AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમ

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. દક્ષિણ આફ્રિકા ટેસ્ટ, ODI અનેT20 ત્રણેય ફોર્મેટમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ રમે છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું સંપૂર્ણ સભ્ય છે.

દક્ષિણ આફ્રિકાની મેન્સ ક્રિકેટ ટીમ તેમની આક્રમક ક્રિકેટ માટે ફેમસ છે. દક્ષિણ આફ્રિકાની ટીમ ક્યારેય કોઈ ICC વર્લ્ડ કપ જીતી શકી નથી, જેથી તેમને ચોકર્સ પણ કહેવામાં આવે છે. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમનું સંચાલન ક્રિકેટ સાઉથ આફ્રિકા કરે છે.

દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના અનેક સ્ટાર ખેલાડીઓએ વર્લ્ડ ક્રિકેટમાં ડંકો વગાડ્યો છે. જેમાં એબી ડી વિલિયર્સ, શેન પોલોક, સ્ટીવ સ્મિથ, ડી કોક, ડેલ સ્ટેન સહિત અનેક મોટા નામો સામેલ છે.

Read More

ધુમ્મસને કારણે લખનૌ T20 રદ થયા બાદ BCCIએ ભૂલ સ્વીકારી, 31 દિવસ માટે મોટા ફેરફારો કરવામાં આવશે

લખનૌ T20 ધુમ્મસને કારણે રદ કરવામાં આવી હતી. આ ઘટના બાદ, BCCI એ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. બોર્ડના ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ એક મહત્વપૂર્ણ નિવેદન જાહેર કર્યું છે.

IND vs SA : જો ક્રિકેટ મેચ રદ થાય, તો શું દર્શકોને ટિકિટના પૈસા પાછા નહીં મળે? જાણો શું છે નિયમ

ધુમ્મસને કારણે મેચ રદ થવી એ આશ્ચર્યજનક ઘટના છે, અને લખનૌમાં ભારત-આફ્રિકા મેચમાં આવું થયું છે. મેચમાં ટોસ પણ નાં ઘયો અને એકપણ બોલ નાખ્યા વિના મેચ રદ થઈ, જે બાદ ચોક્કસથી ફેન્સ નિરાશ થયા, જોકે તેમના મનમાં મોટો પ્રશ્ન એ છે કે તેમને મેચ તો જોવા ના મળી, તો હવે તેમની ટિકિટના પૈસાનું શું થયું? શું એ તેમને પાછા મળશે કે પછી પૈસા વેડફાય ગયા? જાણો મેચ રદ થયા બાદ ટિકિટ રિફંડ અગે શું છે નિયમ.

ક્યારેક ક્રિકેટ, ક્યારેક બેડમિન્ટન, પ્રદૂષણની રમત પર નકારાત્મક અસર પડી, શરમજનક સ્થિતિ સર્જાઈ

લખનૌમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ ગાઢ ધુમ્મસ અને પ્રદૂષણને કારણે રદ કરવી પડી હતી. હાર્દિક પંડ્યા મેદાન પર માસ્ક પહેરેલો જોવા મળ્યો હતો, જેના કારણે વધુ શરમજનક સ્થિતિ સર્જાઈ હતી. ક્યારેક ક્રિકેટ તો ક્યારેક બેડમિન્ટન, પ્રદૂષણની રમતગમત પર નકારાત્મક અસર પડી રહી છે.

Breaking News: ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ, લખનૌમાં ધુમ્મસને કારણે ટોસ પણ ના થઈ શક્યો

ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચેની ચોથી T20 મેચ રદ એક પણ બોલ ફેંક્યા વિના રદ કરવામાં આવી હતી. અમ્પાયરોએ મેચ ચાલુ કરવા માટે લગભગ 3 કલાક રાહ જોઈ પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં. જેના કારણે બાદમાં મેચને રદ કરવામાં આવી હ્તી.

Breaking News : લખનૌમાં વરસાદ વિના જ મેચમાં વિલંબ, આ કારણે ટોસ મુલતવી રાખવામાં આવ્યો

ચાહકો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 શ્રેણીની ચોથી મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે ભારતીય ટીમ લગભગ ત્રણ વર્ષ પછી આ મેદાન પર T20 મેચ રમવાની છે. પરંતુ તેમની રાહ થોડી લાંબી થઈ ગઈ. કારણ કે મેચ શરુ થતા પહેલા ટોસમાં જ વિલંબ થયો છે.

Breaking News: ટેસ્ટ-ODI કેપ્ટન શુભમન ગિલ T20 ટીમમાંથી બહાર, ટીમ ઈન્ડિયાએ લીધો ચોંકાવનારો નિર્ણય

ટીમ ઈન્ડિયાએ T20 વાઈસ કેપ્ટન શુભમન ગિલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કર્યો છે. લખનૌ T20માં સંજુ સેમસન તેની જગ્યાએ રમશે. શુભમન ગિલને પ્રેક્ટિસ દરમિયાન ઈજા થઈ હતી.

IND vs SA: ટીમ ઈન્ડિયાની ‘લકી જોડી’ રમવા તૈયાર, જો આફ્રિકા લખનૌમાં હાર્યું, તો સતત 14મી વખત આવું થશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ લખનૌમાં રમાશે. આ સ્થળે બંને ટીમો વચ્ચે આ પહેલીવાર T20 મેચ યોજાશે. ભારતે ત્યાં રમાયેલી અગાઉની બધી T20I મેચ જીતી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાની લકી જોડી ફરી કમાલ કરવા તૈયાર છે.

India vs South Africa, 3rd T20I : ભારતે ધર્મશાળામાં લીધો ‘બદલો’, દક્ષિણ આફ્રિકાને એકતરફી રીતે હરાવ્યું

ભારતે ધર્મશાલા T20માં દક્ષિણ આફ્રિકાને 7 વિકેટે હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી છે. ભારતીય બોલરોએ દક્ષિણ આફ્રિકાને 117 રનમાં ઓલઆઉટ કર્યું, જેમાં અર્શદીપ અને કુલદીપ ચમક્યા.

ટીમ ઈન્ડિયાની હાર બાદ હાર્દિક પંડ્યા-ગૌતમ ગંભીર ઝઘડ્યા ? વીડિયો વાયરલ થતા સર્જાયો વિવાદ !

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ચાલી રહેલી T20 શ્રેણી દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુલ્લાનપુર T20 મેચમાં હાર બાદ ગૌતમ ગંભીર અને હાર્દિક પંડ્યા વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

IND vs SA: બીજી T20 માં આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા ફક્ત 162 રનમાં ઓલઆઉટ

T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની જીત સાથે શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે અને હવે ત્રીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાશે.

Gautam Gambhir : ગૌતમ ગંભીરે અર્શદીપ સિંહને ગાળો આપી? ચોંકાવનારો આરોપ લાગ્યો

ગૌતમ ગંભીર ઘણીવાર મેચ દરમિયાન આક્રમક મૂડમાં જોવા મળે છે. દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20I માં આ આક્રમકતા સ્પષ્ટ દેખાઈ હતી. મુખ્ય કોચ પોતાના જ બોલર અર્શદીપ સિંહ પર ગુસ્સે થયો હતો. ગંભીરે અર્શદીપ સિંહને ગાળો આપી હોવાનો ફેન્સે આરોપ લગાવ્યો હતો.

13 બોલની ઓવર, એક ઓવરમાં 7 વાઈડ બોલ… અર્શદીપ સિંહ બોલિંગ કરવાનું ભૂલી ગયો?

ભારતના સૌથી સફળ T20I બોલર અર્શદીપ સિંહે ન્યુ ચંદીગઢ સ્ટેડિયમમાં ખરાબ બોલિંગની બધી હદ પાર કરી દીધી હતી. અર્શદીપ સિંહે એક જ ઓવરમાં સાત વાઈડ ફેંકીને એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો. અર્શદીપ સિંહે તેની એક ઓવર પૂર્ણ કરવા માટે 13 બોલ ફેંક્યા હતા.

Breaking News: પહેલી T20 માં ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને 101 રનથી કચડી નાખ્યું, શ્રેણીમાં 1-0થી લીડ મેળવી

પાંચ મેચની T20 શ્રેણીની ભારતીય ટીમે શાનદાર શરૂઆત કરતા પહેલી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 101 રનથી હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાની આક્રમક બેટિંગ બાદ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ અને અન્ય બોલરોની દમદાર બોલિંગના દમ પર આફ્રિકા સામે મોટી જીત હાંસલ કરી હતી. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

Breaking News: સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું, આ ત્રણ સ્ટાર ખેલાડીઓ પણ બહાર, ટીમ ઈન્ડિયાનો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20I માટે પ્લેઈંગ 11 ની પસંદગી કરી. સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન સહિત ચાર સ્ટાર ખેલાડીઓને બેન્ચ પર રાખવામાં આવ્યા. સંજુ સેમસનનું ફરી પત્તું કપાયું છે.

IND vs SA: કટકમાં પ્રથમ T20I મેચમાં કેવી હશે બંને ટીમની પ્લેઈંગ 11? જાણો પિચ-હવામાનની શું છે સ્થિતિ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20I શ્રેણીની પહેલી મેચ કટકના બારાબતી સ્ટેડિયમ ખાતે રમાશે. ટીમ ઈન્ડિયા ત્રણ વર્ષના અંતરાલ પછી આ સ્થળે T20I મેચ રમશે. છેલ્લી વખત તેઓ ત્યાં દક્ષિણ આફ્રિકા સામે રમ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">