IND vs SA 2nd Test : ટીમ ઈન્ડિયા આ મેદાન પર પહેલીવાર ટેસ્ટ રમશે, સમયમાં પણ ફેરફાર થયો
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે સીરિઝમાં 0-1થી પાછળ ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખુબ જરુરી છે. આ મેચ ટીમ ઈન્ડિયા માટે ખુબ ખાસ રહેવાની છે.

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની શરુઆત ભારત માટે ખુબ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ કોલકાતા ટેસ્ટ મેચમાં 30 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. હવે સીરિઝની બીજી મેચ 22 નવેમ્બરના રોજ રમાશે. જે ટીમ ઈન્ડિયા માટે કરો યા મરો જેવી રહેશે.

ટીમ ઈન્ડિયાને સીરિઝ ડ્રો કરવા માટે આ મેચ કોઈ પણ સંજોગોમાં જીતવી પડશે.

આ મેચ ગુવાહાટીના બરસાપાર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ખાસ વાત એ છે કે, ભારતીય ક્રિકેટ ટીમ પહેલી વખત આ મેદાન પર ટેસ્ટ મેચ રમશે. ટીમ ઈન્ડિયાએ અહી વનડે અને ટી20 મેચ રમી છે.

ટીમ ઈન્ડિયા પર સાઉથ આફ્રિકા વિરુદ્ધ 25 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સીરિઝ હારવાનો ખતરો મંડરાય રહ્યો છે. આ પહેલા સાઉથ આફ્રિકાએ વર્ષ 1999-2000 ભારત પ્રવાસ પર ટેસ્ટ સીરિઝ જીતી હતી. ત્યારે ભારતીય ટીમને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ વખતે સાઉથ આફ્રિકા સીરિઝ પર કબ્જો કરવા માટે માત્ર એક ડ્રોની જરુર છે.

ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટું ટેન્શન કેપ્ટન શુભમન ગિલ છે. જે આ મેચમાં ભાગ લેશે કે નહી તે હજુ સ્પષ્ટ થયું નથી. તેમને પહેલી ટેસ્ટ મેચ દરમિયાન ગરદનમાં દુખાવો થયો હતો. જેના કારણે તે આખી મેચમાંથી બહાર થયો હતો. જો તે આ મેચમાંથી બહાર થાય છે તો ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગી શકે છે.

ગુવાહાટી ટેસ્ટની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.ગુવાહાટી પૂર્વોતર ભારતમાં આવેલું છે. જ્યાં સૂર્યાસ્ત જલ્દી થાય છે. આ મેચ સવારે 9 કલાકથી શરુ થશે. આ સિવાય પહેલું સેશન લંચના સ્થાને ટી લેવામાં આવશે. બીજુ સેશન લંચ બાદ રમાશે.( all PHOTO CREDIT- PTI)
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
