતાડી છે. ભારત જેવા દેશમાં ઘણા ક્રિકેટરોની પ્રગતિ માટે પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટી સમસ્યા બની જાય છે. તેથી, રતન ટાટાના કાર્યકાળ દરમિયાન, ટાટા જૂથની ઘણી કંપનીઓએ ભારતીય ક્રિકેટરોને આર્થિક રીતે મજબૂત કર્યા. તેમને સપોર્ટ કરવા માટે નોકરી પણ આપી અને તેના કરિયરને આગળ વધારવા માધ્યમ બની હતી.

આનું પરિણામએ આવ્યું કે, યુવરાજ સિંહ જેવા અનેક ક્રિકેટરો દેશને મળ્યા, જેમણે ભારતને વર્લ્ડ ટ્રોફી પણ જીતાડી છે. ભારત જેવા દેશમાં ઘણા ક્રિકેટરોની પ્રગતિ માટે પૈસા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટી સમસ્યા બની જાય છે. તેથી, રતન ટાટાના કાર્યકાળ દરમિયાન, ટાટા જૂથની ઘણી કંપનીઓએ ભારતીય ક્રિકેટરોને આર્થિક રીતે મજબૂત કર્યા. તેમને સપોર્ટ કરવા માટે નોકરી પણ આપી અને તેના કરિયરને આગળ વધારવા માધ્યમ બની હતી.

3 / 5
મોહિંદર અમરનાથ જે 1983ની વર્લ્ડકપ જીતાડવામાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે ટીમના વાઈસ કેપ્ટન પણ હતા.સંજય માંજરેકર, રોબિન ઉથપ્પા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા ક્રિકેટરો પણ ટાટાની ઈકોસિસ્ટમનો ભાગ હતા.

મોહિંદર અમરનાથ જે 1983ની વર્લ્ડકપ જીતાડવામાં ટીમ ઈન્ડિયાનો ભાગ હતો. તે ટીમના વાઈસ કેપ્ટન પણ હતા.સંજય માંજરેકર, રોબિન ઉથપ્પા અને વીવીએસ લક્ષ્મણ જેવા દિગ્ગજ ક્રિકેટર્સ જેવા ક્રિકેટરો પણ ટાટાની ઈકોસિસ્ટમનો ભાગ હતા.

4 / 5
ઈન્ડિયન એરલાઈન્સે જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફને સપોર્ટ કર્યો અને આગળ વધારવામાં મદદ કરી હતી. જ્યારે અજીત અગરકરને ટાટા સ્ટીલે મદદ કરી છે.

ઈન્ડિયન એરલાઈન્સે જવાગલ શ્રીનાથ, યુવરાજ સિંહ, હરભજન સિંહ અને મોહમ્મદ કૈફને સપોર્ટ કર્યો અને આગળ વધારવામાં મદદ કરી હતી. જ્યારે અજીત અગરકરને ટાટા સ્ટીલે મદદ કરી છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">