IND vs ENG : લોર્ડ્સમાં ભારતની હાર બાદ ટીકાઓનો વરસાદ, અશ્વિન-પઠાણ-કૈફે ઊઠાવ્યા સવાલ
ભારત લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે ત્રીજા ટેસ્ટમાં 193 રનના ટાર્ગેટ સામે ટીમ ઈન્ડિયા માત્ર 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. આ હાર સાથે ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં હવે 1-2થી પાછળ થઈ ગઈ છે. હાર બાદ રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને કેપ્ટન શુભમન ગિલ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયા છે. આ પૂર્વ ક્રિકેટરોએ હારના કારણો પર ખુલાસો કરતા ટિપ્પણીઓ કરી છે.

લોર્ડ્સમાં ભારતની હાર બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને શુભમન ગિલ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયા છે.

અશ્વિને પોતાના યુટ્યુબ ચેનલ પર જણાવ્યું કે, જાડેજાએ ધીરજથી ખૂબ જ સારી બેટિંગ કરી, પણ તેણે વધુ રન બનાવવાનો પ્રયાસ કરવો જોઈતો હતો. શોએબ બશીરને નિશાન બનાવી સારા શોટ રમી જાડેજા વધુ રન બનાવી શક્યો હોત તો પરિણામ અલગ હોત.

ઈરફાન પઠાણે બેન સ્ટોક્સના ઉદાહરણથી જસપ્રીત બુમરાહના વર્કલોડ મેનેજમેન્ટ પર સવાલ ઉઠાવ્યો. તેણે કહ્યું કે ટીમ જ્યારે દબાણમાં હોય ત્યારે સ્ટાર ખેલાડીઓએ આગળ આવવું જોઈએ. મેચ દરમિયાન કોઈ વર્કલોડ મેનેજ નહીં કરો.

ભૂતપૂર્વ ક્રિકેટર મદન લાલે કહ્યું કે વિરાટ કોહલી હજુ બે વર્ષ રમી શકે છે અને ભારતના યુવાન ખેલાડીઓને માર્ગદર્શન આપી શકે છે. મદન લાલે અપીલ કરી કે કોહલીએ નિવૃત્તિનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.

મોહમ્મદ કૈફે કહ્યું કે શુભમન ગિલના વર્તનથી ઈંગ્લેન્ડને વધુ પ્રેરણા મળી. શુભમન ગિલ હજુ શીખી રહ્યો છે, તેની ટેકનિકમાં ખામી છે અને આવી હારથી કેપ્ટન તરીકે તેણે સુધારો કરવો પડશે.

ઈરફાન પઠાણે જણાવ્યું કે બોલરોએ વધારે એક્સ્ટ્રા રન આપ્યા જેણે મેચમાં ભારતની હારમાં મોટી ભૂમિકા ભજવી હતી. અડધા પણ ઓછા એક્સ્ટ્રા રન આપ્યા હોત તો મેચ જીતી શક્યા હોત. (All Photo Credit : PTI / GETTY)
લોર્ડ્સમાં હાર બાદ કેપ્ટન શુભમન ગિલ પૂર્વ ક્રિકેટરોના નિશાના પર આવી ગયો છે. શુભમન ગિલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
